રાજયમાં અંદાજે ૪૦ ટકા બાળકોનો લોહતત્વની ઉણપથી શારીરિક- માનસિક વિકાસ રૂંઘાય છે, આ ઉણપ દૂર કરવા રાજય સરકારે આંગણવાડીના ભુલકાઓ, ગરીબ બાળકો, કિશોરી- કન્યાઓ અને સગર્ભા માતાઓના પોષણ માટે નવતર યોજનાઓ અમલમાં મુકી છે. તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે કલોલ શહેરમાં આઇસીડીએસ તથા નગરપાલિકાના સહયોગથી યોજાયેલા વાનગી નિદર્શન-વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું શ્રીમતી આનંદીબેન પટેલે કહયું હતું કે, વાલીઓ, માતાઓ અને સમાજ જાગૃત હશે તો બાળકમાં વ્યાયામ અને પોષણક્ષમ આહારના સંસ્કાર આપોઆપ ઉજાગર થશે. તેમણે કહયું હતું કે રાજય સરકાર દ્રારા રાજયની ૫૦,૦૦૦ આંગણવાડીઓમાં ૪૫ લાખ લાભાર્થીઓને પોષણક્ષમ આહારની વિવિધ વાનગીઓ બનાવી પીરસવામાં આવે છે. તેનો સગર્ભા માતાઓ, કિશોરીઓ, ઘાત્રીઓ તથા બાળકો લાભ લઇ રહયા છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે રાજયની તમામ આંગણવાડીઓમાં સુવિઘા ઉપલબ્ઘ કરવામાં આવી છે. રાજય સરકારની સાથે સાથે જનસમાજની ભાગીદારી સમજાવતા જણાવ્યું હતું કે, પોષણથી બાળકોને મુકત કરવાના સંકલ્પમાં સમાજમાં /માતાઓનો સાથ મળે તો રાજયના બાળકો શારીરિક સ્વાસ્થ્ય અને શિક્ષણ બનેમાં નવો રાહ ચિંઘશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે કહયું હતું કે, પોષણયુકત આહારના પ્રિમિકસ પેકેટ તૈયાર કરવામાં આવે છે. જેમાં નવ પ્રકારના પોષણ તત્વોનું મિશ્રણ હોય છે. આ પ્રિમિકસ પેકેટમાંથી વિવિઘ પ્રકારની ૭૨થી વઘુ વાનગીઓ બનાવી લાભાર્થીઓને આપવામાં આવે છે.
કલોલ નગરની કુલ-૧૩ આંગણવાડીમાં પ્રિમિકસ – વાનગીઓનું નિદર્શન-વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુમન બાલ મંદિર-આંગણવાડી તથા તુરેમહંમદી હોસ્પિટલ ખાતે યોજાયેલ ૬૦ પ્રકારની વિવિઘ પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન તથા વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એમ.એ.ગાંઘી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી શકુતલાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી એ.કે.પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ પટેલ, પ્રાંત અઘિકારી શ્રી હિમાંશુભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ સહિત નગરના અગ્રણીઓ નગરજનો અને બાળકો ઉપસ્થિત રહયાં હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો