તા ૪ થી જુલાઇએ ગાંધીનગરમાં યોજાશે પરિસંવાદ
ગાંધીનગર,બુધવારઃ વનોની વૃધ્ધિ, અગત્યતા વૃક્ષારોપણ અને તેની માવજત માટે લોકજાગૃતિ ઉભી કરવા યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ ૨૦૧૧ને આંતર રાષ્ટ્રીય વન વર્ષ તરીકે જાહેર કરીને તેની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીના ભાગરૂપે તા.૪-૦૭-૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વન સંશોધન સંકુલ, જ રોડ, અક્ષરધામ સામે ગાંધીનગર ખાતે પરિસંવાદ યોજાશે.
પરિસંવાદમાં સામાજિક વનીકરણ, વૃક્ષારોપણનો અભિગમ, રોપાઓની ઉપલબ્ધતા, હરિયાળુ ગુજરાત કાર્યક્રમમાં જન સમુદાયની સહભાગીતા જેવા વિષયો ઉપર તજજ્ઞો માર્ગદર્શન આપશે તેમ મુખ્ય વન સંરક્ષક સામાજિક વનીકરણની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો