અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

બાળકો(સામાન્યય) માટે યોજાનારો એડવેન્ચાર કોર્સ

બાળકો(સામાન્યય) માટે યોજાનારો એડવેન્ચાર કોર્સ

રાજકોટ
ગુજરાત રાજયના ૮ થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતાં બાળકો સાહસિક બને,
કુદરતી વાતાવરણમાં તેમની શક્તિ ખીલવે, તે હેતુથી રાજય સરકાર દ્વારા સાત
દિવસનાં એડવેન્ચ ર કોર્સનું આયોજન કરવામાં આવ્યુંન છે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા રાજય સરકારના ખર્ચે જૂનાગઢ જિલ્લાંમાં ૭(સાત) દિવસ માટે
આ એડવેન્ચેર કોર્સ મે-૨૦૧૨માં યોજાશે, જેમાં પસંદ થયેલા ૧૦૦ બાળકોને ભાગ
લેવાની તક આપવામાં આવશે.
માત્ર બાળકો(સામાન્યવ) કે જેઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૮ થી ૧૩ વર્ષની
વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે
પોતાની અરજી જિલ્લાવ રમત-ગમત અધિકારીશ્રી, ૧/૩ બહુમાળી ભવન, સરદારબાગ,
જૂનાગઢને તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) સરનામું(ફોન નંબર સાથે) (૩) જન્મ તારીખ (૪)
શૈક્ષણિક લાયકાત (૫) રમત ગમત સ્પીર્ધાઓમાં ભાગ લીધો હોય તેની વિગત (૬)
શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૭) વાલીનો
સંમતિપત્ર (૮) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોકલવાના
રહેશે. અધૂરી વિગતવાળી અને મુદત બહાર મળેલી અરજીઓ ધ્યાૂને લેવામાં આવશે
નહીં.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ બાળકોને જ આ બાબતની જાણ
કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી ડી.સી.ચાંગેલાની
યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: