મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તથા સંસદીય સચિવશ્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારી તરીકે નવેસરથી ફાળવણી કરી છે જે આ પ્રમાણે છેઃ-
તદ્દઅનુસાર, મંત્રીશ્રી વજૂભાઇ વાળા-સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓના પ્રભારી મંત્રીશ્રી, નરોત્તમભાઇ પટેલ-વલસાડ અને તાપી જિલ્લાઓના જિલ્લા પ્રભારી, શ્રીમતી આનંદીબેન પટેલ-અમદાવાદ અને મહેસાણા જિલ્લા પ્રભારી, શ્રી નીતિનભાઇ પટેલ-બનાસકાંઠા અને વડોદરા જિલ્લા પ્રભારી, શ્રી દિલીપભાઇ સંઘાણી-રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી, શ્રી ફકીરભાઇ વાઘેલા-દાહોદ અને પંચમહાલ જિલ્લા પ્રભારી, શ્રી જયનારાયણ વ્યાસ-સાબરકાંઠા અને આણંદ જિલ્લા પ્રભારી, શ્રી રમણભાઇ વોરા-ખેડા અને પાટણ જિલ્લા પ્રભારી, શ્રી મંગુભાઇ પટેલ-સુરત અને નવસારી જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.
તદ્ઉપરાંત રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ-ભાવનગર અને જામનગર જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર-નર્મદા જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહજી રાણા-ભાવનગર, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકી-સુરેન્દ્રનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ-કચ્છ જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ-ગાંધીનગર જિલ્લા પ્રભારી અને પાટણ જિલ્લા સહપ્રભારી, શ્રી વાસણભાઇ આહિર-જૂનાગઢ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા-રાજકોટ, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી-અમરેલી જિલ્લા પ્રભારી, શ્રી પ્રદિપસિંહજી જાડેજા-વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ-ભરૂચ જિલ્લા પ્રભારી અને સુરત જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી લીલાઘરભાઇ વાઘેલા-ખેડા જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા-પોરબંદર જિલ્લા અને જામનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર- દાહોદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ સુખડીયા-પંચમહાલ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ-વલસાડ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી રણજિત ગીલિટવાલા-ડાંગ જિલ્લા પ્રભારી તથા સંસદીય સચિવશ્રીઓ સર્વશ્રી સુંદરસિંહ ચૌહાણ-બનાસકાંઠા જિલ્લા સહપ્રભારી, શ્રી યોગેશભાઇ પટેલ-નર્મદા જિલ્લા સહપ્રભારી, શ્રી હર્ષદભાઇ વસાવા તાપી જિલ્લા સહપ્રભારી તથા શ્રી લવજીભાઇ રાજાણી અમરેલી જિલ્લા સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો