અનુયાયીઓ

ગુરુવાર, 30 જૂન, 2011

ગ્રામ્ય વિસ્તારમાં પોતાને ઘરે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને અપાતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો

ગાંધીનગર,બુધવારઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય, જીવનશૈલીમાં સુધારો કરવાના આશયથી તેમજ ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય તે હેતુસર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનો અમલ ગ્રામ પંચાયતોમાં થઇ રહેલ છે. આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે આશયથી ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે રૂા. ૧,૦૦૦/-નો વધારો કરવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી: