સૂરતઃ રાજય સરકાર દ્વારા તુરી બારોટ કલાકારોની સંસ્થા/મંડળીને જૂના નાટકો કરવા માટે આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજયમાં રહેતા તુરી બારોટ કલાકારોની ઓછામાં ઓછી પાંચ વર્ષથી કાર્યરત સંસ્થા/મંડળીને જૂના નાટકો કરવા માટે રૂા.૨૫ હજારની આર્થિક સહાય તથા વધુમાં વધુ પાંચ શો દીઠ રૂા.૧૫ હજાર મળી કુલ રૂા. એક લાખની સહાય આપવામાં આવશે. નાટકમાં કામ કરતા કલાકારો તુરી-બારોટ સમાજના હોવા જરૂરી છે. તેમજ નાટક અથવા જુના વેશ-પરંપરાગત હોવા આવશ્યક છે. આ યોજનામાં રસ ધરાવતી સંસ્થા/મંડળીઓ પાસેથી તા.૧૦/૬/૧૩ સુધીમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્લોક નં.૯/૧લો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મેળવી તા.૨૦/૬/૨૦૧૩ સુધીમાં આ સરનામે મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ વિગતો માટે ફોન નં.૦૭૯-૨૩૨ ૫૧૬૯૩ પર અકાદમીનો સંપર્ક સાધવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો