જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી
જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મેવાસા ગામે આવેલ ખાંટ રાજપુત સમાજના સંતશિરોમણી ભકતશ્રી રામબાપાની જગ્યામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે જગ્યાના પ્રમુખ તરીકે ભુપતભાઇ કે. સોલંકી(વાળાડુંગરા)
અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ એ. સરવૈયા(રાજકોટ)ની નિમણુંક કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પછાત વર્ગ વિકાસના ડાયરેકટર વેલજીભાઇ સરવૈયા, રીટાયર્ડ ડી.જી.પી. એન. ડી. મોરી, અખીલ ભારતીય ખાંટ સમાજના પ્રમુખ નરશીભાઇ સરવૈયા, માજી પુરવઠા મામલતદાર કે. પી. ગુજરાતી, માજી જીલ્લા શિક્ષણાધિકારી ભાણજીભાઇ સરવૈયા, યુવા શકિત સંગઠ્ઠનના પ્રમુખ હસમુખભાઇ વાગડીયા, એડવોકેટ દિલીપભાઇ કંડોલીયા, સરવૈયા વિગેરે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 13 જાન્યુઆરી, 2016
જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો