અનુયાયીઓ

ગુરુવાર, 9 જૂન, 2011

વરાછા પોલીસ સ્ટેશનમાં કબજે લેવાયેલા વાહનો ખરીદવા છે?

સૂરતઃવરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટ આર.એસ. પટેલના જણાવ્યા પ્રમાણે બીનવારસી હાલતમાં કબ્જે કરવામાં આવેલા વાહનો પૈકીના ૧૩૦ જેટલા વાહનોની હરાજી કરવા માટે મદદનીશ પોલીસ કમિસનર એ-ડીવીઝન દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે આ વાહનોની જાહેર હરાજી તા.૧૦, ૧૨ અને ૧૪ જૂનના રોજ સવારે ૯ઃ૦૦ વાગે વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે. જ્યારે તા. ૧૬મીના રોજ ૩૮ વાહનોની હરાજી જુની નશાબંધી ઓફીસ ખાતે કરવામાં આવશે. હરાજીની શરતો હરાજીના દિવસે રૂબરૂ જણાવવામાં આવશે.

ટિપ્પણીઓ નથી: