અનુયાયીઓ

ગુરુવાર, 30 જૂન, 2011

ગ્રામ્ય વિસ્તારમાં પોતાને ઘરે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને અપાતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો

ગાંધીનગર,બુધવારઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય, જીવનશૈલીમાં સુધારો કરવાના આશયથી તેમજ ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય તે હેતુસર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનો અમલ ગ્રામ પંચાયતોમાં થઇ રહેલ છે. આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે આશયથી ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે રૂા. ૧,૦૦૦/-નો વધારો કરવામાં આવેલ છે.
તા. ૧-૬-૨૦૧૧થી અમલમાં આવે તે રીતે ગરીબી રેખા હેઠળના કુટુંબોને વ્યકિતગત શૌચાલય માટે આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ રૂા. ૨,૨૦૦/-માં વધારો કરી રૂા. ૩,૨૦૦/- કરવામાં આવેલ છે. મુશ્કેલ અને ડુંગરાળ વિસ્તારોમાં આ પ્રોત્સાહક સહાય રૂા. ૨,૭૦૦/-થી વધારીને રૂા. ૩,૭૦૦/- કરવામાં આવેલ છે. આ રકમમાં ફાળો ઓછામાં ઓછો રૂા. ૩૦૦/- રહેશે. આ પ્રોત્સાહક સહાયની રકમ ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત / ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ગ્રામ વિકાસ કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: