અનુયાયીઓ

ગુરુવાર, 9 જૂન, 2011

સાયકલ અને ટુ વ્‍હીલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ

રાજકોટ– આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્‍હીલર વાહનો ઉપર સ્‍ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્‍યાઓમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્‍યોને અંજામ આપવામાં આવે છે. જાહેર વ્‍યવસ્‍થા, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશનર, રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્‍તારમાં સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્‍હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્‍ટોએ જયારે જયારે આવા સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલરો વાહનો વેચવામાં આવે ત્‍યારે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્‍ય પાલન કરવાના હુકમ જારી કરાયા છે.
આવા વાહનો ખરીદનારાને અવશ્‍ય બિલ આપવુ અને તેની સ્‍થળપ્રત કબ્‍જામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્‍યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્‍થાનુ પ્રમાણપત્ર કે સ્‍થાનીક અગ્રણીઓ જેવા કે મ્‍યુનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્‍યશ્રી, સંસદસભ્‍યશ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્‍કુટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્‍હિલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્‍જીન નંબર અવશ્‍ય લખવો, સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હિલર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્‍યારે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૧૦-૦૬-૨૦૧૧ થી તા. ૯-૦૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: