અનુયાયીઓ

રવિવાર, 15 ડિસેમ્બર, 2019

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં પણ લાગુ કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત

કરોડો રૂપિયા લઈને ભાગેલી કંપનીઓ સામે
-----

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં  પણ લાગુ
કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત
-------

18મી ડિસેમ્બરે રાજકોટમાં નવનિર્માણ સેના દ્વારા
સૌરાષ્ટ્રભરના એજન્ટો-ગ્રાહકોની બેઠકનું આયોજન

રાજ્કોટ, તા.15
 દેશભર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ગરીબ પ્રજાના કરોડો રૂપિયા ઉસેડીને ભાગી ગયેલી કંપનીઓ સામે આક્રમક રીતે પગલાં ભરવા કેન્દ્ર સરકારે ચિટફંડ(સંશોધન) બિલ તાજેતરમાં પસાર કર્યું હતું.

જેની અમલવારી રાજસ્થાન સહિતના રાજ્યોમાં શરુ થઇ ગઈ હોય, ગરીબ પ્રજા, એજન્ટો અને સંસ્થાના કર્મચારીઓને ફસાવનાર કંપનીના ડિરેક્ટરો સામે કાનૂની પગલાં લેવાની કાર્યવાહી શરુ થઇ ગઈ છે.

આવા ચીટફંડ(સંશોધન)બિલની ગુજરાતમાં હજુ અમલવારી શરુ ના થઇ હોય, તાકીદે શરુ કરવાની માંગ સાથે બે દિવસ પહેલા રાજકોટના એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને એક આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનમાં એજન્ટોએ જણાવ્યું હતું કે રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર અને આદર્શ ક્રેડિટ સોસાયટી જેવી 150 થી વધુ કંપનીના સંચાલકો પ્રજાને ગેરમાર્ગે દોરી, લાલચ આપી કરોડો રૂપિયા એજન્ટો અને કર્મચારીઓ મારફત ઉઘરાવી પોતપોતાની સંસ્થા બંધ કરી દીધી છે.




પરિણામે સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક એજન્ટો અને કર્મચારીઓ ભારે મુસીબતમાં ફસાઈ ગયા છે. કારણ આ લોકોએ પૈસા ઉઘરાવીને જે તે કંપનીના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરી દીધા પછી પાકતી મુદ્દતે પૈસા પાછા વાળવા રીતસરની છેતરપિંડી કરતા ગરીબોની મરણમૂડી સમાન પૈસા આવી કંપનીઓમાં ફસાઈ જતા રોજ બરોજ ગ્રાહકો અને એજન્ટો સાથે તકરારો થઇ રહી છે.

સૌરાષ્ટ્રમાં  અમુક જગ્યાએ તો આવી ચીટફંડ કંપનીઓ સાથે ભોળવાઈને સંકળાયેલા કર્મચારીઓ અને એજન્ટો આપઘાત કરવા લાગ્યા છે. ટૂંકમાં ફરેબી કંપનીઓએ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને તેઓની કંપની બંધ કરી દેતા રોકાણકારો, એજન્ટો, કર્મચારીઓ સૌ કોઈ દયનિય હાલતમાં મુકાઈ ગયા છે.

ત્યારે બીજીબાજુ સરકારે આવી ચીટફંડ કંપનીઓ સામે આકરા પગલાં ભરવાની કાર્યવાહી માટે તાજેતરમાં ચીટફંડ(સંશોધન) બિલ પસાર કરતા હવે કંપનીના સંચાલકો સામે તવાઈ આવશે તેવી  પૈસા ગુમાવનાર વર્ગમાં આશા જન્મી છે. પણ દુઃખની વાત એ જાણવા મળી છે કે આવા ચીટફંડ બિલની અમલવારી હજુ ગુજરાતમાં શરુ થઇ નથી. જેની અમલવારી ચાલુ કરવા બે-ત્રણ દિવસ પહેલા રાજકોટમાં નવનિર્માણ સેનાના રાજેશ પરમારના નેજા હેઠળ એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને આવેદન આપ્યું હતું.

આ તકે રાજેશ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક કંપનીઓમાં ફસાયેલા પૈસા કઢાવવાની ચર્ચા વિચારણા અને ફરિયાદો માટે શું કરવું ?  તે માટે આગામી 18મી ડિસેમ્બરે રાજકોટ ખાતે, રેસકોર્ષમાં સવારના 10થી1 વાગ્યા દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, એજન્ટો, રોકાણકારોએ જોડાવા તેમજ વધુ વિગતો માટે મો.નં. 7016229340 પર સંપર્ક અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2019

સોમવાર, 29 જુલાઈ, 2019

દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું નિધનની સર્વત્ર શોક..


દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા  વિઠ્ઠલભાઈ રાદડીયાના નિધનથી સર્વત્ર શોક..
(કશ્યપ જોશી)
@@@@@@@@@@@@@
કાલે વહેલી સવારે પાર્થિવ દેહ અમદાવાદથી જામકંડોરણા લવાશે; સવારે 7 થી 12 ક્ધયા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રખાશે: બપોરે 1 વાગ્યે નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા :રાજકારણ, સહકારી, સામાજીક, ખેડુત નેતા તરીકે તમામ ક્ષેત્રોનાં ‘અદકેરા યોદ્ધા’ :પોણા બે વર્ષથી બિમારીની સારવાર હેઠળ રહેલા વિઠ્ઠલભાઈએ સવારે અંતિમ શ્ર્વાસ લીધા: ‘સૌરાષ્ટ્રના સિંહ’, ‘છોટે સરદાર’, તરીકે લોકપ્રિય :રાજકારણથી માંડીને સમગ્ર જાહેર જીવનમાં શોકનું મોજુ; વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી વગેરેની શોકાંજલી
@@@@@@@@@@@@@@@@

સૌરાષ્ટ્રનાં સિંહ તરીકે જાણીતા તથા રાજકીય સહકારી, સામાજીક, ધાર્મિક સહીતના તમામ ક્ષેત્રોમાં આગવી નામનાં ધરાવવા સાથે લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે દુ:ખદ અવસાન થયુ હતું. તેઓ 61 વર્ષના હતા.

80 ના દાયકામાં રાજકીય સફર શરૂ કરનારા અને સફળ થવા માટે ઘણા સંઘર્ષો કર્યા બાદ લોકસેવાને જ જીવનનો મંત્ર બનાવી દેનારા વિઠ્ઠલભાઈ રાદડીયાનું લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થયુ હતું. અમદાવાદ ખાતે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જાહેર ક્ષેત્રમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

વિઠ્ઠલભાઈ રાદડીયાએ અંતિમ શ્ર્વાસ ખેંચ્યા તે વખતે પુત્ર અને રાજયના પ્રધાન જયેશભાઈ રાદડીયા, અરવિંદ તાળા, રાદડીયા પરિવારના સભ્યો સહીતના આગેવાનો હાજર હતા દરેકની આંખો ભીની થઈ હતી.

વિઠ્ઠલભાઈ રાદડીયાનું અંદાજીત બે વર્ષ પૂર્વે આરોગ્ય લથડયુ હતું. આ વખતે તેમને અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબો વખત હોસ્પીટલમાં રહ્યા બાદ અમદાવાદમાં જ નિવાસસ્થાન પર તબીબી ટીમ દ્વારા નિયમીત સારવાર કરવામાં આવી રહી હતી. તેઓની તબીયત સ્થિર થવા સાથે ધીમો સુધારો હતો પરંતુ આજે તબીયત વધુ નબળી પડી ગયા બાદ સવારે 10 વાગ્યાનાં અરસામાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ વખતે જયેશ રાદડીયા તથા પરિવારનાં સભ્યો સાથે હાજર અરવિંદ તાળાએ કહ્યું હતું કે સવારે તબીયત લથડતા તાબડતોબ પરિવારનાં સભ્યો સાથે પહોંચ્યા હતા.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને આજે રાત્રે અમદાવાદથી જામકંડોરણા લઈ આવવામાં આવશે. પાર્થિવ દેહ કાલે વહેલી સવારે જામકંડોરણા લાવવામાં આવશે. સવારે સાતથી બાર વાગ્યા સુધી તે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે અને આવતીકાલે બપોરે એક વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

સહકારી અને ખેડૂત નેતા તરીકે જાણીતા અને ખરા અર્થમાં લોકનેતા બનેલા વિઠ્ઠલભાઈ રાદડીયા ચાર દાયકા જેટલી રાજકીય સફરમાં કોંગ્રેસ, રાજપામાં પણ રહી ચુકયા હતા અને છેલ્લે ભાજપમાં સામેલ થયા હતા.

1987 માં જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યા બાદ રાજકીય ક્ષેત્રે એક પછી એક ઉંચાઈ હાંસલ કરતા રહ્યા હતા. 1990 થી 2009 સુધી ધારાસભ્યોપદે રહેલા વિઠ્ઠલભાઈ રાદડીયા 1996 થી 1999 દરમ્યાન રાજય મંત્રીમંડળમાં કેબીનેટ પ્રધાનપદે રહી ચુકયા હતા. ખાણ ખનીજ તથા સહકારી વિભાગનો હવાલો હતો.

રાજયના રાજકારણમાંથી તેઓએ રાજકીય રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો સામાન્ય ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠકથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. સંસદમાં પણ બે ટર્મ રહ્યા હતા.

આ સિવાય રાજકોટ જીલ્લા સહકારી બેંકમાં વર્ષો સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત માર્કેટ યાર્ડ સહીતની સહકારી સંસ્થાઓમાં પ્રમુખ રહ્યા હતા સહકારી સંસ્થાઓમાં પ્રમુખ ગમે તે હોય તેમાં દબદબો વિઠ્ઠલભાઈ રાદડીયાનો જ રહેતો હતો અને તેમનાં સમર્થક જ પ્રમુખપદે રહેતા હતા.

સામાજીક ક્ષેત્રે પણ મોટુ યોગદાન જાણીતું છે. હરીદ્વાર, મથુરા, નાથદ્વારા જેવા ધર્મસ્થાનોમાં પાટીદાર સમાજ ભવન ઉભા કરવા, ક્ધયા છાત્રાલયો સ્થાપવા, ગૌશાળા સહીતના કાર્યો એકલા હાથે ઉપાડયા હતા અને તેમાં સમાજનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

ચારેક વર્ષ પુર્વે કેન્સરની બિમારી લાગુ પડયા બાદ અમેરીકામાં ઓપરેશન કરાવીને આ રોગને મ્હાત આપી હતી અને સાજા-નરવા થઈને ફરી જાહેર જીવનમાં સક્રિય થઈ ગયા હતા. જોકે 2017 ના અંતિમ મહિનાઓમાં તબીયત લથડી હતી અને લાંબી સારવાર છતાં ફરી તેમાંથી બેઠા થઈ શકયા નહોતા અને આજે નિધન થયુ હતું.

તેઓના અવસાનનાં સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી માંડીને પ્રધાનો-ધારાસભ્યો આગેવાનોએ ઉંડા શોક દર્શાવીને શોકાંજલી આપી હતી.

સોમવાર, 4 માર્ચ, 2019

શુક્રવાર, 4 જાન્યુઆરી, 2019

આનંદો ! એઇમ્સને લીધે રાજકોટને મળશે મેડીકલ કોલેજ



રાજકોટને એઈમ્સની સુવિધા મળવા પાછળ આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર ઘણું પાછળ હોવાનું મહત્વનું કારણ છે. સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ અછત મેડીકલ ઓફિસરોની રહી છે આ હોસ્પિટલમાં લાંબા સમયથી ૫૫ મેડીકલ ઓફિસરમાંથી માત્ર ૧૦થી ૧૨ ડોકટરો ફરજ બજાવી શકે છે. ૩૦થી વધુ જગ્યાઓ ખાલી પડી હોવા છતા ંતેની કોઈ ચિંતા કરતું નથી. આ જ પ્રકારની સ્થિતિ સામુહિક આરોગ્ય કેન્દ્રની જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં ૧૪ આરોગ્ય કેન્દ્રમાં ૪૨ મેડીકલ ઓફિસરો હોવા જોઈએ પરંતુ તેની સામે ૨૪ જગ્યાઓ ખાલી પડી હોવાથી દર્દીઓને સારવાર માટે દરરોજ ધક્કા ખાવા પડે છે.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની ડોકટરોની કાયમી અછત નિવારવા માટે અનેક વખત રજુઆતો થઈ હોવા છતાં ભરતી થતી નથી. એ જ રીતે સુપરસ્પેશ્યાલીસ્ટની પોસ્ટ પણ લાંબા સમયથી ખાલી હોવાથી પાર્ટ ટાઈમ નિમણુંક કરીને ગાડુ ગબડાવવું પડે છે. રાજકોટની સીવીલ હોસ્પિટલની માફક ગામડા અને તાલુકાની આરોગ્યની કંગાળ સ્થિતિનો ચિતાર આપી સુત્રો જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૩ વર્ષ દરમિયાન જિલ્લામાં ૧૬ કરોડ રૂા.નું આંધણ કરીને ૧૬ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૨ ડોકટરોની નિમણુંક કરવામાં આવી છે. ૧૦ ડોકટરોની જગ્યા ખાલી પડી છે. એ જ રીતે સબડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં ૪ ની સામે ૨ ધોરાજીમાં પણ ૪ ડોકટરોની સામે ૨ જગ્યા ખાલી પડી છે. ઉપલેટામાં ૧ અને ગોંડલની સરકારી હોસ્પિટલમાં અડધો અડધ ડોકટરોની જગ્યા ખાલી પડી છે.

રાજકોટ જિલ્લામાં એક માત્ર પડધરીનું સામુહિક આરોગ્ય કેન્દ્ર એવું છે જયાં ૩ ડોકટરોની તમામ જગ્યા ભરેલી છે. એ સિવાય તમામ આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની જગ્યા ખાલી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારનાં દર્દીઓની સારવાર થતી નથી. જેનો ભાર જિલ્લા કક્ષાની સરકારી  હોસ્પિટલે ભોગવવો પડે છે. રાજકોટની મેડીકલ કોલેજ પણ લાંબા સમયથી અધ્યાપકોની તંગી ભોગવી રહી છે.

રાજકોટ જેવું જ આરોગ્ય સારવારનું કંગાળ ચિત્ર આખા રાજયમાં જોવા મળતું હોવાનું જણાવી ઉચ્ચ અધિકારી સુત્રો જણાવે છે કે, વર્ષ ૨૦૧૮ - ૨૦૧૯માં રાજય સરકારે જે આરોગ્ય સેવા માટે વાર્ષિક માત્ર રૂા ૧૪૭૯ની જોગવાઈ કરી છે. જેને લીધે પ્રતિદિન માત્ર રૂા ૪ આરોગ્ય સારવાર પાછળ વાપરવામાં આવે છે. જેના કારણે ઘણાં આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની સાથે દવા અને સાધનોની અછત જોવા મળે છે. જરૂરીયાતમંદ દર્દીઓ બિમારીમાં સબડતા રહે છે જેની કોઈ સારવાર કરતું નથી.

નવા હોસ્પિટલ બિલ્ડીંગ માટે આધુનિક સાધનોનું આગમન

ડબલ લાભ... એઇમ્સ ને લીધે રાજકોટને મળશે મેડીકલ કોલેજ

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડની મીની એઇમ્સ જેવી હોસ્પિટલ બે મહિનામાં ચાલુ થશે
રાજકોટને એઇમ્સની આધુનિક આરોગ્ય લક્ષી સારવાર ઉપલબ્ધ થનાર હોવાની વિગતો જાહેર થયા બાદ આજે સિવીલ હોસ્પિટલના તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ કેન્દ્ર સ્થાને રહ્યું હોવાથી અહીં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડના કરોડ જે હોસ્પિટલ ઉભી થઇ રહી છે તેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું હોવાથી બે મહિનામાં જ ૨૦૦ બેડની આધુનિક હોસ્પિટલ શરૂ થઇ જશે.

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં કેમ્પસમાં જે નવી હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમાં આધુનિક મશીનો પણ ટુંક સમયમાં આવનાર હોવાનું જણાવી મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, હૃદય રોગની ચિકિત્સા માટે ટુડી ઇકો મશીનનો ઓર્ડર અપાઇ ગયો છે. ડીઝીટલ એકસ - રે મશીન અત્યારે જ આવી ગયું છે. તે તો રૂમનું બાંધકામ પુરૂ થયા બાદ તે કાર્યરત થયા બાદ ડીઝીટલ એકસ - રે ની કામગીરી શરૂ થશે. રાજકોટને એઇમ્સની સુવિધા મળતા વધુ એક ૧૦૦ બેઠકની અન્ડર ગ્રેજયુએટ મેડીકલ કોલેજની સુવિધા ઉભી થશે પોસ્ટ ગ્રેજ્યુએટની ૪૦ સીટો વધશે એ જ રીતે સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સુવિધા પણ ઉભી થશે. તેથી એઇમ્સના આગમન સાથે રાજકોટને વધુ એક મેડીકલ કોલેજમાં લાભ મળશે. જેનું સંચાલન દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

વેલડન, ઇન્ટરપોલ વેલડન, વેપારીના રૂ.૧૨ લાખ પરત અપાવ્યા

એક વર્ષ પહેલા ઈ-મેઈલ હેક કરાતાં રાજકોટનાં વેપારીએ ગુમાવેલા 12 લાખ ઈન્ટરપોલે પરત અપાવ્યા
જવલ્લે જ બનતી ઘટના, સદ્નસીબે વિદેશની બેંકના ખાતામાં રકમ સ્થગિત કરાતા વેપારીને લાભ થયો

રાજકોટમાં કેમિકલનો ધંધો કરતાં વેપારી સાવન દિનેશભાઈ ઢોલરીયા (રહે. તંતી પાર્ક શેરી નંબર - ૪૬) ૧૫૦ ફુટ રીંગ રોડ) નો ઈમેઈલ  હેક કરી વિદેશની બેંકનાં ખોટા ખાતા નંબર આપી ૧૨,૧૪,૩૦૪થી ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદમાં ઈન્ટર પોલની મદદ લેવાતા અંતે ઠગાઈની રકમ પરત મળી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદી સાવનભાઈ પિતા અને ભાઈ સાથે શ્રી નવદુર્ગા સેલ્સનાં નામથી કેમિકલનો વેપાર કરે છે.

તેણે ધંધા માટે નેટ પર સર્ચ કરી એરોમેટીક વાઈટ સ્પીરીટ કેમિકલનાં ઈ.મેઈલ એડ્રેસ પર કુવેત ઈન્ટરનેશનલ ફેકટરી ફોર વ્હાઈટ સ્પીરીટ નામની કંપનીનો સંપર્ક કરી માલ મંગાવ્યો હતો. જેમાં તેણે એડવાન્સમાં નાણાં બેંક ઓફ બરોડામાં તેની પેઢીનાં ખાતામાંથી કોમર્શીયલ બેંક ઓફ કુવેતનાં બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં તેને સમયસર માલ મળી જતા તેણે બીજી વખત ૪૦ ટકા રકમ જમા કરાવી ચાર કન્ટેનર માલ મંગાવી બાકી રહેતો ૬૦ ટકા રકમ રફીશન બેંક કુવેતનાં ખાતામાં જમા કરાવ્યા હતાં. તેને હવે જુનુ બેંક ખાતું નથી વાપરતાં તેમ ઈ-મેઈલ મારફતે જાણ કરી હવે નવી બેંક કુવેતનાં ખાતામાં રકમ જમા કરાવવાનું કહેતાં તેણે વિશ્વાસમાં આવી બાકી રહેતી ૬૦ ટકા રકમ એટલે ૧૭૮૧૭ ડોલર પોતાની પેઢીના ખાતામાંથી રફીશન બેંક કુવેતનાં ખાતામાં જમા કરાવ્યા હતાં.


બીજા દિવસે તેને સંબંધીત વિદેશી પેઢી તરફથી જાણ કરવામાં આવી હતી કે, બેંક એકાઉન્ટ અંગેનો ઈ.મેઈલ તેઓ તરફથી કરવામાં આવ્યો નથી. તેનું ઈ.મેઈલ એડ્રેસ કોઈએ હેક કરી આ મેઈલ મોકલ્યાનું કહેતા ફરિયાદીએ પોતાની પેઢીનાં ખાતામાંથી રફીશન બેંકમાં મોકલેલી રકમ સ્થગીત કરાવી નાખી હતી. ત્યારબાદ બેંક તરફથી તપાસ કરાવતાં જાણવા મળ્યું કે, તેણે પાછળથી જે ૬૦ ટકા રકમ મોકલી હતી તે પ્રાગ ઝેક રિપ્બલીક મુકામે રફીશન બેંકનાં ખાતામાં જમા પડી છે. અંતે ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઈ તા.૧૭.૧.૨૦૧૮નાં રોજ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસને જાણવા

સંગીત શીખતો છાત્ર કદી ક્રાઈમ ના આચરે


- સંગીત વ્યકિતને પ્રાણવાન - શ્રધ્ધાવાન બનાવે છેઃ પંડિત રાજન સાજન મિશ્રા

- દેશના દરેક પ્રાન્તમાં સંગીતનો અમુલ્ય વારસો સચવાયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા મજબુત બનાવવા પદમ વિભુષણ એવોર્ડ વિજેતા ગાયકોની હિમાયત 
- રાજકોટમાં સાત દિવસના સપ્ત સંગીત કાર્યક્રમનો શુભારંભ; પ્રથમ દિવસે મોડી રાત્રિ સુધી વિવિધ રાગોની અનુભૂતિ દ્વારા ભાવિકો ભાવ વિભોર
- ભારતીય શાસ્ત્રોએ દરેક પ્રહરનાં રાગ દર્શાવ્યા છે જે સ્વરોના નાદ સાંભળવાથી  વ્યકિત હરહંમેશ પ્રસન્નતા અનુભવે છે;  અહંકારને ઓગાળવાનું કામ કરે છે સંગીત 

સંગીતએ ઇશ્વરની આરાધના છે શાસ્ત્રીય સંગીત દ્વારા વ્યકિતના અંતરના નાદ ઇશ્વરિય તત્ત્વો સાથે જોડાઇ જાય છે' તેમ આજ રોજ અહીં શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે પદમ વિભુષણ એવોર્ડ મેળવનાર બનારસ ધરાનાના જાણીતા ગાયક પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, જે બાળકોને શાળામાં કોઇપણ પ્રકારનું સંગીત શિખવાની તક મળે છે તેઓ કદાપિ ક્રાઇમની દિશામાં આગળ વધતા નથી. માટે દરેક શાળામાં સંગીતમાં સંગીતનો અભ્યાસ ફરજીયાત હોવો જોઇએ.

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં અગ્રીમ પંકિતની પ્રતિભાશાળી જોડી તરીકે જાણીતા એવા પંડિત રાજન - સાજન મિશ્રાના ગાયન કાર્યક્રમથી રાજકોટમાં સપ્ત સંગીત સમારોહનો પ્રારંભ થયો હતો. અહીંના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત સાત દિવસના સંગીત - નૃત્ય અને ગાયન સમારોહના પ્રારંભે આજે શાસ્ત્રીય ગાયનની વિવિધ પ્રસ્તુત એ સંગીત રસિકોને મોડી રાત્રિ સુધી અલૌકિક અનુભૂતિ કરાવી હતી.
રાજકોટમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના મહત્ત્વ અને દિન - પ્રતિદિન વધતા જતા  વ્યાપના સંદર્ભમાં પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જે 'ભૈરવથી ભૈરવ સુધી'નાં નામનો કાર્યક્રમ વિદેશના ૧૩ દેશોમાં રજૂ કર્યો ત્યારે જાણવા મળ્યું છે કે યુરોપના જે દેશોના લોકોને ભારતીય ભાષાનું જ્ઞાાન નથી તેઓ પણ આપણી સંગીતની ભાવદશા નિહાળીને અંતરાભિમુખ બની ગયા હતા. સ્વરોની દુનિયાનો વિરલ સ્પર્શ થતા જાહેર કાર્યક્રમોમા ંતેઓની આંખમાં અશ્રુધારા વહેતી જોવા મળી હતી.
ભારતીય શાસ્ત્રીય સંગીતએ આપણા ઋષિઓની વેદકાલીન સંસ્કૃતિની ફલશ્રુતિ છે તેમ કહી તેઓએ ઉમેર્યું હતું કે, આ શાસ્ત્રીય સંગીતને સાંભળવા અને શિખવા યુવાનોમાં રસ વધતો જાય છે તે અમાસ માટે પણ પ્રોત્સાહક બની રહ્યું છે. આજના યુવાનો સંગીત પ્રત્યે રસ - રૂચિ ધરાવેછે તે સુચાવે છે કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે.

ભારતીય સંગીતના બનારસ ધરાનાના વાતો કરતાં તેઓએ ઉમર્યું હતું કે ધરાના તો સંગીતનો એક પ્રકાર છે પરંતુ દરેક સંગીતની શાસ્ત્રીય પ્રસ્તુતિ એ ઇશ્વરની અનુભૂતિનો જ વિષય છે સંગીતએ પરમ તત્ત્વની સાધના છે તેના દ્વારકા અંતરનાદ ઉઘડે છે. જેમ સંગીતની આરાધના કરતા - કરતા સમય પસાર થાય છે તેમ અંતરનાદ વધુ ઉંડાણથી સંભળાય છે જે આપણને સર્વવ્યાપક ઇશ્વરીય તત્ત્વનો સ્પર્શ કરાવે છે.
શાસ્ત્રીય સંગીતએ  વ્યકિતના અહંકારને ઓગળવાનું કામ કરે છે તેમ જણાવી તેઓએ શાસ્ત્રીય સંગીત - નૃત્ય - વાદન મળતા વિશેષ પ્રસન્નતાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું રાગ - રાગીણીઓની પ્રસ્તુતિ એ માનસિક બિમારીઓમાં આજ ઇલાજનું કામ કરી રહી છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પ્રહરનાં રાગ દર્શાવવામાં આવ્યા છે વહેલી સવારે ૪ વાગ્યે રાગ ભૈરવથી દિવસનો પ્રારંભ થાય છે ત્યારબાદ ક્રમશઃ રાગ લલીત, બટીયાર, તોડી સાંવરી, સારંગ, ભીમપલાસી, મુલતાની બાદ રાત્રે મધુવંતી, શ્રી, મારવા, શુધ્ધ કલ્યાણ, માલકૌશ દરબારી અને અંતે ભૈરવથી સમપાન થાય છે આ તમામ રાગ એ સુર્યની બદલાતી રહેલી દિશાની સાથે વ્યકિતના મુડને આનંદમાં રાખે છે. પ્રસન્નતા બક્ષે છે.

ભારતીય માતા - પિતા માટે સંગીતના સંસ્કાર બાળકોને આપવાનું કામ ધર્મમય બનવું જોઇએ તેમ કહી તેઓએ આજે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદનાં નામે  આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણે એક ભારતીય નથી બની શક્યા તેના પ્રત્યે દુઃખની લાગણી વ્યકત કરી હતી. ભારતના દરેક પ્રાંતમાં સંગીતનો અમુલ્ય વારસો પડયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવાની તેઓએ હિમાયત કરી હતી. નિઓ રાજકોટ ફાઉન્ડેશના ઉપક્રમે આજથી સપ્ત સંગીતિ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સાત દિવસ સુધી સુવિખ્યાત કલાકારોની આ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુતિ રજૂ થશે.

સ્વાઈન ફ્લુનો ફૂંફાડો રાતે 4 કલાકમાં 2 દર્દીના મોત


- રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભરશિયાળો છતાં રોગચાળો

- એઈમ્સની ખરેખર જરૂર હતી! રોગચાળા અટકે તેમાં બાબુઓને નથી રસ

- જામનગરમાં પોરબંદરની સગર્ભા દાખલઃ રાજકોટ મનપામાં વધુ બે દર્દીઓ
- મનપાના નિંભર તંત્રનો રિપોર્ટ- શહેરની ૧૬ લાખની વસ્તીમાં સપ્તાહમાં માત્ર ૨૪૭ને સામાન્ય શરદી,તાવ!

સૌરાષ્ટ્રમાં ભર શિયાળો ચાલી રહ્યો છે છતાં લોકો માત્ર વ્યક્તિગતરીતે થતા રોગોથી નહીં પણ ચેપી રોગોના ભોગ બની રહ્યા છે. વાયરલ શરદીની સાથે તેના જેવા લક્ષણો ધરાવતા સ્વાઈન ફ્લુએ ત્રણ દિવસથી મોં ફાડયું છે અને રાજકોટમાં ગત રાત્રિના ચાર કલાકમાં જ ૨ દર્દીઓના મોત નીપજ્યા હતા અને આ સાથે રાજકોટની હોસ્પિટલોમાં કૂલ ૧૬૫ દર્દીઓમાંથી ૪૪ના મોત નીપજ્યાનું જાહેર થયું છે.
રાજકોટ મનપાનું તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં રચ્યુપચ્યુ રહે છે ત્યારે મહાપાલિકાની હદમાં જ (૧) નીલકંઠ પાર્ક શેરી નં.૩માં ૫૫ વર્ષીય પુરુષ તથા (૨) મારુતિનગર-૧, પેડકરોડ પર રહેતો ૧૮ વર્ષીય યુવકને સ્વાઈન ફ્લુ પોઝીટીવના રિપોર્ટ સાથે હોસ્પલિટલે ખસેડાયેલ છે.
તો રાજકોટની હોસ્પિટલમાં ગત રાત્રિના ચાર કલાકમાં બે દર્દીના મોત નીપજ્યા છે જેમાં (૧) રાત્રે ૧૧-૫૦એ જુનાગઢના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામમાં રહેતા ૬૨ વર્ષના વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. આ મહિલાને જુનાગઢની હોસ્પિટલથી રાજકોટ લવાયા હતા અને ગઈકાલે જ તેમને સ્વાઈન ફ્લુ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. (૨) રાજકોટના બજરંગવાડી શેરી નં.૧૪, જામનગર રોડ પર રહેતા ૬૮ વર્ષીય વૃધ્ધને તા.૨૮-૧૨ના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ અત્રે સિવિલમાં ખસેડાયા હતા જ્યાં ગતરાત્રિના ૩.૧૫એ મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.
જામનગરની હોસ્પિટલમાં તાવ,શરદીની બિમારી સાથે દાખલ થયેલ પાંચ માસના ગર્ભ સાથેની પોરબંદરની મહિલાનો આજે સ્વાઈન ફ્લુ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો અને તેને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયેલ છે.
રાજકોટની હોસ્પિટલોમાં ચાર માસમાં સ્વાઈન ફ્લુનું ટેસ્ટીંગ કરાવ્યું હોય અને પોઝીટીવ રિપોર્ટ આવ્યો હોય તેવા જ કૂલ ૧૬૫ દર્દીઓ દાખલ કરાયા હતા જેમાંથી ૪૪ના મોત નીપજ્યા હતા. આ પૈકી માત્ર રાજકોટ શહેરમાં જ ૫૭ દર્દીઓ અને ૧૦ના મોત નોંધાયા છતાં મનપા દ્વારા આ મુદ્દેજાણે તેની કોઈ કામગીરી જ નથી તેમ વર્તાય છે.
રાજકોટ મનપાએ આજે રોગચાળાના આંકડા જાહેર કર્યા તેમાં સતત ત્રણ અઠવાડિયાથી શહેરમાં એક પણ મેલેરિયા ડેંગ્યુનો કેસ જ નહીં નોંધાયાનું જાહેર કરી કાગળ પર ગુલાબી ચિત્ર આપ્યું છે. ગંભીર વાત એ છે કે મનપા લાખો રૂ।.નો ખર્ચ ૨૧ આરોગ્ય કેન્દ્રો અને તેના સ્ટાફને નિભાવવા માટે કરે છે પણ મનપાના ચોપડે માત્ર ૧૬૪ શરદીના, ૮૨ ઝાડાઉલ્ટીના, ટાઈફોઈડનો માત્ર ૧, મરડાંના માત્ર ૬ , કમળાના માત્ર ૨ અને તાવના માત્ર ૨૯ કેસો નોંધાયા છે.
રોગચાળાના આંકડા છુપાવીને કે અધુરા ખોટા આપીને લોકોનું જનઆરોગ્ય મનપા જોખમમાં મુકી રહી છે અને કરોડોના ખર્ચે ગમે તેવા કાર્યક્રમો કરી નાંખતા અફ્સરો લોકો આરોગ્ય જાળવે તે માટે નક્કર કાર્યક્રમોમાં પણ ઉદાસીન રહે છે.બીજી તરફ શહેરમાં હવા,પાણીના પ્રદુષણની માત્રા વધતી જાય છે અને ખોરાકમાં ભેળસેળ સામે પણ મનપા નિંભરતા દાખવી રહ્યું છે ત્યારે જનઆરોગ્ય જોખમમાં છે.

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજીના જન્મદિવસના ઉપલક્ષમાં
આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન


શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના અનુજ ,યુવા વૈષ્ણવાચાર્ય પુ જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીનો જન્મ દિવસ આગામી પોષ સુદએકમ ને રવિવાર તારીખ 6.1.2019ના રોજ આવી રહ્યો છે.આ દિવસે શ્રીમદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ જેતપુર દ્વારા શ્રી મોટી હવેલી જેતપુર ખાતે સવારે 9.00 કલાકથી એક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે.જેનું ઉદ્ઘાટન પૂજ્ય ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના વરદ હસ્તે થશે.જેમાં રાજકોટના ડો.જે.પી.દંગી  પોતાની સેવાઓ આપશે. જેની ઉજવણી માટે જેતપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વૈષ્ણવ સમાજમાં આનંદ અને ઉત્સાહ ઉભરાઈ રહ્યો છે.


પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીએ યુવાનોને પુષ્ટિમાર્ગનું સત્સંગીય જ્ઞાન આપી એક જબ્બરદસ્ત યુવા સંગઠન શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટની સ્થાપના ઘણા વર્ષો પહેલા કરી.સેવાકીય અને સામાજિક સેવાઓની સાથે સાથે આ સંસ્થા દ્વારા અનેક આયોજનો  વારંવાર થતા રહે છે.જેતપુર શહેર અને તેની આજુબાજુના ગામડાઓમાં કાર્યરત પુષ્ટિ-પાઠશાળા અને વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર દ્વારા નાના બાળકોને બાળપણથી જ પુષ્ટિમાર્ગીય જ્ઞાન અને પુષ્ટિ સંસ્કારનો સંચય કરાવવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ,વૃક્ષારોપણ,વિવિધ મેડીકલ કેમ્પ,રક્તદાન કેમ્પ,જળ સંચય,રાહત દરે ચોપડા વિતરણ,યોગ શિબિર,પુષ્ટિ જ્ઞાન શિબિર,શ્રીંગાર શિબિર,ધર્મ સભા ઉપરાંત અનેક ઉત્સવો જેવા કે શરદોત્સવ,નંદોત્સવ,શ્રી વલ્લભાચાર્ય પ્રાકટ્ય  ઉત્સવ,શ્રી ગુંસાઇજી પ્રાકટ્ય   ઉત્સવ,રસિયા ઉત્સવ,ડોલોત્સવ,જન્માષ્ટમી ઉત્સવ, વિગેરેની ઉજવણી વર્ષ દરમિયાન થાય છે. 

પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી દ્વારા અનેક વચનામૃત અને સ્વ-લિખિત પુસ્તકો પણ વૈષ્ણવ સમાજને પ્રસાદ સ્વરૂપે અર્પિત થયા છે.વસુધૈવ કુટુંબકમના વિશેષ
ધ્યેયથી એકતા,શુધ્ધ પર્યાવરણ,વ્યસન મુક્તિ અને તંદુરસ્તી જેવા ચાર મહત્વના સિદ્ધાંતો સાથે સંસ્થા ને આગળ વધારી રહ્યા છે.શ્રી મોટી હવેલી જેતપુરમાં  શ્રી મદનમોહન પ્રભુના મનોરથના શ્રીંગાર પણઆબેહુબ દર્શનીય હોય છે. શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ ના સતત ચાલુ રહેતા આવા સામાજિક,સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો
અને ઉત્સવોના ફલ સ્વરૂપ સંસ્થાની સભ્ય સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થાય છે.

 જેજેશ્રીના જન્મદિવસ નિમિતે આયુર્વેદિક સર્વરોગ નિદાનકેમ્પ તેમજ રાજભોગ દર્શન બાદ માર્કંડેય પૂજા,સાંજે કેસરી સ્નાન અને શયનના દર્શન બાદ વધાઈ કીર્તનના કાર્યક્રમો પણ રાખેલ છે.આ તમામ શુભ અવસરોમાં આપશ્રીને વધાઈ આપવા સમગ્ર વૈષ્ણવ સમાજ ને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.આ ઉત્સવની ઉજવણી માટે શ્રી મદનમોહન યુવક મંડળ ટ્રસ્ટના  તમામ સભ્યો ઉત્સાહભેર કાર્યો કરી રહ્યા છે.
જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં
મહિલાના ઘરમાં ઘુસી મહિલા સહીત ૬
શખ્શોનો હુમલો : એટ્રોસિટી હેઠળ ગુનો

મિલકતના ‘ધરાહાર’ સાટાખત બાબતે બોલાચાલી
બાદ મહિલા પર હુમલો : શહેરમાં ભારે ચકચાર


 જેતપુર શહેરના રામૈયા હનુમાન મંદિર પાસે રહેતી મહિલાના ઘરમાં એક મહિલા સહિત છ જેટલા શખ્સો બળજબરી પૂર્વક ઘુસી ફુલવાડી વિસ્તારની એક મિલકતનું સાટાખત કરી આપવાનું કહી ઘરનો બધો સામાન વેરવિખેર કરી મહીલાને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડયાની ફરીયાદ સિટી પોલીસમાં નોંધાઇ છે.


જેતપુરના રામૈયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતી સોનલબેન લલિતભાઇ ચાવડા નામની મહિલાએ સિટી પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ ગઈકાલે બપોરના પોતે ઘરે એકલી હતી ત્યારે કલ્પેશ રાંક વિજય ચૌહાણ અને અરૂણાબેન તેમજ ત્રણ અજાણ્યા શખ્સો એક મોટર કારમાં આવી પોતાના ઘરમાં બળજબરી પૂર્વક ઘુસી જઇ ઘરનો તમામ સામાન વેર વિખેર કરી શહેરના ફુલવાડી વિસ્તારમાં તાજેતરમાં જ પોતે ખરીદ કરેલ એક મિલકત કલ્પેશભાઇએ પોતાના નામે કરી દેવાનું જણાવ્યું હતું.

પરંતુ આ મિલ્કત પોતાને વેચવી ન હોવાથી સાટાખત કરી આપવાની ના પાડી દેતા તમામે એકસંપ કરી લાકડી વડે માર મારી પોતાના કપડાં ફાડી નાખ્યા અને બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસે સોનલબેનની ફરીયાદ પરથી મહિલા સહિત છ શખસો્ સામે ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તોડફોડ કરી બીજાની મિલ્કતનો દસ્તાવેજ પોતાને નામે કરી આપવા માર મારવાની અને જાતી પ્રત્યે હડધુત કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 323, 324, 354, 143, 147, 149 અને એસ્ટ્રોસિટી એકટ હેઠળ ફરીયાદ નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે, કલ્પેશ રાંકને જાણકારો ભાજપના કાર્યકર અને ગ્રુપ લેઉઆ પટેલ સમાજ જેતપુરના પ્રમુખ તરીકે ઓળખ આપી રહ્યા છે જ્યારે વિજય ચૌહાણ
શહેરના  માંધાતા ગ્રુપ સાથે સંકળાયેલા છે. બનાવથી શહેરભરમાં ચકચાર જાગી છે.

લોધીકાના મોટાવડા ગામ નજીકની નદીના સામા કાઠેથી વિદેશી શરાબની ૫૦૪ બોટલ સાથે લાલસીંગ ઝડપાયો



રૂરલ એલસીબીએ રૂ.૧, ૫૧, ૭૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ તા.૩
રાજકોટ રૂરલ એલસીબી સ્ટાફે બાતમીના આધારે લોધિકા તાલુકાના મોટાવડા ગામ નજીકની નદી કાંઠે દરોડો પાડી એક શખ્શને વિદેશી શરાબની ૫૦૪ બોટલ પકડી પાડી અન્ય બે શખ્શોને પકડવા કવાયત આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાજકોટ રૂરલ એલસીબીને બાતમી મળી હતી કે લોધિકા તાલુકાના મોટાવડા ગામની નદીના કાંઠે મોટાપાયે વિલાયતી દારૂનો જથ્થો પડ્યો છે. આવું બાતમી પરથી એલસીબીના હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જટુભા જાડેજા સહિતના કાફલાએ દરોડો પાડતા ધમો વ્યાસ (રાજકોટ) અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા(રાજકોટ)ની ભોગવટા કબ્જાવાળા વાડીના મકાનમાંથી પોલીસને રૂપિયા ૧ લાખ ૫૧ હજાર ૨૦૦/- ની વિદેશી શરાબની ૫૦૪ બોટલ મળી આવી હતી.

આ તકે પોલીસે લાલસીંગ ઉમેદ્સિંગ જાદવ (રહે.લક્ષ્મીનગર, શેરી-૨, રાજકોટ)ની કુલ રૂપિયા ૧, ૫૧, ૭૦૦/-ના મુદ્દમાલ સાથે ધરપકડ કરી ધમો વ્યાસ અને હર્ષદ(મહાજન)ની શોધખોળ આદરી છે. 

ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાંથી રૂ.20 હજારની ચોરી : ચકચાર


રાજકોટ તા.૩
ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે આવેલ બે ધાર્મિક સ્થળોમાં પ્રવેશી તસ્કરો રૂપિયા 20 હજાર રોકડ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોન્દાલમાં આશાપુરા ચોકડી પાસે, પ્રમુખનગર સોસાયટીમાં આવેલ શ્રી ખોડીયાર માતાજીનું મંદિર અને શ્રી આણંદઆપા સુરાપુરા બાપાના મંદિરમાં પ્રવેશેલા તાક્સરોએ બંને મંદિરની દાનપેટી તોડી આશરે રોકડ રૂપિયા 20 હાજર ચોરી ગયા હતા.

આ બાબતે મેંદરડા ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ ઝગડા નામના સેવાભાવીએ ગોંડલ શહેર પોલીસમાં ત્રણ તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી.એલ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.


વ્યાજખોરો પર સરકારના ચાર હાથ; ભોગ બનનારાઓ ભગવાન ભરોસે


- અપહરણ, આપઘાતનાં રોજિંદા બનાવો
- ધીરધારનું લાયસન્સ અપાયા બાદ કોઈ પ્રકારની તપાસ કરાતી નથી કે નથી થતી કોઈને શિક્ષા



રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિન-પ્રતિદિન વ્યાજખોરોનો ઉપદ્રવ વધતો રહ્યો છે. અપહરણ, આત્મહત્યાનાં બનાવો રોજિંદા  છે. ગઈકાલે જામનગરમાં કારખાનેદાર હજુ લાપત્તા છે. વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલા અનેક લોકો એવા છે કે જેઓ દમ ઘુટી રહ્યા છે. આવી ઘટનાઓ બહાર આવ્યા પછી શરાફી ધોરણે વ્યાજ વટાવનો ધંધો કરતા તત્વોને નિયંત્રિત કરતી સરકારી કચેરીમાં જે અંધેર તંત્ર ચાલી રહ્યું છે તેના કારણે જાણે વ્યાજખોરોને બચાવવા માટે સરકાર ચારે હાથે મદદ કરી રહી હોવાની છાપ ઉપસી રહી છે. બીજી બાજુ ભોગબનનારાઓ ભગવાન ભરોસે છે.


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના આઠ જિલ્લાની ધીરધાર કચેરી ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી રાજકોટના બહુમાળી ભવનમાં છઠ્ઠા માળે કાર્યરત મદદનીશ રજીસ્ટ્રાર (ધીરધાર)ની કચેરીને સોંપવામાં આવી છે. પરંતુ આ કચેરીમાં ૧૩માંથી માત્ર એક ક્લાર્ક અને એક પટ્ટાવાળાની જગ્યા ભરેલી છે. બાકી તમામ ટેકનીકલ- નોન ટેકનીકલ જગ્યાઓ ખાલી પડી છે. વર્ષ દરમિયાન ક્યા જિલ્લામાં વ્યાજ-વટાવનો ધંધો કરનારી પેઢીઓમાં તપાસ કર્યાનો કોઈ રિપોર્ટ આ કચેરી પાસે નથી. માત્ર લાયસન્સ આપવાની અને તેના રીન્યુઅલની જવાબદારી સંભાળતી આ કચેરીના સુત્રો જણાવે છે કે ગત વર્ષ દરમિયાન ધીરધારની રીન્યુઅલ ફી પેટે સરકારને રૂા. ૧૦,૫૧,૨૫૦ની આવક થઈ હતી. સ્વૈચ્છીક કારણોથી ૩૯ પરવાના રદ કર્યા હતા. જ્યારે એક લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યું હતું.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીરધારના ધંધો કરવા માટે અંદાજે ૨૫૦૦ પરવાનેદારો કાર્યરત છે. પરંતુ તેની ઉપર રખેવાળ કહી શકાય તેવી જગ્યાઓ તમામ ખાલી પડી છે. ધીરધારના ધંધામાં વ્યાજખોર તત્વોની દાદાગીરી બેફામ બની રહી છે. જેના કારણે દરેક ગામડાઓ અને શહેરોમાં આપઘાતનું પ્રમાણ વધતુ રહ્યું હોવા છતાં રાજ્ય સરકારે ધીરધારના ધંધાર્થીઓ સામે કોઈ પ્રકારના આકરા શિક્ષાત્મક જાહેર કર્યા નહીં હોવાથી માત્ર રૂા. ૨૫૦ની અરજી ફી અને રૂા. ૫ હજારની રજીસ્ટ્રેશન ફી ભરીને ધીરધારનું લાયસન્સ મળી જાય છે.

ત્યારબાદ લાખો રૂા.નો ધીરધારનો ધંધો ચાલતો રહે છે. સહકાર વિભાગમાં તમામ કામગીરી માત્ર ઈન્ચાર્જ કર્મચારીઓના ભરોસે છોડવામાં આવી હોવાથી શિક્ષાત્મક કામગીરી જાણે નામશેષ થઈ ગઈ હોય તેવી હાલત જોવા મળે છે. જેના કારણે વ્યાજખોરોનાં આતંકવાદી જેવા વલણને ડામવાનું કામ સરકારી તંત્ર માટે કપરૂ બની રહ્યું હોવાનું જાણવા મળે છે

રાજકોટમાં ટ્રક હડફેટે ઈજનેરીના વિદ્યાર્થીનું મૃત્યું, મિત્રને ઈજા - હેલ્મેટ પહેર્યું છતા માથાના ફુરચા નિકળી ગયા



- કોલેજેથી છુટીને બન્ને મિત્રો સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતાં ને નમકીનનાં ટ્રકે ઠોકર મારતા સર્જાયો અકસ્માત


રાજકોટના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર નમકીન કંપનીના ટ્રકના ચાલકે સ્કુટીને હડફેટે લેતા એન્જીનીયરીંગના છાત્ર સાગ ધીરજલાલ ઝરીયા (ઉ.વ.૧૯)ની માથે ટ્રકનું વ્હીલ ફરી વળતાં તેનું મોત નિપજયું હતું. જયારે તેના મિત્ર ધુ્રવીલ હરિપરાને ઈજા થઈ હતી.

તાલુકા પ ોલીસે આ અંગે મૃતકના ભાઈની ફરીયાદ પરથી અકસ્માત બાદ ટ્રક રેઢો મુકી ભાગી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યુ ંકે, નાનામવા રોડ પર શ્યામનગરમાં રહેતો અને લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો સાગર ઝરીયા (ઉ.વ.૧૯) આજે સવારે સ્કુટી લઈને કોલેજે ગયો હતો ત્યાંથી બપોરે છુટીને મિત્ર ધુ્રવીલ હિરપરાને સ્કુટી પર બેસાડી બન્ને પરત ઘરે જવા રવાના થયા હતાં.



દરમિયાન બન્ને સ્કુટી લઈને કણકોટ રોડ ઉપરથી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચડતા પાટીદાર ચોક તરફથી પુરપાટ વેગે ધસી આવેલા ગોપાલ નમકીનના ટ્રકના ચાલકે ખાનગી પાર્ટીપ્લોટ પાસે તેના સ્કુટીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને ફંગોળાઈ ગયા હતાં.

જેમાં સાગર પર ટ્રકનું વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયુ ંહતુ.ં જયારે તેના મિત્રને ઈજા થઈ હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસના પી.એસ.આઈ. સોલંકી અને ફિરોઝભાઈ સહિતે ઘટના સ્થળે જઈ જરૂરી કાગળો કર્યા હતાં. સાગર બેભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. કમનશીબી એ છે કે, મૃતક સાગરે હેલ્મેટ પહેર્યું હતું છતાં તેનું માથુ બચી શકયુ ન હતું. અને અકસ્માતમાં હેલ્મેટ અને માથાના ફુરચા નિકળી ગયા હતાં. બનાવથી ઝરીયા પરિવાર શોકમાં ગરક બન્યો છે.

મંગળવાર, 1 જાન્યુઆરી, 2019

સોમનાથ મંદિરે શીશ ઝુકાવ્યા બાદ રાજકોટથી વિદાય લેતા રાષ્ટ્રપતિ


-ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન કચ્છની સંસ્કૃતિ, સાસણમાં સિંહદર્શન, સોમનાથ મહાદેવ મંદિરની પુજા કર્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદ દિલ્હી જવા રવાના થયા


દેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદ ગઈકાલે સાસણ ખાતે ગીર અભ્યારણ્યની વનસૃષ્ટિ અને સિંહદર્શન કરવા આવી પહોંચ્યા બાદ આજે સપરિવાર સાસણથી સ્પેશ્યલ હેલીકોપ્ટરમાં સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અહીં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મંદિરમાં પુજાવિધિ કર્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા પછી તેઓ હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે સવારે સાસણમાં દેવળિયા ખાતે સફારી પાર્કમાં સિંહદર્શન કર્યા બાદ તેમના પત્ની સવિતાબેન અને પુત્રી સ્વાતિબેન સહિતનો કાફલો આજે સોમનાથ મહાદેવના મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. અહીં સોમનાથ મંદિરના પરિસર ખાતે રાષ્ટ્રપતિએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાત લઈ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

અહીંથી સપરિવાર તેઓ મંદિરે પહોંચ્યા હતા જ્યાં સોમનાથ તિર્થક્ષેત્રના વિદ્વાન બ્રાહ્મણોએ વેદમંત્રોનું ગાન કરીને તેઓને આવકાર્યા હતા. મંત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ત્યારબાદ પુજારીએ સ્તુતિ મંત્રોના મંગલમય ગાન સાથે પુજા અર્ચના કરાવી હતી. તેમણે શિવલીંગ ઉપર ગંગાજળનો અભિષેક કરી વિશ્વના કલ્યાણ માટેની કામના કરી હતી.

સોમનાથ મહાદેવના મંદિરે તેઓએ મધ્યાહન આરતીનો લ્હાવો લીધો હતો. ત્યારબાદ સોમનાથ મહાદેવની તત્કાલ મહાપુજા કરાવી તેઓ ભાવવિભોર બની ગયા હતા. મંદિર ખાતે તેઓને સ્મૃતિચિહન અર્પણ કરવામાં આવ્યા બાદ તેઓએ સાગરદર્શન ખાતે ભોજન લીધા પછી રાજકોટ જવા રવાના થયા હતા.

બપોરે ૨-૩૦ વાગ્યાની આસપાસ રાજકોટ આવી પહોંચ્યા બાદ તેઓને એરપોર્ટ ખાતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ સ્પેશ્યલ વિમાનમાં તેઓ દિલ્હી જવા રવાના થયા હતા 

શનિવાર, 29 ડિસેમ્બર, 2018

પગથીયા ઉતરતા ગબડી પડ્યાનો એડીનો બનાવ હત્યામાં ફેરવાયો જેતપુરમાં પુત્રવધુએ પુત્રીના સહારે સાસુનું ઢીમ ઢાળી દીધું


બનાવનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ શરુ : બનાવ શા માટે બન્યો તે બાબતે સગા સંબંધીઓ અજાણ



જેતપુર શહેરમાં ગઈકાલે અમરનગર રોડ પર અમીધારા એપાર્ટમેન્ટમાં પગથીયા ઉતરતા ગબડીને વૃદ્ધા મોતને ભેટ્યા હોવાનું પોલીસમાં જાહેર થયા બાદ આ બનાવ હત્યાનો હોવાનું બહાર આવતા જેતપુર પોલીસે વૃધ્ધાની પુત્રવધુ અને પૌત્રી સામે ખુનનો ગુનો નોંધાતા ચકચાર મચી છે. વૃદ્ધાની હત્યાનું રહસ્ય હજુ અકબંધ છે. અન્ય પરિવારજનો બનાવ વિષે વધુ કાઈ જાણતા નથી અથવા તો કોઈ વાત છુપાવતા હોય, પીઆઈ વી.આર.વાણીયાએ તપાસનો દૌર શરુ કરી હત્યામાં સંડોવાયેલ માતા પુત્રીની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં અમરનગર રોડ પર અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા રતનબેન અશોકભાઈ જલુ નામના ૬૨ વર્ષના વૃદ્ધા ગઈકાલે અકસ્માતે પગથીયા ઉતરતી સમયે ગબડી પડતા તેમનું મોત થયાનું જણાવી વૃદ્ધાની લાશને હોસ્પીટલે પહોચાડાઈ હતી. અહી ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા પોલીસે વૃદ્ધાના પીએમની વિધિ શરુ કરાવવા કવાયત હાથ ધરી હતી.

પણ વૃદ્ધાની લાશ શંકાશ્પદ જણાતા જેતપુર સિવિલ હોસ્પિટલ સુત્રોએ રતનબેનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાનું જણાવતા જેતપુર પોલીસ રતનબેનની લાશ લઈને રાજકોટ પહોચી હતી. અહી ફોરેન્સિક રીપોર્ટમાં રતનબેનને કોઈ હાથીયારના માથા પર ઘા ઝીંકવાથી મોત થયાનું બહાર આવતા પોલીસ પણ ચૌંકી હતી.


દરમીયાન જેતપુર શહેર પોલીસના પીઆઈ વી.આર.વાણીયાએ તાત્કાલિક તપાસ શરુ કરતા રતનબેનના પુત્રવધુ રેખાબેન કનુભાઈ અશોકભાઈ જલુ તેમજ તેમની પુત્રી હેતલબેન કનુભાઈ અશોકભાઈ જલુ ભેદી સંજોગોમાં ગુમ હોય, શંકાના દાયરામાં આવી જતા આ માતા પુત્રી સામે રતનબેનના ખુનનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. માતાપુત્રી પકડાયા ના હોવાનું પોલીસ જણાવે છે પણ બનાવ શા માટે બન્યો
અને કારણ શું ? તે માટેના તથ્ય માટે જેતપુર શહેર પોલિસના પીઆઈ વી.આઈ.વાણિયાનો સંપર્ક થઇ શક્યો ના હોય, બનાવનું કારણ અકબંધ છે.
બીજીબાજુ મૃતક રતનબેનના પુત્રી વર્ષાબેન મુકેશભાઈ નાગદાનભાઈ જાદવ-આહીરની ફરિયાદ પરથી પોલીસે રતનબેનની પુત્રવધુ અને પુત્રવધુની દીકરી સામે ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે. બનાવ બાબતે જમાઈ મુકેશભાઈ નાગદાનભાઈ આહિરે જણાવેલ કે તેઓ ઘટનાથી અજાણ છે. તો કુટુંબીજન એવા રફાળાના ગીગાભાઈએ પણ બનાવથી અજાણતા વ્યક્ત કરી હતી. પોલીસ કહે છે કે, રેખા અને હેતલ પકડાયે બનાવનું સાચું કારણ જાણી શકાશે. બનાવે જેતપુરના આહીર સમાજમાં ચકચાર જગાવી છે.

ઉત્તરાયણ પર ચાઈનીઝ તુક્કલ, અને દોરાના વેચાણ પર પ્રતિબંધ - રાજકોટ શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું



- જાહેરમાર્ગ પર ટ્રાફિકને અવરોધ ઉભો થાય તે
રીતે જાહેરમાં ઘાસચારો વેચવાની પણ મનાઈ


ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લોકો અને પક્ષીઓ માટે સજા ન બને તે માટે રાજકોટમાં ચાઈનીઝ તુક્કલ અને લેેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરાનો પતંગ ઉડાવા માટે ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવાઈ છે.


પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી જણાવ્યું કે, ઉત્તરાયણને લઈને આગામી તા.૩થી લઈ તા.૧૬ સુધી ચાઈનીઝ તુક્કલ કે ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત શહેરમાં જાહેરમાર્ગ કે મકાનનાં ભયજનક ધાબા ઉપર ચડી પતંગ ઉડાવવા, જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા, પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી ઉડાવવા, રસ્તા પર પતંગ ઉડાવવા, કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝુંડાઓ, વાસના બાંબુઓ, પટ્ટીઓ સહિતની વસ્તુઓ લઈ જાહેરમાર્ગ, શેરીઓ ગલ્લીોમાં દોડાદોડી કરી ટ્રાફિકને અવરોધ ઉભો કરવા, જાહેર માર્ગ પર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા કે જેના કારણે રસ્તા વચ્ચે ટ્રાફિક અવરોધ થાય તેના પર અને પતંગ ઉડાવવા માટે ચાઈનીંઝ દોરાનો ઉપયોગ કરવા પર તા. ૩ થી તા.૧૬ સુધી આ કૃત્યો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચાઈનીઝ તુક્કલ સેંકડોની તાદાતમાં લોકો દ્વારા ઉડાવવામાં આવે છે. અને તેને કારણે આગ લાગવાના બનાવો પણ સામે આવે છે.

બોગસ બિલિંગ કૌભાંડ અંતર્ગત ગોંડલમાં છ વેપારી પેઢી પર જીએસટી વિભાગના દરોડા


ગોંડલમાં બોગસ બિલિંગ કૌભાંડનું ભૂત ઘણા મહિનાઓથી ધૂણી રહ્યું છે. એ અન્વયે તપાસ આગળ હાથ ધરતા એસજીએસટી વિભાગે ગોંડલમાં છ વ્યાપારી પેઢી પર દરોડા પાડયા હતા. ભેળવાળાના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવી બોગસ બિલિંગ કરાતું હોવાનું ધ્યાનમાં આવતા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. તેના લીધે કરચોરોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું.


જીએસટી વિભાગની ટીમોએ આજે વિષ્ણુજી રીફાઇનરી, જયભોલે ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી કોટન જીન પ્રાઇવેટ લિમિટેડ, ગીતા ઓઇલ મીલ, પ્રિયાંશ એન્ટરપ્રાઇઝ તથા એગ્રી કોટન એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હિસાબી સાહિત્ય કબજે કરી તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મોટાપાયે કરચોરી બહાર આવવાની આશંકા સેવવામાં આવી રહી છે.

એક અકાઉન્ટન્ટના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ભેળના જે ધંધાર્થીના નામે જીએસટી નંબર મેળવીને બોગસ બિલિંગ કરાતું હતું તે યુવાનને અધિકારીઓએ દરોડામાં સાથે રાખ્યો હતો. કરચોરીનો આંકડો કેટલો છે તે અંગે જીએસટી વિભાગ દ્વારા હાલ મૌન સેવવામાં આવી રહ્યું છે.

જીએસટી વિભાગ દ્વારા થોડા સમય પહેલા પાડવામાં આવેલા દરોડામાં એક મેટાડોર ભરાય એટલું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. હજુ તો ગણ્યાગાંઠયા સામે જ તપાસ થઈ છે. બીજા કેટલાયનો વારો હજુ બાકી છે. ત્રણ ખૂણિયા પાસે આવેલા દલાલની પેઢીમાંથી જપ્ત કરવામાં આવેલા સાહિત્યમાંથી કોના-કોના નામ બહાર આવશે તે અંગે પણ ચર્ચા અને ચિંતા શરૂ થઈ છે.

જીએસટી તંત્ર દ્વારા હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તે શાક-બકાલાની જેમ વેચાતા બોગસ બિલ પર રોક લગાવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ગોંડલ નજીક ઓઈલ ફેકટરીમાં ભીષણ આગ:મગફળી - તેલ ખાખ

- રાજકોટ, ધોરાજી, જેતપુરનાં ફાયર ફાઈટરોની પણ લેવાઈ મદદ

- ૩૦ હજાર ગુણી મગફળીનાં જંગી જથ્થા સાથે તેલ ભરેલો ૨૦૦ ટનનો મોટા ટાંકો પણ આગની ઝપટે ચડતા અફડા - તફડી


ગોંડલ - રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આવેલી ઓઈલ ફેકટરીમાં અચાનક આગ લાગતા આશરે ૩૦ હજાર જેટલી મગફળીના જથ્થામાં આગ પ્રસરી જવા પામી હતી. જયારે જથ્થાની બાજુમાં જ તેલના ટાંકામાં પણ આગ લાગતા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો.


પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલની પટેલ કોલોનીમાં રહેતા અને ભરૂડી ટોલનાકા પાસે શ્રીયા પ્રોટીન્સ પ્રાઈવેટ લિમિટેડ નામે ઓઈલ ફેકટરી ધરાવતા ડાયાભાઈ પટેલના કારખાનામાં આશરે ૩૦ હજાર ગુણી મગફળીના જથ્થામાં આગ લાગતા પળભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ ગોંડલ ફાયર ફાઈટરને કરાતા ફાયર ટીમ તુરંત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.

આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, જેતપુર તેમજ ધોરાજી સહિતના ફાયર ફાયટરોની મદદ લેવાઈ હતી. ઘટનાની જાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને થતાં તેઓ પણ દોડી ગયા હતાં. તાલુકા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે મોડી સાંજ સુધી બહાર આવ્યું ન હતું.
મગફલીના જથ્થાની પાસે જ તેલ ભરવા માટેના ૨૦૦ ટનના ૫ મોટા ટાંકા આવેલા હોય જેમાંના એક

ટાંકામાં પણ આગ લાગવા પામી હતી. પરંતુ ફાયરફાયટરોએ પાણીનો મારો ચલાવતા આગ આગળ વધવા પામી ન હોવાનું પી.એસ.આઈ. અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આગની ઘટના અંગે ઓઈલ મીલ વર્તુળોએ જણાવ્યું હતું કે, ત્રીસ હજાર મગપળીી ગુણી એટલે એક હજાર ટન મગફળી ગણી શકાય જેની કિંમત આશરે ચાર કરોડ આંકી શકાય છે.

ખાખડાબેલા ગામે દાદીમાએ ડામ દિધેલા બાળકનું સારવાર દરમિયાન મોત : અરેરાટી


     
રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખખડાબેલા ગામે એક આદિવાસી વૃદ્ધાએ પોતાના રાજ્યની અંધશ્રદ્ધાને અહી પણ પુરવાર કરવા 4 દિવસના પૌત્રને ધગધગતા સળીયાના ડામ દીધા બાદ આ બાળકનું ગઈકાલે સાંજે સારવાર દરમીયાન મોત થતા  જાણકારોમાં હાયકારા સાથે અરેરાટી ફેલાઈ છે. આજે આ બાળકનું ફોરેન્સિક પીએમ કરી પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળે છે .
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ખાતે નંદુભાઈ અરવિંદસિંહ દરબારની વાડીયે  રહીને ખેત મજુરી કરતા આદિવાસી પરિવારના લક્ષ્મીબેનને આઠેક દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ બાળક  ગુરુશંકા કરતો ના હોય, ઝાડાની તકલીફ હોવાનું માની લઈને ઇન્દરસિંગ સિંગલાસિંગ આદિવાસીના 4 દિવસના બાળકને દાદી ગજરાબેને ધગધગતા સળીયાના ડામ દેતા તેમને સારવાર માટે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.

જ્યાં ગઈકાલે સાંજે આ બાળકનું સારવાર દરમિયાન મોત થયાનું સિવિલ હોસ્પિટલ સુત્રોએ જાહેર કરતા હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફે જરૂરી કાર્યવાહી વચ્ચે આજે બાળકનું ફોરેન્સિક પીએમ કરાવવાની વિધિ આદરી છે.જો બાળકનું મોત ડામ દેવાથી થયાનું ફોરેન્સિક રીપોર્ટમાં બહાર આવશે તો દાદી સામે ગુનો નોંધાશે.

તબીબી સુત્રોના કહેવા મુજબ આ બાળક કુદરતી થપાટનો ભોગ બન્યો હોય તેમ ગુરુશંકાની જગ્યાજ ના હોવાની વાત બહાર આવતા તબીબી સુત્રો પણ ચોંકી ગયા હતા. હાલ આ બાળક પર ઓપરેશન ક્રિયા કરી ગુરુશંકા માર્ગ ખુલ્લો કરી બાળકને સારવાર અપાઈ રહી હતી. પણ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અત્રે એ નોંધનીય છે કે આજે દેશ અને રાજ્યમાં તેમજ રાજકોટ જીલ્લામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે. સરકાર પણ કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો આપી અંધશ્રદ્ધાથી કાયમી દુર રહેવાની ચેતવણી આપતી હોય છે. પણ નીરક્ષર પરિવારો આવી જાહેરાતોથી બિલકુલ દુર હોય, અંધશ્રદ્ધાના બનાવો બનતા રહે છે.

રાજકોટમાં સતના પારખા કરાવવા ધગધગતા તેલમાં મહિલાના હાથ બોળાવ્યા

સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી વિભાગમાં નોકરી કરતી મહિલા સાથે બન્યો બનાવ
  ;  એક તો પૈસા ઉછીના આપ્યા ને ઉઘરાણી કરતા અંધશ્રધ્ધાના રવાડે ચડાવેલી મહિલા દાઝી  : ધુતારાઓએ મહિલાને પૈસાના વરસાદની લાલચ આપી રૂપિયા 90 હજાર  પડાવી લીધા :5 શખ્શો સામે શારદાબેન થારુંની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ અરજી : પોલીસ તપાસનો ધમધમાટ શરુ
:ઈજાગ્રસ્ત મહિલાને જમણા હાથની આંગળીઓમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે


"લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે" તેવી કહેવત વધુ એક વખત સાબિત કરતો અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સલામતિ દળની એક મહિલા સાથ બનવા પામ્યો છે. જો કે ઉછીના રૂપિયાની માંગણી શરુ કરાતા હંબગ વાતો ઉપજાવી કાઢી એક મહિલા સહીત 5 શખ્શોએ સિક્યુરીટી તંત્રની મહિલાને ધગધગતા તેલમાં હાથ બોળાવી,  પૈસાનો વરસાદ થવાની લાલચ આપી રૂપિયા 20 હજાર પાછા દેવાની વાતમાં અંધશ્રદ્ધામાં ભોળવી વધુ રૂપિયા 90 હજાર પડાવી લેવાનો કારસો સફળ બનાવ્યાની એક ફરિયાદ અરજી દાઝી ગયેલી મહિલાએ પ્રદ્યુમણ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગની ઉપર શારદાબેન હરિભાઈ થારું નામની કચ્છી મહિલા સિક્યુરીટી વિભાગમાં નોકરી કરે છે. ગઈ તા.13-12 ના રોજ શારદાબેન સાંજના સમયે ફરજ પર હતા ત્યારે ઝનાનાં વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતી રુક્શાનાબેન તેમની પાસે આવી હતી. અને કહેવા લાગી હતી કે "તું મારા અને ઓકસીઝ્નવાળા નિલેશબાપુના સંબંધો બાંટે જે ખોટી વાતો કરે છે તેના સાતકબુલા માટે તારે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ સામેના મેલડી માતાજીના મંદિરે ગરમ તેલના તાવમાં હાથ બોળવા આવવું પડશે.

આવી વાતથી શારદાબેન ગભરાઈ ગયા હતા. બીજીબાજુ શારદાબેન નોકરી પરથી છૂટ્યા ત્યારે ત્યાં ઓક્સીઝ્ન પ્લાન્ટમાં નોકરી કરતા નિલેશબાપુ, લાખાભાઈ તેમનો દીકરો સંજય ધાક ધમકી આપી શારદાબેનને મેલડી માતાજીએ મંદિર બળજબરીથી લઇ ગયા હતા. જ્યાં સંજયની પત્ની તેમજ અન્ય એક કર્મચારી હતો. આ સમયે રુક્શાના અને તેમનો પતિ પણ મંદિરે આવીને "તું અમારા સંબંધો બાબતે કેમ હોસ્પીટલમાં ખોટી વાતો કરે છે ? " તેવું કહી ચપલ વડે માર મારવા લાગ્યા હતા.

દરમિયાન નીલેશ, લાખાભાઈ, સંજય અને સંજયની પત્ની તેમજ એક અન્ય મળી તમામે શારદાબેનનો જમણો હાથ ચુલા પર ઉકળતા તેલના તપેલામાં ત્રણ વખત બળજબરીથી બોળાવતા  શારદાબેન સખત રીતી દાઝી જતા સારવાર માટે ઈમરજન્સી વિભાગમાં દાખલ થયા હતા. આ બનાવની કોઈને વાત કરીશ તો નોકરીમાંથી કઢાવી મુકીશું તેવી પાંચેય શારદાબેનને ધમકી આપી હોય ત્યારે પોલીસ ફરિયાદ કરી નહોતી. અહી સારવાર દરમીયા તબીબોના અભિપ્રાય મુજબ શારદાબેનને આંગળીમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી ગંભીર ઈજાઓ હાથમાં થઇ હતી.

આ બાબતે પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ અરજી કરી શારદાબેને ન્યાયની માંગણી કરી છે. અરજીમાં શારદાબેને જણાવ્યું છે કે, બનાવનું મૂળ કારણ તો ઉછીના પૈસા પરત નાં આપવા માટે બન્યો છે. પોલીસે અરજી પરથી જરૂરી તપાસ હાથ ધરી છે.

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2018

રાજકોટમાં 4 વર્ષમાં ડિસેમ્બરનું નોંધાતું સૌથી નીચું તાપમાન 8.7

- સૌરાષ્ટ્રમાં શીતલહર,આજે રાજકોટમાં સિવિયર કોલ્ડવેવ સંભવ

- સતત બીજા દિવસે સૌથી ઠંડુ શહેર રાજકોટ

- ઠંડી હજુ વધશે કોલ્ડવેવ મુદ્દે મનપામાં નથી એક્શન કે નથી એક્શન પ્લાન!


હજુ કાતિલ ઠંડીના પોષ કે જાન્યુઆરી માસ તો બાકી છે ત્યાં સૌરાષ્ટ્રમાં આજે શીતલહર ફરી વળતા ધુ્રજાવી દેતી ઠંડી અનુભવાઈ હતી. રાજકોટમાં આજે સૌરાષ્ટ્રમાં સૌથી નીચુ તાપમાન, ગત ચાર વર્ષોમાં ડિસેમ્બર માસમાં શહેરમાં નોંધાતી સૌથી ન્યુનત્તમ તાપમાન આજે ૮.૭ સે.નોંધાયું હતું અને દિવસ આખો ઠંડા પવનોથી જનજીવન અને પશુપંખીઓ પર પર વ્યાપક અસર પડી હતી. લોકો તાપણાં તાપતા, ગરમ વસ્ત્રોમાં વીંટાળાયેલા અને ગરમ ખાણી-પીણી આરોગતા નજરે પડયા હતા તો પશુ-પંખીઓ પર પણ વ્યાપક અસર વર્તાઈ હતી.
આ માસમાં સૌથી ઓછું તાપમાન (સૌથી વધુ ઠંડી) રાજકોટમાં ઈ.સ.૨૦૧૫માં ૯.૫ સે., ઈ.સ.૨૦૧૬માં ૧૨.૩ સે. અને ગત વર્ષ ૨૦૧૭માં ૧૧ સે.નોંધાઈ છે. આમ, હજુ ડિસેમ્બરના પાંચ દિવસ બાકી છે ત્યાં શહેરમાં ગઈકાલે ૧૦.૮ અને આજે ૮.૭ સે. તાપમાને તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. રાજકોટમાં આ મહિનામાં સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ તા.૩૧-૧૨-૨૦૧૩ના રોજ ૭.૦ સે.નો અને સવાસો વર્ષનો રેકોર્ડ તા.૨૭-૧૨-૧૯૦૩ (૧૧૫ વર્ષ પહેલા) ૨.૮ સે.નો છે.
સમગ્ર ગુજરાતમાં જાન્યુઆરી માસમાં ડિસેમ્બર કરતા પણ વધુ ઠંડી નોંધાતી રહી છે. હવામાનખાતા અનુસાર આજનો કોલ્ડવેવ આવતીકાલ અને તા.૨૮ના શુક્રવારે વધુ તીવ્ર બનવાની અને ખાસ કરીને રાજકોટ,ભાવનગર પંથક અને કચ્છ વિસ્તારમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.
રાજકોટમાં જીવલેણ નિવડી શકતી ઠંડી છતાં મનપાનું આરોગ્ય ખાતુ આ મુદ્દે પણ સુસ્ત અને ઠંડુ છે. મ્યુનિ.કમિશનરે તીવ્ર ગરમીમાં શુ કરવું તે અંગે કમસેકમ હીટવેવ એક્શન પ્લાન ઘડયો છે પણ અસહ્ય ઠંડીથી લોકોને, ખાસ કરીને ગરીબોને રક્ષવા શુ કરવું તે અંગે નથી તો એક્શન લેવાતા કે નથી કોઈ એક્શન પ્લાન ઘડીને અધિકારીઓને માર્ગદર્શન અપાતું. આમ, ઠંડીમાં લોકો ભગવાન ભરોસે છે.
સૌરાષ્ટ્રમાં તા.૨૬-૧૨ના રોજ ટોપ-૧૦માં સૌથી ઠંડા શહેરો
(૧)રાજકોટ
૮.૭
(૨)મહુવા
૯.૯
(૩)સુરેન્દ્રનગર
૧૧.૫
(૪)જુનાગઢ
૧૧.૬
(૫)જામનગર
૧૨.૫
(૬)ભાવનગર
૧૨.૬
(૭)પોરબંદર
૧૨.૭
(૮)વેરાવળ
૧૧.૭
(૯)દ્વારકા
૧૫.૯
(૧૦)ઓખા
૧૭.૮
(* દિવમાં ૯.૮ સે.એ તીવ્ર ઠંડી* ઓખામાં હંમેશા ઠંડી ઓછી હોય છે * કચ્છનું નલિયા ૭ સે.સાથે રાજ્યમાં સૌથી ઠંડુ, જ્યારે કંડલા એરપોર્ટે ૮.૬, ભૂજ ૧૨.૪ સે.તાપમાન)

રાજકોટમાં 'માથા'ના પ્રકરણમાં તમામ રાજ્યોની પોલીસ "ઉંધે માથે"

મામલો ઓનર કિલીંગનો હોવાની પોલીસને દ્રઢ શંકા
ઘરેથી બાળકને લઈને નિકળી ગયેલી મહિલના રાજ્યભરમાં નોંધાયેલા કેસોની હવે તપાસનવ દિવસ પછી પણ પોલીસને ચકરાવે ચડાવનાર ઘટનાનો ભેદ અકબંધ

શહેરના રૂખડીયાપરામાં આજી નદીની વચ્ચે ઉપસેલા પત્થર પરથી બાળકનું વાઢી નખોલુ માથુ મળી આવ્યાને આજે નવ દિવસ થઈ જવા છતાં તેનો ભેદ ખુલ્યો નથી. પોલીસે વાઢી નખાયેલા માથાના ફોટોગ્રાફ સહિતની માહિતી રાજ્યભરની પોલીસને મોકલી હતી. પરંતુ આમ છતાં કોઈ માહિતી નહીં મળતા હવે દેશભરના તમામ રાજ્યોની પોલીસની મદદ લેવાઈ છે.

બી ડિવિઝન પોલીસે સીઆઈડી ક્રાઈમ બ્રાંચ મારફત દેશભરના તમામ રાજ્યોની પોલીસને વાઢી નખાયેલા બાળકના માથાના ફોટોગ્રાફસ અને બીજી જરૂરી માહિતી મોકલી મદદ કરવા કહ્યું છે. આ ઉપરાંત પોલીસે જે મહિલા બાળક સાથે ઘરેથી જતી રહી હોય તેવા રાજ્યભરના કેસો અંગે પણ માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.

શહેરભરની તમામ સ્કુલોમાં પણ પોલીસે ગેરહાજર કે કોઈ બાળક લાપતા હોય તો તે અંગે માહિતી મેળવી હતી. અમુક બાળકો વાલીઓ સાથે બીજા રાજ્યમાં ગયા હોવાની માહિતી મળતા પોલીસ વિડીયો કોલ મારફતે આવા બાળકના વાલીઓ પાસેથી ખરાઈ કરવાની કામગીરી કરી રહી છે.

નવ દિવસની તપાસ બાદ પોલીસ હવે એવા તારણ પર પહોંચી છે કે આ કેસમાં જેનું માથુ મળ્યું છે તે બાળકના નજીકના સગા-સંબંધીોનો હાથ હોવો જોઈએ. અર્થાત પોલીસને આ કેસ ઓનર કિલીંગનો લાગી રહ્યો છે જેને કારણે જ આજ સુધી મૃતક બાળકના પરિવારજનો કે સગા સંબંધીઓએ આજ સુધી પોલીસનો સંપર્ક કર્યો નથી તેવી પોલીસ દલીલ આપી રહી છે.

ગઈ તા. ૧૮મીએ આજી નદીની વચ્ચેથી બાળકનું વાઢી નખાયેલું માથુ મળી આવ્યા બાદ તેનો ભેદ ઉકેલવા પોલીસની ઘણી બધી ટીમો અત્યાર સુધી ઘણાં પ્રયાસો કરી રહી છે. પરંતુ કોઈ રીતે સફળતા મળતી ન હોવાથી પોલીસમાં પણ હવે આ કેસનો ભેદ ઉકેલાશે કે પછી હંમેશા માટે અકબંધ રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

પવિત્ર પાપી : ‘હવન’ના બહાને પૂજારીએ પરિણીતા ઉપર ગુજાર્યુ દુષ્કર્મ

રાજુલા તાલુકાના ભાક્ષિભંડારીયાનાં નરેશ ઉર્ફે હકાબાપુ સામે ફરિયાદ
 
રાજુલા તાલુકાનાં ભાક્ષિ ભંડારીયા ગામના હનુમાનદાદાના પૂજારીએ નાગેશ્રી ગામની પરિણીતાને હવન કરવાના બહાને બોલાવી આશ્રમ નજીકનાં વિરાન ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજુલાના ભાક્ષિભંડારીયા ગામના નરેશ ઉર્ફે હકાબાપુ (હકાભાઇ વલ્લભભાઇ દવે) નામના હનુમાનજી આશ્રમનાં પૂજારીએ ગત તા.15/11ના રોજ બપોરના 2-30 વાગ્યાના સુમારે નાગેશ્રી ગામની પરિણીતા અને મૂળ ભાક્ષિ ભંડારીયા ગામની રહીશ મહિલાને હનુમાન દાદાનાં આશ્રમે હવન કરવાના બહાને બોલાવી હવન કરવા નજીકના વિરાન ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નેંધાવી છે.

ભરૂચ: બળાત્કાર પ્રકરણમાં પીડિતાને ન્યાય અપાવવા બીટીએસ મેદાનમાં
વડોદરા: આદિવાસી સગીરા ઉપર થયેલા બળાત્કાર પ્રકરણમાં આખરે ભિલીસ્થાન ટાઈગર સેનાના વિરોધ વચ્ચે ફરિયાદ નોંધાઈ તો ખરી પરંતુ નરાધમો સામે કડક કાર્યવાહીની માગ સાથે ભિલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ ભોગ બનનાર સગીરાના ઘરે પહોંચ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર આદિવાસી પરિવારમાંથી હોવાથી તેમજ તેના પરિવારમાં તેઓનો કોઈ સહારો ન હોવાના કારણે પોલીસે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.
 
ભલગામની પરિણીતા પર દુષ્કર્મ 
જૂનાગઢના ભલગામની પરિણીતાના સંપર્કમાં વેરાવળ નજીકના ગોવિંદપરાનો નરેશ કરશન વાણવી આવ્યો હતો અને વિશ્વાસ કેળવી બાદમાં પતિ અને સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી જૂનાગઢ બસ સ્ટેન્ડ નજીકના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ શખસે આ મુદ્દે પરિણીતાને ચૂપ રહેવા નહીં તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે પરિણીતાએ હિંમત કેળવી બિલખા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.યુ. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
 
મોખાણા બળાત્કાર પ્રકરણ: લલોઈના શખસની ધરપકડજામનગર તાલુકાના લલોઈ ગામે રહેતા ચંદુ રવજીભાઈ દેવીપૂજક સામે 2009માં મોખાણા ગામની સીમમાંથી 13 વર્ષની બાળાનું અપહરણ કરી તેના ઉપર બળાત્કાર ગુજાર્યાની અને સગર્ભા બનાવ્યાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાઈ હતી.ત્યારથી તે નાશતો ફરતો હતો. દરમિયાન આ શખસ સુરતના વરાછા વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળતાં પી.એસ.આઈ. એમ.આર.વાળા તેમના સ્ટાફ સાથે સુરત ગયાં  હતાં અને ચંદુને ઝડપી લઈ જામનગર લાવવામાં આવ્યો છે. પોલીસે આ શખસને રિમાન્ડ ઉપર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં માધાપર પાસે 36 દબાણો હટાવાયા

25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને મંદિર પર વહિવટી તંત્રનું બુલડોઝર ફર્યું

રાજકોટના માધાપર નજીક આવેલી આસ્થા રેસિડેન્સી પાછળના ભાગે સરકારી જમીન ઉપર ખડકાયેલાં ગેરકાયદે દબાણો ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને મંદિર મળીને કુલ 36 જેટલાં બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
માધાપરમાં સરકારી જમીન પરનાં દબાણો સતત વધી રહ્યાં છે ત્યારે થોડા દિવસો અગાઉ અહીંના આસ્થા રેસિડેન્સી પાછળ આવેલા સર્વે નં.111માં સરકારી જમીન ઉપર મોટાપાયે દબાણ થઇ રહ્યું હોવાની માહિતી જિલ્લા વહીવટી તંત્રને મળી હતી. જે અનુસંધાને તાલુકા મામલતદારે સર્વે કરાવીને પ્રાંત કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો. આ સર્વેમાં માધાપરની સરકારી ખરાબાની 2 કરોડથી વધુ રૂપિયાની જમીન ઉપર ગેરકાયદે દબાણો ખડકાયા હોવાનું બહાર આવતા જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આજે પ્રાંત અધિકારી જેગોડાની આગેવાની હેઠળ તાલુકા મામલતદાર અને ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન લોકોનાં ટોળાં પણ એકઠા થઇ ગયાં હતાં, જો કે સઘન પોલીસ બંદોબસ્ત હોવાથી કોઇ માથાકૂટ થઇ ન હતી.
સરકારી ખરાબાની 20 હજાર ચો.મી. જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી બાંધકામો ખડાકાઇ રહ્યાં હતાં. જેમાં અત્યાર સુધીમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને એક મંદિરનું બાંધકામ થઇ ગયું હતું જે આજે કલેક્ટર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ જગ્યા ઉપર અમુક દબાણકારોએ તો 10થી 15 દિવસ અગાઉ બાંધકામ કર્યા હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટ શહેરમાં તા.30ના 22 વહાલુડી સ્નેહનું પાનેતર ઓઢીને પ્રભુતામાં પગલાં માંડશે


દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આયોજીત વિવાહ ઉત્સવમાં
તા.29ના સમૂહ મંડપ મુહૂર્ત તથા કલાકાર અશ્વિન જોશીનો કાર્યક્રમ
શ્રેષ્ઠીઓ પિર્તૃત્વ ભાવ સાથે કન્યાદાનનું ઋણ અદા કરશે

    રાજકોટના આંગણે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આગામી તા.29 અને 30ના રોજ 22 વહાલુડી દીકરીઓના વિવાહનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવશે. શહેરના જામનગર રોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં યોજાનાર આ લગ્નોત્સવમાં રર દીકરીઓ નેહમાં વિદાયની વેદનાના આંસુના બદલે હરખની હેલી સાથે સ્નેહનું પાનેતર ઓઢી પ્રભુતામાં પગલાં માંડશે. આ પ્રસંગે તા.29ના સવારે 7:30 કલાકે સમૂહ મંડપ મુહૂર્ત અને રાત્રીના આઠ વાગ્યે કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર બીએપીએસના હોલમાં કલાકાર અશ્વિનભાઇ જોશીના કાળજુ ધોવાનો અવસર કાર્યક્રમનું આયોજન કરાયું છે.

    વહાલુડીના વિવાહના સ્વપ્નદ્રષ્ટા મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના અને હસુભાઇ રાચ્છે તથા સંસ્થાના પ્રતાપભાઇ પટેલે સમગ્ર આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, તા.ર8 ના રોજ રાજકોટના રાધે કેટરર્સના સંચાલક ચેતનભાઇ પારેખ દ્વારા તેમજ શહેરના જાણીતા બીલ્ડર સાહિત્યકાર સ્વ.રસીકભાઇ મહેતા પરિવારના હરેનભાઇ મહેતા પરિવાર તરફથી દરેક દીકરીનું ફુલેકુ લેવામાં આવ્યું છે તેમજ રાસગરબા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તા.ર9 ના રોજ સવારે 7.30 કલાકે સમૂહ મંડપ મુહૂર્ત અને રર દીકરીઓનો ભવ્ય મહેંદી રસમનો પ્રસંગ ઉજવાશે.

    વહાલુડીના વિવાહના મુખ્ય લગ્નોત્સવની માહિતી આપતા સંસ્થાના કિરીટભાઇ આદ્રોજા, કિરીટભાઇ પટેલ અને સુનીલભાઇ મહેતાએ જણાવ્યું છે કે તા.30 ડિસેમ્બર રવિવાર સાંજે 4 વાગ્યે ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં જાનનું આગમન થશે. કાલાવડ રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતેથી એકસાથે 40 થી વધુ બસ તેમજ ગાડીના કાફલાને પાયલોટીંગ કરી લગ્નસ્થળે લઇ જવામાં આવશે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આ લગ્નોત્સવમાં સામેલ થનાર પ્રત્યેક દીકરીને કરિયાવર સ્વરૂપે લગભગ 3 લાખ જેટલી રકમનો કરિયાવર અપાશે જેમાં નાની મોટી 170 જેટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
દરેક કપલને ગોવા હનીમૂન ટૂરમાં મોકલાશે
વહાલુડીના વિવાહમાં ભાગ લેનાર 22 દીકરીઓને તા.19 જાન્યુઆરીના રોજ કપલમાં ગોવાનો પ્રવાસ કરાવવામાં આવશે. જેમાં દીકરીઓને આવવા જવાની ટિકિટ ઉપરાંત તમામ સાઇટ સીન અને સુંદર હોટલ-રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જાનૈયાઓનું થશે અદકેરૂ સ્વાગત
ગ્રીન લીફ પાર્ટીપ્લોટના પટાંગણમાં જાન આગમન સાથે બેન્ડવાજા, ઢોલનગારા અને શરણાઇના સૂરોના સથવારે વીન્ટેજ કાર અને 6 શણગારેલી બગીઓ, મોટરકારના કાફલા સાથે રાસની રમઝટ બોલાવતા વરઘોડાનો પ્રસંગ ઉજવવામાં આવશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ઉપસ્થિત રહેશે
લોકપ્રિય ટીવી સિરસયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર તન્મય વેકરીયા (બાઘાલાલ) અને મોનીકા ભાદોરીયા (બાવરી) લગ્નોત્સવમાં ખાસ ઉપસ્થિત રહશે તથા કાળજુ ધોવાનો અવસર કાર્યક્રમમાં મયુર વાંકાણી (સુંદર) ઉપસ્થિત રહેશે. '

હે, રામચંદ્રજી અમારો પાક વીમો મંજુર કરાવો !


રામધૂન બોલીને ભગવાન શ્રીરામને પાકવીમા પ્રશ્ને ખેડૂતોનું આવેદનપત્ર
ધોરાજી પંથકનાં ખેડૂતો દ્વારા નવતર વિરોધ પ્રદર્શન : રામજી મંદિરનાં પટાંગણમાં ઉમટેલા ખેડુતોએ સકારને સદબુધ્ધિ મળે અને મુખ્યમંત્રી તેમનું વચન પાલન કરે, એવી કરી પ્રાર્થના


ધોરાજી પંથકનાં ખેડુતોએ પાકવિમા પ્રશ્ને ભગવાન શ્રીરામને આવેદનપત્ર આપ્યું હતું અને રામજી મંદિર ખાતે ધૂન બોલાવીને ગુજરાત સરકારને સદબુધ્ધી મળે તેવી પ્રાર્થના કરીહતી.

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિયભાઈ રૂપાણીએ ખેડુતોને પાકવિમો અત્યારે ચુકવવામાં આવશેતેવી જાહેરાત કરી હતી. જેના અનુસંધાને ધોરાજીનાં ખેડુત આગેવાનો અને ખેડુતોએ મોટી સંખ્યામાં ધોરાજીમાં રામજી મંદિરનાં પટાંગણમાં બેસી સરકારને સદબુધ્ધી મળે અને મુખ્યમંત્રીએ ખેડુતલક્ષી કરેલ જાહેરાત પુર્ણ કરવા તેમને શક્તિ મળે તેવા બેનર લગાવી બાદમાં ભગવાન શ્રી રામને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવેલું કે, સરકારે જન્માષ્ટમી પૂર્વે ખેડુતોને પાકવીમો આપી દેવા જાહેરાત કરી હતી. જે વચનને પુર્ણ કરી શકયા નથી. ૯-૯ મહીનાથી ખેડુતો પાક વીાથી વંચીત છે, ત્યારે ગતરોજ ફરી મુખ્યમંત્રીએ ખેડુતોને ફેબુ્રઆરી માસ પહેલા પાકવીમો આપી દેવાની જાહેરાત કરી છે. હવે મુખ્યમંત્રી તેમણે આપેલા વચનો પાળશે કે કેમ? તેના પર ખેડુતોએ શંકા ઉઠાવી રામ મંદીરમાં આવેદનપત્ર થયું હતું.

આ નવતર પ્રયોગ સાથે ખેડુતોએ જણાવેલું કે, મુખ્યમંત્રી વચનો આપે છે, પરંતુ પાળતા નથી. ભગવાન શ્રી રામને એટલા માટે આવેદન આપ્યું છે. કે, રઘુકુળ રીત સદા
રાજકોટના સામા કાંઠે રહેતા ઘઉંના
વેપારીના આપઘાતમાં બિલ્ડર, ફાયનાન્સરો, વકીલ સામે ગુનો
 બિલ્ડર તેની પત્ની અને મળતીયાઓએ કરોડોની લોન લેવડાવી 'દગો' દેતા ઝેરી દવા પી જીંદગી ટુંકાવી લીધી

શહેરના માર્કેટયાર્ડ સામે શક્તિ સોસાયટી-૧માં રહેતા અને પેડક રોડ પર હસમુખ ટ્રેડીંગના નામે ઘઉંની પેઢી ધરાવતા હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણી નામના ૪૦ વર્ષના પટેલ વેપારીએ ગઈ તા. ૨૧મીએ કાલાવડ રોડ પરના પ્રેમ મંદિર સામેના બગીચામાં ઝેરી દવા પી લેતા તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેણે બિલ્ડર, ફાયનાન્સ, વકીલ સહિતના ૧૧ આરોપીઓના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાની ફરિયાદ આજે તેના પત્ની દક્ષાબેને (ઉ.વ. ૩૬) બી ડિવીઝન પોલીસમાં નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નિલેશ લુણાગરીયા તેના પત્ની હિનાબેન, જીજ્ઞોશ મનહરલાલ પટેલ, સન્ની જાનમહમદ પ્રમાણી, ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ, જય કિશન માણેક, અરવિંદ પટેલ, પટેલ મેતાજી જે. રાધે, રણછોડનગરનાં અતુલ પટેલ, શૈલેષ રામજીભાઈ ભંડેરી અને એડવોકેટ કેતન મંડ વિરુદ્ધ આપઘાત માટે દૂષ્પ્રેરણા આપવી, વિશ્વાસઘાત, છેતરપીંડી કરવી, ગુનાઈત કાવતરૂ, ગાળો અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે.

ફરિયાદમાં દક્ષાબેને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર નિસર્ગ અને પુત્રી વેદાંતી છે. ઘઉંનો વેપાર કરતા તેના પતિને ચારેક વર્ષ પહેલા પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રકશન નામની પેઢી ધરાવતા બિલ્ડર નિલેશ લુણાગરીયા કે જે એન.કે. તરીકે ઓળખાય છે તેણે કહ્યું હતું કે તમે ઘઉંના મોટા વેપારીઓ છો. આપણે બંને ભાગીદારીમાં ઘઉંનો વેપાર કરીએ. તેનાં પતિએ હા પાડતા તેને નિલેશે દેશ અને વિદેશમાં પણ ધંધો કરવાનું કહી આ માટે મોટી લોન લેવાની વાત કરી હતી.

તેની સાથોસાથ કહ્યું કે તેણે બાંધકામના પ્રોજેક્ટો માટે પોતાના નામે લોનો લીધી છે જેથી બીજી લોન મળી શકશે નહીં તેમ કહી તેના પતિને પોતાની પેઢીના નામે લોન લેવા અને તે લોનની રકમ તેની પેઢી વાપરશે અને હપ્તા પણ ભરશે તેવી વાત કરી હતી. એટલું જ નહીં તેના પતિને એમ પણ કહ્યું હતું કે જો તેને રકમ જોઈતી હોય તો તે તેની પેઢી એટલે પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લોન લેશે. બદલામાં વ્યાજ સહિતની રકમ તેની પેઢીને પરત કરવી પડશે. જ્યારે લોનના સંપૂર્ણ હપ્તા તેની પેઢી ભરશે તેવું નક્કી કર્યું હતું.

આ પછી નિલેશે એડવોકેટ કેતન ભંડ પાસે ભાગીદારી પેઢી માટે સમજૂતી કરાર તૈયાર કરાવ્યો હતો. જેમાં તે તેની પત્ની હીનાબેન, તેના બનેવી જીજ્ઞોશ પટેલ અને તેનો પતિ ભાગીદાર હતા. નોટરી સમક્ષ ગઈ તા. ૧૫-૭-૨૦૧૫ના રોજ આ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિલેશે ધંધા માટે તેના પતિની પેઢીના નામે ફૂલરટોન ફાયનાન્સમાંથી ૯૧ લાખની ગઈ તા. ૬-૮-૨૦૧૫ના રોજ લોન લેવડાવી હતી. જે રકમ તેના પતિની પેઢીના ખાતામાં જમા થઈ હતી. જેનો ૧.૧૫ લાખનો હપ્તો હતો.

બીજી લોન ચોલામંડલમમાંથી ૧.૪૦ કરોડની ગઈ તા. ૧૮-૫-૨૦૧૫ના રોજ લીધી હતી. જેનો હપ્તો ૧.૭૦ લાખનો હતો. આ લોનની રકમ પણ તેના પતિની પેઢીના ખાતામાં જમા થઈ હતી. આ બંને લોનના હપ્તા સમજુતી કરાર મુજબ નિલેશે ભરવાના હતા. આ લોનની રકમ તેના પતિની પેઢીના ખાતામાં જમા થતા જ નિલેશે પોતાની પેઢીમાં ચાર તબક્કે મળી ૪૪ લાખ લઈ લીધા હતા.

આ ઉપરાંત પર્સનલી ૬ લાખ પણ મેળવ્યા હતા. તેની પત્ની હીનાબેને ૧૮ તબક્કે ૧ કરોડ ૨ લાખ ઉપાડી લીધા હતા અને નિલેશના માણસ સની પ્રમાણીના ખાતામાં ત્રણ તબક્કે ૬૫ લાખ ટ્રાન્સફર કરાવાયા હતા. આમ કુલ ૨.૧૭ કરોડ ઉપાડી લેવાયા હતા. આ બંને લોનના હપ્તા નિલેશની પેઢીએ ભર્યા ન હતા.

જેથી ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ તેના પતિને સતત ફોન કરી હપ્તાની ઉઘરાણી કરી અપશબ્દો બોલતા હતા. તેના પતિ જો નિલેશને હપ્તા ભરવાનું કહે તો તે ખોટા વાયદાઓ આપી સમય પસાર કરતો હતો. નિલેશે ગઈ તા. ૧૭-૯-૨૦૧૫ના રોજ ફેરફાર કરી પેઢીમાં ભાગીદાર તરીકે તેની પત્ની અને તેના પતિને રાખી દીધા હતા. તે વખતે પણ શરતો મુજબ પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે જ બંને લોનના હપ્તા ભરવાના હતા તેમ છતાં તેણે હપ્તા નહીં ભરી તેના પતિ સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી.

આ ઉપરાંત તેના પતિએ સંબંધી જયંતિભાઈ વસોયા પાસેથી ચોટીલાના મેવાસાની જમીન ગઈ તા. ૪-૮-૨૦૧૬ના રોજ ખરીદી કરી હતી. જેના અસલ દસ્તાવેજો એડવોકેટ કેતન મંડે કરાવ્યા હતા જે અનેક વખત માંગણી છતાં દસ્તાવેજો આપતો ન હતો. ચોલામંડલમ ફાયનાન્સના ત્રણ હપ્તા ચડી જતા ૫.૧૦ લાખના ચેક રિર્ટન થયો હતો. જેનો કેસ તેના પતિ સામે થયો હતો. આ બાબતે કોર્ટની નોટીસ મળી હતી. ત્યારે ચોલામંડલમે કલેક્ટરમાં મિલ્કતનો કબ્જો લેવા કાર્યવાહી કરી હતી. તેના કાગળો મળ્યા ત્યારે તેના પતિ નિલેશ પાસે ગયા હતા અને હપ્તા ભરવાનું કહેતા તેણે ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ફાયનાન્સવાળા તેના પતિને જાણ કરતા હોવાથી તેના પતિ સતત ચિંતામાં રહેતા હતા.

આ રીતે નિલેશ અને તેના મળતીયાઓએ તેના પતિને મરવું પડે તેવા સંજોગો ઉભા કરતા તેના પતિ તેમને વારંવાર આજીજી કરતા હતા. પરંતુ આ બધા લોકો એમ કહેતા હતા કે હવે તમે મને જવાબદાર ગણી નહીં શકો, કારણ કે બધી લોન અમારી પેઢીના નામે નહીં તમારી પેઢીના નામે લીધી છે. લોનમાં તમારી મિલ્કતો મોર્ગેજ છે. એટલે લોન અને તેના હપ્તા તમારે ભરવાના છે. જેથી નિલેશને કહ્યું કે તમે અને તમારા પત્ની, તમારા માણસો મારી પાસેથી લોનની રકમ લઈ ગયા છો. જે તમારે જ ભરવાના છે. જે બાબત રેકોર્ડ ઉપર છે. આમ છતાં નિલેશ થાય તે કરી લેવા ધમકી આપતો હતો.


અંતે તેના પતિએ નિલેશ અને તેની સાથે રહેલા તમામને ગઈ તા. ૯-૩-૨૦૧૮ના રોજ નોટીસ આપી હતી. જેનો આઘાતજનક જવાબ મળતા તેના પતિ સતત ટેન્શનમાં અને પરિવારની ચિંતા કરતા હતા. એટલું જ નહીં પરિવારના સભ્ય સાથે બહુ વાત કરતા નહીં. ગઈ તા. ૨૦ના રોજ રાત્રે પરિવારના સભ્યોએ તેના પતિને કંઈક રસ્તો નિકળી જશે તેમ કહી હિંમત અને આશ્વાસન આપ્યા હતા. પરંતુ તેના પતિએ કહ્યું કે હવે બધું જતું રહ્યું છે. નિલેશ અને તેના મળતીયાઓએ તેની સાથે છેતરપીંડી કરી છે અને તેને ફસાવી દીધો છે. હવે આ બધી તકલીફોમાંથી છૂટકારા માટે તેની પાસે કોઈ વિકલ્પ નથી તેમ કહી રડવા લાગ્યા હતા અને કહ્યું કે આ બધાને છોડતા નહીં.

ત્યારબાદ ગઈ તા. ૨૧મીએ તેના પતિ બપોરે ઘરેથી જમ્યા વગર નિકળી ગયા હતા અને મોબાઈલ પણ ઘરે મુકી ગયા હતા. પછી તેમને દવા પી લીધાનું જાણવા મળતા હોસ્પિટલ દોડી ગયા હતા. ત્યાં તેના પતિએ યુનિવર્સિટી પોલીસને એક ચિઠ્ઠી (સ્યુસાઈડ નોટ) આપી હતી. જેમાં તમામ આરોપીઓના નામો હતા અને તેના પતિએ જણાવ્યું હતું કે આ બધાના ત્રાસથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.

આખરે ગઈકાલે તેના પતિએ સિવીલમાં દમ તોડી દીધો હતો. બી ડિવિઝનના પીઆઈ ઠાકર, પીએસઆઈ ડામોરે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.

બુધવાર, 26 ડિસેમ્બર, 2018

વીજચોરો પકડતા નથી ને ખેડૂતોને હેરાન કરે છે ધ્રોલમાં વીજકંપની સુત્રોની ખોટી કનડગત સામે ડેપ્યુટી કલેકટરને ખેડૂતોની રજુઆતો

તંત્રના માણસો અને જુનિયર એન્જીનીયર સામે આક્ષેપો : તાત્કાલિક પગલા ભરવા માંગ

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬
ધ્રોલ વીજતંત્ર દ્વારા અમુક ગ્રાહકોને જાણીજોઇને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ સાથે ગઈકાલે ધ્રોલના ખેડૂતો ડેપ્યુટી કલેકટર કચેરી પર દોડી જઈને આવેદન આપ્યું હતું. અહી મૌખિક ફરિયાદો થઇ હતી કે, સાચા વીજચોરોને પકડવા વીજતંત્ર વામણું સાબિત થાય છે અને જે ખેડૂતો નીતિમતાથી વીજળીનો ઉપયોગ કરે છે તેઓને કનડગત કરાય છે. આવેદનમાં વીજતંત્રનો સ્ટાફ અને જુનિયર એન્જીનીયર રાજા સામે વાણી વિલાસના આક્ષેપો થયા છે.

વિગતો મુજબ ધ્રોલ વાડી વિસ્તારમાં રહેતા નિશાબેન ભરતભાઈ પરમાર આજથી એકાદ મહિના પહેલા તેમના ઘરે એકલા હતા ત્યારે વીજ કંપનીના બે ત્રણ માણસો ચેકિંગના બહાને ઘરમાં ઘુસી જઈને સત્તાનો રોફ બતાવ્યો હતો.





આ બાબતે રજુઆતો કરવામાં આવે છે તો જુનિયર એન્જીનીયર રાજા દ્વારા ખેડૂતો સાથે વાણીવિલાસ કરીને ધમકાવાય છે. ખેડૂતોએ ઉગ્રાવેશે આક્ષેપ કર્યો હતો કે, આ જુનિયર એન્જીનીયરના ત્રાસથી મહિલાઓને એકલી ઘરે મુકીને ખેતીકામે જી શકાતું નથી. તેમની સામે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ખેડૂતોએ બુલંદ માંગણી કરી હતી.
સંતાનોના લગ્નની અને કર્જની ચિંતામાં ડૂબેલા
મોટા ઈટાળા ગામના પ્રોઢ ખેડૂતનો આપઘાત

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬

ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામના એક પ્રોઢ ખેડૂતે  ગઈકાલે દેવાના કરજમાં ડૂબી ગયો હોય, સંતાનોના લગ્ન કેમ કરી શકીશ ? તેવી ચિંતામાં આવેશમાં આવી જઈને ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં શોક ફેલાયો છે. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકની લાશ પીએમ માટે દવાખાને ખસેડાવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ મુંગરા નામના ૫૦ વર્ષીય પ્રોઢે ગઈકાલે પોતાની વાડીએ પીપરના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા ગામમાં ચકચાર જાગી હતી.

બનાવ સ્થળે પહોચેલી ધ્રોલ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, રમેશભાઈ કરજમાં ડૂબી ગયા હતા. અને સંતાનોના લગ્નની સતત ચિંતામાં રહેતા હોય તેમણે આવું પગલું ભરી લીધાનું મનાય છે. પોલીસે રમેશભાઈના મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડ્યો હતો. પોલીસના કહેવા મુજબ રમેશભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી છે પણ તેમાં પણ દેવું અને સંતાનોના લગ્ન પ્રશ્નનો ઉલ્લેખ કરાયો છે. બનાવે નાના એવા મોટા ઈટાળા ગામમાં શોક સાથે ચકચાર જગાવી છે.

ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ સામે વિરોધ વંટોળ સરપંચો સામે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપો

જો પરિસ્થિતિ ના સુધરે તો આંદોલન છેડાશે : રાજભા જાડેજા

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬

ધ્રોલ તાલુકા પંચાયત કચેરીમાં જ્યારથી ભીમજીભાઈ મકવાણાએ પ્રમુખનું સુકાન સંભાળ્યું છે ત્યારથી તેમની નીતિ, રીતી અને કાર્યશૈલી સામે વ્યાપક વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. રાઘવજીભાઈ ના કહ્યાગરા એવા આ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા યેનકેન પ્રકારે વિકાસના કામોમાં આડો પગ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

સરપંચોના આક્ષેપો છે કે તેઓની સાથે આ પ્રમુખ મહાશય ભેદભાવ ભરેલી નીતિ રાખે છે. મનરેગાના કામો લઈને આવતા સરપંચોના બીલો અટકાવાય છે. આ બાબતે ભૂતકાળમાં ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆતો કરાતા કહેવાય છે કે જામનગર નિયામક દ્વારા ટીડીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. રાજભાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત પ્રમુખે માત્ર ને માત્ર ભાજપના સરપંચોને હેરાન કરવાને બદલે વિકાસના કામોમાં ધ્યાન આપવું જોઈએ. એટલુજ નહિ કોઈનો હાથો પણ નાં બનવું જોઈએ.

જો ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખની આવી નીતિ અને રોજ બરોજના વિવાદની પરિસ્થિતિ હલ નહિ થાય તો, તેઓ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી સામે આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી રાજભા જાડેજાએ ચીમકી આપી છે.