અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા વનવિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ રાજકોટ

અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા વનવિસ્તાર
પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં ફકત અનુસૂચિત જાતિનાં
વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા વનવિસ્તાર
પરિભ્રમણમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય સરકારના
કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે સરકારશ્રીના
ખર્ચે જૂનાગઢ જિલ્લાનના જંગલોમાં વનવિસ્તાર પરિભ્રમણનો ૧૦ દિવસનો
કાર્યક્રમ મે-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ
શકશે
જે યુવક-યુવતીઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા
હોય, અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છાતા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લાા
રમત-ગમત અધિકારીશ્રી, ૧/૩ બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢને તા.૩૦.૪.૨૦૧૨
સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) ઘરનું સરનામું (૩) જન્મ તારીખ(જન્માતારીખનો
પુરાવો) (૪) શૈક્ષણિક લાયકાત (૫) વ્યવસાય (૬) એન.સી.સી., પર્વતારોહણ, રમત
ગમત સ્પમર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત (૭) શારીરિક તંદુરસ્તી ધરાવતા
હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૮) જાતિ અંગેના દાખલાની નકલ (૯) અગાઉ આ
પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત (૧૦) વાલીનો સંમતિપત્ર
તથા (૧૧) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે મોકલવાના
રહેશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યા૦ને લેવામાં આવશે નહીં.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી
ડી.સી.ચાંગેલાની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: