અનુયાયીઓ

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2018

રાજકોટમાં 'માથા'ના પ્રકરણમાં તમામ રાજ્યોની પોલીસ "ઉંધે માથે"

મામલો ઓનર કિલીંગનો હોવાની પોલીસને દ્રઢ શંકા
ઘરેથી બાળકને લઈને નિકળી ગયેલી મહિલના રાજ્યભરમાં નોંધાયેલા કેસોની હવે તપાસનવ દિવસ પછી પણ પોલીસને ચકરાવે ચડાવનાર ઘટનાનો ભેદ અકબંધ

શહેરના રૂખડીયાપરામાં આજી નદીની વચ્ચે ઉપસેલા પત્થર પરથી બાળકનું વાઢી નખોલુ માથુ મળી આવ્યાને આજે નવ દિવસ થઈ જવા છતાં તેનો ભેદ ખુલ્યો નથી. પોલીસે વાઢી નખાયેલા માથાના ફોટોગ્રાફ સહિતની માહિતી રાજ્યભરની પોલીસને મોકલી હતી. પરંતુ આમ છતાં કોઈ માહિતી નહીં મળતા હવે દેશભરના તમામ રાજ્યોની પોલીસની મદદ લેવાઈ છે.

બી ડિવિઝન પોલીસે સીઆઈડી ક્રાઈમ બ્રાંચ મારફત દેશભરના તમામ રાજ્યોની પોલીસને વાઢી નખાયેલા બાળકના માથાના ફોટોગ્રાફસ અને બીજી જરૂરી માહિતી મોકલી મદદ કરવા કહ્યું છે. આ ઉપરાંત પોલીસે જે મહિલા બાળક સાથે ઘરેથી જતી રહી હોય તેવા રાજ્યભરના કેસો અંગે પણ માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.

શહેરભરની તમામ સ્કુલોમાં પણ પોલીસે ગેરહાજર કે કોઈ બાળક લાપતા હોય તો તે અંગે માહિતી મેળવી હતી. અમુક બાળકો વાલીઓ સાથે બીજા રાજ્યમાં ગયા હોવાની માહિતી મળતા પોલીસ વિડીયો કોલ મારફતે આવા બાળકના વાલીઓ પાસેથી ખરાઈ કરવાની કામગીરી કરી રહી છે.

નવ દિવસની તપાસ બાદ પોલીસ હવે એવા તારણ પર પહોંચી છે કે આ કેસમાં જેનું માથુ મળ્યું છે તે બાળકના નજીકના સગા-સંબંધીોનો હાથ હોવો જોઈએ. અર્થાત પોલીસને આ કેસ ઓનર કિલીંગનો લાગી રહ્યો છે જેને કારણે જ આજ સુધી મૃતક બાળકના પરિવારજનો કે સગા સંબંધીઓએ આજ સુધી પોલીસનો સંપર્ક કર્યો નથી તેવી પોલીસ દલીલ આપી રહી છે.

ગઈ તા. ૧૮મીએ આજી નદીની વચ્ચેથી બાળકનું વાઢી નખાયેલું માથુ મળી આવ્યા બાદ તેનો ભેદ ઉકેલવા પોલીસની ઘણી બધી ટીમો અત્યાર સુધી ઘણાં પ્રયાસો કરી રહી છે. પરંતુ કોઈ રીતે સફળતા મળતી ન હોવાથી પોલીસમાં પણ હવે આ કેસનો ભેદ ઉકેલાશે કે પછી હંમેશા માટે અકબંધ રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ટિપ્પણીઓ નથી: