અનુયાયીઓ

શુક્રવાર, 30 નવેમ્બર, 2018

રાજકોટ ભાજપમાં લોકસભા ચુંટણીની તૈયારીઓ ચાલુ: બેઠક યોજાઈ: માર્ગદર્શન આપતા ભંડેરી

કમલેશ મીરાણી, પુષ્પદાન ગઢવી, બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ ડેલીવાળા સહીતના ઉપસ્થિત રહ્યા: ભાજપના કાર્યકર્તા માટે લોકોના કામ એ જ સર્વોપરી છે: કમલેશ મીરાણી
 

ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા વિસ્તારક છે: ભરત ડેલીવાળા રાજકોટ ભાજપનો કાર્યકર્તા ગુજરાતના સંગઠનનું રોલમોડલ છે: પુષ્પદાન ગઢવી



 ગઈકાલે લોકસભા ચુંટણીની તૈયારીઓ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય પર શહેર ભાજપ દ્વારા કાર્યકરો, આગેવાનો અને પ્રભારીઓએ બેઠક બોલાવી હતી.
 આ તકે રાજકોટ લોકસભાના ઈન્ચાર્જ અને ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ રાજકોટ લોકસભાની સમિક્ષા કરતા જણાવ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં લીડમાં સૌથી પ્રથમ ક્રમાંકે ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં હવે કાર્યકર્તાએ સક્રિય થવુ પડશે અને બુથથી લઈ બુથ સમિતિઓ, શકિત કેન્દ્રો અને વોર્ડમાં આવતા તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી આવનારી લોકસભાની ચૂંટણીમાં ફરી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર બને અને તેના આપણે સૌ સાક્ષી બનીએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ટિપ્પણીઓ નથી: