અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

અનુસુચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિર

જામનગર-ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં અનુસુચિત જાતિના યુવક-યુવતિઓના સંવાર્ગી વિકાસ માટે રાજય સરકારે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન થયું છે. જેમાં પ્રત્‍યેક જિલ્‍લામાંથી પસંદગી પામેલ ૫૦ યુવક-યુવતિઓ માટે નિયત કરેલ સ્‍થળે સાત દિવસ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે. આ શિબિરમાં શિબિરાર્થીને આવવા-જવાનો ખર્ચ, નિવાસ અને ભોજન ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. શિબિરમાં જોડાવા ઇચ્‍છુકે જે તે જિલ્‍લાના રમતગમત અધિકારીશ્રીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: