રાજકોટ તા.૩૦
રાપર(કચ્છ)માં રેહતી એક યુવતીએ અગ્મ્યો કારણોસર એસીડ પી ગયા બાદ ૧૫ દિવસની સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પીટલમાં મોત થયાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ રાપર(કચ્છ)માં રહેતી મનીષાબેન નરશીભાઈ ચૌધરી(ઉ.વ.૨૨) નામની યુવતીએ ગઈ તા.૧૫-૧૧ ના રોજ કોઈ અગમ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ થયું હતું. પોલીસે જરૂરી કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો