ગાંધીનગર,બુધવારઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય, જીવનશૈલીમાં સુધારો કરવાના આશયથી તેમજ ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય તે હેતુસર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનો અમલ ગ્રામ પંચાયતોમાં થઇ રહેલ છે. આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે આશયથી ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે રૂા. ૧,૦૦૦/-નો વધારો કરવામાં આવેલ છે.
તા. ૧-૬-૨૦૧૧થી અમલમાં આવે તે રીતે ગરીબી રેખા હેઠળના કુટુંબોને વ્યકિતગત શૌચાલય માટે આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ રૂા. ૨,૨૦૦/-માં વધારો કરી રૂા. ૩,૨૦૦/- કરવામાં આવેલ છે. મુશ્કેલ અને ડુંગરાળ વિસ્તારોમાં આ પ્રોત્સાહક સહાય રૂા. ૨,૭૦૦/-થી વધારીને રૂા. ૩,૭૦૦/- કરવામાં આવેલ છે. આ રકમમાં ફાળો ઓછામાં ઓછો રૂા. ૩૦૦/- રહેશે. આ પ્રોત્સાહક સહાયની રકમ ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત / ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ગ્રામ વિકાસ કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો