અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

વીરપુરની ખોવાયેલ મહિલાઓ વિષે પત્તો આપવા સૂચના

વીરપુરની ખોવાયેલ મહિલાઓ વિષે પત્તો આપવા સૂચના

રાજકોટ
વીરપુરના જલારામનગર ખાતે રહેતા ચનાભાઇ નાથાભાઇ મકવાણાની ૩૫ વર્ષની
ઉંમરની પુત્રી લતાબેન પોતાના ઘરેથી બે માસ પહેલાં ઘરેથી કામે જવાનું
કહીને ગુમ થયા છે.મજબૂત બાંધાના, ઉજળા વર્ણના, ગોળ ચહેરાવાળા, ધોરણ-૭
ભણેલા છે, જયારે મીનળવાવ પસે મોરબીયા શેરી પાસે રહેતા બાબુભાઇ નાનજીભાઇ
ગુજરાતી ખાંટની ૨૫ વર્ષની ઉંમરની પુત્રી સુમીતાબેન પ્રેમસંબંધના કારણે
કોઇને કંઇ પણ કહયા વગર પોતાના ઘરેથી ગત તા.૨૯.૧૨.૧૧ના રોજ ગુમ થયા છે.
પાતળા બાંધાની, ગોળ ચહેરાવાળી અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ લાલ કલરનો
પંજાબી ડ્રેસ પહેર્યા છે. અને જમણા હાથના અંગુઠાના નખ પાસે ઓપરેશન
કરાવ્યાીનું નિશાન છે. આ બંને મહિલાઓ આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી.
તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્ટે શનને જાણ
કરવા રાજકોટ ગ્રામ્યંના પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: