અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

સાકરથી પણ અધિક મીઠાશ ધરાવતા સ્ટીયવીયાની સફળ ખેતી કરતા કમીગઢના પ્રગતિશીલ કૃષિઋષિ રવજીભાઇ

સાકરથી પણ અધિક મીઠાશ ધરાવતા સ્ટીયવીયાની સફળ ખેતી કરતા કમીગઢના
પ્રગતિશીલ કૃષિઋષિ રવજીભાઇ

આલેખનઃ- દિવ્યાા છાટબાર-માહિતી મદદનીશ-જિલ્લાગ માહિતી કચેરી-અમરેલી

અમરેલી
આજના આધુનિક – ટેકનોલોજીના યુગમાં માણસોનું સ્થા ન મહદઅંશે હવે યંત્રોએ
લઈ લીધુ છે, પ્રગતિની આ દોડમાં આજે માણસ કુદરત પ્રત્યેની તેની જવાબદારીઓ
ભૂલતો જાય છે. જેના માઠા પરિણામો પણ સમગ્ર માનવજાતને ભોગવવા પડે છે. જેના
કારણે આજે સરેરાશ માણસ ડાયાબિટીસ – મધુપ્રમેહ અને વધુ વજન જેવી અનેકવિધ
વ્યાધિઓથી ઘેરાતો ગયો છે. જેની સીધી અસર તેના પરિવાર પર પણ પડે છે. આવા
માનવીઓ માટે આયુર્વેદમાં અલગ – અલગ વનૌષધિઓમાંથી થતાં ફાયદાઓ પણ
વર્ણાવવામાં આવ્યાે છે. આવી વનૌષધિઓ પૈકીની એક વનૌષધિ એટલે સ્ટીિવીયા.
જેને મધુપ્રમેહ અને વધુ વજનની સમસ્યાઅ ધરાવતાં લોકો ખાંડના વિકલ્પનરૂપે
લઈ શકે છે.
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં અનાદિકાળથી આપણી આયુર્વેદની
વનસ્પીતિઓની જાળવણી થાય તે માટેના પ્રયાસો થતા રહ્યા છે. તેમાં ગુજરાતે
છેલ્લા એક દાયકામાં આગવી દ્રષ્ટિત અને સૂઝબૂઝ દ્વારા આજના આધુનિક યુગમાં
જગના તાત સમા ખેડૂતોને નવી દિશા આપી ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે
આયુર્વેદના જતન માટેના નવા વિચારો આપ્યાસ છે.
રાજ્ય સરકારના કૃષિ મહોત્સાવ રૂપી અભિનવ કાર્યક્રમ અને કૃષિ વૈજ્ઞાનિકોના
યોગ્યવ માર્ગદર્શનના કારણે આજે અમરેલી જિલ્લાના ખેડૂતોને પણ નવો રાહ
મળ્યો છે, જેના કારણે અહીંના ખેડૂતો પાકની ફેરબદલી કરી, નવીનતમ પાકોના
વાવેતરમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આર્થિક રીતે સમૃધ્ધ થયા છે. જેનું
ઉત્તમ ઉદાહરણ છે, અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના કમીગઢ ગામના રવજીભાઇ.
જીવનની ઢળતી સંધ્યારએ રવજીદાદા અને તેમના પુત્ર કિશોરભાઈ કિકાણીએ તેમના
ગામ કમીગઢમાં ખાંડના વિકલ્પ રૂપી સ્ટી વીયાની સફળ ખેતી દ્વારા આર્થિક
રીતે વધુ સારૂ વળતર મેળવી અન્ય ખેડૂતોને નવો રાહ ચિંધ્યોજ છે.
રવજીભાઇના તેમના આ સફળ સાહસને વર્ણાવતા કહે છે કે, કૃષિ મહોત્સરવમાં મને
સ્ટીતવીયાની ખેતી વિશે જાણવા મળ્યુ હતુ. આથી સ્ટી વીયાની ખેતી વિશે વધારે
જાણવાની મારી ઉત્કંમઠા વધી. આથી મે કૃષિને લગતા અન્ય સામાયિકો અને
પુસ્તસકોમાંથી સ્ટીીવીયાની ખેતી વિશે વધુ જાણવાના પ્રયાસો કર્યા. કૃષિ
વિજ્ઞાન કેન્દ્ર તેમજ ઇન્ટયરનેટના માધ્યકમથી સ્ટીાવીયા વિશે વધુ જાણકારી
મેળવીને મે અને મારા પુત્ર કિશોરભાઈએ સ્ટીનવીયાની ખેતી કરવાનો નિર્ધાર
કર્યો. આ માટે અમે તામિલનાડુથી સ્ટી વીયાના છોડ મંગાવ્યા . પરંતુ ભાદરવા
મહિના દરમ્યા ન આ છોડ મંગાવતા ''પ્રથમ ગ્રાસે મક્ષિકા'' જેવી અમારી
સ્થિાતિ સર્જાઇ. ભાદરવાના તપતા તાપમાં તામિલનાડુથી અહીં સુધી આવતા અમારા
કેટલાક છોડ બળી ગયા, પરંતુ યોગ્યી માવજતના કારણે બાકી રહેલા છોડને અમે
બચાવી શક્યા.
રવજીભાઇના પુત્ર કિશોરભાઇએ સ્ટી વીયાના વાવેતરની વાત કરતા જણાવ્યુમ હતુ
કે, ખેતીક્ષેત્રના અમારા બહોળા અનુભવોના આધારે અમને સમજાયુ છે કે,
સ્ટીેવીયાની ખેતીમાં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે તો તે વધુ
ફાયદાકારક નીવડે છે. સામાન્ય રીતે આ છોડના રક્ષણ માટે આ છોડની આસાપાસ શણ
વાવવામાં આવે છે. સ્ટીધવીયામાં અન્ય પાકની જેમ દવાના છંટકાવની જરૂર
રહેતી નથી પરંતુ છોડની વૃધ્ધિ માટે સમયાંતરે યુરિયાનો છંટકાવ જરૂર
કરવામાં આવે છે. વ્યનવાસાયિક અભિગમ સાથે સ્ટીછવીયાની ખેતી કરવામાં આવે તો
ખૂબ ઓછા ખર્ચે વધુ આવક રળી શકાય છે. વળી સ્ટીજવીયાનો વધુ જથ્થો એકઠો થાય
તો નિકાસ કરી વિદેશી હુંડિયામણ પણ મેળવી શકાય છે.
રવજીભાઇએ તેમના કેટલાય વર્ષના અનુભવનો નિચોડ દર્શાવતાં કહ્યું હતુ કે,
સ્ટી વીયાથી અનેક ફાયદાઓ થાય છે. આજે આપણી ખાન – પાનની રીતો બદલાઈ છે.
જીવનશૈલીમાં પણ ધરમૂળથી બદલાવ આવ્યોફ છે, તેવા સમયે નાની-મોટી ઉંમરની
વ્યનક્તિઓને મધુપ્રમેહ તથા વધતાં વજનની સમસ્યાૈઓ જોવા મળે છે, અને
કૃત્રિમ દવાઓ અને ચરબી ઘટાડવાના ઓપરેશન કરાવવાની નોબત આવતી હોય છે.
ત્યાારે સ્ટીમવીયાના ઉપયોગથી ઓછા ખર્ચે ઘણા ફાયદાઓ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખૂબ સરળતાથી મળી રહેતા સ્ટી વીયામાં ખાંડ કરતા
અધિક વધુ મીઠાશ છે. તે આયુર્વેદિક ઔષધિ અને ખાંડની ગરજ સારે છે.
સ્ટીમવીયાના પાનના ઉપયોગ પછી પણ બ્લડસુગર લેવલ યથાવત રહે છે. સ્ટી વીયાના
પાન એકદમ ઓછી કેલેરી ધરાવે છે. આથી જ તેનો ઉપયોગ વધતાં વજન સામે કરવામાં
આવે છે. વિવિધ વાનગીઓમાં સ્ટી વીયાનો ઉપયોગ કરવામાં આવતાં એ વાનગીઓ પણ
આપોઆપ લો કેલેરીયુક્ત બની જાય છે. સ્ટી‍વીયાથી દાંતના સડાનું જોખમ પણ
ઘટે છે.

ટિપ્પણીઓ નથી: