ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્તિ પહેલાના-૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારોએ (Political Functionaries) સબંધિત મતદાર વિસ્તારમાં હાજર રહેવા ઉપર ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.
(૧) ૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં પેટા ચૂંટણી અન્વયે પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્તિ પહેલાના ૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારો (Political Functionaries) સબંધિત મતદાર વિસ્તારમાં હાજર રહી શકશે નહીં. વધુમાં આ હુકમ સંબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો