સુરેન્દ્રટનગરની નગરપાલિકાઓની પેટા ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠક
સુરેન્દ્રરનગર,
સુરેન્દ્રાનગર જિલ્લામાં આગામી તા. ૧૦ મી જુલાઈના રોજ યોજાનારી સુરેન્દ્રરનગર અને થાનગઢ નગરપાલિકાની એક – એક બેઠક માટેની પેટા ચૂંટણી અન્વયે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રી કે. સી. કપૂરે આજરોજ સબંધિત નગરપાલિકા વિસ્તાયરના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માહિતી મેળવી, આગામી દિવસોમાં યોજાનાર સ્થાવનિક સ્વ્રાજ્યની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ સુધારાઓ તેમજ વિચારણા હેઠળના સુધારાઓ બાબતે વિસ્તૃાત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.
કમિશ્નરશ્રી કે. સી. કપૂરે જણાવ્યુંબ હતુ કે, ચૂંટણીઓ મુક્ત – ન્યાયી વાતાવરણમાં અને પારદર્શક રીતે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાેનિક સ્વંરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. જે અન્વયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડના નકશાઓના ડીઝીટલાઈઝેશન કરવાની કામગીરી થઈ રહી છે. જે પૂર્ણ થતાં લોકો ઘરે બેઠાં – બેઠાં ઈન્ટઓરનેટના માધ્યમથી ચૂંટણી સબંધી પોતાના વોર્ડની જાણકારી મેળવી શકશે. ઉપરાંત ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની તમામ વિગતો તથા એફિડેવિટ સહિતની માહિતી પણ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. જેથી લોકો પોતાના ઉમેદવારને ઓળખી શકે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની એફિડેવિટમાં દર્શાવેલી વિગતો જો ખોટી હશે તો તેવા કિસ્સામાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જરૂરી કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવશે.
કમિશ્નરશ્રી કપૂરે વધુમાં જણાવ્યુંો હતુ કે, આગામી દિવસોમાં યોજાનાર સ્થાનનિક સ્વરરાજ્યની ચૂંટણીઓ અન્વયે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જે મતદાર ઈ-વોટીંગ દ્વારા મતદાન કરવા માંગતા હોય તેવા ઈન્ટયરનેટનું જોડાણ અને પોતાના નામે મોબાઈલ ફોનનું જોડાણ ધરાવતા મતદારો ઈ – વોટીંગ કરી શકે તે તેમજ ગામમાં ઈ-બુથ ઉભુ કરવાની બાબત ઉપરાંત અત્યાર સુધી જિલ્લા – તાલુકા – ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેની જેમ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાનરોની ચૂંટણીઓમાં પણ મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલે તે બાબત પણ વિચારણા હેઠળ છે.
આગામી મહિનાઓમાં જિલ્લાઓમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં ચૂંટણી કમિશ્નરશ્રીએ જણાવ્યું હતુ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી જે પહેલા જિલ્લા કક્ષાએથી થતી હતી તે હવે પછી પ્રાંત કક્ષાએથી કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ હજાર સુધીની વસતી ધરાવતી નગરપાલિકાની ચૂંટણીઓની કામગીરી પણ પ્રાંતને સોંપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, સ્થાંનિક સ્વતરાજ્યની ચૂંટણીઓમાં જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે, તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવામાં આવશે.
આ બેઠકમાં નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી કે. એલ. પરમારે મતદાનના દિવસે જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવા તથા ઓળખપત્ર જે લોકોને હજુ ઈસ્યુ નથી થયા તેવા કિસ્સા માં અન્ય વૈકલ્પિદક પુરાવાઓ ધ્યાને લઈ પૂરતી ચકાસણી બાદ તેમને મત આપવા દેવા જણાવ્યુંથ હતુ. તેમણે આ તકે ફોટા સાથેની મતદાર ઓળખ યાદીની કામગીરી બાબતે ચર્ચા કરી આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કરી મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનો તથા ચૂંટણી ફરજ પરના કર્મચારી – અધિકારીશ્રીઓ ઉપરાંત ચૂંટણી અન્વયે હાથ ધરવાની થતી અન્ય ફરજો સહિતની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃગત માર્ગદર્શન આપ્યું હતુ.
સુરેન્દ્રનનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમે જિલ્લામાં નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની યોજાનાર પેટા ચૂંટણી અંગેની માહિતી આપી, જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા ફોટા સાથેના ઓળખપત્ર તથા ફોટા સાથેની મતદાર યાદી અન્વયે થયેલ કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં મદદનીશ ચૂંટણી કમિશ્નર શ્રીમતી કે. જે. દવે, અધિક કલેકટરશ્રી મુકેશ મેઘા, ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી પટેલ, વઢવાણના મામલતદારશ્રી રાઠોડ અન્ય અધિકારીશ્રીઓ તથા શ્રી શાન જ્યપુરી, શ્રી છનાલાલ બજાવાણિયા, શ્રી રાજેન્દ્રભાઈ દવે, શ્રી લક્ષ્મરણભાઈ પરમાર, શ્રી દેવકરણ, શ્રી જ્યોતિબા સહિતના વિવિધ પક્ષોના આગેવાનો ઉપસ્થિ,ત રહયાં હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો