અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

ખેલાડીઓએ શિષ્‍યવૃતિ મેળવવા અંગે

જામનગર–સને ૨૦૧૦-૨૦૧૧ દરમિયાન રાષ્‍ટ્રકક્ષાની સાંધિક તેમજ વ્‍યકિતત્‍વ રમતોમાં પ્રથમ, દ્વિતીયઅ અને તૃતિય સ્‍થાન મેળવનાર ખેલાડીઓને ૧૮૦૦ ની શિષ્‍યવૃતિ તથા શાળાકિય, શરદ-શિયાળુ રમતોત્‍સવમાં રાષ્‍ટ્રકક્ષાએ ભાગ લીધો હોયને ધનિષ્‍ડ પ્રશિક્ષણ કેમ્‍પ કરેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ.૧૨૦૦ની વૃતિકા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની કચેરી તરફથી આપવામાં આવે છે.
આવી સિધ્‍ધિ મેળવેલ ખેલાડીએ અરજી ફોર્મ જિલ્‍લા રમતગમત કચેરીએથી મેળવી આ ફોર્મ ભરી જિલ્‍લા રમતગમત કચેરી મારફત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, બ્‍લોક નં.૧૧/૭, ગાંધીનગરને તા.૩૦/૯/૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે જિલ્‍લાના રમતગમત અધિકારીશ્રીની કચેરી, દરબારગઢ, જામનગર ખાતે, ફોન નં.૨૬૭૮૨૦૯ ખાતે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: