અમદાવાદ : આઇ.ટી.આઇ. સરસપુર અને જર્મનીના વોક્સવેગન ગ્રુપ વચ્ચે આજે ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ ખાતે અદ્યતન તાલીમ આપવા અંગેના સમજુતી કરારો શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળાની ઉપસ્થિતીમા કરવામાં આવ્યા હતા.
ઇન્સ્ટ્રકટર્સ અને તાલિમાર્થિઓના ઓટોમોબાઇલ્સ ટેક્નોલોજીને લગતુ જ્ઞાન અને કુશળતામાં વધારો કરવાના ઉદ્દેશથી કરવામાં આવેલ કરારમા ભારતના પશ્ચીમ વિભાગમાં ગુજરાત રાજ્યની એક માત્ર આઇ.ટી.આઇ. સરસપુરને વોક્સવેગન ગ્રુપ દ્વારા પંસંદ કરવામા આવેલ છે. જે અતર્ગત આઇ.ટી.આઇ. સરસપુર ખાતે અંદાજે રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન તાલિમ કેન્દ્ર શરૂ કરવામા આવશે.
વોક્સવેગન ગ્રુપ ઓડી અને સ્કોડા કારના ઉત્પાદકો છે અને પુના ખાતે વાહનોનુ ઉત્પાદન કરીને સમગ્ર દેશમાં સેલ્સ અને સર્વિસની કામગીરી કરે છે.
આઇ.ટી.આઇ. સરસપુરના મિકેનીક મોટર વ્હિકલના બીજા વર્ષના તાલિમાર્થીઓને રેગ્યુલર ઉપરાંત અદ્યતન કોર્ષની તાલીમ આપવાની સાથોસાથ વોક્સવેગન ગ્રૂપના ડિલર્સને ત્યાં ઇન્ટરશિપ માટે મોકલવામા આવશે અને સફળતા પુર્વક તાલિમ પૂર્ણ કરનાર તાલિમાર્થીને ડિલર્સને ત્યાં નિમણુકની તક પણ આપવામા આવશે.
સરસપુર આઇ.ટી.આઇ. ના નિયામક શ્રી આર. એમ. જાદવ અને વોક્સવેગન ગ્રૂપના ડાયરેકટર શ્રી Dietmar Hildelrand વચ્ચે કરવામાં આવ્યા હતા આ કરારને આવકારી અધિક મુખ્ય સચિવ શ્રી વરેશ સિન્હા એ ગુજરાતમા ઔદ્યોગિક ક્ષેત્રે થઇ રહેલ પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલા, આઇ.ટી.આઇ. સરસપુરના આચાર્ય શ્રી જી.બી.જાડેજા તથા ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ - (સમાચાર યાદી તા. ૦૯-૬-૨૦૧૧)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો