પ.પુ. પ્રમુખસ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ નિમિતે
અબાલ વૃદ્ધ સૌ કોઈમાં મહોત્સવ ઉજવણીનો અનેરો થનગનાટ
સ્વયંસેવકો-હરિભકતોનો ઉદગાર: પુ.બાપાને રાજી કરવા દેહ ઘસી નાંખીશું
1800 મહિલાઓ, 275 યુવતીઓ, 100 બાળકીઓની 15 કલાકની અનન્ય સેવા
પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ માટે શહેરનાં માધાપર-મોરબી બાયપાસ રોડ પાસે ઉભા કરાયેલ વિશાળ સ્વામીનારાયણ નગરમાં નારી અને બાળ ઉત્કર્ષનો અમુલ્ય સમન્વય થતો જોવા મળી રહ્યો છે.
તા.5/12 થી 15/12 દરમિયાન યોજાનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ પુર્વે સ્વામીનારાયણનગરમાં સંતો સાથે અબાલ-વૃદ્ધ સૌ કોઈ સ્વયંસેવકો શ્રદ્ધાથી સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે.
ઉમંગ અને ઉત્સાહથી ઉજવાનાર આ મહોત્સવમાં 400થી વધુ સંતો અને 4000થી વધુ સ્વયંસેવકો મહોત્સવની આગવી તૈયારીઓમાં જોડાઈને રાત-દિવસ શ્રમદાન સેવાથી અભિભૂત થઈ રહ્યા છે.
મહોત્સવ દરમિયાન અનેકવિધ નાટક, નૃત્ય, પ્રદર્શન ખંડ, વ્યસન મુક્તિ સંદેશા માટેના કાર્યક્રમો યોજાનાર હોય, બાળકોથી લઈને યુવાનો-મહિલાઓ સહીતનાં હરિભકતોમાં મહોત્સવને ઉજવવા અનેરો સેવાભાવ જોવા મળી રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો