અનુયાયીઓ

બુધવાર, 13 જાન્યુઆરી, 2016

જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !

 કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ રાજકારણમાંથી શન્યાસ લેતા લેતા હરીફોને હંફાવ્યા !
જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે 
યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !
રાજકોટ જીલ્લા પંચાયતમાં મોટા ગજાના ગણાતા સદસ્ય ધીરુભાઈને તો એકી આંકમાં માત્ર ૪ મત મળ્યા !!

જેતપુર તા.૧૩  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર માર્કેટ યાર્ડની મંગળવારે  યોજાયેલ ચુંટણીની આજે મતગણના દરમિયાન પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે અહીની યાર્ડમાં અન્યોનો પગપેસારો અટકાવી દેતા કોંગી ઉમેદવારો અને છાવણીમાં સોંપો પડી ગયો છે.
અમે યાર્ડના શાશનમાં આવીશું તો યાર્ડની અનેકવિધ ગેરરીતિઓ ખુલ્લી પાડીશું તેવા નિરાધાર સાથે યાર્ડની ચુંટણીમાં જુંકાવનાર કોંગ્રેસી ઉમેદવારોને તમામ ૧૪ બેઠકો પર કારમો પરાજય અપાવનાર ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ આજે યાર્ડના વિજેતા ઉમેદવારોની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભાઈ જંગ લડતા પહેલાજ તમારી ભાવના સારી ના હોય, તમે પરિણામો ક્યાંથી સારા મેળવી શકો ?! એટલુજ નહિ સૌરાષ્ટ્રબહારની યાર્ડમાં જેતપુર યાર્ડનું નામ ગુંજતું કરવા કાઈ ઓછી મહેનત નથી કરવી પડી !
યાર્ડ ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો અહી ત્રણ વિભાગમાં યોજાયેલી ચુંટણીમાં ખેડૂત મત વિભાગની ૮ બેઠકો માટે ૮ કોંગ્રેસ અને ૮ ભાજપના ઉમેદવારોએ ચુંટણીમાં જુંકાવ્યુ હતું. પણ તેમાં કોંગ્રેસના આઠેય ઉમેદવારોને હારની લપડાક આપી આઠેય ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા.જેમાં જયંતીભાઈ ગોરધનભાઈ હીરપરા(૩૮૦), વિનોદભાઈ વલ્લભભાઈ પાઘડાર(૩૭૯),  સુભાષ બાંભરોલીયા(૩૭૩), શિવલાલ બચુભાઈ ભુવા(૩૭૩),હિતેશ વેલજીભાઈ કોટડીયા(૩૭૨), રમેશભાઈ વશરામભાઈ મુળિયા(૩૬૫), બાબુલાલ કરશનભાઈ સાકરિયા(૩૬૫) અને નારદભાઈ શંભુભાઈ દાવરા(૩૫૭)નો સમાવેશ થાય છે. ભાજપના આ આઠેય ઉમેદવારોએ હરીફ કોંગ્રેસના ઉમેદવારોને ત્રણ આંકના મતો સુધી નથી પહોચવા દીધા. ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણીના કહેવા મુજબ આ પેનલમાં પરાજય પામનાર એક પણ ઉમેદવારની ડીપોજીત જપ્ત(ડુલ) થઇ નથી.

ખરીદ વેચાણ મત વિભાગની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો ચુંટણી સ્પર્ધામા હતા. જેમાં કોંગ્રેસના  જીલ્લા પંચાયત સદસ્ય કે જેઓ જીલ્લા પંચાયતમાં પર પ્રમુખના દાવેદારોની હરોળમાં ગણાતા ચારણ સમઢીયાળાના ધીરુભાઈ પાઘદારની નામોશી ભરેલી હાર થઇ હોય તેમ તેઓને માત્ર ૪ મત જ મળતા તેઓની આબરુનું ધોવાણ થયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ભાજપના દિનેશભાઈ કેશવભાઈ ભૂવાને ૪૧ મત અને શૈલેશભાઈ ખોડાભાઈ ભંડેરીને ૩૯ મત મળ્યા હતા. આ બેઠકમાં ધીરુભાઈએ ડીપોજીટ પણ ગુમાવી છે.

જયારે વેપારી મત વિભાગમાં ૪ બેઠકો માટે ચુંટણી લડેલા કુલ છ ઉમેદવારોમાંના ચારેય ભાજપના ઉમેદવારોએ પોતપોતાના હરીફોને હરાવી વિજય હાંસલ કર્યો હતો. વિજેતા ભાજપના ઉમેદવારોમાં કુમનભાઈ સાવલિયા(૧૬૬), દિનેશભાઈ ગોંડલિયા(૧૫૫), હરેશભાઈ ગઢિયા(૧૪૪) અને દોલતરામ પારવાણી(૧૨૯)નો સમાવેશ થાય છે. આમ જેતપુર યાર્ડની ચુંટણીમાં ભાજપે તમામ ૧૪ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાની પ્રતિષ્ઠાને અકબંધ રાખી છે. આજે મત ગણના બાદ તમામ વિજેતા ઉમેદવારોએ પૈસાની છોળો ઉડાડતા ઉડાડતા વિજય સરઘસ કાઢી પરાસ્ત પામેલા ઉમેદવારોને વધુ ઢીલા કરી દીધા હતા.

વિજેતા આગેવાનો શું કહે છે ?
જેતપુર : જેતપુર યાર્ડમાં વિજય પામનાર માજી ચેરમેન દિનેશ ભુવા સહિતના વિજેતાઓએ જણાવેલ કે તેઓનો વિજય જેતપુર તાલુકા જીલ્લા પંચાયંતમાં થયેલી હારનો બદલો છે. પોતપોતાની જીત પાછળ સાંસદ વિઠ્ઠલભાઈનો સિંહફાળો હોવાની વાત દોહરાવતા દિનેશ ભુવાએ જણાવેલ કે આગામી દિવસોમાં જેતપુર યાર્ડ દ્વારા ખેડૂતો માટે સબયાર્ડ મસાલા માર્કેટ, ડ્રીપ ઈરીગેશનમાં સબસીડી, ઉચ્ચ શિક્ષણ સહાય, ગંભીર બીમારી સબબની અકસ્માત સહાય, કોલ્ડ સ્ટોરેજ વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે. અત્રે એ પણ નોંધનીય છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત પેનલનો જેતપુરની યાર્ડમાં ત્રીજો વિજય છે. અને ચેરમેન પદે પણ દિનેશ ભુવા હેટ્રિક સર્જશે તે નક્કી છે.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 


ટિપ્પણીઓ નથી: