અનુયાયીઓ

બુધવાર, 27 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ : ૨૭-૧-૨૦૧૬

અવસાન નોંધ : ૨૭-૧-૨૦૧૬

જેતલસર: મૂળ અમરાપર હાલ જેતલસર નિવાસી ગુર્જર સુથાર કાન્તિલાલ લાલજીભાઈ સીતાપરા(ઉ.વ.૭૧) તે કમલેશભાઈ તથા વિપુલભાઈના પિતા, વલ્લભભાઈ, બટુકભાઈ અને મુક્તાબેન વૃજલાલભાઈ ઉમરાડીયા(માણાવદર)ના ભાઈ તેમજ સ્વ.નરસિંહભાઈ, કિશોરભાઈ અને જેસુખભાઈ કરગથરા(ચોકી સોરઠ)ના બનેવી તા.૨૫ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૯.૧. ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન જેતલસર ગામ ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

 

જેતપુરના મંડલીકપુર ગામે આજે ત્રિવિધ કાર્યક્રમો

જેતપુરના મંડલીકપુર ગામે

આજે ત્રિવિધ કાર્યક્રમો

જેતપુર તા.

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આજે તા.૨૮ ના રોજ બપોરથી ત્રિવિધ કાર્યક્ર્રમોનું આયોજન થયું છે. જેમાં બપોરના ૩-૩૦ થી ખેડૂત શિબિર, સહકારી આગેવાનું સન્માન અને રાત્રીના શ્રીનાથજીની જાંખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામની ગૌશાળા ખાતે યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમોમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, જેતપુરના ઉદ્યોગપતિઓ રાજુભાઈ હીરપરા, વિરજીભાઈ વેકરીયા વિગેરે હાજર રહેશે. આ ત્રણેય કાર્યક્રમોમાં જોડાવા આરડીસી બેંક રાજકોટ, ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક અમદાવાદ તથા ઇફકો રાજકોટ સુત્રોનો અનુરોધ છે.

કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

 

 

 

૧૦ મી ફેબ્રુઆરી સુધીમાં ઘટતું ના કરવામાં આવે તો

જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીના

રોડ બાબતે પ્રજાના આંદોલનાત્મક કાર્યક્રમો..

માર્ગ અને મકાન ખાતાને આવેદન આપી ચીમકી ઉચ્ચારતા જંકશનવાસીઓ

જેતલસર તા. ૨૭

બાર બાર વરસ થયા જેતલસર જંકશનથી જેતપુરના તત્કાલ હનુમાનજી સુધીના રોડને રીપેર કરવા ના ડોકાતા તંત્રની આંખો ઉઘાડવા આજે જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચ સહિતના જંકશનવાસીઓએ માર્ગ અને મકાન તંત્રને એક આવેદન આપી ચીમકી ઉચ્ચારી હતી કે ૧૦-૨-૨૦૧૬ સુધીમાં આ રોડની કાયાપલટ નહિ કરાય તો જંકશનની પ્રજા સંબંધિતોની કચેરી સામે આંદોલન છેડશે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના જેતલસર જંકશનથી જેતપુરના ધોરાજી રોડ પર આવેલ તત્કાલ હનુમાનજી સુધીના રોડને રીપેર કરવા અગાઉ એક મહિના પહેલા પણ જંકશન પંચાયતસુત્રોએ જેતપુર સ્થિત લાગતા વળગતા સુત્રોને રજુઆતો કરી હતી. પણ તંત્રે આ ફરિયાદ પરત્વે બેધ્યાનપણું દાખવતા આજે જેતપુર દોડી આવેલા જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચ સહિતના નાગરિકોએ જેતપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઉપરાંત રાજકોટ જીલ્લા કલેકટર વિગેરે જગ્યાએ ફેક્સ મારફત તેમજ માર્ગ અને મકાન તંત્રને રૂબરૂ આવેદનો આપી જણાવ્યું હતું કે, આ રોડ બાબતે જ્યારે પણ રજુઆતો કરવામાં આવે છે ત્યારે રોડ નોન પ્લાનમાં હોય, સરકારના પ્લાનમાં લેવો જરૂરી છે. પણ લોકો કહે છે કે આ કામગીરી કોણે કરવાની હોય ? પ્રજાને કે સંબંધિતોને ?

જંકશનથી જેતપુર સમયાંતરે અમુક ઈમરજન્સી દાકતરી સેવા માટે જવાનો આ એકમાત્ર રસ્તો ભારે જર્જરિત બન્યો હોય, તંત્રએ તાકીદે રીપેર કરવાની જરૂર છે. અન્યથા તા.૧૦-૨ ના રોજ રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે નવા બ્રીજ પાસે સવારે ૧૦ કલાકે રસ્તા રોકો, તીનબત્તી ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી અને ત્યારબાદ મામલતદાર કચેરી સામે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરાશે તેવી ચીમકી આવેદનમાં ઉચ્ચારાઈ છે.

માર્ગ અને મકાન તંત્ર શું કહે છે ?

જેતલસર: જેતપુર સ્થિત માર્ગ અને મકાન તંત્રના સોલંકીએ જણાવેલ કે જેતલસર જંકશનના લોકોની ફરિયાદ વાજબી છે. પણ જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો રોડ  નોન પ્લાનમાં આવતો હોય તેને સરકારના પ્લાનમાં લેવા વખતો વખત તેઓની કચેરી દ્વારા ઉપરી તંત્રને દરખાસ્ત મોકલાઈ છે. જે હજુ પાસ થઈને આવી નથી, ઉપરાંત નોન પ્લાનમાં આવતા રોડ રસ્તા માટે સરકારમાંથી કોઈ ગ્રાન્ટ પણ મળતી ના હોવાની વાત તેમજ આ રોડને સરકારી પ્લાનમાં લેવડાવવા સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ જહેમત ઉઠાવતા હોવાની વાત સોલંકીએ દોહરાવી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 


સોમવાર, 25 જાન્યુઆરી, 2016

મંદિરના મહંત સહીત હિન્દુઓનું જેતપુરના મામલતદાર, DYSP-પાલિકાના મુખ્ય અધિકારીને પાઠવાયું આવેદન...

જેતપુરના પ્રાચીન મંદિર નજીક જ માંસ-મટનની મહેફિલ !!

મંદિરના મહંત સહીત હિન્દુઓનું જેતપુરના મામલતદાર, 

DYSP-પાલિકાના મુખ્ય અધિકારીને પાઠવાયું આવેદન...

મંદિરના જ બાંધકામમાં ગેરકાયદેસર રૂમો બાંધી આચરાતી હિન્દુઓની લાગણી દુભાવે તેવી ગેરપ્રવુત્તિઓ ટૂંક દિવસોમાંજ બંધ ના કરાવાય તો ૫૦૦ સાધુ સંતો સાથે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા મહંત આત્માનંદજી ! સાધુ સંતોમાં રોષ...

જેતપુર તા.૨૫

જેતપુરમાં ભાદર કાંઠે આવેલ એક અતિ પ્રાચીન મંદિરના એક તત્કાલીન મહંતની ઉદારતાનો લાભ ઉઠાવી મંદિરની ભાડે રાખેલી જગ્યામાં માંસ-મટનનો ખાવામાં ઉપયોગ કરી હિન્દુઓની લાગણી દુભાતી હોય આજે આ મંદિરના મહંત સહિતના સાધુ સંતોએ સ્થાનિક વિભાગીય પોલીસ અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનો આપી તાત્કાલિક ઘટતું ના કરાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ભાદરના કાંઠે આવેલ અતિ પ્રાચીન શ્રી નૃશિહજી મંદિરની પેટા જગ્યા એટલેકે હિંદુ સ્મશાનની બાજુમાં આવેલ અંદાજીત ૨૦૦૦ વાર જેટલી જગ્યા આ મંદિરના તત્કાલીન મહંતે એક બાવાજીને ગાયોના ઘાસચારાની વ્યવસ્થા માટે આપી હતી.

 

પણ સમય જતા મહંતની ઉદારતાનો દુરુપયોગ કરી આ બાવાજી પરિવારે મકાનો બાંધી અન્યોને ભાડે આપી, માંસ મટન ખુલ્લેઆમ બનાવી, આરોગી હિન્દુઓની લાગણી દુભાવતા હોવાની વાત ત્રાસદાયક બની જતા, આ વાતને વધતી અટકાવવા, કસુરવારો સામે પગલા ભરવા આજે નૃશીહજી મંદિરના મહંતશ્રી આત્માનંદજી બાપુ, ખાખા મઢી મંદિરના પહેલવાનબાપુ, જેતપુર પાલિકા સદસ્યા શારદાબેન એચ. વેગડા સહીત સાધુ સંતો અને સેવાભાવીઓએ આજે પ્રથમ અહીના વિભાગીય પોલીસ અધિકારી પાટીલ, મામલતદાર જીતેન્દ્ર ભોરણીયા તેમજ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનો આપ્યા હતા.

 

આવેદનો આપતી વખતે સદસ્યા શારદાબેન તેમજ સાધુ સંતોએ જણાવેલ કે ટૂંક દિવસોમાંજ મંદિર નજીકની આવી પ્રવુત્તિઓ બંધ નહિ કરવામાં આવે તો ન્યાય માટે આંદોલનાત્મક માર્ગો અપનાવાશે.

 

બોક્સ: ગે.કા.કબજેદારો મારવા દોડે છે : મહંત આત્માનંદજી

જેતપુર : મહંત આત્માનંદજીએ પોલીસ, પાલિકા અને મામલતદારને આવેદન આપતી વેળાએ જણાવેલ કે, મંદિરની જગ્યામાં ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વોને આવી હીન પ્રવુત્તિઓ બંધ કરવા કોઈ વખત ટપારીયે છીએ તો માથાભારે અને ઝનૂની સ્વભાવના તત્વો મારવા દોડે છે. એક તો મંદિરની જમીન છે. ઉપરથી ચોરી ઉપર સીનાજોરી જેવું વર્તન કરે છે. આ બધું તાત્કાલિક બંધ નહિ કરાવાય તો સાધુ સંતોની જમાત આંદોલન કરશે એવું કોઈ નહિ કરે તેવી મહંતે ચીમકી ઉચ્ચારી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે.... સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

જેતપુરમાં બાંધકામ શાખાની મીઠી નજર તળે....

સરકારી નિયમોને નેવે ચડાવી જિરાફ

જેવડા બેરોકટોક બાંધકામો રોકવા માંગ..

પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ જ કર્યા અનેક આક્ષેપો !

જેતપુર તા.૨૫

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી, સ્થાનિક બાંધકામ શાખાની અમી દ્રષ્ટી તળે ચાલતા મહાકાય બાંધકામો તાકીદે અટકાવવા પાલિકા સદસ્ય અશોક મંગલાણી એ માંગ કરી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક ફરિયાદ કરતા જણાવ્યું છે કે હાલના દિવસોમાં જેતપુર શહેરમાં સરકારી નિયમોને ઠેબે ચડાવી અનેક જગ્યાએ બેરોકટોક જિરાફ જેવડા બાંધકામો ચાલી રહ્યા હોય સંબંધિતો દ્વારા વ્યાપક ગેરરીતી આચરાઈ રહી છે.

 

કારણ જેતપુરમાં સરકારી નિયમો મુજબ ત્રણ માળથી વધુ કોઈ બાંધકામ કરી શકાય નહિ. અને આજની તરીકે અનેક નાના અને નબળા લોકોના બાંધકામની અનેક અરજીઓ પેન્ડીંગ પડી હોય, મંજુર ના કરાતી હોય, તો ચાલુ દિવસોમાં મોટા મોટા બાંધકામો કેમ કરી શકાય ? આ વાતમાં સંબંધિતો સામેલ છે કે બિલ્ડરોની પૈસાના જોરે દાદાગીરી ? તે વાત તપાસવા અરજદારની માંગ છે.

અત્રે એ પણ નોંધનીય છે કે જેતપુર શહેરમાં ચાલતા આવા ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક રોકાવવા છેક રાજકોટ ખાતે કલેકટરને રજુઆતો કરાઈ છે. આમછતાં આ પ્રશ્ન કોઈ ધ્યાને ના લેતું હોવાનું સાબિત થઇ રહ્યું છે. બીજી બાજુ પાલિકાના અમુક સુત્રોનું કહેવું છે કે વખતોવખત આવા ગેરકાયદેસર ચાલતા બાંધકામો વાળા આસામીઓને નોટીસો ફટકારાઈ છે. પણ માત્ર નોટીસોથી જ નહિ કડક અમલવારી અમલી બનાવાય તો  "ઘર ફૂટે ઘર જાય"  તેવી કહાવત મુજબ ત્રણ માળથી ઉપરના ગેરકાયદેસર બાંધકામો માટે પાલિકાના ક્યાં સત્તાધીસે કેવું  હિત સાધ્યું ? તે વાત બહાર આવ્યા વગર નહિ રહે તેવું અશોક મંગલાણી જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 



રવિવાર, 24 જાન્યુઆરી, 2016

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

પરિણામ, જહેમતનું ! માત્ર ૧૫ દિવસમાં રૂ.૧૮ લાખના ખર્ચે...

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો
ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

વોટર વર્કસ કમીટીના ચેરમેન જાડેજાની સફળ જહેમતથી ૨ વરસ થયા પાણી
માટે ફાંફા મારતા લત્તાવાસીઓમાં ભારે હરખ. લોકો બોલ્યા બાપુએ પાણી આપ્યું !

જેતપુર તા.૨૫
જેતપુર નગર પાલિકાની વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાની સફળ
જહેમત વચ્ચે માત્ર પંદર દિવસમાંજ રૂપિયા ૧૮ લાખના ખર્ચે પીવાના પાણીની
પાઈપલાઈનો પાથરી ૨-૨ વરસ થયા પાણી વિના ટળવળતા શહેરના લત્તાઓમાં પાણી
પહોચાડતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
વિસ્તારમાં દિન પ્રતિદિન વિકસી રહેલા પટેલ નગર, માસ્તર સોસાઈટી, રામાનંદ
નગર, મંત્રી સોસાઈટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ૨ વરસ થયા પીવાનાં પાણીના
સાંસા હતા. શહેરના અન્ય વિસ્તારોની સાથે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં પણ
પીવાનું પાણી પહોચાડવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ
પાલિકા દ્વારા રૂપિયા ૧૮ લાખના ખર્ચે પાઈપલાઈનો પાથરવાની જોરશોરથી કરેલી
કામગીરી માત્ર ૧૫ દિવસમાંજ આટોપાવાઈ દેવી દેવાતા આ વિસ્તારોના લોકોમાં
આનંદનું મોઝું છવાઈ ગયું હતું.
જાડેજાની આવી સંગીન જહેમતથી આજે ઉપરોક્ત છએ વિસ્તારોમાં હાલ દર ત્રણ
દિવસે નિયમિત પાણી મળતું થયું છે. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, વોટર
વર્કસ કમિટીના ચેરમેન તરીકે જ્યારથી તેઓની નિમણુંક થઇ છે ત્યારથી શહેરમાં
પાણીની સમસ્યા બને તેટલી વધુ હલ કરવાના પ્રયાસો જારી છે. શહેરમાં ૩૦૦ થી
વધુ લીકેજીંગ અટકાવીને વેડફાતું પાણી બચાવ્યું છે. તો યેનકેન પ્રકારે
પાનીની થતી ચોરી તેઓ દ્વારા જડબેસલાક અટકાવાઈ છે.

બોક્સ: છ મહિનામાં શહેરમાં એકાન્તરા પાણી વિતરણ
જેતપુર: વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે, જેતપુરના
ફિલ્ટર પ્લાન્ટ ઉપર ભાદર ડેમમાંથી પહોચતો ૧૩ એમેલડી પાણીનો જથ્થો હાલ
શહેરમાં દર ત્રીજા દિવસે પહોચાડાઈ રહ્યો છે. શહેરમાં પાણી વિતરણના ૮૦
ઝોનને લીધે ઘણી જગ્યાએ પાણીનો વેડફાટ થતો હોવાની પ્રજા ફરિયાદો ધ્યાને
આવી છે. ત્યારે શહેરમાં પાણી વિતરણની કુલ ચાર ટાંકીનો આંકડો વધારીને ૭ નો
કરવા પાલિકાએ શહેરના કમરીબાઇ સ્કુલ પાસે, કડવા પાટીદાર સમાજ સેવા ધોરાજી
રોડ અને ફિલ્ટર પ્લાન્ટ એમ ત્રણ જગ્યાએ ૧૨-૧૨ લાખ લીટર પાણીની સંગ્રહ
શક્તિ ધરાવતી ટાંકીઓ નિર્માણ કરવાની ગતિવિધિઓ તેજમાં છે. ત્રણ નવી ટાંકીઓ
બન્યે કુલ સાત પાણીની ટાંકીમાંથી શહેરના ૧૪ વોર્ડમાંના બબ્બે વોર્ડમાં
એકાન્તરા પાણી વિતરણ શક્ય બનશે, પણ આ વાતને સફળ બનાવતા તંત્રને હજુ છ
મહિના લાગશે.
   તેઓએ એમ પણ જણાવેલ કે નવી પાણીની ટાંકીઓ ઉભી થયે ૮૦ ઝોનમાંથી ૩૫-૪૦
દ્વારા પાણી વિતરણ શક્ય બનાવાશે અને આ વાતથી વધુ ઝોન અને લીકેજીંગથી
બગડતા પાણીને અટકાવી શકાશે..

બોક્સ: વડલી ચોક વિસ્તારની સમસ્યા હલ થશે !
જેતપુર : શહેરના વડલી ચોક વિસ્તારમાં ભીડભંજન રોડ પર ચડતા એક જગ્યાએ વરસો
થયા પાણીના એક લીકેજિંગ થી આ વિસ્તારમાં કાયમી ચોમાસા જેવું વાતાવરણ ઉભું
થતું હોય અને પાણીના પાટોડા ભરાયેલ રહેતા હોય રાહદારીઓ અને વાહનચાલકો
ત્રાસી ગયા છે. આ લીકેજીંગ રીપેર કરવા પાલિકા તંત્ર કેમ જાગતું નથી ?
તેવા સવાલના જવાબમાં જાડેજાએ જણાવેલ કે આ જગ્યાએ પાણીની પાઈપલાઈન તૂટવાની
સમસ્યા વધારે હોય, ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આ લીકેજીન્ગની સમસ્યા હલ
કરવા તંત્ર કટિબદ્ધ છે.

આ સાથે અજીતસિંહ જાડેજાનો ફોટો પણ મોકલેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

પરિણામ, જહેમતનું ! માત્ર ૧૫ દિવસમાં રૂ.૧૮ લાખના ખર્ચે...

જેતપુરના છ વિસ્તારોમાં પાઇપલાઈનો
ગોઠવી પીવાનું પાણી પહોચાડતું તંત્ર !

વોટર વર્કસ કમીટીના ચેરમેન જાડેજાની સફળ જહેમતથી ૨ વરસ થયા પાણી
માટે ફાંફા મારતા લત્તાવાસીઓમાં ભારે હરખ. લોકો બોલ્યા બાપુએ પાણી આપ્યું !

જેતપુર તા.૨૫
જેતપુર નગર પાલિકાની વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાની સફળ
જહેમત વચ્ચે માત્ર પંદર દિવસમાંજ રૂપિયા ૧૮ લાખના ખર્ચે પીવાના પાણીની
પાઈપલાઈનો પાથરી ૨-૨ વરસ થયા પાણી વિના ટળવળતા શહેરના લત્તાઓમાં પાણી
પહોચાડતા લત્તાવાસીઓમાં રાજીપો છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
વિસ્તારમાં દિન પ્રતિદિન વિકસી રહેલા પટેલ નગર, માસ્તર સોસાઈટી, રામાનંદ
નગર, મંત્રી સોસાઈટી વિગેરે વિસ્તારોમાં છેલ્લા ૨ વરસ થયા પીવાનાં પાણીના
સાંસા હતા. શહેરના અન્ય વિસ્તારોની સાથે ઉપરોક્ત તમામ વિસ્તારોમાં પણ
પીવાનું પાણી પહોચાડવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ
પાલિકા દ્વારા રૂપિયા ૧૮ લાખના ખર્ચે પાઈપલાઈનો પાથરવાની જોરશોરથી કરેલી
કામગીરી માત્ર ૧૫ દિવસમાંજ આટોપાવાઈ દેવી દેવાતા આ વિસ્તારોના લોકોમાં
આનંદનું મોઝું છવાઈ ગયું હતું.
જાડેજાની આવી સંગીન જહેમતથી આજે ઉપરોક્ત છએ વિસ્તારોમાં હાલ દર ત્રણ
દિવસે નિયમિત પાણી મળતું થયું છે. તેઓએ એવું પણ જણાવ્યું છે કે, વોટર
વર્કસ કમિટીના ચેરમેન તરીકે જ્યારથી તેઓની નિમણુંક થઇ છે ત્યારથી શહેરમાં
પાણીની સમસ્યા બને તેટલી વધુ હલ કરવાના પ્રયાસો જારી છે. શહેરમાં ૩૦૦ થી
વધુ લીકેજીંગ અટકાવીને વેડફાતું પાણી બચાવ્યું છે. તો યેનકેન પ્રકારે
પાનીની થતી ચોરી તેઓ દ્વારા જડબેસલાક અટકાવાઈ છે.

બોક્સ: છ મહિનામાં શહેરમાં એકાન્તરા પાણી વિતરણ
જેતપુર: વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે, જેતપુરના
ફિલ્ટર પ્લાન્ટ ઉપર ભાદર ડેમમાંથી પહોચતો ૧૩ એમેલડી પાણીનો જથ્થો હાલ
શહેરમાં દર ત્રીજા દિવસે પહોચાડાઈ રહ્યો છે. શહેરમાં પાણી વિતરણના ૮૦
ઝોનને લીધે ઘણી જગ્યાએ પાણીનો વેડફાટ થતો હોવાની પ્રજા ફરિયાદો ધ્યાને
આવી છે. ત્યારે શહેરમાં પાણી વિતરણની કુલ ચાર ટાંકીનો આંકડો વધારીને ૭ નો
કરવા પાલિકાએ શહેરના કમરીબાઇ સ્કુલ પાસે, કડવા પાટીદાર સમાજ સેવા ધોરાજી
રોડ અને ફિલ્ટર પ્લાન્ટ એમ ત્રણ જગ્યાએ ૧૨-૧૨ લાખ લીટર પાણીની સંગ્રહ
શક્તિ ધરાવતી ટાંકીઓ નિર્માણ કરવાની ગતિવિધિઓ તેજમાં છે. ત્રણ નવી ટાંકીઓ
બન્યે કુલ સાત પાણીની ટાંકીમાંથી શહેરના ૧૪ વોર્ડમાંના બબ્બે વોર્ડમાં
એકાન્તરા પાણી વિતરણ શક્ય બનશે, પણ આ વાતને સફળ બનાવતા તંત્રને હજુ છ
મહિના લાગશે.
તેઓએ એમ પણ જણાવેલ કે નવી પાણીની ટાંકીઓ ઉભી થયે ૮૦ ઝોનમાંથી ૩૫-૪૦
દ્વારા પાણી વિતરણ શક્ય બનાવાશે અને આ વાતથી વધુ ઝોન અને લીકેજીંગથી
બગડતા પાણીને અટકાવી શકાશે..

બોક્સ: વડલી ચોક વિસ્તારની સમસ્યા હલ થશે !
જેતપુર : શહેરના વડલી ચોક વિસ્તારમાં ભીડભંજન રોડ પર ચડતા એક જગ્યાએ વરસો
થયા પાણીના એક લીકેજિંગ થી આ વિસ્તારમાં કાયમી ચોમાસા જેવું વાતાવરણ ઉભું
થતું હોય અને પાણીના પાટોડા ભરાયેલ રહેતા હોય રાહદારીઓ અને વાહનચાલકો
ત્રાસી ગયા છે. આ લીકેજીંગ રીપેર કરવા પાલિકા તંત્ર કેમ જાગતું નથી ?
તેવા સવાલના જવાબમાં જાડેજાએ જણાવેલ કે આ જગ્યાએ પાણીની પાઈપલાઈન તૂટવાની
સમસ્યા વધારે હોય, ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આ લીકેજીન્ગની સમસ્યા હલ
કરવા તંત્ર કટિબદ્ધ છે.

આ સાથે અજીતસિંહ જાડેજાનો ફોટો પણ મોકલેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

શનિવાર, 23 જાન્યુઆરી, 2016

જમીનમાં દાટેલી વિદેશી શરાબની 96 બોટલ પકડી પાડી તા.પોલીસ જેતપુર તા.23

જેતપુરના બોરડી સમઢીયાળા ગામના ભરવાડે 
જમીનમાં દાટેલી વિદેશી શરાબની 
96 બોટલ પકડી પાડી તા.પોલીસ 
જેતપુર તા.23
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા  ગામના એક ભરવાડ યુવાને પોતાના ગામની સીમમાં  સંતાડેલ વિદેશી શરાબની 96
બોટલ પોલીસે પકડી લઇ સુત્રધ્ધારની શોધખોળ આદરી છે.
મળતી વિગતો જેતપુર  પોલીસના જમાદાર મજનુંભાઈ મનાત સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે, તાલુકાના બોરડી સમઢીયાળાના ભરવાડ યુવાન સંગ્રામ મંગાએ ગામની સીમમાં કિરીટ પટેલની વાડી નજીકના વોંકળાંમાં વિલાયતી શરાબની બોટલો સંતાડી છે.
દરમિયાન પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરતા પોલીસને રૂપિયા 28,800  કિમતની 96 બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે આ બોટલો કબજે કરી આ જથ્થાના સુત્રદ્ધાર સંગ્રામની ધરપકડની કવાયત આદરી છે.
જેતલસર જં.ની યુવતી અને અમરનગરના માતા-પુત્રી ભેદી સંજોગોમાં ગુમ 
જેતપુર તા.23 
જેતપુર તાલુકા પોલીસ દફતરે આજે જેતલસર જંકશનની એક યુવતી અને અમરનગરની એક વિધવા માતા પોતાની પુત્રી સાથે ગુમ થયાની જાહેરાત કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર જંકશનના પોપટપરામાં રહેતા નવનીતભાઈ શામજીભાઈ ભડલીયાએ પોતાની 20 વર્ષની દીકરી આરતી ગત તા. 20 ના રોજ પોતાના ઘરેથી રાત્રીના નીકળી ગયા પછી પરત ફરી નથી. જ્યારે તાલુકાના અમરનગર ગામે રહેતા વિધવા મહિલા રમાબેન મુકેશભાઈ સોલંકી તેમની પુત્રી 2 વર્ષની પુત્રી જ્યોતિ સાથે તા.20 ના રોજ કોઈને જાંણ કર્યા વગર ઘરેથી નીકળી ગયાની પણ જાહેરાત કરાતા પોલીસે બંને બનાવોની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812 


લ્યો..કોઈ...સાવરણી....

લ્યો..કોઈ...સાવરણી....
આવકના રસ્તાઓ અનેક છે, તેમ રાજા હોય કે રંક, મહેલ, મકાન હોઈ કે ઝૂંપડી..મારે તમારે પ્રવર્તમાન સમયની જરૂરિયાતો સાથે પણ સ્વચ્છતા માટે એકાદ, બે સાવરણીઓ ઘરમાં હાથવગી રાખવીજ પડે ! જરૂર છે માત્ર માણસે નાનપ છોડવાની..બસ આવી જ વાતો રજુ કરી પેટિયું રળવા આ ગરીબ યુવાનોએ જ્યારે સાદ પાડ્યો કે ''લ્યો..કોઈ સાવરણી'' ત્યારે ખરીદદારો પણ વગર શરમે સાવરણી લેવા બેસી ગયાનું તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.      
            (ફોટો : કશ્યપ જે.જોષી, જેતલસર..જેતપુર)

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2016

નવાગઢમાં ૨ જુગાર દરોડામાં ૪ પકડાયા

નવાગઢમાં ૨ જુગાર દરોડામાં ૪ પકડાયા

જેતપુર તા.૨૧

જેતપુર પોલીસે ગઈકાલે મોડી રાત્રીના નવાગઢના ખાટકીવાસમાં ૨ જુગાર દરોડા પાડી ૪ શખ્શોને રોકડ રૂપિયા ૧૭૬૪૦/- સાથે પકડી પાડ્યા હતા. જ્યારે નાશી છુટેલા ૧ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકી વાસમાં રોજ મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી પરથી જેતપુર પોલીસે ઇકબાલ અબુના રહેણાક મકાન પર જુગાર દરોડો પાડતા રફીક જમાલ, રઝાક અબુ, અમીન ગફાર અને યુસુફ અબુ એમ ચાર શખ્શો તીનપતીનો જુગાર રમતા રોકડ રૂપિયા ૧૦૭૪૦ સાથે પકડાઈ ગયા હતા. જયારે બહારથી માણસો બોલાવી હાજર વરલી ફીચરનો ધંધો કરતો મકાન માલિક ઇકબાલ રોકડ રૂપિયા ૬૯૦૦ મૂકી નાશી છૂટ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં આજે લોકપ્રિય સદગત વિપ્ર વયોવૃદ્ધને અપાશે પુષ્પાંજલિ

જેતપુરમાં આજે લોકપ્રિય સદગત

વિપ્ર વયોવૃદ્ધને અપાશે પુષ્પાંજલિ

જેતપુર તા.૨૧

જેતપુરમાં રહેતા, બ્રહ્મસમાજ ક્ષેત્રે સૌમાં લોકપ્રિય બનેલા, માજી ટેલીફોન એક્સચેન્જ અધિકારી બટુકભાઈ ખીરાનું ગત ૧૫.૧.ના રોજ સુરત ખાતે બીમારી સબબ અવસાન થતા અહીના બ્રહ્મસમાજે શોકની લાગણી વ્યક્ત કરી છે. બીજીબાજુ સદગત ખીરા અહિની સંસ્થા શ્રી પરશુરામ સેનાના સહખજાનચી તરીકે પણ સેવા આપતા હોય, તેઓને પુષ્પાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ આજે તા. ૨૨ નારોજ અહીના પાંચ પીપળા રોડ પર આવેલ જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે, સાંજે ૫ થી ૬ રાખેલ હોય પરશુરામ સેનાના આગેવાનો, કાર્યકરોએ હાજરી આપવા સંસ્થા પ્રમુખ હિતેશ જોશી, મંત્રી અશોક ઠાકર વી. નો અનુરોધ છે.  

ફોટો : સદગત બટુકભાઈ ખીરાનો છે.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

 

જેતલસર –ડેડરવા-બાવાપીપળીયા ગામને જોડતા રોડનું રૂા.૬ કરોડના ખર્ચે નવિનીકરણનું ખાતમુહૂર્ત

જેતલસર ડેડરવા-બાવાપીપળીયા ગામને જોડતા રોડનું

રૂા.૬ કરોડના ખર્ચે નવિનીકરણનું ખાતમુહૂર્ત

જેતલસર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના જેતપુર શહેરની ભાગોળે નેશનલ હાઇવે પરના જેતલસર ગામથી ડેડરવા, બાવાપીપળીયા ગામને જોડતો રસ્તો વિકાસશીલ ઔદ્યોગિક વિસ્તારો અને  તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોના વાહન વ્યવહાર માટે ધોરીનસ સમાન માર્ગ છે. આ માર્ગને પહોળો કરવા અંગે ગ્રામજનો મારફત રજુઆતો થતાં, તે રજુઆતોને ધ્યાનમાં લઇ, રાજયકક્ષાના પ્રવાસન અને પાણી પૂરવઠા મંત્રીશ્રી દ્વારા સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગમાંથી અંદાજે રૂા. ૬ કરોડ મંજૂર કરાવેલ હતાં.

            જેતલસરથી બાવાપીપળીયા સુધીનો અંદાજે ૧૧ કી.મી.ના માર્ગને સ્ટ્રેનથનીંગ અને વાઇડીંગ દ્વારા નવિનીકરણ કરી, પ.પ મીટર પહોળો બનાવી રસ્તા પરના બે નાલાને મેનઓવર બ્રીજમાં રૂપાંતરીત કરવામાં આવશે. સાથો સાથ વરસાદી પાણીથી ગામતળનાં રસ્તામાં થતા નુકશાનને અટકાવવા, જેતલસર અને ડેડરવા ગામના ગામતળના ૫૦૦ મીટર રોડને સી.સી. રોડથી મઢવામાં આવશે.  સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજીત રૂા. ૬ કરોડના ખર્ચે આશરે ૧૧ કી.મી.ના જેતલસરથી ડેડરવા,બાવાપીપળીયા રસ્તાના નવિનીકરણ માટે આજરોજ  માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા દ્વારા ગ્રામજનો, આગેવાનોની હાજરીમાં ડેડરવા ગામે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે.

            જેતલસર-ડેડરવાબાવાપીપળીયા રસ્તાનું વાઇડનીંગ અને સ્ટ્રેનથનીંગ દ્વારા નવિનીકરણનું કામ હાથ ધરાતા ગ્રામજનોમાં આનંદની લાંગણી ફેલાઈ છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

સિંધી સમાજના અમર શહીદ હેમુ કાલાણીજીને ફૂલમાળા પહેરાવી અર્પી શ્રદ્ધાંજલિ....

ભારતીય સિંધુ સભા જેતપુરના આગેવાનોએ

સિંધી સમાજના અમર શહીદ હેમુ કાલાણીજીને

     ફૂલમાળા પહેરાવી અર્પી શ્રદ્ધાંજલિ....

 જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જન સેવાના પાવન મંત્રથી દેશભરમાં પ્રખ્યાત થયેલા સિંધી સમાજના મહાપુરુષ

અમર શહીદ હેમુ કલાણીજીના આજે ગુરુવારે શહીદ દિન નિમિત્તે અહીના ચાંદની ચોક ખાતે ભારતીય સિંધુ સભા જેતપુરના ૧૫૦ જેટલા આગેવાનો, વડીલો, યુવાન કાર્યકરોએ એક શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ તકે આ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ વધવા, જેતપુર પાલિકાના સદસ્ય અશોકભાઈ મંગલાણી, અશોકભાઈ જેસવાણી, કિશોરભાઈ રામચંદાણી, તારાચંદભાઈ કટારીયા સહિતના આગેવાનોએ શહીદવીરની તસ્વીરને હારતોરા, ફૂલમાળા પહેરાવી, તેમની શહીદગાથા ઉપસ્થિતોને જણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અત્રે એ નોંધનીય છે કે જેતપુરના ચાંદની ચોકનું  "શહીદ હેમુ કાલાણી માર્ગ" નામકરણ કરાવવા સિંધી સમાજના આગેવાનોની ગતિવિધિઓ ચાલુ હોવાનું જાણવા મળે છે. 

( ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)

બુધવાર, 20 જાન્યુઆરી, 2016

જેતપુરના ખારચિયા ગામે અકસ્માતે ગબડેલ પટેલ મહિલાનું મોત....

જેતપુરના ખારચિયા ગામે અકસ્માતે

ગબડેલ પટેલ મહિલાનું મોત....

જેતપુર તા.૨૦

આજથી નવ દિવસ પહેલા જેતપુરના ખારચિયા ગામે પોતાના મકાનની અગાસી પરથી ગબડી પડેલ પટેલ મહિલાનું ગઈકાલે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયાનું તાલુકા પોલીસમાં નોંધાયું છે.

મળતી વિગતો મુજબ ગત ૧૧ મી જાન્યુઆરીના રોજ તાલુકાના ખારચિયા ગામે પોતાના રહેણાંક મકાનની અગાસી પરથી ગબડી પડેલ પટેલ ચંદ્રિકાબેન મનસુખભાઈ સેન્જલીયા(ઉ.વ.૪૦) ને પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન ચંદ્રિકાબેન મોતને ભેટ્યા હોવાની તાલુકા પોલીસમાં જાહેરાત કરાતા બનાવની તપાસ રામજીભાઈ બગડાએ હાથ ધરી છે.  

(કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)

 

 

વિરપુરના(જલારામ)ના યુવાનને સર્વિસનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટમાસ્તર અને અમદાવાદ સ્થિત પોસ્ટ માસ્તર જનરલને દંડ ફટકારાયો !

વિરપુરના(જલારામ)ના યુવાનને સર્વિસનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર

મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટમાસ્તર અને અમદાવાદ 

સ્થિત પોસ્ટ માસ્તર જનરલને દંડ ફટકારાયો !

રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાથી બેદરકાર કર્મીઓ સીધાદોર !!

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

    વર્ષ ૨૦૧૪ દરમિયાન જેતપુરના વીરપુર(જલારામ)ગામે રહેતા એક યુવાનને બેંક સર્વિસ માટેનો કોલ લેટર પહોચાડવામાં બેદરકારી દાખવનાર મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર તેમજ અમદાવાદ સ્થિત પીજીએમ(પોસ્ટ માસ્તર જનરલ)ને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના જજ વી.કે.વ્યાસે રૂપિયા ૧ હજાર ૬ ટકા પેનલ્ટી સાથે નોકરી ગુમાવનાર યુવાનને ચુકવવા હુકમ કરતા પોસ્ટ બેડામાં ચકચાર જાગી હતી.

   મળતી વિગતો મુજબ જેતપુરના વીરપુર જલારામ ગામે રેહેતા પ્રશાંત સોલંકીને બેંક ઓફ બરોડા  દ્વારા નોકરી માટેનો કોલ લેટર મોકલ્યો હતો. પણ આ પત્ર પ્રશાંતને મહેસાણા બેંકમાં હાજર થવાની તારીખ અને સમય વીત્યા પછી મળતા તેમને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેશ નંબર ૬૮૬/૨૦૧૪ થી ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન બે અઢી  મહિના પહેલા એટલેકે તા.૧૦ મી નવેમ્બર ૨૦૧૫ ના રોજ ફરિયાદી યુવાનના વકીલ રશ્મીન દવેએ પ્રશાંતે સંબંધિત પોસ્ટ તંત્રની બેદરકારીને લીધે નોકરીની તક ગુમાવી હોવા અંગે વિવિધ દલીલો જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરતા, ઉપસ્થિત ફોરમના જજ વી.કે.વ્યાસે મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર તેમજ અમદાવાદ સ્થિત પોસ્ટ માસ્તર જનરલ(પીજીએમ) એમ બંનેને યુવાને નોકરી માટે ખર્ચેલા રૂપિયા ૧૦૦૦-૦૦ ૬ ટકા દંડ સાથે ચુકવવા હુકમ કરતા આ વાતના જાણકાર પોસ્ટબેડામાં ચકચાર જાગી હતી.

રા.જી.ગ્રા.ત.નિવારણ ફોરમનો ચુકાદો પણ જાણવા જેવો !

જેતપુર : કેશ ચાલ્યો તે દરમિયાન ફોરમે જણાવેલ કે કોલ લેટર મળવાથી નોકરી મળી જ જાય તેવું માની ના શકાય. પોસ્ટ તંત્રને નક્કી કરેલી વળતરની રકમ ઉપરાંત વળતર ના આપી શકાય. કાનૂની જોગવાઈઓ અને કાનૂની પ્રસ્થાપિત સિદ્ધાંતો લક્ષમાં લેતા યોગ્ય અને વાજબી-વ્યવહારુ અભિગમ અપનાવી પ્રતિવાદીઓને ખર્ચ ચુકવવા હુકમ નહિ કરતા પ્રતીકાત્મક વળતર અને ખર્ચની રકમ ચૂકવવાનો હુકમ કરવો ન્યાયોચિત જણાય છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

પાકવિમાની આકારણીમાં જેતપુર તાલુકા પરત્વેની વિસંગતા દુર કરવા ખેડૂતોની માંગ.......

ડેમ સાઈટ કે કેનાલ સાથે કોઈ લેવા દેવા ના હોય તેવા ખેડૂતો સાથે અન્યાય ? 

પાકવિમાની આકારણીમાં જેતપુર તાલુકા 

પરત્વેની વિસંગતા દુર કરવા ખેડૂતોની માંગ.......

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

        જેતપુર તાલુકાના ખેડૂતો પાકવીમા આકારણીની વાતમાં સરકારી તંત્રોની વિસંગતાથી પાયમાલી તરફ જઈ રહ્યા હોત તાકીદે ઘટતું કરવા માંગ કરાઈ છે.

        આ બાબતે જેતપુર તાલુકાના ઉમરાળી ગામના ખેડૂતપુત્ર સુનીલભાઈ ગોબરભાઈ કથીરિયા જણાવે છે કે જેતપુર તાલુકાના અનેક ગામો સમયાંતરે કરાતી પાકવીમા આકારણી બાબતમાં ભારે વિસંગતાઓનો ભોગ બને છે.

        કારણ જેતપુર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ડેમ સાઈટના કમાન્ડ અરિયામાં આવે છે. તેથી છેવાડાના ગામો કે જેઓને ડેમ કે કેનાલ સાથે કોઈ લેવા દેવા નથી તેવા ગામોને પણ પુરા જેતપુર તાલુકા સાથે જોડી દેવાય છે. પરિણામે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અને નહીવત વરસાદથી આવા તમામ ગામોનો ખેડૂતોના ખેતપાક નિષ્ફળ જતા હોવા છતાં અને વીમા પ્રીમીયમ ભર્યા હોવા છતાં ખેડૂતોને પાકવીમો મળતો નથી. જે વાત ખેડૂતો માટે પાયમાલી સમાન છે.

      સુનીલભાઈ કહે છે કે સરકાર વીમા પ્રીમીયમમાં સુધારા વધારા કરવા કે ઓછું કરવા માંગે છે તે વાત આવકાર્ય છે. પણ જે ગામોને પાકવીમો મળતો નથી કે અપાતો નથી તેવા ગામોનો સર્વે(ક્રોપ એનાલીસીસ) અલગથી કરવામાં આવે તો "સુંકા ભેગું લીલુ ના બળે" અને ખેડૂતોને ન્યાય પણ મળે.

 

કશ્યપ જે. જોશી જેતપુર

    

જેતલસરમાં વાલ્મીકી સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન....

જેતલસરમાં વાલ્મીકી સમાજના

સમુહ લગ્નોત્સવનું આયોજન....

જેતલસર તા.૨૦

વાલ્મીકી સોશ્યલ વેલ્ફર સોસાઈટી જેતલસર દ્વારા આગામી ૧-૫-૨૦૧૬ ના રોજ માત્ર વાલ્મીકી સમાજના યુવાન-યુવતીઓ માટેના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દંપતીઓને સમાવવાના હોય, જરૂરી ફોર્મ મેળવી, તા.૩૦.૩-૨૦૧૬ સુધીમાં પરત કરવા સંસ્થા પ્રમુખ જગદીશ મકવાણા(૯૯૭૮૭૦૨૪૨૯) એ અનુરોધ કર્યો છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

સોમવાર, 18 જાન્યુઆરી, 2016

જેતપુર શહેર દફતરે આજે જુદા જુદા ત્રણ કમોતના બનાવો

જેતપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત...
અન્ય એક યુવાનનું વીજશોકથી અને પરિણીતાનું દવા પીવાથી મોત થયાની ઘટનાઓ પોલીસ દફતરે 
જેતપુર તા.૧૮
જેતપુર શહેર દફતરે આજે જુદા જુદા ત્રણ કમોતના બનાવો નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અહીના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા અપરણિત યુવાન કાનજી પરબત ગોહેલ(ઉ.વ.૩૫) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાતા જમાદાર ખરાડીએ તપાસ હાથ ધરી છે.
વંદા મારવાની દવા પી લેનાર પરિણીતાનું મોત
જેતપુર તા.૧૮
અહીના જગાવાલા ચોરા વિસ્તારમાં રહેતા ફર્ઝાનાબેન સલીમભાઈ મકરાણી નામની ૩૪ વર્ષીય પરિણીતાની લાશ આજે અહીના ભાદરના પુલ પાસેથી મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ ફરઝાનાબેનનું મોત વંદા મારવાની દવા પીવાથી મોત થયાનું પ્રાથમિક તારણ જાહેર કર્યું હતું. આ મુસ્લિમ પરિણીતાને શા માટે દવા પીવી પડી તે અંગે જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
જેતપુરના યુવાનનું વીજશોકથી મોત 
જેતપુર તા.૧૮
અહીના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ કોળી લાઈનમાં રહેતા ગોવિંદ મનસુખ તરવાડીયા(ઉ.વ.૨૫) ને આજે પોતાના ઘરે વીજશોક લાગતા બેભાન હાલતમાં અહીના સરકારી દવાખાને ખસેડેલ. પણ ગોવિદને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવની વધુ તપાસ જમાદાર ખરાડીએ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

ગરીબોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન !

ગરીબોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન !
જેતપુર: જન્મદિવસની વાત આવે એટલે કોઈ પણ યુવાન, કિશોર કે વાલીઓ જન્મદિવસ ઉજવવા કોઈ હોટેલનો સહારો લેતા હોય છે. આ વાતમાં વાંક કિશોર, યુવાન કે વાલીઓનો નથી, બલકે યુગનો છે. સાંપ્રત સમયમાં દેખાદેખી અને અનુકરણ સૌ કરતા આવ્યા છીએ.આવા અનુકરણના પરિણામમાં અંતે વાલીઓએ નુકશાની સહવાનો વારો આવે છે. આવી બધી વાતોને જાકારો આપી અહીની સેવાભાવી સંસ્થા લાયન્સ કલબના ડી.ચેરમેન હરસુખભાઈ ડોબરીયાના પુત્ર કિશનના જન્મ દિવસે ડોબરિયા પરિવારે અન્ય લાયન મિત્રો ડો.જોશી, લા.પ્રમુખ અતુલભાઈ લાલકીયા, અક્ષય પટેલ, જેન્તીભાઈ સાકરીયા, લલીતભાઈ ઠુંમર અને હિતેશ અંટાલા વી.ની હાજરીમાં શહેરના પછાત વિસ્તારમાં જઈ, કેક કાપી, ગરીબોને ભોજન કરાવી જન્મદિન ઉજવતા આ પ્રેરણાદાયી પગલાની શહેરમાં સરાહના થઇ રહી છે. 
કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે બાળકોને શેરડી-ચિકીનું વિતરણ

જેતપુરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે બાળકોને શેરડી-ચિકીનું વિતરણ
જેતપુર : જેતપુર રોયલ લાયન્‍સ કલબ તથા સલગ્ન સંસ્‍થા લીયો કલબ દ્વારા  મકરસંક્રાંતિના પાવન દિવસે સંસ્‍થાના પૂવ ડી-ગવર્નર ધીરૂભાઇ રાણપરીયાના માર્ગદર્શન વચ્ચે પછાત વિસ્તારોમાં લાયન્‍સ - લીયો ટીમે મહાકાળી સાડી - મુંબઇના આર્થિક મદદ દ્વારા બાળકોને શેરડી, બીસ્‍કીટ, ચિકી, લાડુનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. ફોટો : કશ્યપ જોશી જેતપુર 

શનિવાર, 16 જાન્યુઆરી, 2016

Expensive Items

The Most Expensive Items in the World
> The International Space Station is the most expensive object ever made by man. Hovering 380 kilometers above us, it is worth about 150 billion dollars.
>
>
>  
> The most expensive Bonsai tree in the world is Over 300 years old and will run you around 1.3 million.
>
>  
> The most expensive book in the world is the Codex Leicester of Leonardo da Vinci, a book of scientific writings by the famous geniuses, will cost you 30.8 million.
>
>  
> The most expensive watch in the world is the A. Lange Sohne Grand Complication. This immensely complicated (876 hand wrought parts, 7 complications and 14 functions) and precise watch can only be made by one man in the whole world, and it takes him a whole year just to make one! It can be yours, with some patience and $2.5 million dollars.
>
>  
> The most expensive jet in the world is the Airbus 318 Elite Private Jet and if you want it you better have 62 million and gas money.
>
>
> The most expensive Cognac in the world is called Henry IV Dudognon Heritage Cognac Grande Champagne (say that 3 times fast!) and a bottle costs no less than $2 million. That would be about $20,000 per sip. 
>
>  
> The most expensive dog in the world is the beautiful, rare and huge Tibetan Mastiff puppy (dog on the right). This gorgeous hound is worth $2 million dollars. 
>
>  
> The most expensive photograph ever sold was this deceptively plain photo of the Rhein II, made by German artist Andreas Gursky and sold for 4.3 million.
>
>  
> The most expensive sword in the world belonged to none other than Napoleon Bonaparte, and will go for about $6.4 million. 
>
>  
> The most expensive car in the world, currently, is the Lamborghini Veneno, costing 4.6 million.
>
> The most expensive champagne in the world is the delicious Gout de Diamants Champagne, which was sold for 1.2 million. However, it is not the liquid that makes this bottle so pricey, but the bottle, which has an 18 carat white gold plate with a 19 carat diamond mounted in the middle of it. 
>  
> The most expensive mushroom in the world is an Italian White Alba Truffle. 1.51 kilograms is worth $160,406. 
>
>  
> The most expensive computer in the world is the huge Milky Way 28243 Supercomputer in Guangzho, China, and would cost about $400 million to recreate.
>
>  
> The most expensive viola in the world, the Stradivarius MacDonald Viola, made in 1719 and one of only 10 surviving violas made by the famous master Luthier. It was recently sold for $45 million.
>
>  
> The most expensive beer in the world is the Antarctic Nail Ale, if you want to try it, you better be prepared to spend $1,815 per bottle, so there better be a darn good reason for celebration.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
> ________________________________
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી
> દોલતનો ખોટો અહંકાર
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે
>
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે
>
> Posted: 14 Jan 2016 07:03 PM PST
>
> સાહિત્યકારો નવનિર્માણ માટે આગળ આવશે  :  આગામી દિવસોમાં સાહિત્યકારો લોક રંજન માટે નહિ લખે. તેમને માતા સરસ્વતી પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં ગલાનિનો અનુભવ થશે અને કલમના ઉ૫યોગ દ્વારા લોકમાનસને પા૫ના કાદવમાં ધકેલતા તેમનો આત્મા રડી ઉઠશે. આત્મગ્લાનિથી વ્યાકુળ સાહિત્યારો હવે દિવસે દિવસે લોકકલ્યાણની દિશામાં આગળ વધશે. કલાકાર, કવિ, ગાયક, વાદક, ચિત્રકાર, મૂર્તિકાર, અભિનેતા વગેરે આજીવિકા માટે […]
>
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો
>
> Posted: 13 Jan 2016 07:50 PM PST
>
> ધનનો ઉ૫યોગ લોકકલ્યાણમાં કરો  :   મારી સલાહ એ છે કે હવે કોઈએ ધનની લાલચ રાખવી ના જોઈએ અને પુત્રપૌત્રો માટે ધન મૂકીને મરવાનો વિચાર ન કરવો જોઈએ. આ બંને પ્રયત્નો નિષ્ફળ જશે. આવતો જમાનો જે ઝડ૫થી બદલાઈ રહ્યો છે તેના હિસાબે આ બંનેથી કોઈને કશો લાભ થવાનો નથી. ઊલટું, લોભ અને મોહની આ દુષ્પ્રવૃત્તિના કારણે […]
>
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી
>
> Posted: 12 Jan 2016 06:30 PM PST
>
> ધનવાનોને ન્યાય તથા ઔચિત્યની મર્યાદા તોડી  :   ધનવાનો સમયને સમજી શકતા નથી અને તેની સાથે બદલાવા તૈયાર ૫ણ નથી. વધારેમાં વધારે સંગ્રહ, વધારેમાં વધારે અ૫વ્યય અને વધારેમાં વધારે અહંકાર પોષવામાં તેઓ એટલાં ઊંડા કાદવમાં ફસાઈ ગયા છે કે એમાંથી પાછાં ફરવું મુશ્કેલ જણાય છે. કોઈ ધનવાન પોતાને નિર્ધન બનાવવા માટે તૈયાર નથી. ૫રમાર્થના નામે પોતાની […]
>
> દોલતનો ખોટો અહંકાર
>
> Posted: 11 Jan 2016 06:30 PM PST
>
> દોલતનો ખોટો અહંકાર  :  ધન, સોનું, ચાંદી અને કાગળની નોટોની એક નિરાળી દુનિયા છે. તે એક હાથ માંથી બીજા હાથમાં અને બીજા માંથી ત્રીજા હાથમાં ફરતી જ રહે છે. લાંબા સમય સુધી તે ક્યાંય રહેતી નથી, એમ છતાં લોકો વિચારે છે કે મારી પાસે આટલું ધન છે, હું આટલાં બધા ધનનો માલિક છું. તિજોરીમાં, બેંકમાં […]
>
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે
>
> Posted: 10 Jan 2016 06:30 PM PST
>
> ભવિષ્યમાં ધનનો દુરુ૫યોગ અટકશે આજે અર્થતંત્ર વધારે લાભદાયક ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે. તેની ઉ૫ર નામ માત્રનું નિયંત્રણ છે. લોકોની કુરુચિને વધારીને અને પૈસા કમાતાં તેને નથી જનતા રોકી શકતી કે નથી શાસન રોકી શકતું. લોક માનસને પ્રભાવિત કરનાર સાહિત્ય, ચિત્રો, ફિલ્મો વગેરેમાં કુરુચિ પૂર્ણ સામગ્રી ભરપૂર પ્રમાણમાં પીરસવામાં આવે છે. આગામી દિવસોમાં તેની ૫ર […]
> You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં.
> To stop receiving these emails, you may unsubscribe now.
> Email delivery powered by Google
> Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States

Daily digest for જીવન સંધ્યાનો ઉજાસ, on January 16, 2016

જીવન સંધ્યાનો ઉજાસ. posted: " ન કડવું યાદ રાખો જી, ન કઈ ફરિયાદ રાખો જી, કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખોજી. ન કોઈ તંત રાખોજી,ન કોઈ વાત રાખોજી, ભલે ને પોત થાયે પાતળું પણ ભાત રાખોજી, કે સંબંધમાં સહનશીલતા ક્ષમા નો સ્વાદ ચાખો જી. ન કરશો માન મદ હુંસાતુંસી આ યાદ રા"
> New post on જીવન સંધ્યાનો ઉજાસ
> પ્રભુ ને દાદ આપો જી…
> by જીવન સંધ્યાનો ઉજાસ.
>
> ન કડવું યાદ રાખો જી, ન કઈ ફરિયાદ રાખો જી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખોજી.
>
> ન કોઈ તંત રાખોજી,ન કોઈ વાત રાખોજી,
>
> ભલે ને પોત થાયે પાતળું પણ ભાત રાખોજી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમા નો સ્વાદ ચાખો જી.
>
> ન કરશો માન મદ હુંસાતુંસી આ યાદ રાખો જી,
>
> નમેલાં વૃક્ષને ફળ ફૂલ અને લાગે છે શાખો જી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.
>
> ક્ષમા માંગે તે ઉંચો છે, વધુ ઉંચો ક્ષમા કરનાર,
>
> મળે માનવજીવન એકવાર પ્રભુને દાદ આપો જી,
>
> કે સંબંધમાં સહનશીલતા ક્ષમાનો સ્વાદ ચાખો જી.
>
> જીવન સંધ્યાનો ઉજાસ. | January 15, 2016 at 7:08 am | Tags: ગમે તો માનજો. | Categories: થોડામાં ઘણું. | URL: http://wp.me/p2sx5K-WA
>
> Comment
>    See all comments
>    Like
>
> Unsubscribe to no longer receive posts from જીવન સંધ્યાનો ઉજાસ.
> Change your email settings at Manage Subscriptions.
>
> Trouble clicking? Copy and paste this URL into your browser:
> https://harshajagdish.wordpress.com/2016/01/15/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ad%e0%ab%81-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%aa%be%e0%aa%a6-%e0%aa%86%e0%aa%aa%e0%ab%8b-%e0%aa%9c%e0%ab%80/
>
> Thanks for flying with WordPress.com
>

સ્વાસ્થ્ય સુધા

મેડિકલ સારવાર મુઠ્ઠીમાં
>
> - મિતા ઉપાધ્યાય
>
>
> લગભગ એક દાયકા પહેલાં ગામ કે શહેરમાં રહેતી કોઈ વ્યક્તિ બીમાર પડતાં તેને ડૉક્ટરના ક્લિનિક સુધી જવું પડતું હતું. ગામ હોય તો ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં અને શહેર હોય તો ડૉકટરના ક્લિનિક સુધી જવું પડતું હતું. એમાં દરદી અને તેની સાથે જનારાને હાડમારી વેઠવી પડતી તે અલગ. આ સિનારિયો હવે સમૂળગો બદલાઈ ગયો છે. એકવીસમી સદીમાં દુનિયાના કોઈપણ દેશ કે ગામમાં રહેતી વ્યક્તિ બીમારી માટે ડૉક્ટરોનો સંપર્ક સાધી શકે છે. ટૅકનોલોજીના પ્રતાપે દરેક બીમારીનું નિદાન કરાવવાનું અને ડૉક્ટરની સલાહ મેળવવાનું અત્યંત સુલભ બની ગયું છે. આપણા દેશમાં મેડિકલ ફેકલ્ટીમાં ઍલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, હોલિસ્ટિક ટ્રિટમેન્ટ, નેચરોપેથીમાંથી કોઈ એક ફેકલ્ટીની પસંદગી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાને માફક આવે તેવી સારવાર મેળવી શકે છે. સ્માર્ટ ફોન અને વેબસાઈટ્સ પર મેડિકલ સલાહ અને સારવાર માટે સંબંધિત વિસ્તારમાં કાર્યરત ક્લિનિકસના ડૉક્ટરોનો સંપર્ક ઘેર બેઠાં સાધી શકાય છે. મોબાઈલ પર 'પ્રૅક્ટો' ઍપ-અપ્લિકેશનની સહાયથી નજીકના વિસ્તારના ડૉક્ટરનો સંપર્ક સાધીને જરૂર પડ્યે એપોઈન્ટમેન્ટ મેળવીને સારવાર મેળવી શકાય છે. હેલ્થ કૅરની વેબસાઈટ્સ પર ડૉક્ટરોનાં નામ, ફોન નંબર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઍપ્સ લોકપ્રિય બની રહ્યું છે. ડૉક્ટર અને પૅશન્ટની દૃષ્ટિએ મોટી સગવડ થઈ છે. વિદેશથી ભારત આવતાં લોકો આ સગવડનો લાભ લેતા થયા છે.
>
> પ્રેક્ટો
>
> મોબાઈલમાં આ ઍપ્સ ડાઉનલોડ કરીને દરદી પોતે જ્યાં રહેતો હોય ત્યાં મેડિકલ ક્લિનિક્સ અથવા ઈમર્જન્સીમાં હોસ્પિટલનો સંપર્ક સાધીને સ્પેશિયાલિસ્ટની સારવાર સમયસર મેળવી શકે છે. ક્રોનિક પેશન્ટ્સ માટે આ સગવડ વરદાન સમી છે. એકવાર એપોઈન્ટમેન્ટ મળે એટલે 'પ્રૅક્ટો' એપોઈન્ટમેન્ટની યાદ કરાવે છે. આ સિવાય લૅબોરેટરી અથવા ક્લિનિક સુધી પહોંચવાના રસ્તાની માહિતી પ્રૅક્ટો ઍપ દ્વારા મેળવી શકાય છે. 'પ્રૅક્ટોની યાદીમાં દેશના ૩૫ શહેરમાં પ્રૅક્ટિસ કરતા બે લાખ ડૉકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઍપ્લિકેશનના માધ્યમથી દર મહિને બે લાખ દરદીઓને ઍપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. પ્રૅક્ટો કૉમ ઍન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. મેડિકલ સલાહ અને સારવાર માટે ઝિફી, લિબ્રેટ અને ડાયાબિટો ઍપ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
>
> ઝિફી
>
> આ ઍપની મદદથી દરદી ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. આ ઉપરાંત ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની માહિતી મેળવી શકાય છે. આ ઍપ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ડૉક્ટરોનો અનુભવ, તેમના સ્પેશિયલાઈઝેશન, ડૉક્ટરોની ઉપલબ્ધતા, રેટિંગ અને રિવ્યુની માહિતી મળે છે. આ વેબ સર્વિસ પર ૧૯ હજાર ડૉક્ટર્સ, ૬ હજાર ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની નોંધ છે.
>
> લિબ્રેટ
>
> આ ઍપની મદદથી ડૉક્ટરોની એપોઈન્ટમેન્ટ મેળવી શકાય છે. આ ઉપરાંત ખાનગી વિડીયો ક્ધસલ્ટેશન કરી શકાય છે. આ ઍપ પર ૪૦ શહેરના ૯૦ હજાર ડૉક્ટરની નોંધણી કરવામાં આવી છે. ઍપના ઓપન ફોરમમાં આરોગ્યના સંદર્ભમાં પોતાનું નામ ગુપ્ત રાખીને સવાલ પૂછવાની સગવડ છે. આ ઉપરાંત મેડિકલ રિપોર્ટ અપલોડ કરીને ડૉક્ટરનો ઓપિનિયન લઈ શકાય છે. ખાનગી ક્ધસલ્ટેશન માટે ફી આપવી પડે છે. અત્યાર સુધીમાં આશરે દસ લાખ લોકોએ આ ઍપ અપલોડ કર્યું છે.
>
> ડાયબિટો
>
> ડાયાબેટીકો માટે આ ઉપયોગી ઍપ છે. આ ઍપની મદદથી દરદીને તેના રોગના સંદર્ભમાં બધા અપડેટ્સ સમયાંતરે મળતા રહે છે. આ સાથે તેને આહાર કયા પ્રકારનો લેવો જોઈએ, કેટલા પ્રમાણમાં લેવો જોઈએ, કેવી કસરત કરી શકે તેનું દરરોજનું રૂટિન વગેરે બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઍપની મદદથી દરદી સાથે વિડિયો ક્ધસલટેશન કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક ફાર્મસી તેમના નિયમિત ગ્રાહકોનાં નામ સરનામાં નોંધી રાખીને તેમને કાર્ડ આપે છે. ફાર્મસીમાં ફોન કરો એટલે તમને ઘેરબેઠા દવા પહોંચતી કરવામાં આવે છે. કેટલીક પૅથોલોજિકલ લેબના સંચાલકો પણ મેડિકલ રિપોર્ટ ઘેર પહોંચાડવાની સેવા આપે છે. 'ન કરે નારાયણ ને' અચાનક બીમાર પડી જાવ તો જરાય રાહ જોવાને બદલે ઍપની મદદથી ડૉક્ટરનો સંપર્ક સાધી તરત સારવાર મેળવવાની સગવડનો લાભ લેવાનું તમારા હિતમાં છે. (Courtesy : Mumbai Samachar)

AVSAN NONDH JETPUR KASHYAP JOSHIઅવસાન નોંધ..જેતપુર..16.1.2016

અવસાન નોંધ..જેતપુર..16.1.2016
જેતપુર : બારોટ જેન્તીલાલ કાનજીભાઇ સોલંકી(ઉ.વ.83)  તે પ્રવીણભાઈ(શિક્ષક), હરેશભાઇ(વકીલ), વિજયભાઈ(બેંકર) ના પિતા તા.14 ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.18 ના રોજ તેમના નિવાસસ્થાન,શિવકૃપા, વિવેકાનંદ સ્કુલ પાસે, સાંજના 4 થી 6, જેતપુર ખાતે રાખેલ છે.
                           કશ્યપકુમાર જે.જોષી, પ્રતિનિધિ,
                        જેતપુર,જેતલસર,9974262812

શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016

જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.

જેતપુરમાં ગુબારાએ ભંગારના ડેલામાં લગાડી આગ.
જેતપુર તા.15
ગઈકાલે જેતપુરમાં એક ભંગારના ડેલામાં આકાશમાંથી પડેલા એક ગુબારાએ ભયાનક આગ લગાડતા આજુબાજુના લત્તાવાસીઓ અને રાહદારીઓમાં ભયનું મોઝુ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ ગઈકાલે મકારસંકરાતીના દિવસે કોઈએ પતંગ સાથે ઉડાવેલ એક ગુબારો અહીંના ટાકુડીપરા વિસ્તારમાં આવેલ આલ્ફા સ્કુલ નજીકના એક ભંગારના ડેલામાં પડતા ભયાનક આગ લાગી ઉઠી હતી..આગમાં ભંગારના ડેલામાં પડેલો મોટાભાગનો ભંગાર બળીને ખાક થઇ જતા હજારોની નુકસાની અંદાજાઈ રહી છે.
બનાવની જાણ થતા જેતપુર પાલિકાનો ફાયર ફાઇટર સ્ટાફ દોડી જઇ આગને ઠારી હતી. જો કે આ બનાવની કોઈ નોંધ કે જાણ શહેર પોલીસમાં નહિ કરાઈ હોવાની પીએસઓ જયસુખભાઈએ જણાવ્યું હતું.
               ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર

બુધવાર, 13 જાન્યુઆરી, 2016

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા

પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી )

મકરસંક્રાંત પર્વ દરમિયાન મનુષ્યના આનંદ વચ્ચે અનેક અબોલ પક્ષીઓ રીતસરના મોતને ભેટશે, અનેક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈને છેક  ઉંચેથી જમીન પર પટકાશે, ત્યારે આવા ઘાયલ પક્ષીઓની ભાળ મળ્યે જેતપુરમાં સ્ટુડંટ યુનિયન ગ્રુપના યુવાન આગેવાનો ત્વરિત સારવાર માટે દોડશે. આ બાબતે વિગતો આપતા મયુર સરવૈયા, ભદ્રેશ વ્યાસ અને રવિ વઘાસીયા વી. જણાવ્યું છે કે આજે તા.૧૪ અને ૧૫ એમ બે દિવસ દરમિયાન પતંગોત્સવ દરમિયાન કોઈ ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની હોય તો તાત્કાલિક આ સેવાની હેલ્પલાઈન એવા મોબાઈલ નંબરો ૯૦૩૩૭૯૧૨૦૨, ૯૮૨૪૩૮૪૨૮૪, ૯૧૭૩૭૯૧૨૦૨, ૮૧૪૦૯૯૫૬૭૮ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

                                                                               કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 


જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર

જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં 
મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર 
બનાવના ત્રણ દિ' પૂર્વે માથામાં બોથડ પદાર્થના ઘા થી મોત થયાના ફોરેન્‍સીક પી. એમ. રીપોર્ટના આધારે કાર્યવાહી

જેતપુર તા. ૧૩ (કશ્યપ જોશી )
આજથી સવાએક વર્ષ પહેલા જેતપુરમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલ એક તસ્કરનું મોત માથામાં બોથડ પદાર્થના મારથી મોત થયું હોવાનું ફોરેન્સિક લેબો.ના રીપોર્ટ પરથી શહેર પોલીસે અજાણ્યા શખ્શો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
   મળતી વિગત મુજબ શાપરની એક મહિલાની ડોક અળવી (સોનાના ચેનની ચીલઝડપ) કરનાર રસીક ઉર્ફે કાળુ ભીખા સોલંકીને એલસીબીએ ઝડપી લઇ જેતપુર પોલીસને સોંપ્યો હતો. દરમિયાન  તા. ૯-૯-ર૦૧૪ ના રોજ રાત્રીના રસિકને બેભાન હાલતમાં સરકારી હોસ્‍પીટલમાં તપાસ માટે લઇ જવાયો હતો. પણ તે સમયે ફરજ પરના તબીબે  તેને મૃત જાહેર કરી પીએમ વિધિ કરવામાં આવી હતી.
   બીજી બાજુ પોલીસ કસ્‍ટડીમાં રસિકના મોતની વિશેષ તપાસ હાથ ધરી તે વખતના જીલ્લા પોલીસ વડાએ રસિકની બોડી ફોરેન્‍સીક પી. એમ. માટે રાજકોટ મોકલી હતી. જે એફએસએલ રીપોર્ટમાં આરોપીનું મોત બનાવના ૩ દિવસ પહેલા કોઇ પણ સમયે માથામાં બોથડ પદાર્થના ઘા મારવાથી  થયાનું બહાર આવતા ગઈકાલે જેતપુરના ડીવાયએસપી એસ. જી. પાટીલે સરકાર તરફે ફરીયાદી બની અજાણ્‍યા શખ્શો સામે ખુનનો ગુન્‍હો નોંધાવી બનાવની વધુ તપાસ પી. આઇ. એન. કે. વ્‍યાસને સોંપી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતપુર  



જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં  મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના મેવાસા ગામે આવેલ ખાંટ રાજપુત સમાજના સંતશિરોમણી ભકતશ્રી રામબાપાની જગ્યામાં  સમસ્ત ખાંટ રાજપુત સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે જગ્યાના પ્રમુખ તરીકે ભુપતભાઇ કે. સોલંકી(વાળાડુંગરા)

અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ એ. સરવૈયા(રાજકોટ)ની નિમણુંક કરવામાં આવી હતી. આ બેઠકમાં   ગુજરાત પછાત વર્ગ વિકાસના ડાયરેકટર વેલજીભાઇ સરવૈયા, રીટાયર્ડ ડી.જી.પી. એન. ડી. મોરી, અખીલ ભારતીય ખાંટ સમાજના પ્રમુખ નરશીભાઇ સરવૈયા, માજી પુરવઠા મામલતદાર કે. પી. ગુજરાતી, માજી જીલ્લા શિક્ષણાધિકારી ભાણજીભાઇ સરવૈયા, યુવા શકિત સંગઠ્ઠનના પ્રમુખ હસમુખભાઇ વાગડીયા, એડવોકેટ દિલીપભાઇ કંડોલીયા, સરવૈયા વિગેરે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

 

 

જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !

 કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ રાજકારણમાંથી શન્યાસ લેતા લેતા હરીફોને હંફાવ્યા !
જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે 
યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !
રાજકોટ જીલ્લા પંચાયતમાં મોટા ગજાના ગણાતા સદસ્ય ધીરુભાઈને તો એકી આંકમાં માત્ર ૪ મત મળ્યા !!

જેતપુર તા.૧૩  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર માર્કેટ યાર્ડની મંગળવારે  યોજાયેલ ચુંટણીની આજે મતગણના દરમિયાન પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે અહીની યાર્ડમાં અન્યોનો પગપેસારો અટકાવી દેતા કોંગી ઉમેદવારો અને છાવણીમાં સોંપો પડી ગયો છે.
અમે યાર્ડના શાશનમાં આવીશું તો યાર્ડની અનેકવિધ ગેરરીતિઓ ખુલ્લી પાડીશું તેવા નિરાધાર સાથે યાર્ડની ચુંટણીમાં જુંકાવનાર કોંગ્રેસી ઉમેદવારોને તમામ ૧૪ બેઠકો પર કારમો પરાજય અપાવનાર ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ આજે યાર્ડના વિજેતા ઉમેદવારોની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભાઈ જંગ લડતા પહેલાજ તમારી ભાવના સારી ના હોય, તમે પરિણામો ક્યાંથી સારા મેળવી શકો ?! એટલુજ નહિ સૌરાષ્ટ્રબહારની યાર્ડમાં જેતપુર યાર્ડનું નામ ગુંજતું કરવા કાઈ ઓછી મહેનત નથી કરવી પડી !
યાર્ડ ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો અહી ત્રણ વિભાગમાં યોજાયેલી ચુંટણીમાં ખેડૂત મત વિભાગની ૮ બેઠકો માટે ૮ કોંગ્રેસ અને ૮ ભાજપના ઉમેદવારોએ ચુંટણીમાં જુંકાવ્યુ હતું. પણ તેમાં કોંગ્રેસના આઠેય ઉમેદવારોને હારની લપડાક આપી આઠેય ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા.જેમાં જયંતીભાઈ ગોરધનભાઈ હીરપરા(૩૮૦), વિનોદભાઈ વલ્લભભાઈ પાઘડાર(૩૭૯),  સુભાષ બાંભરોલીયા(૩૭૩), શિવલાલ બચુભાઈ ભુવા(૩૭૩),હિતેશ વેલજીભાઈ કોટડીયા(૩૭૨), રમેશભાઈ વશરામભાઈ મુળિયા(૩૬૫), બાબુલાલ કરશનભાઈ સાકરિયા(૩૬૫) અને નારદભાઈ શંભુભાઈ દાવરા(૩૫૭)નો સમાવેશ થાય છે. ભાજપના આ આઠેય ઉમેદવારોએ હરીફ કોંગ્રેસના ઉમેદવારોને ત્રણ આંકના મતો સુધી નથી પહોચવા દીધા. ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણીના કહેવા મુજબ આ પેનલમાં પરાજય પામનાર એક પણ ઉમેદવારની ડીપોજીત જપ્ત(ડુલ) થઇ નથી.

ખરીદ વેચાણ મત વિભાગની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો ચુંટણી સ્પર્ધામા હતા. જેમાં કોંગ્રેસના  જીલ્લા પંચાયત સદસ્ય કે જેઓ જીલ્લા પંચાયતમાં પર પ્રમુખના દાવેદારોની હરોળમાં ગણાતા ચારણ સમઢીયાળાના ધીરુભાઈ પાઘદારની નામોશી ભરેલી હાર થઇ હોય તેમ તેઓને માત્ર ૪ મત જ મળતા તેઓની આબરુનું ધોવાણ થયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ભાજપના દિનેશભાઈ કેશવભાઈ ભૂવાને ૪૧ મત અને શૈલેશભાઈ ખોડાભાઈ ભંડેરીને ૩૯ મત મળ્યા હતા. આ બેઠકમાં ધીરુભાઈએ ડીપોજીટ પણ ગુમાવી છે.

જયારે વેપારી મત વિભાગમાં ૪ બેઠકો માટે ચુંટણી લડેલા કુલ છ ઉમેદવારોમાંના ચારેય ભાજપના ઉમેદવારોએ પોતપોતાના હરીફોને હરાવી વિજય હાંસલ કર્યો હતો. વિજેતા ભાજપના ઉમેદવારોમાં કુમનભાઈ સાવલિયા(૧૬૬), દિનેશભાઈ ગોંડલિયા(૧૫૫), હરેશભાઈ ગઢિયા(૧૪૪) અને દોલતરામ પારવાણી(૧૨૯)નો સમાવેશ થાય છે. આમ જેતપુર યાર્ડની ચુંટણીમાં ભાજપે તમામ ૧૪ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાની પ્રતિષ્ઠાને અકબંધ રાખી છે. આજે મત ગણના બાદ તમામ વિજેતા ઉમેદવારોએ પૈસાની છોળો ઉડાડતા ઉડાડતા વિજય સરઘસ કાઢી પરાસ્ત પામેલા ઉમેદવારોને વધુ ઢીલા કરી દીધા હતા.

વિજેતા આગેવાનો શું કહે છે ?
જેતપુર : જેતપુર યાર્ડમાં વિજય પામનાર માજી ચેરમેન દિનેશ ભુવા સહિતના વિજેતાઓએ જણાવેલ કે તેઓનો વિજય જેતપુર તાલુકા જીલ્લા પંચાયંતમાં થયેલી હારનો બદલો છે. પોતપોતાની જીત પાછળ સાંસદ વિઠ્ઠલભાઈનો સિંહફાળો હોવાની વાત દોહરાવતા દિનેશ ભુવાએ જણાવેલ કે આગામી દિવસોમાં જેતપુર યાર્ડ દ્વારા ખેડૂતો માટે સબયાર્ડ મસાલા માર્કેટ, ડ્રીપ ઈરીગેશનમાં સબસીડી, ઉચ્ચ શિક્ષણ સહાય, ગંભીર બીમારી સબબની અકસ્માત સહાય, કોલ્ડ સ્ટોરેજ વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે. અત્રે એ પણ નોંધનીય છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત પેનલનો જેતપુરની યાર્ડમાં ત્રીજો વિજય છે. અને ચેરમેન પદે પણ દિનેશ ભુવા હેટ્રિક સર્જશે તે નક્કી છે.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 


મંગળવાર, 12 જાન્યુઆરી, 2016

જેતપુર યાર્ડ ચૂંટણી ના ફોટો કશ્યપ જોશી જેતપુર

જેતપુર યાર્ડની આજે યોજાયેલ ચૂંટણી દરમિયાન કિશાન નેતા અને.પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા વી આગેવાનો હાજર રહ્યા હતા.
ફોટો..કશ્યપ જોશી જેતપુર