અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ :જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્‍નોનાં નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨.૦૬.૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ વાગે મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે યોજવામાં આવશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્‍નો તા. ૧૫-૦૬-૧૦ સુધીમાં મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે મળી જાય તે રીતે બે નકલમાં ‘‘તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ’’ના મથાળા હેઠળ મોકલવાના રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં, તેમ મામલતદારશ્રી- જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે

ટિપ્પણીઓ નથી: