પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં વિદ્યાર્થી,
બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ
કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય
સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે
સરકારશ્રીના ખર્ચે સાગરકાંઠા વિસ્તાઉર પરિભ્રમણનો ૧૦ દિવસનો કાર્યક્રમ
મે-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે
જે યુવક-યુવતીઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા
હોય, અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છ તા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લાર
રમત-ગમત અધિકારીશ્રી, જિલ્લાી સેવા સદન-૧, પાંચમા માળે, વલસાડને
તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) ઘરનું સરનામું (૩) જન્મ તારીખ (૪) શૈક્ષણિક
લાયકાત (૫) વ્યવસાય (૬) એન.સી.સી., પર્વતારોહણ, રમત ગમત સ્પીર્ધામાં ભાગ
લીધો હોય તેની વિગત (૭) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી
પ્રમાણપત્ર (૮) અગાઉ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત
(૯) વાલીનો સંમતિપત્ર (૧૦) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
મોકલવાનો રહેશે.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, આ અગાઉ આકાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓએ અરજી
કરવાની રહેશે નહિ. તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી
ડી.સી.ચાંગેલાની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો