અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

ગાદીકયારાથી અને ડ્રીપથી ધરૂ ઉછેર કરી ફેર રોપણી કરતાં ૧ વીધામાં ૬૦ મણ તમાકુંનું ઉત્પાદન મેળવે છે- આણંદ તાલુકાના ગામ-કુંજરાવના દિપેનકુમાર શાહ


વાત છે કુંજરાવના દિપેનકુમાર શાહની, ઉંમર- ૩૭ વર્ષ, અભ્યાસ - બી.કોમ, વ્યવસાય - ખેતી છે. તેઓ જણાવે છે કે હું ૬૦ વિધા જમીન ધરાવું છું. અમારા ગામના ૩૦ સભ્યો આત્મા પ્રોજેકટમાં જોડાયેલા છે અને તેમાં હું ગૃપ લીડર છું અને ફાર્મસ કલબનો પ્રમુખ પણ છું. અમે આત્મા પ્રોજેકટની ઓફિસમાં અવાર નવાર સંપર્કમાં રહીને ખેતી અંગે નવી નવી ટેકનોલોજી જાણકારી મેળવીએ છીએ. અમે બેંગલોર ખાતે એકપોઝલ વિઝીટ પણ કરેલ છે. હું જૂની પરંપરાગત પધ્ધતિથી સપાટ કયારાથી તમાકુ ધરૂવાડીયું કરતો હતો. પરંતું જયારથી હું આત્મા પ્રોજકેટમાં જોડાયેલ છું ત્યારથી વારંવાર આત્મા કચેરીના સતત સંપર્કમાં રહેતા તમાકુમાં ગાદીકયારાથી ધરૂવાડીયું કરવાની પ્રેરણા મળી ત્યારથી હું દર વર્ષે તમાકુંનું ધરૂવાડીયુ ગાદી કયારાથી ધરૂવાડીયું કરૂં છું. મારો અનુભવ કહે છે કે તમાકુંમાં ગાદીકયારાથી ધરૂ કરવાથી ૭૫ ટકા થી વધુ તમાકુના તંદુરસ્ત છોડ મળે છે. કારણ કે ગાદીકયારા કરવાથી પાણીનો ભરાવો રહેતો નથી અને માટીનું ધોવાણ થતું અટકે છે. જેથી તમાકુના છોડમાં કોહવારો લાગતો નથી અને જરમીનેશન વધુ થાય છે. મજુરીનો ખર્ચ ધટે છે. ઉત્પાદનમાં પણ સારો ફાયદો થાય છે. ૨૦ ગુંઠાના ધરૂવાડીયામાં ગાદીકયારાથી ધરૂ ઉછેરતા એક લાખ રૂપિયાથી વધુ તમાકનું ધરૂ ઉછેર કરીને વેચાણ કર્યુ. ૬૦ વિધા જમીનમાં તમાકુની રોપણી કર્યા બાદ પણ એક લાખ રૂપિયાનું ધરૂ આજુબાજુના ગામ વિસ્તારના ખેડૂતોને ધરૂનું વેચાણ કરેલ છે. આઇ.બી.એન.એમ. વિશે જાણકારી મેળવી તેનો ઉપયોગ ડ્રિપ સાથે તમાકુમાં કરવાથી તમાકુનો ટેસ્ટ દમદાર મળે છે. કોકડવાની અસર નહિવત જોવા મળે છે અને ઉત્પાદન સારૂં મળે છે. તમાકુનું ધરૂ તૈયાર થયા બાદ અમે ફેરરોપણી પણ ગાદીકયારા પધ્ધતિથી રોપણી કરેલ જેથી જયારે પણ માવઠું થાય કે કમોસમી વરસાદ આવે ત્યારે તમાકુમાં પાણીનો ભરાવો થતો નથી. અને બે પાળા વચ્ચે અંતર વધુ રહેતા ખાતર પુખવામાં અનુકુળતા રહે છે તથા પીલા કાઢવામાં / ખાખરી વીણવામાં નિદામણ કરવામાં અનુકુળતા રહે છે. પહેલા કે ફલડ ઇરીગેશનથી તમાકું પકવતો હતો ત્યારે ૧ વિધામાં ૨૫-૩૫ મણ ઉત્પાદન મળતુ નથી. પરંતું ગાદીકયારાથી અને ડ્રીપથી ઉછેર કરી ગાદીકયારા પધ્ધતિ મુજબ ફેર રોપણી કરતા ૫૫ થી ૬૦ મણ તમાકુનું ઉત્પાદન મેળવેલ છે. આમ પરંપરાગત પધ્ધતિથી વાવેતર કરવાથી જનરલ ખેડૂતોનું ઉત્પાદન ૨૫-૩૫ મણ મળે છે. જેની જગ્યાએ ડ્રીપ અને ગાદીકયારા તમાકુનું ઉત્પાદન ૫૫ થી ૬૦ મણ મળેલ છે. બીજું મે એક નવીન રીત જાતે પ્રયોય કરેલ છે. તમાકુમાં ખુટણી કરવાની જગ્યાએ રફુ સુતરી ખુટણીની જગ્યાએ બાંધી આ સુતરી બાંધવાથી ઓકસીન નામનું તત્વ જે પીલા બનાવવા માટેનું કારણ છે તે ઉપર જમા થઇ જાય છે. જેથી પીલા ઓછા થાય છે. જેના લીધે તમાકુનું ઉત્પાદન વધે છે. ખેતી ખર્ચ ધટે છે. હાલ આણંદ કૃષિ.યુનિ.ના બી.ટી.આર.એસ. વિભાગમાં પણ વૈજ્ઞાનિકોના સહકારથી અખતરા ચાલું છે.   

ટિપ્પણીઓ નથી: