અનુયાયીઓ

મંગળવાર, 19 મે, 2015

જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર સાફ કરતુ પાલિકા તંત્ર

પ્રજા ફરિયાદને કારસામાં ખપાવતા જેતપુર પાલિકા પ્રમુખ !! 
વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર 
સાફ કરતુ પાલિકા તંત્ર
પાલિકા પ્રમુખ રમાબેન કહે છે કોઈ હિતશત્રુઓ જાણીજોઇને ભૂગર્ભ ગટર બુરવાના હીન પ્રયાસો કરે છે !
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.19
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં એક ભૂગર્ભ ગટરને કોઈ હિતશત્રુઓ જાણી જોઇને બુરવાનો પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ કરી આજે આ ભૂગર્ભ ગટર સાફ કરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળતા હોવાની ફરિયાદ બાદ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ તંત્રના માણસોને લઈને જેસીબી સાથે ફરિયાદવાળી જગ્યાએ દોડી ગયા હતા. 
જ્યાં ભૂગર્ભ ગટર ખોલીને તપાસ કરાતા ગટરમાંથી કચરો, ગાભા, અને પથ્થરો નીકળતા, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા હોવાનો પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પત્રકારો સમક્ષ આક્ષેપો કર્યા હતા. પાલિકા પ્રમુખે એક લેખિત યાદીમાં એવું પણ જણાવેલ છે કે તેમને બદનામ-હેરાન કરવા કોઈ તત્વો ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ જાય તે રીતે ગટરમાં ગાભાના ડુચ્ચા, પથ્થરો નાખી દે છે. પણ આ વાતની ખાનગી રાહે તપાસ કરાવી, ભૂગર્ભ ગટર બુરવા પ્રયાસો કરતા તત્વો પકડાશે તો કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે..
ફોટો : - કશ્યપ જોશી જેતપુર  
 

સોમવાર, 18 મે, 2015

AVSAAN NONDH JETALSAR KASHYAP JOSHI JETPUR JETALSAR


​અવસાન નોંધ :
જેતલસર(ગામ): જમનભાઈ રૂડાભાઈ ઠુંમરના પુત્ર જીજ્ઞેશભાઈ(ઉ.વ.39) તે દિશાન્તના પિતાનું તા.17.5.15 ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.21 ને ગુરુવારના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, જેતલસર(ગામ) ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

રવિવાર, 17 મે, 2015

જૂની સાંકળીની સીમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી

ભિક્ષાવૃતિ કરતી અને માનસિક અસ્થિરતા ધરાવતી મહિલાની
જૂની સાંકળીની સીમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી 
જેતલસર તા.17
આજે બપોરે જેતલસર પંથકના જૂની સાંકળી ગામની સીમમાંથી એક ભટકતી અસ્થિર મગજની મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જૂની સાંકળી ગામની સીમમાં, જેતલસરના રમેશભાઈ ભુવાની વાડીના કુવા નઝીકની એક અવાવરું ઝાળીમાં એક મહિલાની લાશ પડી હોવાની જાણ કરતા તાલુકા ફોજદાર કરમટીયા સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, દિવ્યેશ  આહીર,જયવીરસિંહ રાણા, બાબુભાઈ સોસા વિગેરેને લઈને જૂની સાંકળીની સીમમાં પહોચ્યા હતા.
દરમિયાન આજુબાજુના સીમ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ લાશ આશરે 35 થી 40 વર્ષ ધરાવતી, ભિક્ષાવૃત્તિ કરતી અને માનસિક અસ્થિરતા વચ્ચે રખડતી ભટકતી મહિલાની હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ કોહવાઈ ગયેલી લાશને પીએમ માટે પ્રથમ જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા, વિશેષ પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજમાં ખસેડી છે. બનાવની વધુ તપાસ ફોજદાર કરમટીયા અને બાબુભાઈ સોસાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 99742 62812

જેતલસર પંથકનું એક ગામ, નવી સાંકળી જ્યાં... ચાની એક પણ દુકાન નથી ! ગુટખા વેંચાણ પર પ્રતિબંધ !

જેતલસર પંથકનું એક ગામ,  નવી સાંકળી જ્યાં...
ચાની એક પણ દુકાન નથી ! ગુટખા વેંચાણ પર પ્રતિબંધ !
ગામમાં દરેક શેરી-રોડ સીસીથી પાકા, ઘરે ઘરે કબૂતરના માળા, ટ્યુબ લેવલથી પાણી વિતરણ ગામની ખાસિયત !
(કશ્યપ જોશી) જેતલસર તા.17
  જેતલસર પંથકના 12 ગામો પૈકીના એક નવી સાંકળી ગામના લોકોની રહેણી-કેહણી, જીવનશૈલી અને ખાસિયતો જાણવા જેવી છે.
આજથી આશરે 150 વર્ષ પહેલા થાણાદેવળી(અમરનગર) સ્ટેટના  રાજાશાહીનો દબદબો હતો ત્યારે આ સ્ટેટના ગણાતાં જૂની સાંકળીના દરબાર પરિવારોના ભાઈઓમાં ભાયુંભાગ પડતા નવી સાંકળી અસ્તિત્વમાં આવ્યું હતું.
     આવા સમયે ગણ્યાંગાંઠ્યા જ ખેડૂતો હોય, તેમજ તમામ સુખી સંપન્ન, ઢોર- ઢાંખર ધરાવતા હોય, બધા દૂધ, છાસ, દહીં, માખણ અને ધી નો છૂટથી ખાવાપીવામાં ઉપયોગ કરતા. મોટાભાગના બધા નિર્વ્યસની હતા. અમુક બીડીના બંધાણી હતા, પણ દુધની વ્યાપક ઉપજથી કોઈને ચાના પીણાનું વ્યસન નહોતું, એટલે ચાની દુકાન કરવી પડે તે વાતને કોઈ સ્થાન અપાયું નહોતું..
આટલી વાતો પછી ગામની ખાસિયતો અને સુવિધાઓ પર પ્રકાશ ફેંકતા 96 વર્ષની જૈફ વય ધરાવતા જેરામભાઈ જેઠાભાઈ ઠુંમર નામના ખેડૂત આતાએ જણાવેલ કે ભાઈ ગામમાં કોઈ એક કિલો ફરસાણ બનાવે તોય ખાધા વગર બગડી જતું !
      માત્ર વીશેક ખાતેદાર ખેડૂતોથી વસેલો નવી સાંકળી ગામનો ટીંબો અત્યારે 740 જનસંખ્યા, 6 વોર્ડમાં વસેલું અને 521 મતદારોનું ગામ બની ગયું છે. આજે અહી 150 જેટલા ખાતેદાર ખેડૂતો ખેતીકામ કે નાના મોટા ધંધા, રોજગાર અને વ્યવસાયો સાથે સંકળાયેલા છે. ગામના વયોવૃધ્ધો ધર્મપરાયણતામાં રચ્યા પચ્યા રહે તે માટે અહી શ્રી રામજી મંદિર, શિવ મંદિર અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો પણ બંધાયેલા છે.
બોક્સ: ગામમાં ગુટખા વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ !
જેતલસર: ગામના સેવાભાવી યુવાન મુકેશભાઈ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે નવી સાંકળીમાં અત્યારે પાંચેક પાન-સોડાની દુકાનો છે, પણ ગુટખા વેંચાણ પર સ્વયં દુકાનદારોએ પ્રતિબંધ લાદયો હોય ગામની એક આ ખાસિયત ગણાવાય છે.
બોક્સ: ઘરે ઘરે કબુતર-પક્ષીઓના માળા ! 
જેતલસર: વર્તમાન હાઈટેક યુગમાં દયા-પ્રેમની લાગણીઓનું અધઃપતન થતું જોવા મળે છે ત્યારે નવી સાંકળીના પ્રજાજનોનો પક્ષીપ્રેમ છાપરે ચડીને પોકારતો હોય તેમ અહી ઘરે ઘરે કબૂતરના-પક્ષીઓના માળા જોવા મળ્યા હતા. આવા માળાઓ ઘરે ઘરે લટકાવાની સેવામાં ગામના પ્રભુદાસભાઈ ગીરધરભાઈ રૂપાપરા ઉર્ફે દાસભાઈની ઉઘાડા પગે કરાતી સેવાની સૌમાં સરાહના થતી સાંભળવા મળી હતી. દાસભાઈ ગામની જય અંબે ગરબી મંડળમાં પણ પોતાની સેવાનું મહત્તમ યોગદાન  આપતા હોવાનું જાણવા મળ્યું હતું..
બોક્સ: ટ્યુબ લેવલથી પાણી વિતરણ, અન્ય ગામોએ ધડો લેવા જેવું !!
જેતલસર: ગામના પ્રભુદાસભાઈ ઉર્ફે દાસભાઈએ પોતાની માસ્ટરી દ્વારા નવી સાંકલીમા રહેણાંક મકાનના ડેલે ડેલે ટ્યુબ લેવલથી પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં પહેલા ગામનું પાણી વિતરણ  ટાંકીમાંથી પાણી છોડાય ત્યારે પાણી સૌ પ્રથમ મકાનોના ડેલા બહાર ઉભા કરાયેલ નળમાંથી નીચેના પાઈપમાં પાણી છોડાય છે જે પાઈપ વાટે પાણી ઘરમાં આવે  છે. આવી વ્યવસ્થાથી કોઈ દિવસ કોઈને પાણી ખેંચવા ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો પડતો નથી. આજુબાજુના કે જેતપુર તાલુકા બહારના ગામડાઓના પંચાયતસુત્રોએ નવી સાંકળી પહોચી દાસભાઈએ અમલી બનાવેલ ટ્યુબ લેવલથી પાણી વિતરણનો ધડો લેવો જોઈએ..
બોક્સ: છેલ્લા 30 વરસથી સમરસ થતા 
નવી સાંકળીમાં અત્યારે 9 માં સરપંચનું રાજ !
જેતલસર: નવી સાંકળીના વયોવૃદ્ધ જેરામબાપા સહિતના  લોકોના કહેવા અનુસાર  આ ગામમાં અત્યાર સુધીમાં એટલેકે જ્યારથી નવી સાંકળી પંચાયત બની ત્યારથી 9 સરપંચોના પંચાયતમાં રાજ ચાલ્યા. તેમાં સૌ પ્રથમ ડાયાલાલ પોપટલાલ પંડયા,  હરિભાઈ રણછોડભાઈ રૂપાપરા, કરમશીભાઈ નાથાભાઈ ઠુંમર, વેલજીભાઈ પોપટભાઈ રૂપાપરા, વજુભાઈ વસ્તાભાઈ વાલાણી, રમેશભાઈ નારણભાઈ રૂપાપરા, નીતાબેન લખુભાઈ વાલાણી, કુમનભાઈ છગનભાઈ ઠુંમર તથા વર્તમાનમાં કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા સરપંચ તરીકે સેવા આપે છે. મુકેશ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે 1985 થી નવી સાંકળી ગામની પંચાયત સમરસ થતી આવે છે. હાલ આ ગામમાં સૌથી મોટી ઉમરના ગોબરભાઈ ભાણાભાઈ માંગરોલીયા હયાત છે.

 સમાચાર અને ફોટો કશ્યપ જોષી- જેતલસર(જેતપુર) 9974262812
ફોટો ની વિગત : 
1..સિમેન્ટના રસ્તાઓની સુવિધાવાળું નવી સાંકળી ગામ, ઇન્સેટમાં જેરામબાપા વિગતો આપતા દેખાય છે.
2..ગામલોકોનો પક્ષીપ્રેમ, ઘરે ઘરે કબૂતરના માળા દેખાયા..
3..પાન માવાની દુકાનો પણ ગુટખા વેંચાણ પર સદંતર પ્રતિબંધ..
4..ટ્યુબ લેવલ પાણી વિતરણના જન્મદાતા દાસભાઈ આ સુવિધા બતાવતા દેખાય છે.



શનિવાર, 16 મે, 2015

જેતપુરમાં આજે ગર્લ્સ સ્કુલમાં વાલી મીટીંગ

મફત શિક્ષણની છાત્રોને  માહિતી આપવા 
જેતપુરમાં આજે ગર્લ્સ સ્કુલમાં વાલી મીટીંગ 
જેતપુર તા.16
જેતપુર શહેર તેમજ તાલુકા વિસ્તારની સરકારી-ખાનગી શાળાઓમાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત મફત શિક્ષણ મેળવવા માટે જે વિદ્યાર્થી બાળકોએ ફોર્મ ભર્યા છે તેઓને ક્યાં અને કેમ શિક્ષણ મેળવવું ? તે અંગેની ચર્ચા વિચારણા માટે આજે તા.17-5-2015 ના રોજ સ્ટેન્ડ ચોક સ્થિત ગર્લ્સ હાઈસ્કુલમાં સાંજે 5-00 કલાકે વળી મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ શિક્ષણનો લાભ લેવા જોડાયેલા બાળકોના વાલીઓએ ખાસ હાજર રહેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

શુક્રવાર, 15 મે, 2015

KASHYAP JOSHI JETALSAR JETPUR કશ્યપ જોશી જેતલસર જેતપુર

લોહાણા મહાજન દ્વારા રવિવારે 
જેતપુરમાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન 
જેતપુર તા.15
આગામી તા.17.5. ને વિશ્વ થેલેસેમિયા દિન નિમિત્તે જેતપુરમાં લોહાણા મહાજન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાઈટી અને લોહાણા મહા પરિષદના આર્થિક સહયોગ વચ્ચે થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
અહીના ફૂલવાડી રોડ પર આવેલ જૂની લોહાણા મહાજન વાડી ખાતે સવારના 10 થી 1 વાગ્યા દરમિયાન યોજાનાર આ કેમ્પનો  માત્ર લોહાણા જ્ઞાતિના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો, 35 વર્ષથી નાના પરણિત-અપરણિત ભાઈ-બહેનો, તેમજ સગર્ભા બહેનો લાભ લઇ શકશે. કેમ્પનો લોહાણા જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં લાભ લ્યે તેવો જેતપુર લોહાણા મહાજનના મંત્રી સૂર્યકાંતભાઈ મગેચા અને લોહાણા જ્ઞાતિ અગ્રણી શાંતિલાલ માધવાણીએ અનુરોધ કર્યો છે.


રાજકોટ જીલ્લા તાલુકા પંચાયત કન્વીનર નિમાયા 
જેતપુર તા.15
તાજેતરમાં રાજકોટ જીલ્લા કર્મચારી સંઘની બેઠક મળી હતી. જેમાં સંઘના પ્રમુખ નલીનભાઈ ડઢાણીયાએ જેતપુર તાલુકા પંચાયતના સીનીયર ક્લાર્ક જે.બી.અગ્રાવતને રાજકોટ જીલ્લા તાલુકા પંચાયતના કન્વીનર તરીકે નિયુક્ત કરતા, જેતપુર ત.ક.મંત્રી મંડળના એ.વી. સાકરિયા, અશોકભાઈ પંડયા, તાલુકા પંચાયતના તમામ સ્ટાફ, આઈ.આર.ડી.તેમજ આઈ.સી.ડી.એસ.ના તમામ કર્મીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.



આખું ગામ આ દરવાજામાંથી પસાર થતું હોય..
જેતપુરના અમરનગર ગામના મુખ્ય 
પ્રવેશદ્વારની જર્જરિત હાલત સુધારવા માંગ 
જેતપુર તા.15
જેતપુર તાલુકાના અમરનગર ગામમાં પ્રવેશવાના અને માધમેડી તરીકે ઓળખાતા મુખ્ય પ્રવેદ્વારની હાલત જર્જરિત બની હોય, તાકીદે મરામત કરાવવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર ગામમાં જવાના, રાજા રજવાડાઓએ બનાવેલ મુખ્યપ્રવેશદ્વાર(માધમેડી) ની હાલત વર્તમાન દીવસોમા ભયજનક બની છે. આ પ્રવેશદ્વારમાંથી રોજ આખું ગામ પસાર થાય છે. જર્જરિત પ્રવેશદ્વાર કોઈ દિવસ અકસ્માત સર્જી, કોઈના સેન્થાનો સિંદુર ભૂંસી નાખે કે કોઈના ભરથાર, બાળ, બચ્ચાઓનો ભોગ લ્યે તે પહેલા સંબંધિત સરકારી તંત્રે તાકીદે આ પ્રવેશદ્વારનું મરામતકાર્ય હાથ ધરવું જોઈએ તેવું ભીખુભાઈ જયસ્વાલ સહિતના રહીશોની માંગ છે.


જેતપુરના વાળાડુંગરા ગામે આગામી તા.21 થી 23.5 દરમિયાન 
શ્રી જાગૃત હનુમાનજી મંદિરના ત્રિદિવસિય 
પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
જેતપુર તા.15
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે શ્રી જાગૃત હનુમાનજીના મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દબદબાભેર આયોજન કરાયું છે.
આ બાબતે વિગતો આપતા વાળાડુંગરના સરપંચ ભૂપતભાઈ સોલંકીએ જણાવેલ કે આગામી તા.21.5. થી 23.5. દરમિયાન શ્રી જાગૃત હનુમાનજી મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યો તરીકે લલીતભાઈ ઠાકર, અનિલભાઈ ઠાકર ઉપસ્થિત રહી, વૈદિક, શાસ્ત્રોક વિધિ વચ્ચે તા.21.ના રોજ હોમ-હવન સાથે સવારના 8 કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજા સંપન્ન કરાવશે. તા.22.5. નારોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સવારના 9 થી 12 વાગ્યા દરમિયાન રોટરી કલબ જેતપુર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાશે.
જેતલસર, ઉમરાળી, હરીપર વી.ગામોના સંતો મહંતો તેમજ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજ્યમંત્રી જયેશ રાદડિયા, રાજુભાઈ હિરપરા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોટેરિયનમિત્રો તેમજ મેવાસા, ઉમરાળી, જેપુર, જાંબુડી, રબારીકા, સેલુકા, થોરાળા, વીરપુર અને ખીરસરા વી.ગામોના સરપંચોની હાજરી-સહયોગ વચ્ચે તા.23.5 ના રોજ મારુતિ હનુમાન યજ્ઞ, મૂર્તિ ન્યાસ, મૂર્તિ પ્રતિષ્ઠા, પુર્ણાહુતી-મહાઆરતી બાદ રાતીના 11 વાગ્યે મંદિર સ્થળે ધીરુભાઈ સરવૈયાના હાસ્યનો કાર્યક્રમ રાખેલ છે.
બોક્સ: તા.23 ના રોજ નિવૃત કર્મીઓને વિદાયમાન 
જેતપુર: વાળાડુંગરા ગામના તલાટી અશોકભાઈ પંડયા(જેતલસર)એ જણાવેલ કે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે, તા.23.5. નારોજ રાત્રીના 9 વાગ્યે, ગામની શાળાના આચાર્ય તેજાભાઈ ગજેરા, મેવાસની વિદ્યાલયના ક્લાર્ક પાંચાભાઈ ચાવડા, જેતપુરની કમરીબાઇ શાળાના શિક્ષક ભીખુભાઈ ગુજરાતી તથા તલાટી મંત્રીઓ વાય મર્યાદાના કારણે નિવૃત થતા હોય તમામને ભાવભેર વિદાયમાન અપાશે. આમ ઉક્ત ત્રણેય દિવસ દરમિયાન ધર્મપ્રેમી જનતાએ પ્રતિષ્ઠા, રક્તદાન, ડાયરો તેમજ વિદાયમાન કાર્યક્રમમાં જોડવા સરપંચ ભુપતભાઈ સોલંકીનો અનુરોધ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 
તાક: વાળાડુંગરાના સમાચાર મંદિરના ફોટો સાથે લેવા વિનંતી છે.

ગુરુવાર, 14 મે, 2015

100 બીપીએલ લાભાર્થીઓ પાસેથી સિલાઈમશીનના રૂ.250/- લઇ ગયા છે પણ મશીનો ના અપાયાની રાવ

જેતપુરના અમરનગર ગામેથી 10 વર્ષ પહેલા 
100 બીપીએલ લાભાર્થીઓ પાસેથી સિલાઈમશીનના 
રૂ.250/- લઇ ગયા છે પણ મશીનો ના અપાયાની રાવ 
ગામના જાગૃત નાગરિક ભીખુભાઈ જયસ્વાલ કહે છે કે ગોંડલ કપુરિયા પરામાં રહેતા અને રાજકોટ સમાજ કલ્યાણ ખાતાના કર્મચારી તરીકે ઓળખ આપી ગયેલ માણસ પૈસા લઇ ગયો તેને 10 વર્ષ થયા, પણ સિલાઈ મશીન આપવા હજુ કોઈ ફરક્યું નથી !!
જેતપુર તા.14
જેતપુરના અમરનગર ગામેથી સિલાઈ મશીન અપાવવાનું જણાવી કોઈ માણસ એકસો જેટલા લાભાર્થીઓ પાસેથી રૂપિયા 250-250 ઉઘરાવી ગયા તેને આજે 10 વર્ષ વીતી ગયા છતાં કોઈ સરકારી માણસ આ ગામના લાભાર્થીઓને સિલાઈ મશીન આપવા ફરક્યું ના હોય આ વાતની તપાસ કરવા માંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના અમરનગર ગામે આજથી 10 વર્ષ પહેલા ગોંડલના કપુરિયા પરામાં રહેતા હોવાનું તેમજ રાજકોટ ખાતે સમાજ કલ્યાણ કચેરીમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી એક કર્મચારી રાજ્ય સરકાર દ્વારા બીપીએલ લાભાર્થીઓને સિલાઈ મશીન આપવાનું આયોજન હોય, નામ નોંધણી સમયે રૂ.250/- અને સિલાઈ મશીન આવ્યા પછી રૂ.250/- ભરવાનું જણાવતા અમરનગરના જાગૃત નાગરિક ભીખુભાઈ કરશનભાઈ જયસ્વાલ અને તેમના બહેન વર્ષાબેન જયસ્વાલ સહીત ગામના સોએક બીપીએલ લાભાર્થીઓએ રૂ.250/- આપી તે માણસ પાસે નામો નોંધાવ્યા હતા.
આ વાતને આજે 10 વર્ષ વીતી ગયા છતાં અને છેલ્લા 10 વર્ષ દરમિયાન અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં સમાજ કલ્યાણ કચેરીમાં કોઈ સંતોષકારક જવાબ મળતો ના હોય છેતરપીંડી થયાના આક્ષેપ સાથે આ વાતની તપાસ કરવા ભીખુભાઈ જયસ્વાલે માંગ કરી છે.
બોક્સ: પૈસા ઉઘરાવનાર સરકારી માનસ કે ગઠીયો ?
જેતપુર: અમરનગરના લાભાર્થીઓમાં એક એવો પણ પ્રશ્ન ચર્ચાતો હતો કે સરકારની આવી સિલાઈ મશીન ગરીબોને આપવાની કોઈ યોજના હતી કે નહિ ? ગામના ગરીબો પાસેથી રૂ.250-250 ઉસેડી ગયો તે વ્યક્તિ ખરેખર સરકારી માણસ હતો કે કોઈ ગઠીયો કળા કરી ગયો ? વિગેરે પ્રશ્નોની સમાજ કલ્યાણ ખાતે તપાસ કરવી જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
 

બુધવાર, 13 મે, 2015

જેતપુરના યુવાનને વિદેશી શરાબની 3 બોટલ સાથે પકડી લેતી તાલુકા પોલીસ


-જેતપુરના યુવાનને વિદેશી શરાબની 3 
બોટલ સાથે પકડી લેતી તાલુકા પોલીસ
જેતપુર તા.13
ગત મોડી રાત્રીના જેતપુર તાલુકા પોલીસે જુનાગઢ બાઈપાસ પાસેથી જેતપુરના યુવાનને વિલાયતી શરાબની 3 બોટલ સાથે પકડી પાડી સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસના ફોજદાર ચાવડા, સ્ટાફના દિવ્યેશ આહીર વિગેરે સાથે નાઈટ પેટ્રોલિંગ હતા ત્યારે પુરપાટ ઝડપે જુનાગઢ બાઈપાસ, ધવલ સ્કુલ પાસે રોકી તલાશી લેતા પોલીસને વિલાયતી શરાબની 3 બોટલ હાથ લાગી હતી.
પોલીસે શરાબ સાથે પકડાયેલ જેતપુરના સુરેશ ભીખા આહિરને શરાબ ક્યાંથી લીધો ? તે અંગે પૂછપરછ કરતા સુરેશે મેહુલ નરેશ  પાસેથી  આ શરાબ લીધો હોવાની કબુલાત આપતા ફોજદાર ચાવડા સ્ટાફ સાથે જેતપુરના  જનતા નગર સ્થિત મેહુલના ઘરે છાપો મારતા ત્યાંથી પોલીસને વિદેશી શરાબની એક બોટલ મળી આવી હતી. જયારે મેહુલ બારોટ પોલીસને જોઇને નાશી છૂટ્યો હતો.
તાલુકા પોલીસે રૂ.900 ની કિમતની 3 બોટલ શરાબ સાથે રૂ.30 હજારના બાઈક સાથે શુરેશ અહીરને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

મંગળવાર, 12 મે, 2015

તડકાપીપળીયાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

જેતપુરના મંડલીક્પુર નજીકના અકસ્માતમાં ઘવાયેલા 
તડકાપીપળીયાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત 
જેતપુર તા.12
આજથી એક ચાર દિવસ  પહેલા જેતપુરના મંડલીક્પુર ગામ નજીક બાઈક સ્લીપ થતા ઘવાયેલા તડકા પીપળીયા ગામના ચમાર વૃદ્ધનું આજે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયાનું તાલુકા પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના બધાભાઈ વાલાભાઈ મહીડા નામના 65 વર્ષીય વૃદ્ધ પોતાના પુત્રના બાઈક પાછળ બેસીને ગત તા. 8.5. નારોજ  ધોરાજી તરફ જતા હતા. 
આવા સમયે મંડલીક્પુર ગામ પાસે અચાનક બાઈકનું ટાયર ફાટતા, બાઈક સ્લીપ થઇ જતા બધાભાઈને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટ ખસેડેલ, જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા ગુંદાળાના દલિત યુવાનનું  ઝેરી દવા પીતા મોત
જેતપુર અ.12
તાલુકાના રાજેશ માધા વાઘેલા નામના 22 વર્ષના યુવાને કોઈ અગમ્યો કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીની સંજીવની હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થતા તેમની ડેડબોડી પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોની જાણ પરથી તાલુકા પોલીસે કાયદેસરની વિધિ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812



સોમવાર, 11 મે, 2015

AVSAN NONDH KASHYAP JOSH JETALSAR બાબરા તાપડીયા આશ્રમના મહંતના પિતાશ્રી રામશરણ પામ્યા

બાબરા તાપડીયા આશ્રમના મહંતના 
પિતાશ્રી રામશરણ પામ્યા 
જેતલસર : બાબરા તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસબાપુ તેમજ મોજેરામબાપુ, જગદીશબાપુ અનેબટુકબાપુના પિતાશ્રી જીવરામબાપુ વજેરામબાપુ નિમાવત(ઉ.વ.95) તા.11.5.2015 ના રોજ શ્રી રામ શરણ પામેલ છે. હિતેશભાઈ જસાણી સહિતના ભક્તોએ જણાવેલ કે જીવરામબાપુ જીવ્યા ત્યાં સુધી સાદગી સભર અને શ્રીરામનામ માં લીન હતા. તેઓના અવસાનથી તાપડીયા આશ્રમના ભક્તગણમાં શોક ફેલાયો છે.
કશ્યપ જોશી જેતલસર 


જેતલસર જંકશનની સબ પોસ્ટઓફિસમાં એકમાત્ર પોસ્ટમાસ્તર ! અપૂરતા સ્ટાફથી અરજદારો હેરાન પરેશાન

જેતલસર જંકશનની સબ પોસ્ટઓફિસમાં એકમાત્ર પોસ્ટમાસ્તર !
અપૂરતા સ્ટાફથી અરજદારો હેરાન પરેશાન 
ગોંડલ સ્થિત ડીવીજનના પોસ્ટલ સુત્રો કહે છે કે 10 દિવસમાં એક સ્ટાફ વધારી દેવાશે..
( કશ્યપ જોશી ) જેતલસર તા.11
જેતલસર જંકશનની સબ પોસ્ટ ઓફીસના સ્ટાફને હાલતા ચાલતા ડેપ્યુટેશન કામગીરીના બહાને અન્યત્ર મોકલી દેવતા હોય, અહી એક માત્ર સબ પોસ્ટમાસ્તર '' એક સાંધે ત્યાં તેર તૂટે'' જેવી કહેવતનો સામનો કરી રહ્યા હોવાની જંકશનવાસીસોની ફરિયાદ તાકીદે ગોંડલ હેડ પોસ્ટઓફીસ સુત્રો ધ્યાને લે તેવી માંગ દોહરાવી છે.
આ બાબતે જંકશન વાસીઓની લાંબા સમયની ફરિયાદ છે કે આજુબાજુના 11 ગામોની સબ પોસ્ટઓફીસ એવી જેતલસર જંકશનની પોસ્ટ ઓફિસમાં કાયમી અપૂરતા સ્ટાફની રામયણ હોય અહી ફરજ બજાવતા સબપોસ્ટ માસ્તર રોજબરોજ કઈ કામગીરી કરવી ? તે વાતના અવઢવમાં મુકાઈ જાય છે. 
જાણકારો કહે છે કે આ પોસ્ટ ઓફિસમાં એસબી, આરડીના ખાતાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પીએલઆઈ તથા  આર પીએલઆઈ નું મોટું કામકાજ છે. એટલુજ નહિ અહી વીજ કંપનીના બીલો પણ મોટી સંખ્યામાં લેવાતા હોય, માત્ર એક પોસ્ટમાસ્તર આટલા મોટા કામમાં પહોચી શકતા ના હોય, વીજ બીલો ભરવા આવતા અરજદારોને  2-3 કલાક લાઈના ઉભા રહેવાની હાડમારી ભોગવવી પડે છે.
અત્રે એ પણ નોંધનીય છે કે ભૂતકાળમાં સ્ટાફ બાબતે આવી જ હેરાનગતિથી વાજ આવી ગયેલા પોસ્ટમાસ્તર વસોયા પેરેલીસીસ અટેકનો ભોગ બની ચુક્યા છે અને આજે તે જ પોસ્ટમાત્ર એકલા બધું સંભાળતા હોય, પ્રજાને સમયસર અને ઝડપી સેવા મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ગોંડલ હેડ પોસ્ટ ઓફીસના સુપ્રિન્ટેન્ડેન્ટ જેતલસર જંકશનની સબ પોસ્ટ ઓફિસમાં તાકીદે પુરતો સ્ટાફ નીમે તેવી જંકશનવાસીઓની માંગ છે.
બોક્સ: ડીવીજન પોસ્ટ ગોંડલ સુત્રો શું કહે છે ?
જેતલસર: જંકશનની સબ પોસ્ટ ઓફિસમાં સ્ટાફ બાબતે આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થઇ છે ? તે વાતના પ્રશ્નનો જવાબ આપતા ગોંડલ સ્થિત ડિવીજન પોસ્ટ ઓફીસના મહેતાભાઈએ જણાવેલ કે ગોંડલ હેડ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સેવા ચાલુ કરી હોય, અને આ સેવા ચલાવવમાં કોઈ તકલીફ ઉભી ના થાય તે માટે તંત્ર દ્વારા જુદી જુદી પોસ્ટ ઓફીસના સ્ટાફને ગોંડલ ખાતે ડેપ્યુટેશન ઉપર બોલાવવા પડતા હોય છે. અને આવું 8-10 દિવસ જ ચાલતું હોય, જે પોસ્ટ ઓફિસમાંથી સ્ટાફને ગોંડલ બોલાવ્યો હોય તેવી પોસ્ટ ઓફીસના કે જે તે ગામના લોકો થોડો દિવસ સહકાર આપે તે જરૂરી છે. દશેક દિવસમાં જંકશનની પોસ્ટઓફિસમાં પુનઃ સ્ટાફ આવી જશે તેવું મહેતાએ જણાવેલ..
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812

રવિવાર, 10 મે, 2015

URGENT METTER BY KASHYAP JOSHI JETPUR


>>
>> > ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રા.લી. બાબતે કુપ્રચાર કરતા 
>> > વિઘ્નસંતોષિઓનો નકાબ ચીરતા ડાઈંગ એશો.સુત્રો 
>> > સભ્ય ફી નાં ભરવી પડે એટલે તૂત ઉભૂ કરી કારખાનેદારોને બદનામ કરવાનો પ્રયાસ બહાર આવ્યો !
>> > જેતપુર તા.10
>> > જેતપુર શહેરના ઉદ્યોગપતિઓ અને ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ બાબતે કુપ્રચાર કરતા વિઘ્નસંતોષીઓનો પરપોટો ફોડી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા વિગેરે જણાવેલ કે ઉક્ત કંપનીમાં નિયત ફી ભરવી નાં પડે તે માટે તૂત ઉભું કરી મોટા ગજાના કારખાનેદારોને બદનામ કરવાના હીન પ્રયાસ સિવાય કોઈ વાત નથી.
>> > જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના મુખ્ય કાર્યવાહકો રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, ધીરુભાઈ રાણપરિયા, દીપુભાઈ જોગી તેમજ મનસુખભાઈ ખાચરીયા વેગેરેએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી, તેઓ કે ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ બાબતે શહેરમાં ફેલાવતા ગેરપ્રચાર બાબતે માહિતી આપતા જણાવેલ કે જે લોકો તેઓને બદનામ કરવા હાલી નીકળ્યા છે તેઓને દેવાના થતા લાખો રૂપિયા ભરવા નાં પડે એટલે આવી હીન ચેષ્ટા પ્રચારના તમામ માધ્યમોમાં ફરતી કરી છે.
>> > આ પહેલા એટલેકે શનિવારે અશોશીયેશનની રોટરી કલબ ખાતે બોલાવાયેલી ડાઈંગ એશો.ની સાધારણ સભામાં પણ ઉપરોક્ત ડાઈંગ અશો.સુત્રોએ જણાવેલ કે ભાટગામ વોશિંગ શુદ્ધિકરણ યોજનામાં ના જોડાયેલા ગુણવંત ઘોરડા અને જગદીશ પાંભર એમ બંનેએ નિયત કોન્ટ્રીબ્યુશન ભર્યું નથી.  આશરે 15 થી 20 જેટલા આનુશંગીક ધંધા, રોજગારો અને વ્યવસાયોના આધારસ્તંભ એવા જેતપુરના સાડી ઉદ્યોગને દિન પ્રતિદિન લાગી રહેલા પ્રદુષણના ગ્રહણને મહત્તમ દુર કરવાના ભાગરૂપે, માત્ર સુચારુ વહીવટ માટે, સરકારી ધારા ધોરણો તેમજ કંપની એકત 25 મુજબ ઉભી કરાયેલી ભાટગામ વોશિંગ ઘાટ યોજના પ્રાઈવેટ લીમીટેડ કોઈ ત્રણ વ્યક્તિની માલિકીની નથી પણ સમસ્ત જેતપુરના ઉદ્યોગ જગતની કંપની છે. આ કંપનીમાં કોઈ આવક થવાની નથી એટલે નિયત 3 ડિરેકટરોને રાતી પાઈ પણ વેતન આપવાનું કે મળવાનું નથી ! તો પછી કંપની ઉભી કરી ડાઈંગ એશોશીયેશનના પૈસા ખાવાની કે ખાઈ જવાની વાત ક્યાંથી ઉભી થાય !?
>> > બોક્સ : પહેલા દેરડી રોડ ઉપર સામુહિક ઘાટ યોજના બનત !
>> > જેતપુર : રાજુભાઈ પટેલે જણાવેલ કે સૌ પ્રથમ સામુહિત ઘાટ યોજના જેતપુર ખાતે દેરડી રોડ ઉપર કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનનાર હતો. પણ ગામ લોકોનો વિરોધ થતા તેમજ એમએસએમઈ ડિપાર્ટમેન્ટ અંતર્ગત યોજના માટે પ્રોજેક્ટના 90 ટકા અથવા તો મહત્તમ રૂપિયા 9 કરોડ ની સહાય મળતી હોય, પ્રોજેક્ટની સાથોસાથ એશોશીયેશને ઉભી કરેલ એસવીપી (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ-ખાસ હેતુ માટે ઉભી કરવામાં આવતી કંપની )ને પણ પડતી મુકવામાં આવી હતી. અને તે બાબતે કોઈ નાણાકીય વ્યવહારો કરાયા નથી.
>> > બોક્સ: હાઈકોર્ટની ગાઈડલાઈન પળાઈ  છે...
>> > જેતપુર:  ડાઈંગ એશો.સુત્રોએ જણાવેલ કે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબજ ભાટગામ વોશિંગઘાટ સુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ ના નામથી ખાસ હેતુ માટે ઉભી કરવામાં આવેલી આ કંપનીને ચલાવવા કે તેના વહીવટ માટે ડીરેકટરો નીમવા પડ્યા છે. જે એશો.ના સભ્યોની સર્વસમંતિથી થયું છે. કોઈને અંધારામાં રાખવાની કે કોઈને અન્યાય કરવાની વાત નથી. કોઈ પણ કારખાનેદારને કઈ ગેરસમજ થતી હોય તો તે એશોશીયેશનની ઓફિસે આવી, બધું જોઈ તપાસી શકે છે. એટલુજ નહી કોઈને આ બાબતે કે કારોબારી સમિતિના સંચાલનમાં વિશ્વાસ નાં હોય તો તેઓ રાજીનામું આપવા પણ તૈયાર હોવાનું રાજુભાઈ સાધારણ સભામાં ચેલેન્જ કરી હતી.
>> > બોક્સ: પૈસા અટકાવ્યા, વિવાદ ફેલાવ્યો !!
>> > જેતપુર : રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા અને દીપુભાઈ જોગી એમ ત્રણ ઉદ્યોગપતિઓને બદનામ કરવાની શાજીસનો જેઓ પર આરોપ છે તેવા ગુણવંત ઘોરડા ગ્રુપ યુનિટો આદિત્ય પ્રોસેસર્સ, અવિનાશ પ્રોસેસર્સ ને  રૂ.5,9760/- આપવાના બાકી છે. જયારે જગદીશ પાંભર ગ્રુપ યુનિટો સત્યમ પ્રિન્ટ, શ્રી રામ પ્રિન્ટ અને શિવમ પ્રિન્ટ એમ તમામ પાસે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના રૂ.31,96,560-00 લેણા બાકી છે. 
>> > બોક્સ: વિવાદ શું હતો ?
>> > જેતપુર: જેતપુરના ગુણવંત ઘોરડા, જગદીશ પાંભર વી.એ એક એવી અફવા અને ગેરપ્રચાર ફેલાવ્યા હતા કે રાજુભાઈ પટેલ, જયંતીભાઈ  રામોલીયા, અને દીપુભાઈ જોગીએ ઘરની કંપની ભાટગામ વોશિંગઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ ઉભી કરી 1200 કારખાનેદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. સાડી દીઠ પૈસા ઉઘરાવાયા હોવા છતાં માત્ર 3 સિવાય કોઈને આ કંપનીમાં કોઈ સ્થાન ના અપાયું, કારખાનેદારોને અંધારામાં રખાયા તે વાતને કોર્ટમાં પડકારાશે..

શુક્રવાર, 8 મે, 2015

જેતપુરના પેઢલા ગામે ડાઈંગની કેમિકલની કુંડીમાં પડી ગયેલ પરપ્રાંતીય યુવાન દાઝ્યો

જેતપુરના પેઢલા ગામે ડાઈંગની કેમિકલની 
કુંડીમાં પડી ગયેલ પરપ્રાંતીય યુવાન દાઝ્યો
જેતપુર તા.9
જેતપુરના પેઢ્લા ગામની એક ડાઈંગમાં કામ કરતા કરતા કેમીકલની કુંડીમાં પડી ગયેલ પરપ્રાંતીય યુવાનને સારવાર માટે દવાખાને ખાસેડ્યાનું તાલુકા પોલીસમાં નોંધાયું છે.
મળતી વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામે  આવેલા જયશ્રી ડાઈંગ નામના સાડી કારખાનામાં કામ કરતો રાજેશ રામલખન બિહારી નામનો પરપ્રાંતીય 30 વર્ષનો યુવાન ગઈકાલે કામ કરતા કારખાનાની એક કે કેમીકલની કુંડીમાં ગબડી પડતા બંને પગમાં દાઝી જવાથી સારવાર માટે દવાખાને ખસેડાયો છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીરપુરમાં જુગાર દરોડો : 5 ઝડપાયા 
જેતપુર તા.9
વિરપુરના દલિતવાસમાં રોજ જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમિયાન આજે વીરપુર પોલીસે ફરિયાદવાળી જગ્યાએ જુગાર દરોડો પાડતા કાનજી વશરામ, દેવરાજ દાન, જેન્તી અમર, બાબુ જશા, તથા મહેન્દ્ર વાજા એમ 5 શખ્શો રોકડ રકમ રૂ.570 સાથે ઝડપાઈ ગયા હતા.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812

જેતપુરમાંથી વધુ 2 સગીરાના અપહરણ

વાલી જગત ચિંતિત, સંતાનો ક્યાં સુધી કવરાવશે ??
જેતપુરમાંથી વધુ 2 સગીરાના અપહરણ 
જેતપુર તા.9
જેતપુર શહેરમાંથી ગઈ કાલે વધુ 2 સગીરાના અપહરણ થયાની પોલીસ દફતરે ફરિયાદો નોંધાવાતા પોલીસ અને વાલીઓ બંને ચિંતિત હોવાની વિગતો મળી રહી છે.
આજના હાઈટેક યુગમાં એક તબક્કે જોઈએ તો યુવાન સંતાનોને સાચવવા વાલીઓ માટે કપરું થઇ પડ્યું છે. માન-મર્યાદાઓના રીતસરના ઉલંઘન વચ્ચે પણ વાલીઓને મને-કમને સંતાનોને સાચવવાની નોબત સહવી પડતી હોય વાલી જગત ચિંતિત છે. પેટના જણ્યાં, ઉછેર્યે છૂટકો એ વાતના વિમાસણમાં પડેલ વાલી જગત હજુ પણ સંતાનોને મોકળા મનની કે સાંપ્રત યુગમાં જોવા મળતી છૂટછાટો આપવામાં બેદરકારી દાખવતા રહેશે તો ''મારી દીકરી મારી છાતી પર પગ મૂકી ચાલી ગઈ !'' અને મારો દીકરો મારી આબરુની ધૂળધાણી'' કરીને ચાલ્યો ગયો તેવી વાતોના વસવસામાજ વાલીઓએ જીંદગી ગાળવી પડશે તેમાં શંકા ને સ્થાન રહેશે નહિ.
ખેર, '' એક હાથે તાળી નાં પડે'' એ કહાવતને ધ્યાને લઈએ તો સો વાતોની વચ્ચે વાલીજગતે એક વાત સ્વીકાર્યા વગર નહિ ચાલે કે, આપણી બેદરકારી ''હાથના કર્યા હૈયે વાગ્યા'' જેવી સાબિત થઇ છે. સુધરવું પડશે, સંતાનોને સુધારવા પડશે, પણ આ બધું સંતાનોની યોગ્ય ઉમર થતાજ વાલીઓએ વિચારવું પડશે, અન્યથા '' ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા' જેવી વાતની સૌ ટીકા કરશે, વખાણ નહિ !!
દીકરીઓના અપહરણ થઇ જવા એ વર્તમાન સમયમાં ગૌણ વાત એટલે થઇ ચુકી છે યેનકેન પ્રકારે સંતાનોની ઉતાવળ, મજાક-મશ્કરી, અને અનુકરણમાં આંધળી દૌડ વધુ કામ કરી જતી હોય, ચિંતાગ્રસ્ત વાલીઓને ફોર્માલીટી મુજબ પોલીસ ફરિયાદો કરવી પડતી હોય છે, શાયદ આવી જ વાતો જાણ્યે-અજાણ્યે સાબિત થઇ જતી હોય તેમ ગઈકાલે જેતપુરમાંથી વધુ બે સગીરાના અપહરણ થયાની પોલીસ દફતરે ફરિયાદો નોંધાઈ છે. 
જેમાં એક ગોંદરા વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને રાકેશ જેન્તી નામનો યુવાન અપહરણ કરી ગયાની તેમજ જાગૃતિ નગરની એક 14 વર્ષની સગીરાનું એક અજાણ્યો યુવાન લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની વાલીઓએ ફરિયાદ કરતા શહેર પોલીસે ચિંતા સાથે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812


અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ જોગ

અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ જોગ 
જેતપુર તા.9
ગુજરાત હરીજન સેવક  સંઘ સંચાલિત ઠક્કરબાપા સાર્વજનિક કુમાર છાત્રાલય, ધોરાજી માં જુન-2015 થી ચાલુ થતા ધો.9 થી 12 માં પ્રવેશ કાર્ય ચાલુ હોય, અ.15.5. સુધીમાં પ્રવેશ ફોર્મસ મેળવી-ભરી જવા વાલી સમિતિના પ્રમુખ વલ્લભભાઈ ડેન્ગરા તથા છાત્રાલય સંચાલક ગંગારામભાઈ પરમાર દ્વારા અનુરોધ કરાયો છે.

માત્ર જાણ : આ સમાચાર અમોને જેતપુર કોર્ટના સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ આપ્યા હોય, યોગ્ય જણાય તો લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ દ્વારા અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે

સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ દ્વારા 
અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે
 જેતપુર તા.9
સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ, અમદાવાદ દ્વારા આગામી 17-5. ને રવિવારના રોજ પ્રજાપતિ જ્ઞાતિના જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સહજાનંદ ગુરુકુળ, કોટેશ્વર ગામ, મોટેરા પાછળ, સાબરમતી ખાતે યોજાનાર આ જીવન સાથી પસંદગી મેળામાં કોઈ પણ પ્રકારની ફી વગર યુવક-યુવતી અને તેમના વાલીઓને મફત પ્રવેશ અપાશે. વધુ માહિતી માટે કેતન ઓઝા-જેતપુર-99139 44084, રામભાઈ પ્રજાપતિ-97149 94669, અને અરવિંદભાઈ પ્રજાપતિ-98797 24183 નો સંપર્ક સાધવા જણાવાયું છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812


જેતપુર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જેતપુર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી 
પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
જેતપુર તા.8
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં જોડવા ઇચ્છતી ક્રિકેટ ટીમોના કપ્તાનોએ તા.9.5. થી 15.5.2015 દરમિયાન જરૂરી એન્ટ્રીફોર્મ તેમજ વિસ્તૃત માહિતી માટે પાલિકા કચેરી ખાતે રમત ગમ્મત ચેરમેન અરવિંદ વણઝારાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર -99742 62812

ગુરુવાર, 7 મે, 2015

સખત શબ્દોમાં વિરોધ કરતા જેતપુર ચેમ્બરસુત્રો એકજ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવો

વંથલી-કેશોદ અને સુપાસી વચ્ચે ઉભા કરાનાર ટોલનાકાનો 
સખત શબ્દોમાં વિરોધ કરતા  જેતપુર ચેમ્બરસુત્રો 
એકજ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવો 
જેતપુર તા.7
જુનાગઢના કેશોદ અને સુપાસી નજીક એક સાથે ઉભા કરનાર ટોલનાકાનો જેતપુર ચેમ્બરસુત્રોએ સખત શબ્દોમાં વિરોધ કરી એક જ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવવા માંગ દોહરાવી છે.
આ બાબતે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહકો કહે છે કે જેતપુર સોમનાથ ફોરટેકનું કામકાજ હજુ પૂરું થયું નથી ત્યાં આ રોડ પર જુનાગઢના કેશોદ-વંથલી વચ્ચે અને સુપાસી નજીક એમ  જગ્યાએ ટોલનાકા ઉભા કરી ત્રણ ગણા ભાવો વસુલવા રોડ ઓથોરીટી કવાયત આદરી હોય વાહન ચાલકો માટે આ વાત હળાહળ અન્યાયી બનશે.
વધુમાં જેતપુર ચેમ્બરસુત્રો કહે છે કે રાજકોટ અમદાવાદ વચ્ચેનું 215 કિમી નું અંતર હોવા છતાં 3 ટોલનાકા છે. જયારે જેતપુર સોમનાથ વચ્ચેનું અંતર 120 કિમીનું અંતર હોય સોમનાથ સુધીમાં 2 ટોલનાકા વાહન ચાલકોને પરવડે તેમ ના હોય, બે માંથી એક ટોલનાકું તાકીદે બંધ કરવા માંગ દોહરાવી છે.
KASHYAP JOSHI JETPUR JETALSAR-99742 62812

ખીરસરા નજીકથી 1 ચોરાઉ બાઈક સાથે 2 પકડ્યા

જેતપુર તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા-ચાવડાએ
ખીરસરા નજીકથી 1 ચોરાઉ બાઈક સાથે 2 પકડ્યા
જેતપુર તા.7

જેતપુર તાલુકના ખીરસરા ગામ નજીકથી ગત રાતીના 2 રીઢા તસ્કરોને 1 ચોરાઉ બાઈક સાથે લઇ તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા અને ચાવડાએ તપાસનો દૌર ચાલુ કર્યો છે. 
બનાવની મળતી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના જેતપુર તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા અને ચાવડા સ્ટાફના દિવ્યેશ આહીર,  વી. પેટ્રોલીંગમાં હતા ત્યારે તાલુકાના ખીરસરા ગામ પાસેથી પુરપાટ ઝડપે નીકળેલા 2 શખ્શોને રોકી પૂછપરછ કરતા બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.
દરમીયાન પોલીસની લાલ આંખ દરમિયાન આ બંને શખ્શોએ તેઓના નામો દીપક ઉર્ફે દીપુ બટુક દેવીપુજક (રહે. ગોંડલ, હાલ રાજકોટ ના સરધારા) તેમજ શૈલેશ કુરજી દેવીપુજક (રહે.ગોંડલ ) જણાવી બાઈક પણ રાજકોટ તાલુકાના સરધાર ગામેથી ઉઠાંતરી કરી ચોરાઉ હોવાની કબુલાત આપતા પોલીસે આગવી ઢબે કરી હતી. 
આવા સમયે પલીસે પોલીસને એવી વિગતો મળી હતી કે દીપુ અને શૈલેશ બંને રીઢા ઘરફોડ તસ્કરો છે. આ બંને ગોંડલ શહેર અને પંથકની 5-6 ઘરફોડ ચોરીઓને અંજામ આપી ચુક્યા છે. દીપુ ચોરીના એક કેશમાં 7 વર્ષની જેલ સજા કાપી ચુક્યો છે. જયારે શીલેશ એક મહિના પહેલાજ આઈટીઆઈની એક ચોરીના બનાવમાં જેલ સજા કાપી છૂટ્યો છે.
હાલ ફોજદારો કરમટીયા અને ચાવડાએ બન્ને આરોપીઓ રાજકોટ તાલુકા પોલીસના હોય, બંને સામે સીઆરપીસી 41-1ડી અને 102 મુજબ કાર્યવાહી હાથ ધરી, રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા રા.પો. ટ્રાન્સફર વોરંટથી શૈલેશ અને દીપુનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

ફોટો : ચોરાઉ બાઈક અને તસ્કરો દીપુ અને શૈલેશ નજરે પડે છે.
ફોટો :કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 99742 62812
----------------------------------------------------------------------
મંડલીક્પુરની કોલેજીયન યુવતીનું જેતપુરમાંથી અપહરણ 
જેતપુર તા.7
જેતપુરના મંડલીક્પુર ગામે રહેતી એક પટેલ કોલેજીયન યુવતીનું કોઈ અજાણ્યા શખ્શો જેતપુરમાંથી અપહરણ કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પીઆઈ ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના મંડલીક્પુર ગામે રહેતા વલ્લભભાઈ રૈયાભાઈ સેન્જલીયા-પટેલની જેતપુરની બોસમીયા કોલેજમાં અભ્યાસ કરતી યુવાન પુત્રી ગઈ કાલે જેતપુર ના અમરનગર રોડ પરના એક કોમ્પ્યુટર ક્લાસમાં ગયા બાદ સાંજ સુધી ઘરે પરત નાં ફરતા તેઓએ ઘણી તપાસ કરી હતી.
પણ લાડલી દીકરીનો ક્યાય પત્તો નહિ લાગતા કોઈ અજાણ્યો શખ્શ પોતાની પુત્રીને ભોળવી અપહરણ કરી ગયાની પોલીસમાં વલ્લભભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
 કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 99742 62812


મંગળવાર, 5 મે, 2015

જેતપુરની ખાનગી શાળાઓમાં લદાયેલ તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માંગ

જેતપુરની ખાનગી શાળાઓમાં લદાયેલ 
તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માંગ
જેતપુર તા.5 
જેતપુર-નવાગઢમાં ચાલતી મોટાભાગની ખાનગી શાળાઓમાં નવા સત્રથી તોતિંગ ફી વધારો લાદી દીધો હોય, વાલીઓના મૂંગા મોએ આ વાતનો વિરોધ થઇ રહ્યો છે.
આ બાબતે જાગૃત વાલીઓનું કહેવું છે કે જેતપુર નવાગઢમાં ચાલતી મોટાભાગની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં નવા સત્રથી ફીમાં ગજબનો વધારો ઝીંકી દેતા આ મોંઘવારીના જમાનામાં બાળકોને ભણાવવા કે પરીવાનું ગુજરાન ચલાવવું ? તેવો વાલીઓને પ્રશ્ન સતાવી રહ્યો છે.
નિયમો જાણતા વાલીઓ કહે છે કે ખાનગી શાળા સંચાલકોએ 10 % ફી વધારો કરવો હોય તો પણ જીલ્લા શિક્ષણાધીકારીની મંજુરી લેવી પડે, પણ અહી તો ઘરના ભુવા અને ઘરના ડાકલા જેવી કહાવત સાબિત થતી હોય તેમ, અહીના શાળા કાર્યવાહકોને કોઈ કહેવાળું જ નથી !!
એક વાલીએ તો એવું પણ કહ્યું કે તાજેતરમાં જ રાજ્યના શિક્ષણમંત્રીએ એવું જાહેર કર્યું હતું કે તોતિંગ ફી વધારો કરનાર શાળા સંચાલકોને નાથાસે. અને આવી વાત જાહેર થતાજ એવું જાણવા મળ્યું છે કે શિક્ષણમંત્રીને માત્ર બે કલાકમાંજ 400 જેટલી ફરિયાદો મળી હતી. ત્યારે શાળા સંચાલકોથી વાલીઓ કેટલા ત્રાસી ગયા હશે, તેનો આ બેનમુન નમુનો છે.
અમુક મધ્યમવર્ગી જેતપુરના વાલીઓએ તો ત્યાં સુધી ફરિયાદ કરી કે જેમ ખેડૂતો પાક નિષ્ફળ અને અપૂરતા ભાવોથી અઘટિત ઘટનાઓને જન્મ આપી રહ્યા છે તેવો માર્ગ વાલીઓ પણ અસહ્ય ફી વધારાથી ના અપનાવે તેની સરકાર કાળજી રાખે તે જરૂરી છે.
જાગૃત વાલીઓએ બેધ્યાન અને બેદરકાર વાલીઓને જણાવતા તે વાત પણ જણાવી છે કે સંબંધો બગડવાની બીક કે ડર રાખતા વાલીઓ રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીને ફોન નંબર 0281-2223453 ઉપર પણ ફરિયાદો કરી જેતપુરમાં શાળા સંચાલકોએ વધારેલા ફી વધારાને કાબુમાં લેવડાવવાની માંગો કરવી જોઈએ..
-----------------------------------------------------------------------------------------------------------------------
જેતપુરમાં વધુ એક રૂ.50 હજારની ઘરફોડ ચોરી 
જેતપુર તા.5
જેતપુરના નવાગઢ રોડ પરના એક મકાનને નિશાન બનાવી નિશાચરો ગઈ રાત્રીના રૂપિયા 50 હજારના મુદામાલ ની ચોરી કરી ગયાની શહેર પોલીસ થાણે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી મુજબ અહીના નવાગઢ રોડ પર કે કપડાના શો રૂમ પાછળ રહેતા મનસુખભાઈ હીરાભાઈ ગોંડલિયા ગઈકાલે બહાર ગામ જઈને પરત પોતાના ઘરે આવતા દરવાજાના નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. દરમિયાન તપાસ કરતા તસ્કરો કબાટ તોડી રોકડ રૂપિયા 15000 તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.50,000 નો મુદામાલ ચોરી જતા આ બારાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
-----------------------------------------------------------------------------------------------------------------------
જેતપુરના ખેડૂતની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવનાર 
રાજકોટ, જેતપુર અને મૂળીના 3 શખ્શો સામે પોલીસમાં રાવ 
જેતપુર તા.5
જેતપુરના એક ખેડૂતની ખેત જમીન પર કબજો જમાવવા મુળી, જેતપુર અને રાજકોટના એમ ત્રણેય શખ્શોએ બોગસ દસ્તાવેજ બનાવી છેતરપીંડી કર્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ, શહેરના ડોબરીયા વાડી વિસ્તારમાં રહેતા પટેલ રામજીભાઈ માલવિયાની કીમતી જમીન પચાવી પાડવા મૂળીના લક્ષ્મણ નાથા બામ્ભાવા, રમેશ(જંગલેશ્વર-રાજકોટ) તથા વડલી ચોકના વિજય નાથા એમ ત્રણેય શખ્શોએ બોગસ દસ્તાવેજ બનાવી ખેતીનો હક છીનવી લેવાનો પ્રયાસ કરતા નોંધવાયેલ આ પોલીસ ફરિયાદની તપાસ પીએસઆઈ ચૌહાણે હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

સોમવાર, 4 મે, 2015

જેતપુર પંથકની 2 મહિલાઓએ ઘઉંના ઝેરી ટીકડા ખાધા, 1 નું મોત, 1 સારવાર હેઠળ

જેતપુર પંથકની 2 મહિલાઓએ ઘઉંના ઝેરી 
ટીકડા ખાધા, 1  નું મોત, 1 સારવાર હેઠળ 
જેતપુર તા.4
જેતપુર તાલુકના સ્ટેશન વાવડી અને દેદરવા એમ બે ગામોની મહિલાઓએ ઘઉંમાં ભેળવવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા વાવડીની મહિલાનું મોત થયું છે, જયારે દેદરવાના વૃધ્ધા સારવાર હેઠળ હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામની 30 વર્ષીય પટેલ મહિલા નીતાબેન મુકેશભાઈ એ કોઈ અકળ કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા સારવાર માટે શહેરના ખાનગી દવાખાને ખસેડાયેલ, પણ તબીબો નીતાબેનને બચાવી શક્યા નહોતા, પોલીસના જણાવ્યા અનુસાર નીતાબેનનો લગ્નગાળો 8 વર્ષનો છે, તેમજ બે સંતાનો છે. પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી છે.
જ્યારે દેદરવા ગામના મંજુલાબેન પુનાભાઈ નામના 60 વર્ષીય કોળી વૃધ્ધાએ પણ અગમ્યો કારણોસર ઘઉંમાં ભેળવવાની ઝેરી ટીકડીઓ ખાઈ લેતા સારવાર માટે ખાનગી દવાખાને ખસેડેલ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

રવિવાર, 3 મે, 2015

CHUKAADO RADD KARTI JETPUR NI KORT છકડો ચાલકને અપાયેલ 2 વર્ષની સજા રદ કરતી જેતપુરની સેશન્સ કોર્ટ

આજથી 13 વર્ષ પહેલા જેતપુરમાં બાળકીને હડફેટે લઇ મોત નિપજાવવાના બનાવમાં 
છકડો ચાલકને અપાયેલ 2 વર્ષની સજા રદ કરતી જેતપુરની સેશન્સ કોર્ટ 
કોર્ટે કહ્યું અકસ્માત જાણીજોઇને કરાતા નથી હોતા, તેમ રાહદારીઓએ પણ રોડ પર ચાલતા બેદરકાર ના રહેવું જોઈએ જોઈએ !
જેતપુર તા.3
જેતપુરના જુનાગઢ રોડ પર રોડ ક્રોસ કરતી એક બાળકીને અકસ્માતે હડફેટે લઇ મોત નીપજાવનાર છકડો રીક્ષા ચાલકને 2 વર્ષની કેદ અને રૂ.1000 નો દંડ ફટકારવાના જુનિયર કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટે રદ કરી છકડો ચાલકને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યાનું જાણવા મળેલ છે.
મળતી વિગતો મુજબ, આજથી 13 વર્ષ પહેલા એટલેકે તા.21.3.2002 ના રોજ જેતપુરના જુનાગઢ રોડ પર ગંગોત્રી કોમ્પ્લેક્ષ પાસે જેતપુરના રસીલાબેન વિનોદભાઈ, તેમના સાસુ, જેઠાણી અને પુત્રી આરતી ઉ.વ.7 હાઈવે રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે રસીલાબેનની આંગળી છોડાવી પુત્રી આરતીએ રોડ ક્રોસ કરવામાં ઉતાવળ કરતા ત્યારે જ ત્યાંથી પસાર થયેલી જીજે 3સી 5290 નંબરની છકડો રીક્ષાની હડફેટે આરતી ચડી જતા  બાળકીનું સારવાર દરમીયાન મોત થયું હતું.

આ બનાવની પોલીસ દફતરે તા.21.3.2002 ના રોજ ફરિયાદ નોંધાવાતા પોલીસે છકડો ચાલક અરવિંદભાઈ મુળજીભાઈ ધડુક સામે વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી, જરૂરી આધારો, પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા જેતપુરની જુનિયર કોર્ટે તા.7.2.2014 ના રોજ ચુકાદો જાહેર કરી અરવિંદભાઈને 2 વર્ષની સાદી કેદની સજા અને રૂ.1000 નો દંડ ફટકાર્યો હતો.

જે ચુકાદા સામે આરોપી અરવિંદ ધડુકે સેશન્સ કોર્ટમાં અપીલ કરી  હતી. જે કેશની આરોપીના આર. આર. ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી સહિતના વકીલોએ કરેલી દલીલોમાં આરોપીએ જાણી જોઇને અકસ્માત કર્યો નાં હોય, તેમજ બાળકીને બચાવવાના પ્રયાસ કરતા રીક્ષા પલટી જતા ચાલકને પણ ઈજાઓ થઇ હોય, તેમજ નેશનલ હાઈવે જેવા રોડ ક્રોસ કરતી વખતે સલામતી બાબતે વાહન ચાલકો જેટલી રાહદારીઓની પણ જવાબદારી થતી હોય, વિગેરે દલીલોને ધ્યાને લઇ જેતપુર સેશન્સ કોર્ટના જજ એમ.કે.દવેએ જુનિયર કોર્ટના ઉપરોક્ત 2 વર્ષની સજાના ચુકાદાને રદ કરી છકડો ચાલક અરવિંદ ધડુકને નિર્દોષ જાહેર કર્યો છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



શનિવાર, 2 મે, 2015

ધો.8 ના છાત્રોને વિદાયમાન અપાયું KASHYAP JOSHI JETALSAR JETPUR


ધો.8 ના છાત્રોને વિદાયમાન અપાયું 
જેતપુર: જેતપુર તાલુકા  પંથકના મોટા ભાગના ગામોની પ્રાઈમરી શાળાના ધો.8 ના પરિણામો આજે થયા હતા. તાલુકાના કેરાલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં પણ ધો.8 ના વિધાર્થીઓ પાસ થઈને ધો.9 માં જતા આજે શાળાના આચાર્ય મનસુખભાઈ વેકરિયા, મદદનીશ શિક્ષકો મંજુલાબેન શર્મા, રસિકભાઈ ડોબરિયા તેમજ લાલજીભાઈ ભાલાળા અને ગ્રામજનોની હાજરીમાં ધો.8 ના વિદ્યાર્થી બાળકોને વિદાયમાન આપ્યું હતું.
ફોટો કેપ્શન: કશ્યપ જોશી જેતપુર 9974262812

જેતપુરના વિવિધ સમાચારો કશ્યપ જોશી જેતપુર

જેતપુરની મુખ્ય પોસ્ટઓફિસમાં 
સ્ટેમ્પપેપર્સ-રેવન્યુ સ્ટેમ્પ ખલાસ 
થઇ જતા પ્રજાને હેરાનગતિ 
જેતપુર તા.2
જેતપુર શહેરની એમજી રોડ પર આવેલી મુખ્ય પોસ્ટઓફિસમાં છેલ્લા એક મહિના થયા જુદા જુદા દરના સ્ટેમ્પ પેપર્સ તથા રેવન્યુ સ્ટેમ્પ ખલાસ થઇ જતા પ્રજાને પારવાર હાડમારી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.
આ બાબતે સરકારી કચેરીઓ તેમજ કોર્ટ કામગીરી સાથે સંકળાયેલા અરજદારો જણાવે છે કે જેતપુરના એમજી રોડ પર આવેલ મુખ્ય પોસ્ટઓફિસમાં છેલ્લા એક મહિના થયા રૂ.10, 20, 50, 100 ના દરના નોન જ્યુડીશીયલ સ્ટેમ્પપેપર્સ તેમજ રેવન્યુ સ્ટેમ્પ બિલકુલ ખલાસ થઇ ગયા હોય, જમીન લે વેંચના ધંધાર્થીઓ, નોટરી તેમજ સોગંદનામાં કરવા ઈચ્છતા અરજદારો તેમ વકીલ મિત્રો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે.
આ બાબતે પોસ્ટ ઓફિસમાં પૂછપરછ કરાતા એવું જાણવા મળ્યું છે કે અહીની પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ પેપર્સ અને રેવન્યુ સ્ટેમ્પ મોકલવાની જેઓની જવાબદારી થાય છે તેવી ગોંડલ સ્થિત હેડ પોસ્ટ ઓફિસની ટ્રેઝરી શાખામાં લાયસન્સ રીન્યુ થયા ના હોય આ કચેરી તેમની હેઠળની પોસ્ટ ઓફિસોમાં સ્ટેમ્પ પેપર્સ તથા રેવન્યુ ટીકીટ મોકલી શકતી નથી. લાગતા વળગતા સતાધીશો તાકીદે જેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ પેપર્સ તેમજ રેવન્યુની અછતને દુર કરે તેવી પ્રજામાં માંગણી થઇ રહી છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરના લેખકનું રાજકોટમાં સન્માન 
જેતપુર : જેતપુરની સેવાભાવી સંસ્થાના પ્રમુખ, જાણીતા વાર્તાકાર અને લેખક હરીશભાઈ મણિયારનું તાજેતરમાં રાજકોટ ખાતે બજરંગ મિત્ર મંડળ આયોજિત સર્વરોગ નિદાન દરમિયાન મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરાયું હતું.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરમાં તા.7 થી 13.5 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન
જેતપુર: શ્રી સાંઈનાથ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા સરદાર ગ્રુપ(દેસાઈ વાડી) જેતપુર દ્વારા, શામનાથ મહાદેવ મંદિર નજીકના અવેડા ચોક ખાતે, ગૌસેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.  રમેશભાઈ શામળજીભાઈ જોશી ના વ્યાસાસને ચાલનારી આ  કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવવાના હોય, ધર્મપ્રેમી જનતાએ કથા શ્રાવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


આજથી 5 વર્ષ પહેલા જેતપુર નજીકના અકસ્માતનો કેઈસ 
મારુતિ ચાલકને હડફેટે લઇ ઈજા કરનાર બોલેરો ચાલકને 
1 વર્ષની સાદી કેદની સજા કરતી જેતપુરની કોર્ટ 
જેતપુર તા.2
આજથી પાંચ વર્ષ પહેલા જેતપુર નજીકના એક અકસ્માતમાં બોલેરો કાર ચાલકને કસુરવાર માની જેતપુરની કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 1600 ફટકાર્યો હોવાનું એપીપી પંચાલે જણાવ્યું હતું.
આ અંગે મળેલી વિગતો મુજબ આજથી 5 વર્ષ પહેલા એટલેકે તા.10.3.2010 ના રોજ જેતપુર નજીક નેશનલ હાઈવે ઉપર ટોલનાકા નજીક જીજે 17 સી - 4735 નંબરની બોલેરો કાર ચાલક રીકુંજ બટુક ઠેસિયા રહે. ધોરાજી એ જીજે 5એ 287 નંબરની મારુતિ કારને પાછળથી ભટકાડી મારુતિ ચાલક ધીરુભાઈ પોપટભાઈને ફ્રેકચર જેવી ઈજાઓ કરતા ગુ.ર.નં.499/10 થી પોલીસમાં રીકુંજ સામે ઈપીકોક 279, 337, 338, તથા એમવી એક્ટ 177, 184, 134 મુજબ ગુનો નોંધાયો હતો.
જે ગુનાનો કેઈસ જેતપુરની કોર્ટમાં ચાલતા ફરિયાદ પક્ષના એપીપી ડી.બી.પંચાલ અને બચાવ પક્ષના વકીલ બી.પી.ત્રિવેદીની દલીલો વચ્ચે જજ જોય સ્નેહલકુમાર મહેતાએ બોલેરો ચાલક રીકુંજ ઠેસીયાને કલમ 279 ના ગુનો સાબિત માની 6 માસની સાદી કેદની સજા અને રૂ.500 દંડ, અને દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદ, કલમ 338 માં 1 વર્ષની સાદી કેદ તથા રૂ.1000 દંડ, અને દંડ ના ભારે તો વધુ 2 માસની સાદી કેદની સજા ફટકારી હતી.
જયારે મોટર વ્હીકલ એક્ટની કલમ 134 સાથે વાંચતા કલમ 177 ના ગુનામાં પણ રીકુંજને તકસીરવાન ઠેરવી રૂ.100 નો દંડ અને જો દંડ ના ભરે તો દિવસ-2 ની સાદી કેદની સજા કરી હતી. સરકારી વકીલ પંચાલે આ તકે જણાવેલ કે બેફિકરાઈભરી રીતે વાહનો ચલાવી બીજાની જીંદગી જોખમમાં મુકનાર કસુરવાર વાહન ચાલકો માટે આ ઘડારૂપ ચુકાદો છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


કોલેજનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ 
જેતપુર: તાજેતરમાં ઓમ એન્જી.કોલેજના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ એલઈ-કોલેજ મોરબી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ઇવેન્ટ આઈએમઈસી-2015 માં બીલ્ડ બેમિશાલ બ્રીજ મોડેલ સાથે સ્પર્ધામાં ભાગ લેતા 6 વિદ્યાર્થીઓ બીજો-ત્રીજો રેન્ક મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું, જેમાં બીજો રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓમાં પુનીત અગ્રાવત(જેતલસર), પરાગ ઠુંમર તથા વાઢેર ઉદય તેમજ ત્રીજો રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓમાં જય ચનીયારા, જયદેવ ગુંજન તથા ભૌતિક કોલડીયાનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.

કશ્યપ જોશી જેતપુર 99742 62812




શુક્રવાર, 1 મે, 2015

નવાગઢના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

નવાગઢના  યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત 
જેતપુર તા.1
નવાગઢના એક દલિત યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ નવાગઢના કડિયા પ્લોટમાં રહેતા મનોજ રાજશી જાદવ નામના 19 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મનોજની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હતી. બનાવની વધુ તપાસ લાભુભાઈ બારોટે હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 99742 62812


જીલ્લા ફેર બદલીની વાતમાં સરકારનો ના.મામલતદારોને ગોળ અને શિક્ષકોને ખોળ !!
રાજ્યભરના શિક્ષકો-શિક્ષણ સહાયકોને જીલ્લાફેર બદલીઓમાં 
નોકરીના 5 વર્ષની મર્યાદા નક્કી કરાતા માસ્તર આલમમાં રોષ 
શિક્ષકો કહે છે કે રાજ્યના નાયબ મામલતદારોને 3 વર્ષની નોકરી બાદ જીલ્લા ફેર બદલીઓ તક આપનાર સરકાર શિક્ષકોની નોકરીઓના 5 વર્ષ પછીજ જીલ્લાફેર બદલીમાં સમાવવાનો શા માટે આગ્રહ રાખે છે ? અમારો વાંક શું, ગુનો શું ? ઈ તો કહો !!
(કશ્યપ જોશી ) જેતપુર તા.1 
      રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને શિક્ષણ સહાયકોની જીલ્લાફેર બદલીઓના કેમ્પ આગામી ટૂંક દિવસોમાં યોજાનાર છે. પણ આ વાતમાં જે શિક્ષકો-શિક્ષણ સહાયકોએ પોતાની જગ્યાએ 5 વર્ષ નોકરી કરી હોય તેઓને જ આ બદલી કેમ્પોમાં સમાવવાના સરકારના પરિપત્રોનો જેતપુર સહીત રાજ્યબહારની માસ્તર આલમે રીતસરનો વિરોધ નોંધાવી, નાયબ મામલતદારોની જેમ 3 વર્ષની નોકરી પૂરી થઇ ગઈ હોય તેવા ગુરુજીઓને પણ જિલ્લાફેર બદલી કેમ્પોમાં સમાવવા માંગ દોહરાવી છે.
      આ બાબતે વિગતો આપતા જેતપુરના સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધમિક શાળાના શિક્ષકો અને શિક્ષણ સહાયકો જણાવે છે કે સરકાર દ્વારા મે-2015 મહિના દરમિયાન 10.5. ના રોજ તમામ જિલ્લાઓના આંતરિક બદલી કેમ્પ, તથા 30.5. ના રોજ આંતર જીલ્લા બદલી કેમ્પ(રાજ્ય કક્ષા) યોજાનાર છે. આ માહિતી નાયબ નિયામક(મહેકમ), કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા  તા.18.4.2015 ના 49/મકમ/બદલી/2015/1581-161 નંબરના પરિપત્રથી જાહેર કરાયું હતું.
     સરકારની આવી જાહેરાતથી નોકરીએ લાગ્યા ત્યારથી એટલેકે નોકરીએ ચડ્યા તે વાતને પાંચ વર્ષ પુરા કરવામાં માત્ર 3-4 મહીનાજ છેટા રહેનાર  શિક્ષકો, શિક્ષણ સહાયકો ગેલમાં આવી ગયા હતા. કેમ કે અનેક માસ્તર સાહેબો પોત પોતાના વતનથી દુર કે અન્ય જિલ્લાઓમાં નોકરીએ લાગ્યા હોય, હવે રોજ ઘરે આવીને પરિવારના બાળ, બચ્ચા, પત્ની, પતિ કે માતા-પિતાને મળી શકાશે તેવી આશામાં ખુશીના માર્યા ઝૂમતા હતા. 
       પરંતુ સરકારની ઉપરોકત કચેરી પરથીજ તા.24.4.2015 ના 49/મકમ/બદલી/2015/1814-47 નંબરના વછૂટેલા પરીપત્રથી હજારો ગુરુજીઓની આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ, આ પરિપત્રમાં પેરા નં.(3) માં...જીલ્લાફેર બદલી કરાવવા માંગતા શિક્ષકો કે શિક્ષણ સહાયકોએ જે તે જીલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી કેમ્પની તારીખે પૂર્ણ કરેલી હશે તેઓનેજ આ બદલી કેમ્પમાં સમાવાશે તેવી સ્પષ્ટતા કરતા માસ્તર આલમ મૂંગા મોએ , રોષભેર,  સમસમી ન્યાય માટે આમથી તેમ ભટકી રહ્યા છે.
    તા.18.4. ના અને રાજ્યભરના જીલ્લા શિક્ષણાધીકારીઓને ઉદેશીને લખાયેલા પરિપત્રમાં નોકરીની કોઈ મર્યાદા નક્કી જાહેર કરાઈ નહોતી ત્યારે માત્ર 6 દિવસમાં સરકારને માસ્તરોની નોકરીના 5 વર્ષ નક્કી કરવામાં ક્યાં સમીકરણો ભાગ ભજવી ગયા કે માસ્તરોને ભોગવવું પડ્યું ? તેવો સવાલ જેતપુર સહીત રાજ્યભરના અને જિલ્લાફેર બદલીઓ ઈચ્છાતા શિક્ષકો-શિક્ષણ સહાયકોમાં ઉઠી રહ્યો છે.
બોક્સ: સરકારી કામોના બધા ઢરડા અમ શિરે, હવે કો..ક સહાનુભુતિ દાખવો, બાપ !!
જેતપુર: નામો જાહેર કરીએ તો ભાઈ જિંદગીભર બદલીઓ નાં થાય ! આવી વાતથી સરકારી તંત્રોથી ધ્રુજતા જેતપુર સહીત રાજ્યના માસ્તરો કહે છે કે સરકારની નાની મોટી કોઈપણ કામગીરીઓ હોય, શિક્ષકોને ઢરડાઓ કરાવવામાં કઈ બાકી રખાતું નથી ! હવે જ્યારે શિક્ષકો કે જેઓ વતનથી જોજનો દુર ફરજો બજાવવામાં, શારીરિક, આર્થિક અને કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સહાનુભુતિ દાખવી તેઓની તરફેણમાં જિલ્લાફેર બદલીઓ કરવામાં આવે તેવી ગુરુજીઓની અપીલ ધ્યાને લેવા માંગ દોહરાવાઈ છે.

બોક્સ: ના.મામલતદારોને ગોળ, અમોને ખોળ ?! શિક્ષકોનો વસવસો 
જેતપુર : જેતપુરના સરકારી શિક્ષકોએ એક વાતનો ફોડ પાડતા જણાવેલ કે, માર્ચ-2015 દરમિયાન રાજ્યના મહેસુલ વિભાગે તમામ કલેકટર કચેરીઓ પર એક પરિપત્ર મોકલાવી વર્ષ-2012 માં સીધી ભરતીથી નિમણુંકો પામેલ ફિક્સ પગારના કરાર આધારિત નાયબ મામલતદારોને જિલ્લાફેર બદલી કેમ્પમાં સમાવવા ફરમાન કરાયું હતું. મતલબ કે નાયબ મામલતદારોએ જે તે જીલ્લામાં 3 વર્ષ નોકરી કરી હોય તોય તેઓને બદલીનો લાભ(ગોળ) અને અમોને(શિક્ષકોને) 5 વર્ષની નોકરી પૂરી હોય તો જ તક ?(ખોળ )!! શું નાયબ મામલતદારોને જ આર્થિક, સામાજિક, યાતનાઓ ભોગવવી પડે છે ? શિક્ષકોને નહિ ?
આ પ્રશ્ન ધ્યાને લઇ ઉપરોક્ત બદલી કેમ્પમાં શિક્ષકો માટે જાહેર કરાયેલ 5 વર્ષની નોકરીને બદલે તેનાથી ઓછી નોકરી કરી  ચુક્યા હોય તો પણ સમાવવા માંગ કરાઈ છે. 

સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે 
સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા 
શહેરના ખુલ્લા પ્લોટમાં એકત્ર થયેલા કચરાના ઢગલા તાત્કાલિક દુર કરવા સંબંધિતોને તાકીદ 
(કશ્યપ જોશી ) જેતપુર તા.1
આજે પહેલી મેં અને ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી જયેશ રાદડીયાએ અહીના સરદાર પટેલ ગાર્ડનથી 15 દિવસીય સ્વચ્છતા અભિયાનનો સુભારંભ કરાવ્યો હતો.
  સરદાર પટેલ બગીચા ખાતે સૌ પ્રથમ શ્રી સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ જણાવેલ કે દેશભરમાં ચાલતા અને ચલાવાતા સ્વચ્છતા અભિયાને આગળ ધપાવવા પ્રત્યેક માણસે પોતાની જવાબદારી સમજવી પડશે, જ્યાં સુધી આપણું આંગણું ચોખું નહિ થાય ત્યાં સુધી બીજાની જગ્યામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવી કઠીન લાગશે, મંદિરમાં જેમ બુટ-ચપલ બહાર ઉતારીનેજ દર્શન કરીએ છીએ તેવો ધાર્મિક ભાવ સ્વચ્છતામાં કેળવાશે તો ક્યાય ગંદકી નહિ રહે.
માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર વ્યાસ, ગોંડલના ડેપ્યુટી કલેકટર જાડેજા વિગેરેની હાજરી વચ્ચે રાદડીયાએ એ વાતની પણ સંબંધિતોને તાકીદ કરી હતી કે શહેરમાં જ્યાં જ્યાં ખુલ્લા પ્લોટ છે ત્યાં ગંદકીના ગંજ ખડકાયા હોવાની ફરિયાદો મળી રહી હોય, આવા પ્લોટોમાંથી તાકીદે ગંદકી હટાવી લેવી, તેવીજ રીતે શહેરના જાહેર, સરકારી, બિનસરકારી ક્ષેત્રોમાં પણ સંબંધિતો સ્વચ્છતા કેળવે તે જરૂરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812

ગુરુવાર, 30 એપ્રિલ, 2015

ફર્નીચરનું કામ કરતા 2 પરપ્રાંતિય યુવાનોને વીજશોક લાગતા એકનું મોત, 1 ગંભીર




જેતપુરના પેઢલા નજીકની ધવલ નામની શાળામાં 
ફર્નીચરનું કામ કરતા 2 પરપ્રાંતિય યુવાનોને 
વીજશોક લાગતા એકનું મોત, 1 ગંભીર  
જેતપુર તા.20
જેતપુરના પેઢલા નજીકની એક ખાનગી શાળામાં ચાલતા ફર્નીચરના કામકાજ દરમિયાન બનેલા વીજ શોકના બનાવમાં એક યુવાનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ રીફર કરાયો હોવાનું પોલીસ જણાવે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર પેઢલા ગામ પાસે તત્કાલ હનુમાન મંદિરથી આગળ આવેલ  ધવલ નામની શાળામાં હાલના દિવશોમાં પરચુરણ ફર્નીચર કામ ચાલે છે.
જેમાં ગોંડલના ભનુભાઇના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા બે પરપ્રાંતીય યુવાનો મનોહર શર્મા ઉ.વ. 37 તથા સંદીપ દયારામ ઉ.વ.19 આજે સ્કુલ ગેઇટ બહાર લોખંડનો ઘોડો લઇ જતા હતા ત્યારે અચાનક આ ઘોડો ઉપરથી પસાર થતી વીજ કંપનીની 11 કેવી લાઈનને અડકી જતા સર્જાયેલ વીજ શોકના બનાવમાં માંનોહરનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે વીજ શોકથી ગંભીર રીતે ઘવાયેલા સંદીપને પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. બનાવની જાણ પરથી સ્કુલે દોડી ગયેલા જેતપુર તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ મનાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

બુધવાર, 29 એપ્રિલ, 2015

ઉપલેટાથી રાજકોટ જતું મેટાડોર પોલીસની હડફેટે !!
જેતપુરના પેઢલા  નજીકથી શંકાસ્પદ કઠોળ 
ભરેલા મેટાડોરને પકડતા એસપી દેસાઈ
પોલીસે રૂ.170750 નું અનાજ અને રૂ.2.50 લાખનું મેટાડોર કબજે કર્યું  
જેતપુર તા.29
જેતપુર તાલુકા પેઢલા ગામ પાસે ચેકિંગમાં ઉભેલા જેતપુરના એસપી દેસાઈએ શંકાશ્પદ કઠોળ-અનાજ ભરેલા એક મેટાડોરને પકડી  પાડી તપાસનો દૌર ચાલુ કર્યો છે.
મળતી માહિતી મુજબ જેતપુરના એસપી દેસાઈ આજે સાંજે તાલુકાના પેઢલા નજીક  ચેકિંગ માટે ઉભા હતા ત્યારે ઉપલેટાથી ગોંડલ-રાજકોટ જતા જીજે 3વાય 9026 ને રોકી ડ્રાઈવર રમેશ જાદવ(રહે.રાજપીપળા) ની પૂછપરછ કરતા રમેશે સંતોષકારક જવાબ જવાબ આપ્યો નહોતો અને મેટાડોરમાં ભરેલ અનાજ-કઠોળના કટ્ટાના બીલો પણ નાં હોય સૌ પ્રથમ એસપી એ 14/1 ડી મુજબ મેટાડોર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. 
દરમિયાન તાલુકા પોલીસ મથકે લઇ જવાયેલ મેટાડોર માં રહેલ રૂ.170750/-00 નું અનાજ-કઠોળ અને રૂ.2.50 લાખના મેટાડોરને કબજે લઇ આઈપીસી 102 મુજબ (શક પડતી માલમત્તા) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે ઉપલેટા યાર્ડમાંથી દલાલોએ ખરીદેલ આ માલ ગોંડલ-રાજકોટની યાર્ડમાં વેંચવા લઇ જવાતો હતો. હવે આ કઠોળ-અનાજના માલિક કોણ છે તે તપાસ દરમિયાન બહાર આવશે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ

જેતપુરનાલુણાગરી ગામનો બનાવ 
નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર 
છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ 
જેતપુર તા.29
જેતપુરના લુણાગરી ગામે સામાન્ય બોલાચાલી દરમિયાન બે શખ્શોએ એક આધેડ ઉપર છરી અને લાકડી વતી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ તાલુકાના લુણાગરી ગામે રહેતા વણકર રસિક રામજી ડાભીના પત્ની સાથે બોલાચાલી કરનાર તે જ ગામના બે શખ્શો ઘુસા ભીખા સરવૈયા અને હરેશ રવજી સરવૈયાને ટપારવા ગયેલા રસિક રામજી ઉપર ઉગ્રાવેશ ધારણ કરી બંને ખાંટ શખ્શોએ છરી તેમજ લાકડી વતી હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર - 9974262812