અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

૧૭ એપ્રિલ-વર્લ્ડય હીમોફીલીયા ડે રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યહ તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો સમાવેશ કરાયો

૧૭ એપ્રિલ-વર્લ્ડય હીમોફીલીયા ડે
રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યહ તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો સમાવેશ કરાયો

સંકલનઃ સોનલ જોષીપુરા, માહિતી ખાતું, રાજકોટ

વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયા દ્વારા ૧૭ એપ્રિલે સમગ્ર વિશ્વામાં
''વર્લ્ડવ હીમોફીલિયા ડે''ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત
હીમોફીલિયા સોસાયટી દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
હીમોફીલિયા એ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, જેમાં લોહી તેની નિયત
સમયમર્યાદામાં ગંઠાઇ શકતું નથી. માનવ શરીરના ૧૩ પ્રોટીન પૈકી કોઇ પણ એક
પ્રોટીનનો યોગ્ય માત્રામાં સ્રાવ થવાથી શરીરના કોઇ પણ ભાગમાંથી વહેતું
લોહી જામવા મંડે છે. આ ૧૩ પ્રોટીન પૈકી કોઇ પણ એક અથવા એકથી વધુ
પ્રોટીનની ઉણપથી હીમોફીલિયાનો રોગ થાય છે, જેને લીધે લોહી જામી શકતું
નથી. આ ખામીશીલ પ્રોટીન X રંગસૂત્ર દ્વારા વહન પામતું હોવાથી સ્ત્રી ઓ
કરતાં પુરૂષોમાં આ રોગ થવાની શકયતા વધી જાય છે. સામાન્યુ રીતે
હીમોફીલિયાનો રોગ પુરૂષોમાં વધુ જોવા મળે છે. માતૃપક્ષ તરફથી અથવા
સ્ત્રીાઓના પિયરપક્ષ તરફથી આ રોગ વારસામાં મળવાની શકયતા વધુ છે.
હીમોફોલિયાના દર્દીઓને ગમે તે સમયે રકતસ્રાવ થવાની શકયતા હોય છે. બહારી
રકતસ્રાવનો ઇલાજ પ્રમાણમાં સરળ છે, પણ શરીરના કોઇ પણ અવયવમાં થતો આંતરિક
રકતસ્રાવ દર્દીઓને મૃત્યુોના મુખમાં ધકેલી શકે છે, આવા કિસ્સાનમાં
સાવચેતી એ જ શ્રેષ્ઠમ ઉપાય છે. હીમોફીલિયાના રોગીઓને સાંધામાં થતા
રકતસ્રાવથી થતા રોગો તથા કિડની, મગજ અને સ્નાજયુઓ સંબંધી રોગોનો
હીમોફીલિયાના રોગીઓ વધુ પ્રમાણમાં શિકાર બને છે.
૧૭ એપ્રિલે સમગ્ર વિશ્વામાં ઉજવાતા ''વર્લ્ડન હીમોફીલિયા ડે''ની ઉજવણીનું
યજમાન એવા વર્લ્ડા ફેડરેશન ઓફ હીમોફીલિયાનું વડું મથક કેનેડાના મોન્ટ્રી
યલ શહેરમાં આવેલું છે, જેના ૧૧૩ દેશો સભ્યો છે, અને આ સંસ્થાડને વર્લ્ડલ
હેલ્થી ઓર્ગેનાઇઝેશનની સત્તાનવાર માન્યશતા મળેલ છે. ફ્રેંક સ્કેશનબેલ
દ્વારા ૧૯૬૩માં સ્થાપાયેલ વર્લ્ડછ ફેડરેશન ઓફ હીમોફીલિયાની સ્થાગપનાના ૫૯
વર્ષ પુરાં થયા છે.
રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યન તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો પણ
સમાવેશ કરવામાં આવ્યોશ છે. અને રૂ. બે કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે.
સ્થા નિક સ્તકરે આ દિવસની ઉજવણી અન્વમયે હીમોફીલિયા રોગ અંગે જાગૃતિ
ફેલાવતા કાર્યક્રમો તથા આરોગ્યવ કેમ્પાનું આયોજન કરાય છે. રાજકોટના અશોક
ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટા દ્વારા હીમોફીલિયાના રોગીઓને નજીવા ખર્ચે
જીવનરક્ષક દવાઓના ડોઝ પૂરા પાડવામાં આવે છે. ઉંમર અને વજન પ્રમાણે
નિષ્ણારત ડોકટરોની પેનલ દ્વારા આ ડોઝ નક્કી કરાતા હોય છે. હીમોફીલિયા
સોસાયટી, રાજકોટના સ્થાપપકશ્રી કિરણભાઇ અવાશિયા અને જાણીતા બાળ રોગ
નિષ્ણારત ડો. યજ્ઞેશ પોપટ હીમોફીલિયાના રોગીઓને નજીવા ખર્ચે દવાઓ
પહોંચાડી સરાહનીય યોગદાન આપી રહયા છે.

ટિપ્પણીઓ નથી: