અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી ગુજરાત વિકાસનો પર્યાય ગણાય છેઃ આદિજાતિ કલ્યાણમંત્રી દેશ મુખ્યમંત્રીશ્રીને વિકાસપુરૂષ તરીકે પીછાણે છે શહેરો તરફ ધ્રુવીકરણ અટકાવવા રૂા.૫૦૦ કરોડની યોજનાઃ નરોત્તમ પટેલ


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
ગુજરાત વિકાસનો પર્યાય ગણાય છેઃ આદિજાતિ કલ્યાણમંત્રી
દેશ મુખ્યમંત્રીશ્રીને વિકાસપુરૂષ તરીકે પીછાણે છે
શહેરો તરફ ધ્રુવીકરણ અટકાવવા રૂા.૫૦૦ કરોડની યોજનાઃ નરોત્તમ પટેલ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવસારી ખાતેના સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનમાં બોલતા વન અને આદિજાતિ કલ્યાણમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,  ૧૫હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ વિકાસનો સુવર્ણયુગ આણ્યો છે. નવસારી જિલ્લાને મુખ્યમંત્રીશ્રીની આદિજાતિ કલ્યાણ યોજનાઓ ઉપરાંત સાગરખેડુ યોજનાનો ધણો લાભ મળ્યો છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના એવોર્ડનો ઉલ્લેખ કરતાં તેમણ જણાવ્યું હતું કે, હવે દેશ તેમને વિકાસ પુરુષ તરીકે ઓળખે છે અને ગુજરાત હવે વિકાસનો પર્યાય ગણાય છે. આજે રાજયના ૧૨ આદિજાતિ છોકરાઓ પાયલોટની તાલીમ મેળવે છે, ૫૮ આદિજાતિ યુવા-યુવતિ વિદેશમાં અભ્યાસ કરે અને ૪૫ આદિજાતિ વ્યકિતઓ વિદેશોમાં નોકરી રાજય સરકારની યોજનાઓનો લાભ લઇને કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ હેઠળ ગુજરાતના ગામડાંઓ નંદનવન બન્યાં છે અને શહેરીકરણ અટકાવવા અને ગામડાંઓને વિકસાવવા રૂા.૫૦૦ કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેવી માહિતી આપતાં પંચાયત અને ગ્રામવિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, અસરકારક ગ્રામસભાઓ દ્વારા ગામ લોકોના ૮લાખ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઇ-ગ્રામ - વિશ્વ ગ્રામ યોજના હેઠળ ગુજરાતના ૧૩૫૦૦ ગામડાંઓ વીજાણુ નેટવર્કથી જગત સાથે જોડયાં છે. તેમણે સમરસ ગ્રામ, તીર્થ ગ્રામ, પંચવટી સહિતની ગ્રામવિકાસ યોજનાના પરિણામોની જાણકારી આપવાની સાથે જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાએ સદ્‍ભાવના મિશન દ્વારા વિકાસની સાથે ભાઇચારો અને સદ્‍ભાવનાને જોડવાના મુખ્યમંત્રીશ્રીના અભિયાનની નોંધ લીધી છે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશન દ્વારા પ્રત્યેક વ્યકિત અને સમાજમાં રહેલા સદ્‍ભાવના તત્વને ચેતનવંતુ કર્યું છે, તેવી લાગણી વ્યકત કરતા નવસારીના સાંસદ શ્રી ચંદ્રકાંત પાટિલે જણાવ્યું હતું કે, સદ્‍ભાવનાના વિચારની સાથે ગુજરાતના નાગરિકોની એકાત્મતા જોઇને દેશ ચકિત થઇ ગયો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અજોડ વિકાસ દ્વારા દેશવ્યાપી લોકચાહના અને વિશ્વની માન્યતા મેળવી છે તેવા શબ્દો સાથે તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને વિશ્વના ઉઘોગપતિઓ ગુજરાતમાં ઉઘોગ સ્થાપવા ઉત્સુક છે. કટૃર વિરોધીઓને પણ ગુજરાતના વિકાસની નોંધ લેવાની ફરજ પડી છે તેનો ઉલ્લેખ સાંસદે કર્યો હતો.
સાંસદ શ્રી ભરતસિંહ પરમારે જણાવ્યું કે, સર્વ સમાવેશક અને સર્વપોષક વિકાસ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી દેન છે. તેવી લાગણી વ્યક્ત કરતાં સાંસદ શ્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસની તેમની તપસ્યા આજે રંગ લાવી છે. મુખ્યમંત્રી શ્રી ગુજરાતની પ્રજાની સેવાનું સ્વપ્ન લઇને કામ કરી રહ્યાં છે, અને એટલે જ તેમના પગલે આજે ગુજરાતમાં માંગ્યા મેહ વરસે છે. શ્રી મોદીને વિઝા નકારનારા અમેરીકાને આજે ગુજરાતમાં આવવાની પ્રબળ ઇચ્છા જાગી છે. તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી ગુજરાતના વિકાસની જેમ દેશના વિકાસનું મોડેલ આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતે પારસી સમુદાયને સમાવી લઇને પહેલાંથી જ વિશ્વને સદ્‍ભાવનાનો પરિચય કરાવ્યો હતો તેવી લાગણી વ્યક્ત કરતા રાષ્ટ્રીય પદાધિકારી ઓરીસ્સાના ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પ્રજાપાલક લોકનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે, અને તેમના શાસન હેઠળ ઓરીસ્સાવાસીઓને ગુજરાત પોતીકું લાગે છે. ગુજરાતે ગરીબી નિવારવાનો માર્ગ બતાવ્યો છે, અને વિકાસમાં હિમાલયની ઊંચાઇઓ સિધ્ધ કરી છે. ગુજરાતે સફળ વિકાસનો દાખલો બેસાડયો છે. તેમણે રોજગાર આપવાની ગુજરાતની વિશાળ ક્ષમતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો, અને ૧ર લાખથી વધુ ઓરીસ્સાવાસીઓને રોજગારી આપવા માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે પંચશકિત આધારિત વિકાસની વ્યૂહરચના સાકાર કરી બતાવી છે એવી લાગણી વ્યકત કરતા ગુજરાત પ્રવાસન નિગમના નિયામક મંડળના સદસ્ય શ્રી દિનેશભાઇ દાસાએ જણાવ્યું હતું કે, જયોતિ ગ્રામ યોજના હેઠળ સતત ચોવીસ કલાક વીજળી મળવાથી ગુજરાતના ગામડાંઓની આર્થિક સક્ષમતા વધી છે અને શિક્ષણ સુધર્યું છે. દેશના શાસકોએ જયોતિ ગ્રામ જેવી યોજના બનાવવાની દૂરંદર્શી દાખવી હોત તો આજે સમગ્ર દેશના ગામડાં સબળ બન્યાં હોત. ગુજરાતમાં ૧૩ હજાર મેગાવોટ જેટલી વીજળી પેદા થાય છે, ૪૨ હજાર કિલોમીટર લાંબી વીજ લાઇનો છે અને ૨૨૦૦ કિ.મી.ની ગેસ ગ્રીડ છે એટલે જ તાતા, રીલાયન્સ સહિત વિશ્વના ઉઘોગ ગૃહો ગુજરાતમાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીના સદ્‍ભાવના મિશનને ટેકો આપવા બિલીમોરાના યુવાનોએ નવસારી સુધી પદયાત્રા કરી હતી. આ સદ્‍્‍ભાવના પદયાત્રીઓએ બપોરના સમયે મિશન મંડપમાં મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અભિવાદન કર્યું હતું.

ટિપ્પણીઓ નથી: