અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્‍છતા ઉમેદવારો જોગ

અમરેલી-અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: