જેતપુરના મંડલીક્પુર નજીકના અકસ્માતમાં ઘવાયેલા
તડકાપીપળીયાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
જેતપુર તા.12
આજથી એક ચાર દિવસ પહેલા જેતપુરના મંડલીક્પુર ગામ નજીક બાઈક સ્લીપ થતા ઘવાયેલા તડકા પીપળીયા ગામના ચમાર વૃદ્ધનું આજે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયાનું તાલુકા પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના બધાભાઈ વાલાભાઈ મહીડા નામના 65 વર્ષીય વૃદ્ધ પોતાના પુત્રના બાઈક પાછળ બેસીને ગત તા. 8.5. નારોજ ધોરાજી તરફ જતા હતા.
આવા સમયે મંડલીક્પુર ગામ પાસે અચાનક બાઈકનું ટાયર ફાટતા, બાઈક સ્લીપ થઇ જતા બધાભાઈને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટ ખસેડેલ, જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા ગુંદાળાના દલિત યુવાનનું ઝેરી દવા પીતા મોત
જેતપુર અ.12
તાલુકાના રાજેશ માધા વાઘેલા નામના 22 વર્ષના યુવાને કોઈ અગમ્યો કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીની સંજીવની હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થતા તેમની ડેડબોડી પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોની જાણ પરથી તાલુકા પોલીસે કાયદેસરની વિધિ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો