જેતપુરમાં રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચે તાલુકા સેવા સદન બનશે ૯મી જૂને
મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ખાતમુહૂર્ત કરશે
જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી ૩૨૭૮.૭૬ ચો.મી. જમીનમાં ત્રણ મજલાની ઇમારતમાં મામલતદાર,સબ રજીસ્ટ્રા ર સહિત ૧૧ કચેરીઓ બેસશે રાજકોટ ૮ જુન – ઔદ્યોગિક તથા કૃષિ પ્રવૃત્તિથી ધમધમતા જેતપુર શહેર અને તાલુકાના લોકોની સુવિધામાં હજુ વધારો થવાનો છે. રાજય સરકાર દ્વારા જંગી રકમની ફાળવણી કરવામાં આવતા જેતપુર શહેરની જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી જમીનમાં તાલુકા સેવા સદન બનાવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા જેતપુર તાલુકા સેવા સદનમાં મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સહિત કુલ ૧૧ જેટલી સરકારી કચેરીઓ કાર્યરત થશે. જેતપુર તાલુકા સેવા સદનનું ખાતમહૂર્ત તા. ૯ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યેચ માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવશે. રાજકોટ કલેકટરશ્રી દ્વારા વર્ષ ર૦૦૩માં જેતપુરના સર્વે નંબર-૧૪ પૈકીની જૂનાગઢ રોડ પર સીડ ફાર્મ તરીકે ઓળખાતી જમીન સરકારી ઉપયોગ માટે માર્ગ અને મકાન વિભાગને ફાળવવામાં આવી હતી. જેમાં તાલુકા સેવા સદન ૩૨૭૮.૭૬ ચોરસ મીટરમાં બનશે. આ માટે રાજય સરકાર દ્વારા રૂ. ૧૦.૨૧ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડજરિંગ પ્રક્રિયા કરાયા બાદ જે.પી.સ્ટ્રીકચરને આ કામ સોપવામાં આવ્યું્ છે. એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. આ કામના નકશા મુખ્ય સ્થીપતિ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. તે પૈકી ગ્રાઉન્ડચ ફલોર પર ૧૩૮૪ ચો.મિ. પ્રથમ માળ પર ૧૩૮૩ ચો.મિ., બીજા માળે ૧૨૪૨ ચો.મિ. અને ત્રીજા માળ પર ૧૨૫૮ ચોરસ મિટરનું બાંધકામ થશે. બારી દરવાજા એલ્યુ મિનીયમ સેકશન પાઉડર કોટેડ તથા એફઆરપીના લેવામાં આવ્યાજ છે. ઓફિસના બહારના ભાગે હેરીટેજ પ્લારસ્ટજર કરવામાં આવશે. આંતરિક રસ્તાા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિાશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંેગ, ટ્રી પ્લા્ન્ટેાશન, બોર અને લિફટની સુવિધા રહેશે. એકાદ વર્ષમાં કામગીરી પૂર્ણ થતા મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડમ બી., જિલ્લાવ પંચાયત અને સ્ટેેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે. જેતપુરમાં અત્યાેરે ૬ જેટલી કચેરીઓ ભાડાના મકાનમાં બેસે છે. તેનું તાલુકા સેવા સદનમાં સ્થ,ળાંતર થતાં પ્રતિ માસ રૂ. ર લાખ ૪૦ હજારની બચત થશે. તાલુકા સેવા સદન માટે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી પી.જે.ભગદેવના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી પી.આર.શાહ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એન.આર.ઠકકર જહેમત લઇ રહ્યાં છે.
મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ રાજકોટ જીલ્લાની મુલાકાતે રાજકોટ
ખાતે મહેસુલી કામગીરીની સમીક્ષા કરશે
જિલ્લા અને રાજકોટ શહેરની આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે ગોંડલ ખાતે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ તથા જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનનું ખાતમુહુર્ત કરશે
રાજકોટ ૮ જુન – રાજયના મહેસૂલ, આપત્તિ વ્યાવસ્થાીપન, માર્ગ મકાન તેમજ મહિલા અને બાળકલ્યાૂણ વિભાગના મંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલ તા. ૯ અને ૧૦ જુનના રોજ રાજકોટ જિલ્લા્ની મુલાકાત લઇ જિલ્લાાની મહેસુલ વિભાગની કામગીરીની સમીક્ષા કરશે તેમજ અન્યઅ કાર્યક્રમોમાં ઉપસ્થિોત રહેશે. તેઓ તા. ૯મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનના કામનું ખાતમુહૂર્ત કરશે બાદમાં બપોરે બે વાગે જેતપુર નગરપાલીકાની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નીરીક્ષણ કરશે. તેઓ સાંજે પ.૦૦ વાગે રાજકોટ આવીને જિલ્લાઆની મહેસુલી કામગીરીની તેમજ સરદાર સરોવર નર્મદા નિગમની જમીન સંપાદન કામગીરીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિટત રહેશે. મંત્રીશ્રી આનંદીબેન પટેલ તા. ૧૦મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે રાજકોટ મ્યુ નિ. કોર્પોરેશન વિસ્તાારની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નિદર્શન કરશે. બાદમાં બપોરે ર-૦૦ થી ૪-૦૦ ગોંડલ ખાતે નગરપાલિકા વિસ્તાઇરમાં આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે. તેઓ બપોરે ૪/૧૫ વાગે ગોંડલ ખાતે બંધાયેલ અદ્યતન તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરશે અને બાદમાં જામનગર જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો