અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

જૂની રંગભૂમિના નાટકોના પુનઃનિર્માણ માટે દિગ્દર્શકોને બે લાખની આર્થિક સહાય આપવામાં આવશે

     

નડિયાદ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા જૂની રંગભૂમિના નાટકોના પુનઃનિર્માણ માટે આર્થિક સહાયની યોજના હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪માં સહાય આપવાની છે. જે દિગ્દર્શકોએ ઓછામાં ઓછા પાંચ ફુલલેન્થ નાટકોનું દિગ્દર્શન કર્યુ હોય તેવા પાત્રતા ધરાવતા દિગ્દર્શકો પાસેથી નિયત નમુનાના અરજીપત્રકમાં અરજી મંગાવવામાં આવે છે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે નાટય દિગ્દર્શકો કે જેમણે ઓછામાં ઓછા પાંચ ફુલલેન્થ નાટકનું દિગ્દર્શન કર્યુ હોય તેવા દિગ્દર્શકો સહાય મેળવવા માટે પાત્ર ઠરશે. સહાય પેટે પ્રત્યેક દિગ્દર્શકને રૂ.૨,૦૦,૦૦૦(બે લાખ)ની સહાય ચુકવવામાં આવશે. દિગ્દર્શકે તેમના મંજૂર થયેલ નાટકના જુદા જુદા દસ સ્થળે શો કરવાના રહેશે. નિયત નમુનાનું ફોર્મ અકાદમીની કચેરીએથી મેળવી યોગ્ય રીતે ભરી, સાધનિક કાગળો સહ તા.૧૫/૦૬/૨૦૧૩ સુધીમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્લોક નં.૯/૧ લો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને પહોચાડવાનું રહેશે. નિયત અરજી પત્રક અકાદમીની વેબસાઇટ www.sycd.in/yscac/san-forms પરથી પણ મળી શકશે. વધુ વિગત માટે અકાદમીનો સંપર્ક(૦૭૯-૨૩૨૫૧૬૯૩, ૨૩૨૫૪૫૫૨) કરવો. એમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.


નડિયાદ જિલ્લા ખાતે વ્યાજબી ભાવની નવી 30 દુકાનો શરૂ કરાશે પુરવઠા અધિકારી

નડિયાદ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળીનડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોને પૂરક પુરવઠાની જરૂર જણાય ત્યાં પૂરક પુરવઠો આપવા, અનાજ અને કેરોસીન વિતરણ વખતે તોલમાપની ચકાસણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પલસાણાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ૩૦ એકમો શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૩૦ એકમોમાં ૧૫ એકમો નવા શરૂ કરવાનાં છે જ્યારે બીજા ૧૫ એકમો બંધ થઈ ગયા હતાં તેને ફરી શરૂ કરવામાં આવશે.

નવા બારકોડ રેશનકાર્ડ વિશેની માહિતી આપતા શ્રી પલસાણાએ જણાવ્યું કે, નવા રેશનકાર્ડ બનાવતી વખતે જો કોઈ ભૂલ જણાય તો નાગરિક તરત જ ભૂલ સુધારી આપવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદિપકુમાર સાંગલે, પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ, અધિક જિલ્લા કલેકટરશ્રી એસ.કે.લાંગા, ધારાસભ્ય સર્વશ્રી રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ તથા પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

ટિપ્પણીઓ નથી: