અનુયાયીઓ

મંગળવાર, 14 જૂન, 2011

१.પોલિટેકનિકમાં વિનામૂલ્યે સ્વરોજગારીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા..२.ગામડામાં વિનામૂલ્યે ટૂંકાગાળાના કોર્સ સેન્ટર શરૂ કરવા અરજી મંગાવાઇ

સરકારી પોલિટેકનિક, આંબાવાડી ખાતે વિના મૂલ્યે સ્વરોજગારીના વિવિધ અભ્યાસક્રમો શરૂ થનાર છે. આ માટે ઉમેદવારો પાસેથી તા.૧૫-૬-૨૦૧૧થી ૧૭-૬-૨૦૧૧ સુધીમાં અરજીઓ મંગાવાઇ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાના ઇલેકટ્રીશીયન, મોટર રીવાઇન્ડીંગ, ટી.વી. ટેકનીશીયન, એમ.એસ.ઓફિસ (કોમ્પ્યુટર), કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ, રેફ્રીજરેશન એન્ડ એ.સી.મિકેનિકમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ ઉપરોકત તારીખોમાં સવારે ૧૨થી ૨ દરમિયાન વિનામૂલ્યે પ્રવેશ ફાર્મ મેળવી જમા કરાવવાનું રહેશે. જરૂરી શૈક્ષણિક લાયકાત ધો-૮ પાસ / નાપાસ છે. ઉમેદવારે લીવીંગ સર્ટીફિકેટ / છેલ્લી માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે એમ સંસ્થાના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે. આઇ.ટી.આઇ. તેમજ ઉપરોકત કોર્સ કરેલ ઉમેદવારોએ સી.ડી.ટી.પી.ની ઓફિસમાં રૂબરૂ મળવું.



માનવ સંશાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાની રોજગારી માટેના કોર્સ શરૂ કરવા માંગતા ગામડાના રજિસ્ટર ટ્રસ્ટ, સ્કુલ તેમજ સેવાભાવી સંસ્થાઓ પાસેથી સી.ડી.ટી.પી. દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય જરૂરી લાયકાત તેમજ માળખુ હશે તો કોર્સ સેન્ટર ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે ૦૭૯-૨૬૩૦૧૨૮૫ પર સંપર્ક કરવા સરકારી પોલીટેકનીકના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે.

ટિપ્પણીઓ નથી: