અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

રાજકોટ ખાતે એરમેન ભરતી મેળો યોજાશે


રાજકોટ ખાતે એરમેન ભરતી મેળો યોજાશે
ભુજ, ગુરૂવારઃ ભારતીય હવાઇ દળમાં એરમેનની (ગૃપ વાય) ભરતી કરવા માટે આગામી તા.૫/૧૧/૨૦૧૧ થી તા.૮/૧૧/૨૦૧૧ના રોજ સવારના ૭ વાગે ઈન્‍ડોર સ્‍ટેડિયમ, એથ્‍લેટિકસ ગ્રાઉન્‍ડ, ઈન્‍કમ ટેક્ષ ઓફિસ સામે, રેસ કોર્ષ રાજકોટ ખાતે જાહેર ભરતી મેળો યોજાશે.
આ ભરતી કાર્યક્રમમાં આર્ટસ, કોમર્સ, સાયન્‍સ અથવા વ્‍યવસાયલક્ષી પ્રવાહમાં સરેરાશ ૫૦ ટકા સાથે ધોરણ ૧૨ પાસ અથવા માન્‍ય બોર્ડ/ઈન્‍સ્‍ટીટયુટમાં ત્રણ વર્ષનો ડિપ્‍લોમાં ઈન એન્‍જિનિરીંગ (કોઇપણ સ્‍ટ્રીમમાં પાસ) અને તા.૧/૧/૧૯૯૧ થી તા.૩૧/૩/૧૯૯૫ વચ્‍ચે જન્‍મેલા અને ઓછામાં ઓછી ૧૬૫ સે.મી.ની ઊંચાઇ ધરાવતા હોવો જોઇએ. માત્ર પુરૂષ અપરિણિત ઉમેદવારો (અપંગો સિવાય) જોડાઇ શકશે. કચ્‍છ જિલ્‍લાના ઉમેદવારોએ તા.૫/૧૧/૨૦૧૧ના રોજ સવારના ૭ વાગ્‍યે ઉપસ્‍થિત રહેવું.
આ ભરતીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ તમામ અસલ માર્કશીટ, એસ.એસ.સી. બોર્ડ તરફથી મળેલી પાર્સીંગ સર્ટીફિકેટ, એન.સી.સી. સર્ટિફિકેટ (જો હોય તો) ત્રણ નકલ ઝેરોક્ષ સાથે તેમજ ૭ પાસપોર્ટ સાઈઝના કલર (ત્રણ માસથી જુના ન હોય તેવા ટોપી અને ગોગલ્‍સ વિનાના) તેમજ અન્‍ય રાજયના કે અન્‍ય રાજયમાંથી ધોરણ ૧૨ પાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ ડોમીસાઇલ પ્રમાણપત્ર સાથે ભરતીના સ્‍થળે, નિયત સમયે અને તારીખે અચૂક ઉપસ્‍થિત રહેવા રોજગાર અધિકારી, ભુજ દ્વારા જણાવાયું છે.


Date : 20 October 2011
સદ્‌ભાવના મિશન
જિલ્લા અભિયાન : નવસારી
મુખ્‍યમંત્રીશ્રીના સદ્‌ભાવના મિશન અંતર્ગત અનશનને નવસારીમાં વિશાળ જનશક્‍તિનું સમર્થન
નરેન્‍દ્રભાઇ મોદીનું પ્રેરણાદાયી સમાપન સંબોધન
ગુજરાત વિકાસની પારાશીશી
દીવાળીનું પર્વ ગુજરાતની સદ્‌ભાવનાનું પર્વ બનશે
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સદ્‌ભાવના મિશન અંતર્ગત નવસારી જિલ્લા અભિયાનના અનશનનું પ્રેરક સમાપન પ્રવચન કરતા જણાવ્‍યું કે, આ દીવાળીનું પર્વ સમગ્ર ગુજરાતમાં સદ્‌ભાવનાનું પર્વ બની રહે એવો રાષ્‍ટ્ર ભાવનાનો પ્રકાશ ફેલાશે.
દિલ્‍હીની સલ્‍તનત ગુજરાત ઉપર જૂલ્‍મ ગમે એટલા કરે તો પણ ફીફા ખાંડતા રહેવાના છે. તમે જૂલ્‍મ કરવામાં કાંઇ બાકી નથી રાખ્‍યું પણ કશુ કરી શક્‍યા નથી. હજુ પણ મારો પડકાર છે આવો ખેલ ખેલાડીના, ઘોડા અસવારના !
નવસારીમાં સદ્‌ભાવના મિશન અનશનમાં જોડાવા ઉમટેલી જિલ્લાના પાંચેય તાલુકાની વિશાળ જનશક્‍તિનો આશીર્વાદ માટે અંતઃકરણથી આભાર માનતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, આ સદ્‌ભાવના મિશન જિલ્લે જિલ્લામાં રંગ જમાવવાનું છે.
ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા છે. વિકાસની વાત કોઇ કરે તો ગુજરાત જ યાદ આવે અને ગુજરાતની વાત થાય તો વિકાસનો વાવટો જ ફરકે. જેમને ગુજરાત ગમે છે તે ગુજરાતના વિકાસનું ગૌરવ કરે છે, પણ જેમને ગુજરાત પ્રત્‍યે અણગમો છે તે પણ તેમના સારા કામ માટે સરખામણી તો ગુજરાત સાથે જ કરે છે. વિકાસના માપદંડ ગુજરાતે જ નક્કી કરી આપ્‍યા છે.
ગુજરાત વિકાસની પારાશીશી બની ગયું છે. 60 વર્ષની દેશની રાજનીતિમાં વોટબેંકે દેશને તબાહીમાં ધકેલી દીધી છે, અને શું આ સ્‍થિતિ બદલવી જોઇએ નહીં ? ક્‍યાં સુધી ટૂકડા ફેંકી મતપેટી ભરવા માંગો છો ? તમારી મતપેટી ભરાણી, પણ ગરીબનું પેટ ભરાયું નથી, એવો આક્રોશ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો.
વનબંધુ યોજનાથી વનબંધુઓના વિકાસ અને એકતાના પરિણામે ગુજરાતની ધરતી ઉપર નક્‍સલવાદ ડોકાઇ શક્‍તો નથી. આતંકવાદ પણ, સમાજની એકતા હશે, સદ્‌ભાવનાની તાકાત હશે તો દેશની ધરતી ઉપર વકરી શકે નહીં. સમાજને તોડીને ભાઇભાઇ વચ્‍ચે કોમવાદના ઝેર રેડીને નક્‍સલવાદ, આતંકવાદને રોકી શકાય નહીં, એમ તેમણે સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું.
નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, મારા આ ઉપવાસ એવા છે કે મારા મનના ભાવ જનજનના હૈયા સુધી પહોંચે એવું અભિયાન, સદ્‌ભાવના મિશન લઇને નીકળ્‍યો છું. મારે તો ગુજરાતને નમૂનારૂપ બનાવવું છે, જેનો વિકાસ સર્વત્ર પ્રગતિનો પથદર્શક બની રહેશે.
તેમણે 99 ટકા પાકા ગ્રામીણ રસ્‍તા અને સો ટકા કન્‍યા શિક્ષણ અને શાળા પ્રવેશના અભિયાનોમાં કોઇ ભેદભાવ નથી રાખ્‍યો તેની ભૂમિકા આપી હતી, અને જણાવ્‍યું કે, પણ જેમણે વિઘટનના, ભેદભાવના ચશ્‍મા પહેર્યા છે તેઓ તો સદ્‌ભાવ અને એકતા જાણે તેમના ખાટલામાં વીંછી ચડયો હોય એમ હવાતિયા મારે છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાતના કિસાનોએ પરિશ્રમ કરીને પૂરી તાકાતથી હાંસલ કરેલ કૃષિ વિકાસની સમૃધ્‍ધિથી ગામડાના સમાજ પાસે ખરીદ શક્‍તિ આવી છે.

ટિપ્પણીઓ નથી: