અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

ગ્રાન્‍ટ વિનાની નવી ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓ શરૂ કરવા અંગે આચાર્યશ્રીઓ જોગ.

આથી જિલ્‍લાની નોંધાયેલી માધ્‍યમિક ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, જુન-૨૦૧૧ નાં શૈક્ષણિક સત્રથી ગ્રાન્‍ટ વિનાની નવી ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓ (સામાન્‍ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) શરૂ કરવા સંચાલક મંડળો તરફથી મળેલી અરજીઓ પર નિર્ણય લેવાની પ્રક્રિયા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. બોર્ડે નક્કી કરેલાં નોર્મ્‍સ (ધોરણો) અનુસાર ચકાસણી કરીને કારોબારી સમિતિએ મંજુર કરેલી દરખાસ્‍તની યાદી બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવી છે. દરમ્‍યાનમાં બોર્ડે લીધેલા નિર્ણય અનુસાર જે ગ્રાન્‍ટ-ઇન-એઇડ અથવા સ્‍વનિર્ભર માધ્‍યમિક શાળાઓ ધોરણ-૧૧ (સ્‍વનિર્ભર) શરૂ કરવા માંગતી હોય તેઓ ધોરણ-૧૧ ના ક્રમિક વર્ગ વધારા માટે બોર્ડની વેબસાઇટ પર આ અર્થે ખુલ્‍લી મુકવામાં આવેલી " On Line " અરજીના માધ્‍યમથી રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્‍ડ ડ્રાફટ તેમજ જરૂરી દસ્‍તાવેજો સાથે અરજી કરી શકાશે.
આથી જે નવી ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓની નોંધણી માટેની અરજીઓ નામંજુર થઇ છે તેઓ આવા ક્રમિક વધારા માટે હાલમાં ખુલ્‍લી " On Line " અરજીની પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી કરી શકે છે જે માધ્‍યમિક/ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓએ ચાલુ ધોરણનાં વધારાનાં વર્ગો અથવા ક્રમિક વર્ગ (ધો. ૧૦,૧૧,૧૨) માટે ઓનલાઇન અરજી કરેલ છે અને જેમણે ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્‍ડડ્રાફટ અને આ અર્થે નિયત કરેલું સોગંદનામું કરેલ છે તે શાળા વર્ગ શરૂ કરી શકશે અને પ્રવેશ કાર્ય શરૂ કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્‍લી તા. ૧૫/૬/૨૦૧૧ છે આ અંગેની વધુ માહિતી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મળી શકશે. તેમ જીલ્‍લા શિક્ષણાધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે

ટિપ્પણીઓ નથી: