વિંછીયાના મોટી લાખવડ ગામે નજીવી બાબતે
૨ યુવાનો પર ૩ શખ્શોનો
ધારિયા-કુહાડીથી ખૂની હુમલો
સામસામી ફરિયાદોમાં ૬ શખ્શો સામે ગુનો નોંધાયો : ૪ ની ધરપકડ
રાજકોટ તા.૭
વિંછીયા તાલુકાના મોટી લાખવડ ગામે બે મહિના પહેલા મકાનની દીવાલ બાબતે થયેલા ઝગડાનો ખાર રાખી બે યુવાનો પર ત્રણ શખ્શોએ ધરિયા-કુહાડી વડે ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ૨ શખ્શોની ધરપકડ કરી, ત્રીજાની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે. તો સામા પક્ષે પણ ૩ શખ્શો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૬ શખ્શો સામે ગુનો નોંધી ૪ ની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયા તાલુકાના મોટી લાખવડ ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે મુન્નાભાઈ રૂપાભાઇ સાંબડ (ઉ.વ.૨૮) અને તેમના નાના ભાઈ રામશી ઉપર ગભરુ સવશી સાંબડ, વિભા સવશી સાંબડ અને સવશી મેઘા સાંબડ એમ ત્રણેય શખ્શોએ ધારિયા કુહાડી વડે ખૂની હુમલો કરતા રણછોડભાઈ અને રામશીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.
રણછોડભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમના મકાનની દીવાલ બાબતે માથાકૂટ થઇ હોય, આ વાતનો ખાર રાખી ઉપરોક્ત ત્રણેય શખ્શોએ તેમના પર હુમલો કર્યો હતો. પીએસઆઈ વી.એમ.કોલાદરાએ ગણતરીની કલાકોમાં વિભાભાઇ અને સવશીભાઈની ધરપકડ કરી ગભરૂભાઈની શોધખોળ આદરી છે.
તો સામા પક્ષે ગભરુ સવશી સાંબડ(ઉ.વ,૩૨)એ પણ રણછોડ રૂપા, રામશી રૂપા અને રૂપા મોતી સામે ધરિયા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે રણછોડ અને રૂપાની ધરપકડ કરી રામશીની અટક કરવા કવાયત આદરી છે.
************************
પારડીની મહિલાને રાજકોટના સાસરિયાનો ત્રાસ
તારે અહી રહેવું હોય તો રૂપિયા ૫૦ હજાર
લઇ આવ નહીતર જાનથી મારી નાખીશું
પહેરેલ કપડે કાઢી મુક્ત શાપર(વે.)પોલીસમાં મહિલાની ફરિયાદ
રાજકોટ તા.૭
શાપર(વેરાવળ)નજીકના પારડી ગામે રહેતી પરિણીતાને રાજકોટ સ્થિત સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી પિયરમાંથી રૂપિયા લઇ આવવાનું કહી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાની શાપર(વે.)પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે પતિ, સાસુ, નણંદ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં મોરબી રોડ, નાની ફાટક પાસે , રાજા લક્ષ્મી સોસાયટી-૩ માં રહેતી ધારાબેન ચેતનભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષની પરિણીતાને સાસરીયાઓએ કરિયાવર, કામકાજ બાબતે અવારનવાર મ્હેણાં, ટોણા મારી ઢીકાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.
ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે તા.૧૭-૬-૨૦૧૭ ના રોજ લગ્ન થયા પછી માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં જ પતિ ચેતન તુલસી ચૌહાણ, સાસુ ભાનુબેન કાળુભાઈ પૈજા, તેમજ નણંદ જાગૃતિ માનીશ વેકરીયાએ શારીરિક માનસિક ત્રાસ શરુ કર્યો હતો.
અને છેલ્લે "તારે અહી રહેવું હોય તો માવતરિયેથી રૂપિયા ૫૦ હજાર લઇ આવ નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી, માર મારી ઘરમાંથી કાઢી મૂકી છે. સંસાર હવે લાંબો ચલાવવો મુશ્કેલ જણાતાં ધારાબેને શાપર નજીકના પારડી ગામે રાજ પેટ્રોલ પંપ પાછળ, ગાયત્રી પાર્કમાં રહેતા પિતા પ્રદીપભાઈ હેમંતભાઈ વ્યાસના ઘરે આવી જઈને શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ધારબેનની ફરિયાદ પરથી શાપર પોલીસના મહિલા પીએસઆઈ સી.એસ.વાછાણીએ ગુનો નોંધી ધારાબેનના પતી, સાસુ અને નણંદની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
*************************
ઘર પાસે સાંઠીઓ મૂકી રસ્તો બંધ કરવાની વાતમાં બોલાચાલી બાદ બઘડાટી બોલી
વિંછીયાના સનાળી ગામે મીનાબેન અસવાર પર
૫ મહિલા સહીત ૭ નો ધારિયા-ગુપ્તીથી હુમલો
મીનાબેન પર હેતલ, સોનલ, સરદારસંગ, નંદા, સોનલ પ્રહલાદ,
સુજાબેન અને દાનસંગભાઈ તૂટી પડ્યા : હુમલામાં ગુપ્તીનો પણ ઉપયોગ
રાજકોટ તા.૭
વિંછીયા તાલુકાના સનાળી ગામે ઘર પાસે સાંઠીઓ મૂકી રસ્તો બંધ કરવાની વાતમાં બોલાચાલી બાદ મામલો બઘડાટી સુધી પહોચી જતા એક મહિલા પર ૫ મહિલા સહીત ૭ શખ્શોએ લોખંડનો પાઈપ અને ગુપ્તી, ધારિયું અને કુહાડા અને લોખંડની કોંસ વડે હુમલો કરી ઈજા પહોચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ વિંછીયા તાલુકાના સનાળી ગામે રહેતા મીનાબેન કરણભાઈ અસવાર(ઉ.વ.૩૨) પર તે જ ગામના હેતલબેન દાનસંગભાઈ રાઠોડ, સોનલબેન દાનસંગભાઈ રાઠોડ, સરદારસંગ દાનસંગ રાઠોડ, નંદાબેન દાનસંગભાઈ રાઠોડ, સોનલબેન પ્રહલાદભાઈ રાઠોડ, સુજાબેન દાનસંગભાઈ રાઠોડ તેમજ દાનસંગભાઈ કાળુભાઈ રાઠોડ વિગેરેએ એકસંપ કરી લોખંડનો પાઈપ અને ગુપ્તી વડે હુમલો કરતા મીનાબેનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
દવાખાને મીનાબેને પોલીસને જણાવેલ કે, આરોપીઓએ તેમના ઘર પાસે સાંઠીઓ ખડકી રસ્તો બંધ કર્યો હોય, આ બાબતે ટપારવા જતા લાજવાને બદલે ગાજેલા ઉપરોક્ત આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. વિંછીયા પોલીસના જમાદાર બી.બી.સિંગે ૫ મહિલા સહીત ૭ સામે ગુનો નોંધી તમામની અટક કરવા તજવીજ હાથ ધીર છે.
*****************************
જેતપુરમાં એકટીવા હડફેટે વડીયાના
ઇલેક્ટ્રિક ધંધાર્થીનું સારવારમાં મૃત્યુ
રાજકોટ તા.૭
ગઈકાલે જેતપુરમાં સરદારચોક પાસે એકટીવાની હડફેટે ચડેલા વડીયાના પ્રોઢનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું. પોલીસે એકટીવા ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અમરેલી જીલ્લાના વડીયા ગામે મોરભાઈ ચોક વિસ્તારમાં રહેતા ધનસુખપૂરી રેવાપુરી ગોસ્વામી (ઉ.વ.૫૪)નામના બાવાજી પ્રોઢ જેતપુરમાં પંખા સહિતનો ઇલેક્ટ્રિકનો પરચુરણ માલસામાન લેવા ગયા હતા.
દરીમીયાન જેતપુરમાં સરદાર ચોકમાં તેઓ જતા હતા ત્યારે એક એકટીવા ચાલકે તેમને હડફેટે લેતા ધનસુખભાઈને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ ત્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે આ બાવાજી પ્રોઢને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બાબતે વિગતો આપતા તેમના એકના એક પુત્ર રુદ્ર(ઉ.વ.૧૪)એ જણાવેલ કે ગઈકાલે તેમના પિતા જેતપુર ગયા ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતક ધનસુખભાઈ ઇલેક્ટ્રિકના નાના મોટા ધંધા સાથે સંકળાયેલા છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
*********************
ધારીના ફાચરીયા ગામની કરુણ ઘટના
ચાલુ ચુલા નજીક કેરોસીન ઢોળાયું ને
થયેલા ભડકામાં બાળક દાઝ્યો : મોત
સંજયભાઈ પાટડિયાના ત્રણ સંતાનોમાં દીપ સૌથી
નાનો દોઢ વરસનો પુત્ર હતો : કોળી પરિવારમાં શોક
રાજકોટ તા.૭
અમરેલી જીલ્લાના, ધારી તાલુકાના ફાચરીયા ગામે ગઈકાલે અકસ્માતે દાઝી ગયેલા એક દોઢ વર્ષના બાળકનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાળક ઘરમાં રમતો હતો ત્યારે આ અકસ્માત થતા કોળી પરિવારજનોમાં શોક ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધારી તાલુકાના ફાચરીયા ગામે ગઈકાલે સાંજે ચારેક વાગ્યાની આસપાસ સંજયભાઈ પાટડિયા નામના કોળી યુવાનના ઘરે તેમનો દોઢ વર્ષનો બાળક દીપ રમતો હતો.
ત્યારે અચાનક ઘરમાં કેરોસીનની સીસી ઢોળા તા. નજીકમાં જ ચાલુ ચૂલામાં ભડકો થતા દીપ ગંભીર રીતે ચુલાના જાળમાં લપેટાઈ જતા, દીપ ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ધરી, અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ. જ્યાં આજે દીપનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
બનાવ બાબતે વધુ વિગતો આપતા દીપના પિતા સંજયભાઈ પાટડિયાએ જણાવેલ કે, તેમને સંતાનમાં એક પુત્રી ભૂમિકા(ઉ.વ.૧૦), બે પુત્રોમાં તીર્થ (ઉ.વ.૩) અને સૌથી નાનો દીપ(દોઢ વર્ષ) છે. સંજયભાઈ રીક્ષા ચલાવવાની મજુરીકામ કરે છે. બનાવથી કોળી પરિવારજનોમાં અરેરાટી સાથે શોક વ્યાપી ગયો છે.
*****************
રોડ પર આડી ઉતારેલી ગાયને બચાવવા જતા
પોરબંદર હાઈવે પર બાઈક સ્લીપ થયું
જામરાવલના યુવાનનું સારવારમાં મોત
રાજકોટ તા.૭
ગઈકાલે પોરબંદર હાઈવે પર રોડ પર આડી ઉતરેલી ગાયને બચાવવા જતા, બાઈક સ્લીપ થઇ જતા ઘવાયેલા બે યુવાનોમાં એકનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું. જયારે બીજાયુવાનને સારવાર અપાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા, જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના બે યુવાનો મોહનભાઈ રણમલભાઈ વાઘેલા(ઉ.વ.૪૦) અને નાગાભાઈ અરજણભાઈ ગામી(ઉ.વ.૩૫) પોતાનું પૈક લઈને પોરબંદર હાઈવે, કુતિયાણાથી આગળ પહોંચ્યા ત્યારે રોડ પર અચાનક ગાય આડી ઉતરતા, ગાયને બચાવવા જતા બાઈક સ્લીપ થઇ જતા બને ગંભીર રીતે ઘાયલ થતા પ્રથમ પોરબંદર પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં નાગાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે મોહનભાઈને સિવિલ હોસ્પીટલના વોર્ડ-8 માં સારવાર અપાઈ રહી છે. બનાવના હોસ્પિટલ ચોકી સુત્રોએ કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.
****************
કાલાવડ તાલુકામાં ટેકાના ભાવે ખરીદાતી
મગફળીમાં લાગવગશાહીના આક્ષેપો
કાલાવડ તાલુકાના ખેડૂતો સાથે જામનગર જીલ્લાના સંબંધિતો ભેદભાવની નીતિ રાખતા હોય તેમ ટેકાના ભાવે ખરીદાતી મગફળીની વાતમાં લાગવગશાહી ચાલતી હોવાના રામદેવસિંહ રતુભા જાડેજાએ આક્ષેપો સાથે જામનગર જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં અરજદારે જણાવ્યું છે કે, ટેકાના ભાવે મગફળી વેંચાણ કરતા ખેડૂતોને પોતાની મગફળીના વેંચાણ સેન્ટર પર પોતાના નામનું રજીસ્ટ્રેશન, અરજી કરવાની હોય છે. અરજી રજીસ્ટ્રેશન માટે કાલાવડ ખાતે માર્કેટ યાર્ડ(શાકભાજી)માં કાર્યવાહી થાય છે. ને ત્યાર બાદ મગફળી ખરીદ સેન્ટર નાની વાવડી રોડ, કાલાવડ ખાતે ખરીદ કરવામાં આવે છે. પરંતુ કાલાવડના મામલતદાર તેમનો સ્ટાફ રજીસ્ટ્રેશન સેન્ટર મુજબના નામાવલીનું લીસ્ટ ખરીદ સેન્ટર પર ધ્યાને લેવામાં આવતું નથી. રાજકીય વગદાર ખેડૂતોની મગફળી પહેલા ખરીદવામાં આવે છે.
ગયા વર્ષે પણ ખેડૂતોના હિતને ધ્યાને લઈને આ બાબતે અવારનવાર રજુઆતો કરાઈ હતી. પણ તંત્ર આ બાબતે હજુ પણ બેધ્યાન રહેતા હોય ખેડૂતોમાં હાલાકી વધી રહી છે. રામદેવસિંહ જાડેજાએ રજુઆતમાં એમ પણ જણાવેલ છે કે મગફળી ખરીદ કેન્દ્ર પર સીસી કેમેરા મુકવાની માંગ હજુ ઠેરની ઠેર છે. પરિણામે મગફળી ખરીદી કેન્દ્ર પર ગેરરીતી ચાલતી હોવાનો તેમનો આક્ષેપ છે.
*****************************
૪ વર્ષથી અપહરણના ગુનામાં
નાસતો ફરતો જામનગર પંથકનો
દિવ્યેશ મકવાણા પકડાયો
બુટાવદરના શખ્શને રાજકોટ રૂરલ
એસ.ઓ.જી.એ વડવાજડીથી પકડ્યો
રાજકોટ તા.૭
રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ ગઈકાલે પાટણવાવ પોલીસના અપહરણના ગુનામાં છેલ્લા ૪ વર્ષ થયા નાસતા ફરતા જામનગર પંથકના આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણનો ભોગ બનનાર યુવતીને પણ હસ્તગત કરી પાટણવાવ પોલીસને સોંપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રૂરલ એસ.ઓ.જી.ના પીઆઈ મહેન્દ્રસિંહ રાણા પોતાના સ્ટાફ સાથે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આવા સમયે આજથી ૪ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને આ અંગે પાટણવાવ પોલીસમાં નોંધાયેલ ગુનાવાળી યુવતી વડવાજડી ગામે રહેતી હોવાની બાતમી મળી હતી.
પોલીસ કાફલાએ આ ગામે પહોચી અપહ્યુત યુવતીને શોધી કાઢી પૂછપરછ કરતા તેણી જામનગર જીલ્લાના, જામજોધપુર તાલુકાના, બુટાવદરના દિવ્યેશ નાનજી મકવાણા સાથે પત્ની તરીકે રહેતી હોવાની કબુલાત આપી હતી.
જે વાત પરથી પોલીસે દિવ્યેશની અપહ્યુત યુવતી સાથે અટક કરી પાટણવાવ પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી . યુવતી અને અપહરણકાર યુવાનને પકડવા એસઓજીના પીઆઈ એમ.એન.રાણા, જમાદાર વિજયભાઈ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ નિરંજની, દિનેશભાઈ ગોંડલિયા, સહીલભાઈ વિગેરે રોકાયા હતા.
૨ યુવાનો પર ૩ શખ્શોનો
ધારિયા-કુહાડીથી ખૂની હુમલો
સામસામી ફરિયાદોમાં ૬ શખ્શો સામે ગુનો નોંધાયો : ૪ ની ધરપકડ
રાજકોટ તા.૭
વિંછીયા તાલુકાના મોટી લાખવડ ગામે બે મહિના પહેલા મકાનની દીવાલ બાબતે થયેલા ઝગડાનો ખાર રાખી બે યુવાનો પર ત્રણ શખ્શોએ ધરિયા-કુહાડી વડે ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ૨ શખ્શોની ધરપકડ કરી, ત્રીજાની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે. તો સામા પક્ષે પણ ૩ શખ્શો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૬ શખ્શો સામે ગુનો નોંધી ૪ ની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયા તાલુકાના મોટી લાખવડ ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે મુન્નાભાઈ રૂપાભાઇ સાંબડ (ઉ.વ.૨૮) અને તેમના નાના ભાઈ રામશી ઉપર ગભરુ સવશી સાંબડ, વિભા સવશી સાંબડ અને સવશી મેઘા સાંબડ એમ ત્રણેય શખ્શોએ ધારિયા કુહાડી વડે ખૂની હુમલો કરતા રણછોડભાઈ અને રામશીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.
રણછોડભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમના મકાનની દીવાલ બાબતે માથાકૂટ થઇ હોય, આ વાતનો ખાર રાખી ઉપરોક્ત ત્રણેય શખ્શોએ તેમના પર હુમલો કર્યો હતો. પીએસઆઈ વી.એમ.કોલાદરાએ ગણતરીની કલાકોમાં વિભાભાઇ અને સવશીભાઈની ધરપકડ કરી ગભરૂભાઈની શોધખોળ આદરી છે.
તો સામા પક્ષે ગભરુ સવશી સાંબડ(ઉ.વ,૩૨)એ પણ રણછોડ રૂપા, રામશી રૂપા અને રૂપા મોતી સામે ધરિયા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે રણછોડ અને રૂપાની ધરપકડ કરી રામશીની અટક કરવા કવાયત આદરી છે.
************************
પારડીની મહિલાને રાજકોટના સાસરિયાનો ત્રાસ
તારે અહી રહેવું હોય તો રૂપિયા ૫૦ હજાર
લઇ આવ નહીતર જાનથી મારી નાખીશું
પહેરેલ કપડે કાઢી મુક્ત શાપર(વે.)પોલીસમાં મહિલાની ફરિયાદ
રાજકોટ તા.૭
શાપર(વેરાવળ)નજીકના પારડી ગામે રહેતી પરિણીતાને રાજકોટ સ્થિત સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી પિયરમાંથી રૂપિયા લઇ આવવાનું કહી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાની શાપર(વે.)પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે પતિ, સાસુ, નણંદ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં મોરબી રોડ, નાની ફાટક પાસે , રાજા લક્ષ્મી સોસાયટી-૩ માં રહેતી ધારાબેન ચેતનભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષની પરિણીતાને સાસરીયાઓએ કરિયાવર, કામકાજ બાબતે અવારનવાર મ્હેણાં, ટોણા મારી ઢીકાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.
ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે તા.૧૭-૬-૨૦૧૭ ના રોજ લગ્ન થયા પછી માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં જ પતિ ચેતન તુલસી ચૌહાણ, સાસુ ભાનુબેન કાળુભાઈ પૈજા, તેમજ નણંદ જાગૃતિ માનીશ વેકરીયાએ શારીરિક માનસિક ત્રાસ શરુ કર્યો હતો.
અને છેલ્લે "તારે અહી રહેવું હોય તો માવતરિયેથી રૂપિયા ૫૦ હજાર લઇ આવ નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી, માર મારી ઘરમાંથી કાઢી મૂકી છે. સંસાર હવે લાંબો ચલાવવો મુશ્કેલ જણાતાં ધારાબેને શાપર નજીકના પારડી ગામે રાજ પેટ્રોલ પંપ પાછળ, ગાયત્રી પાર્કમાં રહેતા પિતા પ્રદીપભાઈ હેમંતભાઈ વ્યાસના ઘરે આવી જઈને શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ધારબેનની ફરિયાદ પરથી શાપર પોલીસના મહિલા પીએસઆઈ સી.એસ.વાછાણીએ ગુનો નોંધી ધારાબેનના પતી, સાસુ અને નણંદની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
*************************
ઘર પાસે સાંઠીઓ મૂકી રસ્તો બંધ કરવાની વાતમાં બોલાચાલી બાદ બઘડાટી બોલી
વિંછીયાના સનાળી ગામે મીનાબેન અસવાર પર
૫ મહિલા સહીત ૭ નો ધારિયા-ગુપ્તીથી હુમલો
મીનાબેન પર હેતલ, સોનલ, સરદારસંગ, નંદા, સોનલ પ્રહલાદ,
સુજાબેન અને દાનસંગભાઈ તૂટી પડ્યા : હુમલામાં ગુપ્તીનો પણ ઉપયોગ
રાજકોટ તા.૭
વિંછીયા તાલુકાના સનાળી ગામે ઘર પાસે સાંઠીઓ મૂકી રસ્તો બંધ કરવાની વાતમાં બોલાચાલી બાદ મામલો બઘડાટી સુધી પહોચી જતા એક મહિલા પર ૫ મહિલા સહીત ૭ શખ્શોએ લોખંડનો પાઈપ અને ગુપ્તી, ધારિયું અને કુહાડા અને લોખંડની કોંસ વડે હુમલો કરી ઈજા પહોચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ વિંછીયા તાલુકાના સનાળી ગામે રહેતા મીનાબેન કરણભાઈ અસવાર(ઉ.વ.૩૨) પર તે જ ગામના હેતલબેન દાનસંગભાઈ રાઠોડ, સોનલબેન દાનસંગભાઈ રાઠોડ, સરદારસંગ દાનસંગ રાઠોડ, નંદાબેન દાનસંગભાઈ રાઠોડ, સોનલબેન પ્રહલાદભાઈ રાઠોડ, સુજાબેન દાનસંગભાઈ રાઠોડ તેમજ દાનસંગભાઈ કાળુભાઈ રાઠોડ વિગેરેએ એકસંપ કરી લોખંડનો પાઈપ અને ગુપ્તી વડે હુમલો કરતા મીનાબેનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
દવાખાને મીનાબેને પોલીસને જણાવેલ કે, આરોપીઓએ તેમના ઘર પાસે સાંઠીઓ ખડકી રસ્તો બંધ કર્યો હોય, આ બાબતે ટપારવા જતા લાજવાને બદલે ગાજેલા ઉપરોક્ત આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. વિંછીયા પોલીસના જમાદાર બી.બી.સિંગે ૫ મહિલા સહીત ૭ સામે ગુનો નોંધી તમામની અટક કરવા તજવીજ હાથ ધીર છે.
*****************************
જેતપુરમાં એકટીવા હડફેટે વડીયાના
ઇલેક્ટ્રિક ધંધાર્થીનું સારવારમાં મૃત્યુ
રાજકોટ તા.૭
ગઈકાલે જેતપુરમાં સરદારચોક પાસે એકટીવાની હડફેટે ચડેલા વડીયાના પ્રોઢનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું. પોલીસે એકટીવા ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અમરેલી જીલ્લાના વડીયા ગામે મોરભાઈ ચોક વિસ્તારમાં રહેતા ધનસુખપૂરી રેવાપુરી ગોસ્વામી (ઉ.વ.૫૪)નામના બાવાજી પ્રોઢ જેતપુરમાં પંખા સહિતનો ઇલેક્ટ્રિકનો પરચુરણ માલસામાન લેવા ગયા હતા.
દરીમીયાન જેતપુરમાં સરદાર ચોકમાં તેઓ જતા હતા ત્યારે એક એકટીવા ચાલકે તેમને હડફેટે લેતા ધનસુખભાઈને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ ત્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે આ બાવાજી પ્રોઢને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બાબતે વિગતો આપતા તેમના એકના એક પુત્ર રુદ્ર(ઉ.વ.૧૪)એ જણાવેલ કે ગઈકાલે તેમના પિતા જેતપુર ગયા ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતક ધનસુખભાઈ ઇલેક્ટ્રિકના નાના મોટા ધંધા સાથે સંકળાયેલા છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
*********************
ધારીના ફાચરીયા ગામની કરુણ ઘટના
થયેલા ભડકામાં બાળક દાઝ્યો : મોત
સંજયભાઈ પાટડિયાના ત્રણ સંતાનોમાં દીપ સૌથી
નાનો દોઢ વરસનો પુત્ર હતો : કોળી પરિવારમાં શોક
રાજકોટ તા.૭
અમરેલી જીલ્લાના, ધારી તાલુકાના ફાચરીયા ગામે ગઈકાલે અકસ્માતે દાઝી ગયેલા એક દોઢ વર્ષના બાળકનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાળક ઘરમાં રમતો હતો ત્યારે આ અકસ્માત થતા કોળી પરિવારજનોમાં શોક ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધારી તાલુકાના ફાચરીયા ગામે ગઈકાલે સાંજે ચારેક વાગ્યાની આસપાસ સંજયભાઈ પાટડિયા નામના કોળી યુવાનના ઘરે તેમનો દોઢ વર્ષનો બાળક દીપ રમતો હતો.
ત્યારે અચાનક ઘરમાં કેરોસીનની સીસી ઢોળા તા. નજીકમાં જ ચાલુ ચૂલામાં ભડકો થતા દીપ ગંભીર રીતે ચુલાના જાળમાં લપેટાઈ જતા, દીપ ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ધરી, અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ. જ્યાં આજે દીપનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
બનાવ બાબતે વધુ વિગતો આપતા દીપના પિતા સંજયભાઈ પાટડિયાએ જણાવેલ કે, તેમને સંતાનમાં એક પુત્રી ભૂમિકા(ઉ.વ.૧૦), બે પુત્રોમાં તીર્થ (ઉ.વ.૩) અને સૌથી નાનો દીપ(દોઢ વર્ષ) છે. સંજયભાઈ રીક્ષા ચલાવવાની મજુરીકામ કરે છે. બનાવથી કોળી પરિવારજનોમાં અરેરાટી સાથે શોક વ્યાપી ગયો છે.
*****************
રોડ પર આડી ઉતારેલી ગાયને બચાવવા જતા
પોરબંદર હાઈવે પર બાઈક સ્લીપ થયું
જામરાવલના યુવાનનું સારવારમાં મોત
રાજકોટ તા.૭
ગઈકાલે પોરબંદર હાઈવે પર રોડ પર આડી ઉતરેલી ગાયને બચાવવા જતા, બાઈક સ્લીપ થઇ જતા ઘવાયેલા બે યુવાનોમાં એકનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું. જયારે બીજાયુવાનને સારવાર અપાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા, જીલ્લાના, કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના બે યુવાનો મોહનભાઈ રણમલભાઈ વાઘેલા(ઉ.વ.૪૦) અને નાગાભાઈ અરજણભાઈ ગામી(ઉ.વ.૩૫) પોતાનું પૈક લઈને પોરબંદર હાઈવે, કુતિયાણાથી આગળ પહોંચ્યા ત્યારે રોડ પર અચાનક ગાય આડી ઉતરતા, ગાયને બચાવવા જતા બાઈક સ્લીપ થઇ જતા બને ગંભીર રીતે ઘાયલ થતા પ્રથમ પોરબંદર પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં નાગાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે મોહનભાઈને સિવિલ હોસ્પીટલના વોર્ડ-8 માં સારવાર અપાઈ રહી છે. બનાવના હોસ્પિટલ ચોકી સુત્રોએ કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.
****************
કાલાવડ તાલુકામાં ટેકાના ભાવે ખરીદાતી
મગફળીમાં લાગવગશાહીના આક્ષેપો
કાલાવડ તાલુકાના ખેડૂતો સાથે જામનગર જીલ્લાના સંબંધિતો ભેદભાવની નીતિ રાખતા હોય તેમ ટેકાના ભાવે ખરીદાતી મગફળીની વાતમાં લાગવગશાહી ચાલતી હોવાના રામદેવસિંહ રતુભા જાડેજાએ આક્ષેપો સાથે જામનગર જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં અરજદારે જણાવ્યું છે કે, ટેકાના ભાવે મગફળી વેંચાણ કરતા ખેડૂતોને પોતાની મગફળીના વેંચાણ સેન્ટર પર પોતાના નામનું રજીસ્ટ્રેશન, અરજી કરવાની હોય છે. અરજી રજીસ્ટ્રેશન માટે કાલાવડ ખાતે માર્કેટ યાર્ડ(શાકભાજી)માં કાર્યવાહી થાય છે. ને ત્યાર બાદ મગફળી ખરીદ સેન્ટર નાની વાવડી રોડ, કાલાવડ ખાતે ખરીદ કરવામાં આવે છે. પરંતુ કાલાવડના મામલતદાર તેમનો સ્ટાફ રજીસ્ટ્રેશન સેન્ટર મુજબના નામાવલીનું લીસ્ટ ખરીદ સેન્ટર પર ધ્યાને લેવામાં આવતું નથી. રાજકીય વગદાર ખેડૂતોની મગફળી પહેલા ખરીદવામાં આવે છે.
ગયા વર્ષે પણ ખેડૂતોના હિતને ધ્યાને લઈને આ બાબતે અવારનવાર રજુઆતો કરાઈ હતી. પણ તંત્ર આ બાબતે હજુ પણ બેધ્યાન રહેતા હોય ખેડૂતોમાં હાલાકી વધી રહી છે. રામદેવસિંહ જાડેજાએ રજુઆતમાં એમ પણ જણાવેલ છે કે મગફળી ખરીદ કેન્દ્ર પર સીસી કેમેરા મુકવાની માંગ હજુ ઠેરની ઠેર છે. પરિણામે મગફળી ખરીદી કેન્દ્ર પર ગેરરીતી ચાલતી હોવાનો તેમનો આક્ષેપ છે.
*****************************
૪ વર્ષથી અપહરણના ગુનામાં
નાસતો ફરતો જામનગર પંથકનો
દિવ્યેશ મકવાણા પકડાયો
બુટાવદરના શખ્શને રાજકોટ રૂરલ
એસ.ઓ.જી.એ વડવાજડીથી પકડ્યો
રાજકોટ તા.૭
રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ ગઈકાલે પાટણવાવ પોલીસના અપહરણના ગુનામાં છેલ્લા ૪ વર્ષ થયા નાસતા ફરતા જામનગર પંથકના આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણનો ભોગ બનનાર યુવતીને પણ હસ્તગત કરી પાટણવાવ પોલીસને સોંપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રૂરલ એસ.ઓ.જી.ના પીઆઈ મહેન્દ્રસિંહ રાણા પોતાના સ્ટાફ સાથે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આવા સમયે આજથી ૪ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને આ અંગે પાટણવાવ પોલીસમાં નોંધાયેલ ગુનાવાળી યુવતી વડવાજડી ગામે રહેતી હોવાની બાતમી મળી હતી.
પોલીસ કાફલાએ આ ગામે પહોચી અપહ્યુત યુવતીને શોધી કાઢી પૂછપરછ કરતા તેણી જામનગર જીલ્લાના, જામજોધપુર તાલુકાના, બુટાવદરના દિવ્યેશ નાનજી મકવાણા સાથે પત્ની તરીકે રહેતી હોવાની કબુલાત આપી હતી.
જે વાત પરથી પોલીસે દિવ્યેશની અપહ્યુત યુવતી સાથે અટક કરી પાટણવાવ પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી . યુવતી અને અપહરણકાર યુવાનને પકડવા એસઓજીના પીઆઈ એમ.એન.રાણા, જમાદાર વિજયભાઈ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ નિરંજની, દિનેશભાઈ ગોંડલિયા, સહીલભાઈ વિગેરે રોકાયા હતા.





























