અનુયાયીઓ

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા પર તે જ ગામના યુવાનનો બળાત્કાર



કોર્ટના હુકમ બાદ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ  
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા 
પર તે જ ગામના યુવાનનો બળાત્કાર 
જેતલસર તા.20
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામની એક સગીરા પર તે જ ગામના ખાંટ યુવાને દુષ્કર્મ આચર્યાની કોર્ટમાં ફરિયાદ કરાયા બાદ જેતપુર તાલકા પોલીસમાં આ બારાની ફરિયાદ નોંધાતા  નોંધાતા ફોજદાર આર.એન.કરમટીયાએ તહોમતદાર યુવાનને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવાપીપલીયાની એક સગીરા પર તે જ ગામના અનીલ પ્રેમજી ગુજરાતી નામના યુવાને આજથી છ મહિના પહેલા ગણેશ ઉત્સવ દરમિયાન બળજબરીથી, મરજી વિરુદ્ધ દુષ્કર્મ અચર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસાઈ કરમટીયાએ ગુનો નોંધી તહોમતદાર યુવાનને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન સ્ટાફના મજનુંભાઈ અને ભુરાભાઈને સાથે રાખીને બાવાપીપળીયામાંથી નહિ પણ જેતપુર તાલુકાના સેલુકા ગામ સ્થિત તેમના મામાના ઘરેથી અનીલ ઝડપાઈ ગયો હતો.
બીજીબાજુ જેતપુર તાલુકા પોલીસે સગીરના મેડીકલ ચેકઅપની વિધિ હાથ ધરી, તહોમતદાર અનીલ સામે ઇપીકોડ કલમ 376 મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

------------------------------------------------------------------------------------
અકસ્માતમાં ઘાયલ થાણાગાલોલના આધેડનું મોત 
જેતપુર તા.20
જેતપુર તાલુકાના થાણાગાલોલના મગનભાઈ ઉંધાડ (ઉ.વ.50) પોતાનું જીજે3એન 7648 લઈને આજથી 3 દિવસ પહેલા જતા હતા ત્યારે ચારણીયા-ચારણસમઢીયાલા રોડ પર જીજે3 એક્સ 9163 નંબરની છકડો રીક્ષાના ચાલકે મગનભાઈને હડફેટે લીધા હતા.
દરમિયાન માથામાં ગંભીર ઈજાઓની જેતપુર સારવાર અપાવી વધુ સારવાર માટે મગનભાઈ ને રાજકોટ ખસેડાયા હતા. જ્યાં આજે સારવાર વખતે મગનભાઈનું મોત થયું હતું..
અત્રે એ નોંધનીય છે કે મૃતક મગનભાઈ તાજેતરમાંજ ચુંટણી જીતેલા અને સરપંચ બનનાર પીન્ટુભાઈ ઉંધાડના કાકા થતા હોય, ગામના વિશાળ ઉંધાડ પરિવાર તેમજ પટેલ સમાજમાં શોક વ્યાપ્યો છે.

------------------------------------------------------------------------------
અવસાન નોંધ :
જેતપુર: માખાવડ(તા.લોધિકા,જી.રાજકોટ)નિવાસી રવજીભાઈ અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ તેમજ ભરતભાઈના માતા તા.20.2.15 ના રોજ અવસાન પામ્યા છે.
 -------------------------------------------------------------------------------------
જેતપુરમાં ધમાલ કરનાર ફોજદાર સામે 
પ્રોહીબીશન ભંગનો પણ નોંધાયો ગુનો 
જેતપુર તા.20
ભાવનગરની મેડીકલની છાત્રા નમ્રતા વિલિયમ્સ ને મૈત્રી સંબંધો દરમિયાન જૂની એક પોલીસ ફરિયાદ સબબ બોલાવી જેતપુરના સરકારી રેસ્ટહાઉસમાં ધમાલ કરી છાત્રાને માર મારનાર ફોજદાર પી.જી.રાઠોડ ધમાલ સમયે પીધેલી હાલતમાં હોવાની છાત્રાની ફરિયાદ પરથી જેતપુર પોલીસે આ ફોજદાર સામે પ્રોહીબીશન ભંગ બદલનો પણ ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

SxI5S]DFZ H[PHMQL<H[T,;ZsH[T5]Zf((&$Z ^Z*!Z

ટિપ્પણીઓ નથી: