રાજકોટ : પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે મેડિટેશન હોલ બાંધવામાં આવશે.
પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટના સ્થાપક શ્રી સુભાષ પાત્રીજીની પ્રેરણા હેઠળ બંદીજનોમાં ધ્યાન પ્રત્યે અભિરૂચિ કેળવવાના આશયથી બંધાનારા ૨૦ X ૨૦ ના આ ધ્યાન હોલ માટે પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા રૂ. અઢી લાખની રકમનો ખર્ચ કરવામાં આવશે. જેલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પ્રવૃત્તિ થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે ટી.વી.-ડી.વી.ડી.-વોટર પ્યુરીફાયર-ખુરશી-ઘોડિયું-રમકડા-ચેસ-કેરમ-વોલીબોલ-સ્ટ્રેચર-વ્હીલચેર-પંખાઓ-બેન્ચીઝ વગેરે વસ્તુઓ ભેટમાં મળેલ છે. તથા પોરબંદરની ગોઢાણિયા કોલેજ તરફથી બંદીજનોને કમ્પ્યુટર પ્રશિક્ષણ આપવા માટે પાંચ નંગ કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. અને કમ્પ્યુટર ટ્રેઇનરની સુવિધા પણ અપાશે. તદુપરાંત, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બંદીજનોના ઉત્કર્ષ માટે સહકાર આપી રહયા છે, તેમ શ્રી એચ.આર.પારગી, વહીવટી અધિકારી, જેલના ઇન્સ્પેકટર જનરલની કચેરી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો