અનુયાયીઓ

શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

જેતપુરની ખાનગી શાળાનો વાર્ષિકોત્સવ રદ કરાવતું મામલતદાર-પોલીસ તંત્ર

સ્વાઈનફ્લુ રોગને કાબુમાં લેવાના ભાગરૂપે 
જેતપુરની ખાનગી શાળાનો વાર્ષિકોત્સવ 
રદ કરાવતું મામલતદાર-પોલીસ તંત્ર
જેતપુર તા.28
જેતપુરમાં આજે રાત્રે યોજાનાર એક ખાનગી શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમ પર મામલતદાર-પોલીસ તંત્રએ બ્રેક મરાવી વાયુવેગે ફેલાતા સ્વાઈનફ્લુ રોગચાળાને મહદઅંશે રોકવા સંગીન પ્રયાશ કર્યાની વિગતો મળી હતી.
આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરની ખાનગી શાળા અંકુર નો આજે રાત્રે સરદાર ચોકના એક પ્લોટમાં વાર્ષિકોત્સવ  યોજાનાર હતો. 
બીજીબાજુ રાજકોટ શહેરમાં  સ્વાઈનફ્લુ રોગને બને તેટલો રોકવા 144 ની કલમ અમલી બનાવાઈ હોય, સરકારી તંત્રો ઉંધે માથે આ માટે સજાગ થઇ રહ્યા છે. ત્યારે જેતપુરમાં ઉક્ત શાળાના વાર્ષિકોત્સવ કે જેમાં વિદ્યાર્થી બાળકો અને વાલીઓ મળી 5-6 હજાર જન સમુદાય ભેગો થનાર હોય, જો આ કાર્યક્રમ થાય તો સ્વાઈનફ્લ્લું રોગ મહત્વનો ભાગ ભજવે તેમ હોવાની દહેશત સાથે સ્થાનિક જાગૃત માણસોએ મામલતદાર, સીટી પીઆઈ , રાજકોટ ખાતે એસપી સહિતના સંબંધિતોને આજે સવારથીજ ટેલીફોનિક તેમજ ફેક્સ મારફતે   રજુઆતો-ફરિયાદ કરતા, જેઓ જેઓને રજુઆતો કરાઈ હતી તે તમામેં  પોલીસ અને મામલતદારસુત્રોએ શાળા સંચાલકોને જરૂરી સુચના અને આદેશો આપી શાળાનો કાર્યક્રમ રદ કરાવ્યો હતો.
જાગૃત વાલીઓએ એક એવો પણ રોષ વ્યક્ત કરેલ કે શાળા સંચાલકોએ માનવતા દાખવીને જ તેમનો કાર્યક્રમ બંધ રાખવાનું મુનાશીબ માન્યું હોત તો શાળા પ્રત્યે લોક્ચાહ્નામાં વધારો થવા પામત..

કશ્યપ જોશી જેતપુર જેતલસર KKU 
99742 62812

જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ

જેતપુરના એસ.ટી. બસ્ટેન્ડ સ્થિત 
જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ 
યુરીનલની દીવાલ પર લગાડાયેલ રૂપિયા ના લેવાતા હોવાનું બોર્ડ નિરર્થક !
જેતપુર તા.28
જેતપુર ના એસ.ટી. બસસ્ટેન્ડમાં ઉભા કરાયેલ શૌચાલયમાં યુરીનલમાં બેઠેલ માણસ મહિલા વર્ગ પાસેથી 2-2 રૂપિયા પડાવતો હોવાની મુસાફર આલમમાં ફરિયાદ ઉઠી છે.
આ બાબતે બાંટવા દેવળીના એક આધેડ મહિલાએ સ્થાનિક અખબારનવેશોને કેમેરા સામે ફરિયાદ કરતા જણાવેલ કે એક બાજુ જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં ઉભી કરાયેલ જાહેર શૌચાલયમાં યુરીનલનો લાભ લેતા મહિલા વર્ગ પાસેથી રૂપિયા 2-2 વસુલે છે. જયારે તે જ શૌચાલયની દીવાલ પર એક સુચના આપતું બોર્ડ લગાવ્યું છે કે યુરિનનો એક પણ રૂપિયો કોઈની પાસેથી લેવામાં આવતો નથી.
આ બાબતે સંબંધીતોને ફરિયાદ કરાય છે તો કહેવાય છે કે સુચના આપી દેશું, પણ આ ફરિયાદનો હજુ નિકાલ ના થયો હોવાની મુસાફર આલમમાં બુમરાણ સાંભળવા મળી છે. સમજુ મહિલા વર્ગે ત્યાં સુધી કહ્યું કે ટોઇલેટના લેવાતા પૈસા બાબતે કોઈ ફરિયાદ નથી, પણ યુરિનના પૈસા લેતા તો બંધ થાવ !!
ત્યારે એસટીસુત્રો આવી નઝીવી રાવનો તાકીદે નિવેડો લાવી મહિલા મુસાફરવર્ગ  પાસેથી વસુલાતા પૈસા તાકીદે બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.
કશ્યપ જે.જોશી - જેતપુર - જેતલસર - 99742 62812

મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015

2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ

જેતપુરમાં 9 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરજમાં પીએસઓને 
રુકાવટ કરનાર યુવાનને 2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ 
જેતલસર(જેતપુર) તા.24
જેતપુરના શહેર પોલીસ સ્ટેશનમાં આજથી નવ વર્ષ પહેલા ફરજ પરના પીએસઓ સાથે બોલાચાલી કરી ફરજમાં રુકાવટ પેદા કરનાર જેતપુરના એક રબારી યુવાનને આજે જેતપુરની કોર્ટે 2 મહિનાની સજા અને રૂપિયા 500 દંડ કર્યાનું સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું..
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં ચાપરાજની બારી વિસ્તારમાં રહેતા પરેશ રબારી નામના યુવાને ગઈ તા.30-3-2005 ના રોજ શહેર પોલીસ થાણામાં ઘુસી જઈ, મને પેન આપો, મારે લીંબાસીયા સાહેબનો નંબર જોઈએ છે, તેવું પીએસઓ ફતેહસિંહ પ્રતાપસિંહ ગઢવીને જણાવતા, પીએસઓએ ના પાડતા પરેશે બોલાચાલી કરી, પીએસઓને ગાળો આપી ધમકી આપી હતી કે ગોંદરા વિસ્તારમાં આવજે તને જોઈ લઈશ.
દરીમિયાન પોલીસે ઉપરોક્ત યુવાન સામે ગુના રજી.નં. 3103/2005 થી આઈપીસી કલમ 186, 189, 504 તથા બીપીએકટની કલમ 110, 117 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજીબાજુ તપાસનીસ પોલીસ અધિકારીએ પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજુ કરતા જ્યુડી.મેજી.ફ.ક.ની કોર્ટમાં આ કેશ ચાલ્યો  દરમિયાન સરકારી વકીલ ડી.બી.પંચાલની ધારદાર દલીલોને ધ્યાને લઇ જજ એ.ડી.રાજપૂતે યુવાનને તકસીરવાન ઠેરવી 186 ના ગુનામાં 2 મહિનાની સાદી કેદ અને રૂ,500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ પંચાલે જણાવેલ..

બોક્સ : આ ગુનામાં કોઈને સજા થઇ નથી 
જેતલસર(જેતપુર) : સરકારી વકીલ પંચાલે જણાવેલ કે ફરજમાં રુકાવટની ફરિયાદ/ ગુનામાં લાંબા સમય થયા કોઈ કોર્ટમાં કોઈને સજા થઇ હોવાનું સાંભળવા મળ્યું નથી. ત્યારે સરકારી કર્મચારીઓ પર રોફ જમાવી સમયાંતરે સીનસપાટા કરતા શખ્શોને ભાન થાય તેવા આજના જેતપુરની કોર્ટના ચુકાદાથી આવા ગુના કરનારાઓમાં ફફડાટ ફેલાયેલ છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812

જેતલસરના કોળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત




જેતલસરના કોળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત  
જેતલસર તા.24
જેતલસરના ગાયત્રી નગરમાં રહેતા કિશોર રવજી મકવાણા નામના 30 વર્ષીય કોળી યુવાને આજે કોઈ અગમ્યો કારણોસર સીમની એક વાડીમાં વૃક્ષ સાથે દોરડું બાંધી, ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે. પોલીસે જણાવેલ કે મૃતક યુવાન થોડા સમય પહેલાજ મોણપર ગામેથી જેતલસર રહેવા આવ્યો હતો. તે પરિણીત છે. અને તેમની પત્ની રીસામણે હોવાની વિગતો મળી છે. પણ તેમને આં પગલું શા માટે ભર્યું તેની જાણકારી મેળવાઈ રહી છે.

કશ્યપ જોશી જેતલસર 99742 62812

રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!

આખરે ડેડરવાનું પંચાયત તંત્ર જાગ્યું ખરું !
રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા 
ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!
જેતલસર તા.24
જેતલસર પંથકના ડેડરવા ગામે ગંદકીએ અજગર ભરડો લીધો હોય તેમ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને દુર કરવાના અખબારી અહેવાલો બાદ સ્થાનિક પંચાયત તંત્ર જાગ્યું હોવાની વિગતો મળી છે.
બાબતે આજે જાગૃત માણસોએ રૂબરૂ તેમજ ટેલીફોનીક સંપર્ક દ્વારા જણાવેલ કે ડેડરવામાં ઠેર ઠેર ગંદકી પાછળ ગામના માણસો કે લત્તાવાસીઓ જ જવાબદાર હોય, તેમજ સ્વચ્છતાની શરૂઆત આપણાજ આંગણેથી કરીએ તેવા વિચાર સાથે પંચાયત તંત્રએ એક માણસને શેરીએ શેરીએ અને લત્તાઓમાં મોકલી ગંદકી દુર કરવા તેમજ સ્વચ્છતા જાળવવાનો સાદ પડાવતા ગ્રામજનોને થોડી રાહત થઇ છે કે હાશ હવે ડેડરવામાંથી ગંદકી દુર થશે.
બીજીબાજુ જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ જણાવેલ કે ડેડરવામાં ગંદકીએ માઝા મૂકી હોવાની બધી વાત સાચી પણ જેઓને ગંદકી નડતી હોય અથવાતો ગંદકી દુર કરાવવા માંગતા જાગૃત માણસો પહેલા સ્થાનિક સરપંચને રજૂઆત કરે અને તેની એક નકલ તાલુકા વિકાસ અહીકારી(પોતાને) આપે એટલે આગળની કાર્યવાહી હાથ ધરી શકાય, ત્યારે ડેડરવાના જાગૃત માણસોએ એક અચરજ વ્યક્ત કર્યું હતું કે લોકશાહીની ચોથી જાગીર એવા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પણ મુનાશીબ નાં માની ટીડીઓ પોતાને ફરિયાદની નકલ આપવાનો આગ્રહ રાખે ઈ તો સાલું નવાઈની વાત કહેવાય !!

બોક્સ : તાલુકા પંચાયત પ્રમુખ શું કહે છે ?
જેતલસર : જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દિનકરભાઈ ગુંદણિયા એ જણાવેલ કે ડેડરવાની ગંદકીના સમાચારો અખબારોમાં પ્રકાશિત થતાજ ગામના સરપંચ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના લાગતા વળગતાઓને ગંદકી દુર કરાવવાના ઝડપી પ્રયાસો હાથ ધરાવવાની તાકીદ કરાઈ છે. નીતાબેને એવું પણ જણાવેલ કે સરપંચ એટલે ગામનો રાજા કહેવાય આવા સ્થાનિક પ્રશ્નો હલ કરાવવા સરપંચ ધારે તો કસુરવારો સામે નોટીસો જારી કરી કામગીરી કરી શકે.

કશ્યપ જે.જોશી જેતલસર-જેતપુર-9974262812

રવિવાર, 22 ફેબ્રુઆરી, 2015

જેતપુરના લુણાગરી ગામે જુગાર દરોડો રોકડ 8 હજાર સાથે 4 તાસપ્રેમી પકડાયા

જેતપુરના લુણાગરી ગામે જુગાર દરોડો 
રોકડ 8 હજાર સાથે 4 તાસપ્રેમી પકડાયા 
જેતપુર તા.22
જેતપુરના લુણાગરી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈએ દરોડો પાડી  4 ને રોકડ રકમ રૂપિયા 8120/- સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરના લુણાગરી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાને બાતમી મળતા તેઓની સુચનાથી જમાદાર મજનુભાઇ મનાતે જુગાર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મનુ ભૂરા ગઢવી, હરસુખ વલ્લભ સગર તથા લાભુબેન શામજીભાઈ મોરી(રહે.ત્રણેય લુણાગરી) તથા કનું બચું મકવાણા(રહે.પાંચ પીપળા) એમ ચારેયને રોકડ રકમ 8120/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી હતી.

હિતેશ સાવલિયા જેતપુર 9898848584

જેતલસર પંથકમાં અનેકવિધ રીતે હાથ ધરાતી ગૌસેવા

રૂપાવટીના  યુવાને જન્મ દિવશે ગૌસેવા બતાવી 
જેતલસર પંથકમાં  અનેકવિધ રીતે હાથ ધરાતી ગૌસેવા 
જેતલસર તા.22
જેતલસર અને પંથકના ગામોમાં અનેકવિધ રીતે હાથ ધરાઈ રહેલી ગૌસેવા સૌમાં સરાહનીય બની છે.
આ બાબતે એવી વિગતો મળી કે કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સદસ્ય અને ગૌ સેવા પ્રેમી ભાવેશ બાલધાએ તાજેતરમાં પોતાના જન્મ દિવશે અન્યોનું અનુકરણ કરવાને બદલે મોજશોખ પાછળ ખર્ચાનારી પાંચ હજાર જેવી  રકમની નીરણ, ચારો, ખોળ ખરીદી ગામની ગાયોને ખવડાવી ગૌસેવા બતાવી અન્યોને રાહ ચીંધ્યો હતો. ભાવેશે પોતાની ધાર્મિક લાગણી બતાવતા કહેલ કે આખું  વર્ષ થોડા પૈસા બચાવો અને પ્રતિ વર્ષ જન્મ દિવશે આ રકમથી ગૌસેવા કરવાનું સૌ ચાલુ કરે તો જીવન ધન્ય થઇ જાય.

ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર 99742 62812


જેતલસરના ગાયત્રીનગરમાં ગંદકીયુક્ત ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રસ્ત

 પંચાયત તંત્ર પાણીનો નિકાલ કરાવે તે જરૂરી 
જેતલસરના ગાયત્રીનગરમાં ગંદકીયુક્ત 
ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રસ્ત 
જેતલસર તા.22
જેતલસરના ગાયત્રીનગરમાં એક જગ્યાએ ગંદકીયુકત પાણીના ભરાયેલા ખાબોચિયાથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે.
આ બાબતે પેઇન્ટર  અર્જુન  થાપલીયા સહિતના લોકોની ફરિયાદ છે કે જેતલસરમાં ડેડરવા રોડ પર આવેલ ગાયત્રીનગરમાં છેવાડાના  ભાગે આખા લત્તાનું ગંદકીયુક્ત પાણી જમા થતું હોય, આ ભયંકર બેસુમાર દુર્ગંધ ફેલાવતા ખાબોચિયાથી આજુબાજુના રહીશોને ભારે યાતના ભોગવવી પડે છે. આ બાબતે પંચાયત તંત્રને અવારનવાર ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ના થતી હોવાનો લાત્તાવાસીઓનો આક્ષેપ છે.
 ત્યારે ખરાબ પાણીના ભરાવાથી સર્જાયેલ ગંદકીયુકત ખાબોચિયાને તાકીદે બુરાવી પંચાયતસુત્રો  પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરી ફેલાતા રોગચાળાને અટકાવે તેવી અર્જુન થાપલીયા સહિતના લોકોની માંગ છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 99742 62812

અવસાન નોંધ.....22-2-2015 KASHYAP JOSHI JETALSAR JETPUR - 99742 62812

અવસાન નોંધ.....
જેતપુર : મૂળ જેતલસર હાલ  જેતપુર નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.ચંદુલાલ પ્રભાશંકરભાઈ પંડ્યાના પુત્રવધુ પુનમબેન(ઉ.વ.40) તે પરેશભાઈ પંડ્યાના પત્ની, મનીષભાઈ  તથા ડો.ધર્મેશ પંડ્યા(બોસમીયા કોલેજ)ના ભાભી તા.21 નારોજ અવસાન પામ્યા છે.બેસણું તા.23 ને સોમવારે, સાંજે સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન રાજેશ્વરી સોસાઈટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સામે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : જામનગર નિવાસી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.જયંતીલાલ લાભશંકરભાઈ દવેની પુત્રી ચેતનાબેન(પુનમબેન)પરેશભાઈ પંડ્યા(જેતપુર -ઉ.વ.40) તે યોગેશભાઈ, દિનેશભાઈ( જીલ્લા પંચાયત) અને ચંદ્રેશભાઈના બહેન તેમજ સ્વ.યજ્ઞેશ્વરભાઈ, મહેશભાઈ મહેશભાઈ તથા મુકુન્દભાઈ દવેની ભત્રીજીનું તા.22 ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.26 ને ગુરુવારે, સાંજે 5 થી 6, દુઃખ ભંજન મહાદેવ મંદિર, ઇન્દિરા ઇન્દિરા સોસાઈટી મેઈન રોડ, નવાગામ(ઘેડ), જામનગર મુકામે રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : માખાવડ(તા.લોધિકા) નિવાસી  રવજીભાઈ  અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ અને ભરતભાઈના માતા તા.20 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. 23 ને સોમવારે, તેમના નિવાસસ્થાન, માખાવડ ગામ ખાતે બપોરે 3-30 થી 5-30 રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જે. જોશી  જેતલસર-જેતપુર 99742 62812


શનિવાર, 21 ફેબ્રુઆરી, 2015

my complaint about survey no.266/2. WHAT A GOOD GOVERNANCE!!!! INQUIRY PENDING LAST 6 YRS.
 
Add star
VIPUL SHASHIKANT DAVE - RTI ACTIVIST
<rajkotmetronews@gmail.com> Sat, Feb 21, 2015 at 9:25 AM
To: chiefsecretary <chiefsecretary@gujarat.gov.in>
Cc: collector-raj <collector-raj@gujarat.gov.in>
Bcc: "mahitab.singh" <mahitab.singh@nic.in>, Vice President of India <vpindia@sansad.nic.in>, presidentofindia <presidentofindia@rb.nic.in>, prisec-rajbhavan <prisec-rajbhavan@gujarat.gov.in>, pmosb <pmosb@nic.in>, Phulchhab <phulchhab@yahoo.com>, pd2464 <pd2464@gmail.com>, pa2min-rev <pa2min-rev@gujarat.gov.in>, "vpindia@nic.in" <vpindia@nic.in>, Times of India <vijaysinhp@gmail.com>
Reply | Reply to all | Forward | Print | Delete | Show original
TO,
CHIEFSECRETARY OF GUJARAT..
GUJARAT..

MY COMPLAINT AGAINST MR.SAKHIYA-NAYAB
MAMLATDAR-GONDAL.DIST.RAJKOT-GUJARAT CORRUPTION AND MALPRACTICES IN
REVENYU SURVEY NO.266/2, SHIVRAJGADH-GONDAL-RAJKOT-GUJARAT. SIR, I
VIPUL S. DAVE. -INDIA. MOB. 99241 90909/ ISSUE PENDING LAST 6
YRS.FIGHTING AGAINST COUREPTED GOVERNMENT SERVANTS. IN REVENYU DEPT.
GUJARAT. MAMLATDAR-OFFICE GONDAL,STAFF MR. SAKHIYA MAMLATDAR OFFICE-
STAFF.GONDAL.DIST.RAJKOT. GUJARAT. MR.KIRANKUMAR VRAJLAL,
GRAMSEVAK-GONDAL-DIST.RAJKOT, WITH EDHARA-MAMLATDAR-MR. SAKHIYA , AND
TALUKA POLICE-GONDAL. HAD COUREPTION AND FRAUD IN REGRANT AND
ILLEGALSELLING AGRICULTURE LAND IN REGRANT ENTRY ,SURVEY NO.266/2,
ENTRY NO. 1349,2045,2429, AS PER MAMLATDAR - GONDAL - OLD ORDER- ALL
REGRANT ENTRY IS WRONG AND INCOMPLETE , NOT PROPER IN ALL FAMILY
MEMBAR OFF LATE. SHREE SHANKAR B. DAVE-MAIN ONWER OF THIS AGRICULTURE
LAND AT. SHIVRAJGADH, TAL.GONDAL.-DIST.RAJKOT-GUJARAT. THAN HOW IT IS
POSSIBLE TO SELL , THIRD PARY BY NAYAB MAMLATDAR SAKHIYA ???  AND HE
HAD PUT A WRONG DOCUMENTS KIRAN V. DAVE TO ACTUAL REGRANT TIME , AND
FRAUD WITH GUJARAT GOVERNMENT. ALL REGRANT AGRICULTURE LAND IN REGRANT
ENTRY ,SURVEY NO.266/2, ENTRY NO. 1349,2045,2429, ENTRY IS WRONG, BUT
TILL DATE LAST 6 YRS. NO INQUIRY BY MAMLATDAR-GONDAL,S.D.M-GONDAL,
COLLECTOR-RAJKOT. AND HE KIRAN V. DAVE- GOVT.SERVANTS.RECEIVED A
BENEFIT OF THE FARMER, IN THE FAMILY MEMBAR OF LATE.SHREE SHANKAR
BECHAR DAVE. AND RECEIVE A WRONG TITLE OF "FARMER", SO PLS. TAKE
URGENT LEGAL PROPER INQUIRY /POLICE ACTION AGAINTS HIM. BECAUSE GONDAL
TALUKA POLICE IS NOT COMPLETE INQUIRY ABOUT HIS FRAUD.AND SAVE MY LIFE
FROM LAND MAFIYAS. PLS. TAKE PROPER ACTION. NOT GIVEN JUSTICE FROM
LAST 6 YRS...WHATS A GOOD GOVERNANCE???
--
From:-
VIPUL SHASHIKANT DAVE -
MANAGING EDITOR.
RAJKOT METRO NEWS.
R.N.I. NO. GUJ/GUJ/2014/59882-
Govt. of India. Ministry of Information & Brodcasting. new delhi-66
EDITOR- SHAILESHBHAI SAKARIA.
+91 76 98 545827
AND President:-
AASTHA - TRUST, RAJKOT-INDIA
TRUST REGISTRATION No.:-
E/10031/RAJKOT, 2015.
Charity Commissioner, Rajkot, Receipt No.: 29482 ,Govt. of India.

My WhatsApp No.:
9924190909

રસ્તા રોકતા અને પોષ્ટઓફીસ પાસેના ઉકરડા જૈસેથે !

જેતલસર પંથકના ડેડરવા ગામે 
રસ્તા રોકતા અને પોષ્ટઓફીસ પાસેના ઉકરડા જૈસેથે !
ગંદકીના અખબારી અહેવાલો પછી પણ પંચાયતસુત્રો ઘોર નિંદ્રામાં !
જેતલસર તા.21
જેતલસર પંથકના ડેડરવા ગામે ગંદકીએ માઝા મૂકી હોવાના અખબારી અહેવાલો પછી પણ ગંદકી દુર કરવાનો લેશમાત્ર પ્રયાશ ના થયો હોય, રસ્તા રોકતા, પોસ્ટઓફીસ તેમજ ગામના ઠેર ઠેર દેખાતા ઉકરડાઓ તાકીદે હટાવવા મૂંગા મોએ માંગો થઇ રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર પંથકના ડેડરવા ગામે ગટરના ગંધાતા પાણી રોડ ઉપર ફેલાતા હોય તેમજ અનેક જગ્યાએ ગંદકીના થર જામ્યા હોય, તાકીદે ગંદકી હટાવવા અંગેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.
આવા અહેવાલોના એક અઠવાડીયા પછી પણ સ્થાનિક સત્તાધીસો નીમ્ભરતા સાબિત કરતા હોય તેમ જરા પણ ગંદકી હટાવવા પ્રયાશો ના થયા હોય ભયંકર રોગચાળાની દહેશત વચ્ચે જાગૃત લોકોમાં સત્તાધીસો પ્રત્યે રોશાગ્ની જોવા મળે છે.
બીજીબાજુ  દલીતવાસમાં જવાના રોડ પરજ અડધો રોડ દબાવી જમા થયેલો ઉકરડો તંત્ર હટાવવાનું નામ નથી લેતું તો ગામની પોસ્ટ ઓફીસ સામે ઉકરડો  અને  ગંધાતા ગટરના પાણી તાકીદે હટાવવાની પોસ્ટમાસ્તર ભરતભાઈ બોરિસાણીયાએ માંગ કરી છે.

બોક્સ: જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ડેડરવાની મુલાકાત લેશે ?
જેતલસર: ડેડરવા ગામમાં ગંદકીના સામ્રાજ્યને હટાવવા સ્થાનિક સત્તાધીશો બિલકુલ નિષ્ફળ નીવડ્યા હોય, હવે જેતપુર તાલુકા વિકાસ અધિકારી ડેડરવા ગામની મુલાકાત લેશે ખરા ? તેવો જાગૃત લોકોનો પ્રશ્ન છે. તો જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દિનકરભાઈ ગુંદણીયાએ જણાવેલ કે ડેડરવા ગામની ગંદકીની ફરિયાદ મળી છે અને અખબારી અહેવાલો પણ વાંચ્યા હોય, આ ગામના સત્તાધીશોને જરૂરી સૂચનાઓ અને આદેશો આપવાની કાર્યવાહી ચાલુ છે.

 ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર (જેતપુર) 9974262812

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

AVSAN NONDH KASHYAP JOSHI JETPUR JETALSAR

AVSAN NONDH 
KASHYAP JOSHI 
JETPUR JETALSAR
9974262812

જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા પર તે જ ગામના યુવાનનો બળાત્કાર



કોર્ટના હુકમ બાદ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ  
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા 
પર તે જ ગામના યુવાનનો બળાત્કાર 
જેતલસર તા.20
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામની એક સગીરા પર તે જ ગામના ખાંટ યુવાને દુષ્કર્મ આચર્યાની કોર્ટમાં ફરિયાદ કરાયા બાદ જેતપુર તાલકા પોલીસમાં આ બારાની ફરિયાદ નોંધાતા  નોંધાતા ફોજદાર આર.એન.કરમટીયાએ તહોમતદાર યુવાનને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવાપીપલીયાની એક સગીરા પર તે જ ગામના અનીલ પ્રેમજી ગુજરાતી નામના યુવાને આજથી છ મહિના પહેલા ગણેશ ઉત્સવ દરમિયાન બળજબરીથી, મરજી વિરુદ્ધ દુષ્કર્મ અચર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસાઈ કરમટીયાએ ગુનો નોંધી તહોમતદાર યુવાનને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન સ્ટાફના મજનુંભાઈ અને ભુરાભાઈને સાથે રાખીને બાવાપીપળીયામાંથી નહિ પણ જેતપુર તાલુકાના સેલુકા ગામ સ્થિત તેમના મામાના ઘરેથી અનીલ ઝડપાઈ ગયો હતો.
બીજીબાજુ જેતપુર તાલુકા પોલીસે સગીરના મેડીકલ ચેકઅપની વિધિ હાથ ધરી, તહોમતદાર અનીલ સામે ઇપીકોડ કલમ 376 મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

------------------------------------------------------------------------------------
અકસ્માતમાં ઘાયલ થાણાગાલોલના આધેડનું મોત 
જેતપુર તા.20
જેતપુર તાલુકાના થાણાગાલોલના મગનભાઈ ઉંધાડ (ઉ.વ.50) પોતાનું જીજે3એન 7648 લઈને આજથી 3 દિવસ પહેલા જતા હતા ત્યારે ચારણીયા-ચારણસમઢીયાલા રોડ પર જીજે3 એક્સ 9163 નંબરની છકડો રીક્ષાના ચાલકે મગનભાઈને હડફેટે લીધા હતા.
દરમિયાન માથામાં ગંભીર ઈજાઓની જેતપુર સારવાર અપાવી વધુ સારવાર માટે મગનભાઈ ને રાજકોટ ખસેડાયા હતા. જ્યાં આજે સારવાર વખતે મગનભાઈનું મોત થયું હતું..
અત્રે એ નોંધનીય છે કે મૃતક મગનભાઈ તાજેતરમાંજ ચુંટણી જીતેલા અને સરપંચ બનનાર પીન્ટુભાઈ ઉંધાડના કાકા થતા હોય, ગામના વિશાળ ઉંધાડ પરિવાર તેમજ પટેલ સમાજમાં શોક વ્યાપ્યો છે.

------------------------------------------------------------------------------
અવસાન નોંધ :
જેતપુર: માખાવડ(તા.લોધિકા,જી.રાજકોટ)નિવાસી રવજીભાઈ અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ તેમજ ભરતભાઈના માતા તા.20.2.15 ના રોજ અવસાન પામ્યા છે.
 -------------------------------------------------------------------------------------
જેતપુરમાં ધમાલ કરનાર ફોજદાર સામે 
પ્રોહીબીશન ભંગનો પણ નોંધાયો ગુનો 
જેતપુર તા.20
ભાવનગરની મેડીકલની છાત્રા નમ્રતા વિલિયમ્સ ને મૈત્રી સંબંધો દરમિયાન જૂની એક પોલીસ ફરિયાદ સબબ બોલાવી જેતપુરના સરકારી રેસ્ટહાઉસમાં ધમાલ કરી છાત્રાને માર મારનાર ફોજદાર પી.જી.રાઠોડ ધમાલ સમયે પીધેલી હાલતમાં હોવાની છાત્રાની ફરિયાદ પરથી જેતપુર પોલીસે આ ફોજદાર સામે પ્રોહીબીશન ભંગ બદલનો પણ ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

SxI5S]DFZ H[PHMQL<H[T,;ZsH[T5]Zf((&$Z ^Z*!Z

ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..




ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..
ચાલુ કારની વ્હીલ નીકળી જતા પલટી ગયેલી કારમાં ભત્રીજાના 
રિસેપ્શનમાં આવતા કાકાનું કરુણ  મોત, અન્ય 3 ને ગંભીર ઈજાઓ
મંડલીકપુર ના સેવાભાવીઓએ ઈજાગ્રસ્તોને જેતપુર દવાખાને પહોચાડવાની કરી સરાહનીય સેવા !  

 જેતલસર(જેતપુર) તા.20  કશ્યપ જોશી દ્વારા 
મહારાષ્ટ્રના સાંગલી શહેરમાંથી નીકળી રાજકોટના ઉપલેટા શહેરમાં કૌટુંબિક ભત્રીજાના રવિવારે યોજેલ રિસેપ્શનમાં હાજરી આપવા આવી રહેલા 
એક મેમણ પરિવારની કારને જેતપુરના મંડલીકપુર પાસે નડેલા  અકસ્માતમાં કાકાનું કરુણ મોત થયું હતું જયારે કાકી અને બે બહેનોને હાથે પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હોવાનું તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ જણાવ્યું હતું..

બનાવની મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં રહેતા ફારૂકભાઈ તારમામદભાઈ પટેલ જાતે મેમણ પોતાના પત્ની જસ્મીનબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.37), બે પુત્રીઓ શીફાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.17) અને ઝેબાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.7) લઈને રાજકોટના ઉપલેટા ખાતે પોતાની જીજે કે એફ 6671 નંબરની કાર લઈને સાંગલીથી નીકળ્યા હતા.

જે કાર આજે બપોરે 1 થી 1:30 દરમિયાન જેતપુરના મંડલીકપુર પાસે પહોચી ત્યારે અચાનક કારનું એક વ્હીલ ચાલુ કારે નીકળી જતા કાર પલટી ખાઈ જતા ચાલક ફારૂકભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય ઘાયલ પરિવારજનોને સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા જેતપુર પહોચાડવા મંડલીકપુરના સેવાભાવી માણસોએ પ્રશંશનીય સેવા બજાવી હતી. જેતપુરની ખાનગી હોસ્પિટલ સંજીવનીમાં ખસેડાયેલ જસ્મીનબેન, શિફા અને ઝેબાને હાથે પગે નાની મોટી ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર ચાલુ કરાઈ હતી.

બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયા સ્ટાફના મજનુંભાઈ, ભુરાભાઈ વિગેરેને સાથે લઇ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતી કારને સાઈડમાં લેવડાવી રોડ પરના ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.

બોક્સ: રિસેપ્શનમાં પહોચે તે પહેલાજ કાકાનું કરુણ મોત !
જેતપુર: ઉપલેટામાં જીલાની ચોઈસ નામની ગારમેન્ટની શોપ ધરાવતા જીલાની ઈલીયાસભાઈ દેવલાના નિકાહ ગઈ તા.30.1.2015 ના રોજ સાઉદીઅરેબિયા ખાતે થયા હોય, નીકાહનું રીસેપ્શન આગામી રવિવાર ને તા.22.2.15 ના રોજ યોજાનાર હોય, આ રીસેપ્શનના પ્રસંગમાં હાજરી આપવા જીલાનીના કૌટુંબિક કાકા ફારૂકભાઈ પટેલ સાંગલીથી ઉપલેટા આવતા હતા, પણ આ પ્રસંગમાં હાજરી આપે તે પહેલાજ કાળે ફારૂકભાઈને આંતરીને મોત નીપજાવતા સાંગલી-ઉપલેટાના મેમણ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 99742 62812





ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

ભાવનગરની મેડીકલ સ્ટુડંટને ઢીકાપાટુનો માર મારી ઘાયલ કરતો પોલીસમિત્ર ફોજદાર

પતિના અવસાન બાદ ફોજદાર સાથે મૈત્રી કરાર કર્યા હતા પણ સંબંધોમાં ખટાસ આવી જતા 
ભાવનગરની મેડીકલ સ્ટુડંટને ઢીકાપાટુનો 
માર મારી ઘાયલ કરતો પોલીસમિત્ર ફોજદાર 
જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી ગેસ્ટહાઉસમાં બનેલી ઘટના ટોક ઓફ ધી ટાઉન ! 
જેતપુર તા.19
ગત મોડી રાત્રીના જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલા સરકારી ગેસ્ટહાઉસમાં મૈત્રી કરારો વચ્ચે જીવતા એક યુગલની મારામારીની ઘટના બહાર આવતા અને પોલીસ ફરિયાદ નોંધાતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી મિત્ર એવા પોલીસ ખાતાના ફોજદાર સામે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ભાવનગરમાં સરકારી સ્કુલ સામે રહેતા નમ્રતા વિલિયમ્સ (મનુભાઈ પંડયાની પુત્રી) જાતે ક્રિશ્ચિયન ઉ.વ.34 એ પોતાના પતિ જયેશ જેન્તીલાલ સ્ટીફન(રહે.બોરસદ) ના અવસાન બાદ છેલા દશેક વર્ષથી તેમના પિતા સાથે રહેતા હતા. 
ફરિયાદમાં જણાવાયું છે કે આજથી પાંચ મહિના પહેલા (24 મી ઓગસ્ટના રોજ) અમદાવાદ ખાતે મેડીકલ સ્ટુડંટ તરીકે સરકારી વિશ્રામ ગૃહમાં નમ્રતાબેન રહેતા હોય, તે જ વિશ્રામ ગૃહમાં અમદાવાદ પોલીસની વિશેષ શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરસોત્તમ ગલાભાઈ રાઠોડ પણ રહેતા હોય બંને વચ્ચે પરિચય થયો હતો.
દરમિયાન ભાવનગર સ્થિત મકાન વેંચવા બાબતે ફોજદાર સાથે નમ્રતાબેનને અવારનવાર વાતો થવા લાગતા આ વાત અંતે ફોજદાર અને નમ્રતાબેન વચ્ચે મૈત્રી કરાર સંબંધોમાં પરિણમી હતી. પણ આ બાબતે કોઈ કાયદેશરના કાગળો કર્યા ના હતા. દિવસે દિવસે ગાઢ થતા સંબંધો દરમિયાન મળવાનું ઘણી વખત થતું.
બીજીબાજુ નમ્રતાના પુત્ર જયસુખે પ્રેમલગ્ન કર્યા હોય, તે વાતની મારામારીની પોલીસ ફરિયાદનું સમાધાન કરવાનું  ફોજદાર પી.જી.રાઠોડે શિવરાત્રીના દર્શન કરવા જુનાગઢ જવાનું કહી ગઈકાલે જેતપુરના વીરપુર જલારામ થઈને જુનાગઢ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. જ્યાં ઉપરોક્ત પોલીસ ફરિયાદના સમાધાન માટે ફોજદારે માથાકુટ કરતા ત્યાંથી રાત્રીના નીકળી જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી રેસ્ટહાઉસમાં આવ્યા હતા.
ત્યાં પણ ફોજદારે માથાકૂટ કરી ઢીકા પાટુનો માર મારવા લાગતા નમ્રતાએ રાડારાડ કરતા રાત્રીના રેસ્ટહાઉસના મેદાનમાં રહેતા અન્યોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો જાણી ઈજાગ્રસ્ત નમ્રતાને સરકારી દવાખાને ખસેડેલ...

બોક્સ: ફરિયાદ પાછી ખેંચવા ધમકી !
જેતપુર : પાંચેક મહિનાના મૈત્રી સંબંધો બાદ એકબીજાને સંબંધોમાં ખટાસ આવી જતા નમ્રતાએ ફોજદાર રાઠોડને પોતાને છોડી દેવા જણાવી  દીધું હતું, આમ છતાં ફોજદારે નમ્રતાને ફોન ઉપર શારીરિક માનશીક ત્રાસ આપવાનું ચાલુ કરતા નમ્રતાએ ભાવનગર ખાતે ફોજદાર વિરુધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,આ ફરિયાદ પાછી ખેંચી લે નહીતર તને માર્યા વગર નહિ રહું તેવી ધમકી આપી ફોજદાર રાઠોડે તેમની ઉપર હુમલો કર્યાનું ફરિયાદમાં નમ્રતાએ જણાવેલ છે.

બોક્સ : બનાવના તપાસનીશ ફોજદાર ચૌહાણ શું કહે છે ?
જેતપુર : જેતપુરમાં મોડી રાત્રીના બનેલી આ ચકચારી ઘટનાના તપાશનીશ પોલીસ અધિકારી ફોજદાર ચૌહાણે જણાવેલ કે નમ્રતા અને ફોજદાર રાઠોડ મૈત્રી કરાર વચ્ચે જ રહેતા અને મળતા , પણ કોઈ બાબતે વાંધો પડતા ફરિયાદી મહિલાને પૈસા પડાવવા આ કાવતરું કર્યું હોય તેવું પ્રાથમિક તારણોમાં જાણવા મળેલ છે. ફરિયાદી મહિલાએ વિગતો આપી તેજ ફરિયાદ લેવાઈ છે. રૂપિયા 5000 ની કે મોબાઈલ લુંટની વાત ફરિયાદમાં લખાવાયી ના હોય તે બાબતે કહી નાં શકાય...

સમાચાર અને ફોટો : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812



જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન

જેતપુરની મામલતદાર કચેરીની પુરવઠા શાખાના ભષ્ટ્રાચારને ડામવાની માંગ સાથે 
જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન 
આંદોલનના બીજા દિવશે ઉપવાસીઓને પાલિકા સદસ્ય અબાભાઈનો ટેકો : અબાભાઈનો આક્ષેપ ગરીબોનું અનાજ બારોબાર જ વેંચાય જાય છે !
જેતપુર તા.19
જેતપુર મામલતદાર કચેરીમાં પુરવઠા શાખા દ્વારા આચરતા વ્યાપક ભષ્ટ્રાચારને તાકીદે નેસ્તનાબુદ કરવાની માંગ સાથે ગઈકાલથી શરુ થયેલા પ્રતિક ઉપવાસ આંદોલનના આજે બીજા દિવશે જેતપુર પાલિકાના સદસ્ય અબાભાઈ કુરેશી સહિત સમર્થકોએ ઉપવાસીઓને ટેકો આપી ઉક્ત સરકારી તંત્રના સડાને દુર કરવાની માંગણી દોહરાવી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરની મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં કોઈ કામ નીવેદ ધર્યા વગર ના થતા હોય તેમજ અમુક લાગવગીયા તત્વો આખો દિવસ આ શાખામાં પડ્યા પાથર્યા રહીને પોતાના કામો કરાવી જતા હોવાના આક્ષેપો સાથે જેતપુર શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની જેતપુર શાખાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોએ ગઈકાલથી અત્રેની મામલતદાર કચેરી સામે અચોક્કસ મુદ્દતનું પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યું છે.
 જે આંદોલનના ઉપવાસીઓ જતીન દેગડા સહિતનાઓ જણાવે છે કે મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં વર્ષો  થયા ચીપકી રહેલા અધિકારી સહિતના સ્ટાફને બદલાવવો જરૂરી છે. આ સ્ટાફ સત્તાનો દુરુપયોગ કરી નજીકના લોકોનાજ વધારે કામો કરતા હોય અન્ય અરજદારો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે. ઉપવાસીઓનો એવો પણ આક્ષેપ છે કે આ કચેરીના અધિકારીની મનમાનીથી અનેક લોકોને પુરતું અનાજ મળતું નથી, રાશન કાર્ડ કઢાવવા પૈસા આપવા પડે છે તેમજ વખતોવખત મંગાતી માહિતીઓમાં ઉદવ જવાબો આપી દેવાય છે.

બોક્સ: પાલિકા સદસ્યનો ઉપવાસીઓને ટેકો 
જેતપુર: ઉપવાસીઓના આક્ષેપ જેવીજ ફરિયાદ કરીને આજે જેતપુરના વોર્ડ નંબર 6 ના સદસ્ય  હાઉસ ટેક્સ કમિટીના ચેરમેન અબાભાઈ કુરેશીએ પણ રૂમાલ પાથરી આંદોલનકારીઓને ટેકો આપી આક્ષેપો કર્યા હતા કે પુરવઠા શાખાનું હજારો કિલો અનાજ દર મહીને બારોબાર પગ કરી જાય છે. કોઈ દિવસ   સ્થાનિક મામલતદારશ્રીએ તપાસ કરાવી ખરા ?

બોક્સ: મામલતદાર ભોરણીયા શું કહે છે ?
જેતપુર: ઉપવાસીઓના આંદોલન બાબતે સત્ય શું છે ? તે જાણવા કરાયેલા સંપર્ક દરમિયાન જેતપુરના મામલતદાર ભોરણીયાએ જણાવેલ કે વર્તમાન લોકશાહીમાં ગમે તે માણસ ગમે તેવા આક્ષેપો કરી શકે. ફરીયાદીના કામો પણ ઘણી વખત કરાયા છે.  અમુક કામો કદાચ ના થયા હોય અને તેનો રાગદ્વેષ રાખી આંદોલન છેડાયું હોવું જોઈએ, બાકી ભષ્ટ્રાચાર સાબિત કરાય તો કસુરવાર સામે પગલા લેવામાં કોઈ પાછી પાની નહિ કરાય...

ફોટો અને સમાચાર કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર 9974262812



સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાંથી શ્રદ્ધાળુઓના તડફડાવેલા 9 મોબાઈલ ને રોકડ સાથે ગોંડલની ત્રિપુટીને જેતલસર નજીકથી ઝડપી લેતી તાલુકા પોલીસ


જેતલસર તા.16
જેતપુર તાલુકા પોલીસે આજે સાંજે જુનાગઢના શિવરાત્રીના મેળામાંથી મેળો માણવા આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ ચોરીને જેતપુર તરફ આવતી ગોંડલની તસ્કર ત્રિપુટીને જેતપુર તાલુકા પીએસઆઈ કરમટીયા સહિતના સ્ટાફે ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે સાંજે છ વાગ્યે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા, સ્ટાફના ભુરાભાઈ, ગૌત્તમભાઈ, મજનુભાઈ જેતલસર નઝીક ચોકી ધાર પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ ઉપર વાહનો ચેક કરતા હતા.
આવા સમયે જુનાગઢ તરફથી આવતી જીજે 7વી 5149 નંબરની ઓટો રિક્ષાને રોકી તલાશી લેતા પોલીસે જુદી જુદી કંપનીના 9 મોબાઈલ(કી.રૂ.50000) તથા રૂ.4050-00 રોકડ મળી આવતા પોલીસે રીક્ષામાં બેઠેલા 3 તસ્કરો સામે લાલ આંખ કરતા આ તસ્કર ત્રિપુટીએ તેઓના નામ વિજય પરેશ પરમાર-કોળી, સાગર રામજી દેવીપુજક તથા અનીલ કિશોર દેવીપુજક(રહે.ત્રણેય ગોંડલ)ના હોવાની કબુલાત આપતા પોલીસે રોકડ તેમજ મોબાઈલ કબજે લઇ ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

બોક્સ: શીવરાત્રીના મેળામાંથી મોબાઈલ ચોર્યા !
જેતપુર : જીવમાં શિવ એવી ભક્તિથી જૂનાગઢમાં લાખો શિવભકતો કીડીયારુની માફક ઉમટી પડ્યા છે. ત્યારે ચિક્કાર ગીર્દીનો લાભ લઇ ઉપરોક્ત તસ્કર ત્રિપુટીએ શિવરાત્રીના મેળામાં આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ તડફડાવ્યા હોવાની કબુલાત આપી હોવાનું ફોજદાર કરમટીયાએ જણાવ્યું હતું..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812
 

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ
જેતપુર તા.16
જેતપુરના વીરપુર ગામેથી ગત મોડી રાત્રીના એક પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થયાની તેણીના સાસુએ વીરપુર પોલીસમાં જાણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના રાધાકૃષ્ણ નગરની શેરી નં.1 માં, શાંતિભાઈ કોળીના મકાનમાં રહેતા અજયભાઈ રામભાઈ આહીર ગઈકાલે ડમ્પર લઈને ઉપલેટા રેતી ભરવા ગયા હતા. પાછળ તેમની પત્ની કૃપાબેન (ઉ.વ.22) એકલા હતા. દરમિયાન ઉપલેટાથી પરત આવી અજયે તપાસ કરતા જીવનસંગીની ક્યાય ના દેખાતા બધે તપાસ કરી હતી. છતાં ક્યાય પત્તો ના લાગતા હંશાબેન રામભાઈ આહીર(રહે.રાજકોટ) એ પોતાની પુત્રવધુ ગુમ થયાની વીરપુર પોલીસમાં જાણ કરતા એએસઆઈ બી.એ.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 99742 62812 

KASHYAP JOSHI JETALSAR

જેતપુરના ચારણસમઢીયાળા ગામે વાલ્મીકી 
સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન 
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળા  ગામે આગામી 10.5.2015 ના રોજ ગ્રામ્ય વાલ્મીકી યુવા ગ્રુપ દ્વારા માત્ર વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 13 યુગલોને જ આ સમૂહ લગ્નમાં જોડવાના હોય, 30.3.2015 સુધીમાં લગ્ન ફોર્મ ભરી ગ્રુપના પ્રમુખ મનજીભાઈ ઘાવરી અશોક ઘાવરીનો ચારણસમઢીયાળા ખાતે સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ ચાલુ કરવા માંગ 
જેતપુર બાર અશોસિએશનના પ્રમુખ પ્રકાશ પારગીનો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર 
જેતપુર તા.16
રાજ્ય સરકારના મહેસુલ ખાતાએ જાહેર કરેલ પરિપત્રમાં હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા પાછી શરુ કરવા જેતપુર બાર એશો.ના પ્રમુખ પ્રકાશભાઈ પારગીએ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ગામ નમુના-6 એટલેકે હક પત્રકે કોઈ પણ નોંધ દાખલ કરવા માટે અરજી કરાય ત્યારે આ નોંધ સામાન્ય કારણો હોય તો રદ કરવાની પ્રથા અને અને વાજબી જણાય તો નામંજૂર કરવાની એમ બંને પ્રથા હતી.
પરંતુ ગુજરાત સરકારના મહેસુલ ખાતાના તા.17.2.14 ના પરીપત્રથી હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા કાઢી નાખવામાં આવી છે. અને તેને બદલે કોઈ પણ વાજબી ના જણાય તો નામંજૂર જ કરવી તેવો નિર્યણ લેવાયો છે.
સરકારના આવા નિર્ણયને કારણે પ્રાંત કચેરીમાં અપીલોના ઢગલા થઇ રહ્યા છે. સામાન્ય અપીલોનો પણ એક વર્ષ પછી નિકાલ આવતો હોય છે. એટલુજ નહિ પ્રાંત અધિકારી પણ બોજ તળે આવી જાય છે. ત્યારે ઉપરોક્ત પરિપત્ર રદ કરી નોંધ રદ કરવાના વિકલ્પવાળો અધિકાર રેવન્યુ ઓથોરીટીને આપવો જરૂરી છે. તેમજ હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ શરુ કરવા માંગ કરી છે.

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812