અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

કડાણા જળાશયના ઉપરવાસ અને નીચવાસના ગામ લોકો જોગ સુચના

ચાલુ વર્ષે ૨૦૧૩ની સિંચાઇ માટે કડાણા જળાશયમાં પાણી ભરવાનું હોવાથી ચોમાસાની ઋતુ શરૂ થતાં કડાણા જળાશયમાં પાણીનો સંગ્રહ તેની પૂર્ણ જળાશય એટલેકે ૧૨૭.૭૦ મીટર સુધી કરવામાં આવશે. તેની જાહેર જનતાએ નોંધ લેવી.

ઉપરોકત પરિસ્‍થિતિ ધ્‍યાનમાં લઇ બંધના ઉપરવાસમાં જળાશય વિસ્‍તારમાં ખેતી તેમજ અન્‍ય પ્રવૃત્‍તિ કરવી નહી તેમજ ઢોર, ઢાંખરને આ વિસ્‍તારથી દૂર રાખવા. કડાણા જળાશયમાં પાછલા ઠેલાથી અસર પામતા વિસ્‍તારમાં વસેલા લોકોને પણ સલામત સ્‍થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. તેજ રીતે બંધની ઉપરવાસમાં ચોમાસા દરમ્‍યાન વધુ વરસાદને કારણે જળાશયમાં પૂર આવવાના સંજોગો ઉપસ્‍થિત થાય તેવા સમયે બંધના દરવાજા ખોલીને નદીમાં પાણી જરૂરીયાત અનુસાર બંધની નીચવાસમાં છોડવામાં આવશે. જેથી નદીના કિનારે નીચવાસના વિસ્‍તારના રહેવાસીઓને ધોબીકામ, ખેતી તેમજ નદીના પટમાં કોઇપણ જાતની બીજી પ્રવૃત્તિ ન કરવા તમામ લાગતા વળગતા સૌને નોંધ લેવા કાર્યપાલક ઇજનેરશ્રી જે.સી.ચૌધરી કડાણા વિભાગ નં.-૧, દિવડા કોલોનીની એક યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: