ગુજરાત ૧૨૫ શતક રક્તદાતા હોવાનું ગૌરવ લઇ શકે છે. ગૌરવવંતા રકતદાતાઓમાં દરેક વર્ગના વ્યકિતઓ છે. જેમાં ૯૦ વર્ષીય ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ બી.જે.દિવાન, સ્વામી આધ્યાત્માનંદ, ગૃહિણી કેતકીબેન શાહ, ટર્મેલોજીસ્ટ ડૉ.જયેન્દ્ર દવે, વિકલાંગ સ્વ.નિકુંજ સોની, રીક્ષા ડ્રાઇવર રોહિત ઉપાધ્યાય, પાનનો ગલ્લો ચલાવતા કીરીટ પટેલ, પ્રાો. ચૈતન્ય સંધવી, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશ પટેલ, સેક્રેટરી મહેશભાઇ ત્રિવેદી, વિકલાંગ ભરત ગોંડેલિયા, રાજેન્દ્ર ફડિયા તેમજ હાલના ૨૫ વર્ષના પરંતુ અઢાર વર્ષની ઉંમરથી યુવા ધવલ શાહે સતત ૨૭ વખત રકતદાન કરી સૌથી યુવા રક્તદાતા તરીકે સિધ્ધિ નોંધાવી છે. નડિયાદના સામાજિક કાર્યકર શ્રી ગિરીશ પટેલ અને રૂપેશ પટેલે રક્તદાતા છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળા કુવા ગામમાં ૧૯૮૫થી દિવાળીના તહેવારમાં નિયમિત રીતે રક્તદાન શિબિર યોજાય છે. ૩૦૦ ધર ધરાવતા આ ગામમાં પ્રત્યેક કુટુંબમાં એ વ્યકિત રકતદાતા છે. જેમાં કુલ ૧૦૭ મહિલાઓ રક્તદાતા છે. ગામની વસ્તી બે હજાર જેટલી છે જેમાં આદર્શ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય છે.
૧૨૫ વાર રકતદાન કરનાર બિઝનેશમેન હરીશ પટેલ અમદાવાદના શ્રી સત્યસાંઇ સંગઠન દ્વારા ૧૯૮૫થી થેલેસેમીયા રોગના બાળકો માટે દર રવિવારે રકતદાન શિબિર યોજાય છે. દર રવિવારે ૧૧૧૮ શિબિરો દ્વારા ૪૫,૧૬૭ યુનિટ રક્ત એકત્ર કરવા બદલ ગયા વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં નોંધ લેવાઇ છે.
સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયને ગુજરાતમાં ૩૬૫ દિવસમાં અવિરત ૫૫૫ કરતદાન શિબિરો યોજી કુલ ૪૪,૪૪૪ રકત યુનિટ એકત્રિત કર્યું હતું. જેની નોંધી લિમ્કા બુક ઓફ રેકર્ડઝમાં થઇ છે.
સુરત ડાયમન્ડ એસોસીએશનના માત્ર એક જ દિવસના રક્તદાન શિબિરમાં ૨૦,૦૨૨ રક્તદાતાઓએ રક્તદાન કર્યાનો રેકોર્ડ છે.
ભાટ ગામના વતની રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું સંયુકત કુટુંબ છેલ્લા ૨૫ વર્ષથી રકતદાન કરી રહ્યું છે. સત્યસાંઇ સંગઠન સંસ્થા, અમદાવાદના કન્વીનર રમેશભાઇ પટેલના પરિવાર ૮૨૮ વાર રકતદાન કરવાનો અનોખો વક્રિમ ધરાવે છે. ગુજરાતનું આ મલ્ટિપલ સેન્ચુરિયન બ્લડ ડોનર કુટુંબ આંબાવાડીમાં રહે છે. જેના ત્રણ સભ્યો શતક રક્તદાતા થવામાં છે.
અમદાવાદ રેડક્રોસ બ્લડ પ્રોગ્રામમાં થેલેસીમિયા-કેર મિશન કેર, અવેરનેસ એન્ડ પિ્રવેન્સના કાર્યમાં થેલેસેમિયાના દોઢ લાખ દર્દીઓના લોહી અને કોમ્પોનન્ટની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષે ૮૮,૦૦૦ યુનિટ રક્ત એકત્રિ કર્યું છે.
ગુજરાત રેડક્રોસે થેલેસીમિયા અને સિકલ સેલ એનીમિયાને અટકાવવા માટે દસ લાખ સ્ક્રિનીંગ ટેસ્ટ કર્યા છે.
બ્લડ ગૃપના શોધક કાર્લલેન્ટ ટેનરના જન્મદિનને ઇ.સ.૨૦૦૦થી વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૫૩માં કાર્લ લેન્ટે એ, બી, ઓ. બ્લડગૃપની શોધ કરી હતી તેમજ નેગેટીવ અને પોઝીટીવ બ્લડગૃપની શોધ પણ તેમણે કરી હતી.
ગુજરાત પાસે એવી મજબૂત બ્લડ કલેકશન ટયુબ છે જે ૪૩૦૦૦ કિ.મી. લાંબી છે જે પૂરા વિશ્વની ૪૪,૦૭૫ કિ.મી.નું વિશ્વ પરિભ્રમણ કરી શકે છે.
૧૬૮ વાર રક્તદાન કરનારા ૫ રક્તદાતા અને અન્ય ૧૦૦ વાર રકતદાન કરનારા ૧૨૫ શતક રક્તદાતાઓનું ગુજરાત ગૌરવના પચાસ વર્ષ રકતદાન ક્ષેત્રે કાર્યક્રમમાં "શેરદિલ ગુજરાત' એવોર્ડથી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સન્માન કરવામાં આવશે.
પ્રસુતા થેલેસીમીયાના દર્દી, બ્લડ કેન્સર અને રોડ અકસ્માતમાં રકતદાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. રકતદાન જીવનદાન છે. આ વાકત આ રકતગ્રાહી વ્યકિતઓ દ્વારા સાબિત થાય છે.
(માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો