અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

વેરાવળ તાલુકામાં આંગણવાડીના નવા ૩૬ મકાન બનશે રાજયમાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્‍ધ પગલા લઇ રહી છે મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ

વેરાવળ ખાતે વોર્ડ નં. ૫ માં સરસ્‍વતી વિદ્યાલયમાં યોજાયેલા કુપોષણ જાગૃતિ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ.ના કાર્યક્રમમાં મહીલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, રાજયમાં કુપોષણથી પીડાતા બાળકો, માતાઓ અને કિશોરીઓને કિંમતી પૌષ્‍ટીક આહાર આપવાનું અભિયાન રાજય સરકારે ઉપાડયું છે.
રાજયમાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્‍ધ પગલા લઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રી વસુબેને વધુમાં જણાવ્‍યું હતું કે, આંગણવાડીના લાભાર્થીઓને પૌષ્‍ટીક આહાર આપવા માટે રાજય સરકાર રૂા. ૧૦૦ થી વધુની કિંમતના સુખડી, બાલભોગ અને શીરો-ઉપમાના પેકેટસ આપે છે. ગરીબ વર્ગના અને જરૂરીયાતમંદ પરિવારોને આંગણવાડી સુધી લઇ જવા સમાજના લોકોને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્‍યું હતું કે, આંગણવાડી બહેનો નબળા વર્ગના બાળકોને સાચવી તેમને પૌષ્‍ટીક આહાર આપી રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ સેવાકાર્ય કરી માતા યશોદાનું કામ કરે છે. આંગણવાડી વર્કર તરીકે સારામાં સારૂ કાર્ય કરનાર બહેનોને રાજય સરકાર યશોદા એવોર્ડ પણ આપે છે, તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે વેરાવળના ધારાસભ્‍યશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્‍યું હતું કે, વેરાવળ તાલુકામાં ૩૬ સ્‍થળોએ આંગણવાડીના નવા મકાનો બનતા ભૂલકા માટેની સુવિધા વધશે. રાજય સરકાર કુપોષણ માટે જાગૃતિ દાખવી છેવાડાના લાભાર્થીઓને લાભ મળે તે માટે અભિયાન ચલાવે છે, તેમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે વેરાવળના ડેપ્‍યુટી કલેકટરશ્રી વસાવાએ સ્‍વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી ધ્‍વારા વેરાવળના પછાત વિસ્‍તારમાં રૂા. ૫.૬૦ લાખના ખર્ચે બે આંગણવાડી મકાનનું ખાતમુહુર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં નવી નિમણુંક પામેલ ૧૯ આંગણવાડી વર્કર અને ૨૧ હેલ્‍પર બહેનોને મંત્રીશ્રીના હસ્‍તે નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્મમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન, મોહનભાઇ દક્ષિણી, ચીફ ઓફીસરશ્રી વ્‍યાસ, પોગ્રામ ઓફીસરશ્રી ભાવનાબેન જીડીયા, સી.ડી.પી.ઓ. શ્રી હર્ષાબેન શીયાત વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી વાળાએ કર્યુ હતું.

ટિપ્પણીઓ નથી: