આણંદ
સમગ્ર રાજયમાં તા.૧૪/૦૫/૨૦૧૩ થી કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત કૃષિરથ ગામેગામ ફરી રહયો છે કૃષિ મહોત્સવ દરમિયાન આણંદ જિલ્લામાં પશુ આરોગ્ય મેળા યોજવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તા. ૧૪/૦૫/૨૦૧૩ થી શરૂ થયેલ પશુ આરોગ્ય મેળામાં તા. ૨૦/૦૫/૨૦૧૩ સુધીમાં ખંભાત તાલુકાના ગામોમાં ૭ પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૯ ગામડા આવરી લેવામાં આવેલ છે. આ ૭ પશુ આરોગ્ય મેળા દરમિયાન ૨૭૩ પશુઓને મેડીકલ સારવાર આપવામાં આવી, ૭ પશુઓની શસ્ત્રક્રિયા કરવામાં આવી, ૭૨૮ પશુઓને જાતિય આરોગ્ય ચકાસવામાં આવ્યું, ૭૫૭ પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી, ૧૨૦ પશુઓને કૃત્રિમ બીજદાન અને ૧૫ પશુઓને ખસીકરણ કરવામાં આવ્યું. આમ, કુલ ૧૭૬૫ પશુઓની સારવાર કરવામાં આવી છે. આ પશુઆરોગ્ય મેળા દરમિયાન ૪૧૯૨ પશુઓને એચ.એસ રસીકરણ આપવામાં આવી છે. જેમાં ૬૭ સ્ત્રી અને ૬૫૩ પુરૂષ મળી કુલ - ૭૨૦ પશુપાલક લાભાર્થીઓએ પોતાના પશુઓ સાથે ભાગ લીધો હતો. પશુ આરોગ્ય મેળામાં ૭૫૩ ગાય, ૯૦૦ ભેંસ, ૭ ધેંટા, ૧૦૫ બકરાં મળી કુલ ૧૭૬૫ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ૭ પશુપાલન પ્રદર્શન પણ કૃષિ મહોત્સવ દરમિયાન ગામો ખાતે યોજવામાં આવ્યા હોવાનું પશુ ચિકિત્સા અધિકારી - ખંભાત દ્વારા જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો