અનુયાયીઓ

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2018

હે, રામચંદ્રજી અમારો પાક વીમો મંજુર કરાવો !


રામધૂન બોલીને ભગવાન શ્રીરામને પાકવીમા પ્રશ્ને ખેડૂતોનું આવેદનપત્ર
ધોરાજી પંથકનાં ખેડૂતો દ્વારા નવતર વિરોધ પ્રદર્શન : રામજી મંદિરનાં પટાંગણમાં ઉમટેલા ખેડુતોએ સકારને સદબુધ્ધિ મળે અને મુખ્યમંત્રી તેમનું વચન પાલન કરે, એવી કરી પ્રાર્થના


ધોરાજી પંથકનાં ખેડુતોએ પાકવિમા પ્રશ્ને ભગવાન શ્રીરામને આવેદનપત્ર આપ્યું હતું અને રામજી મંદિર ખાતે ધૂન બોલાવીને ગુજરાત સરકારને સદબુધ્ધી મળે તેવી પ્રાર્થના કરીહતી.

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિયભાઈ રૂપાણીએ ખેડુતોને પાકવિમો અત્યારે ચુકવવામાં આવશેતેવી જાહેરાત કરી હતી. જેના અનુસંધાને ધોરાજીનાં ખેડુત આગેવાનો અને ખેડુતોએ મોટી સંખ્યામાં ધોરાજીમાં રામજી મંદિરનાં પટાંગણમાં બેસી સરકારને સદબુધ્ધી મળે અને મુખ્યમંત્રીએ ખેડુતલક્ષી કરેલ જાહેરાત પુર્ણ કરવા તેમને શક્તિ મળે તેવા બેનર લગાવી બાદમાં ભગવાન શ્રી રામને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવેલું કે, સરકારે જન્માષ્ટમી પૂર્વે ખેડુતોને પાકવીમો આપી દેવા જાહેરાત કરી હતી. જે વચનને પુર્ણ કરી શકયા નથી. ૯-૯ મહીનાથી ખેડુતો પાક વીાથી વંચીત છે, ત્યારે ગતરોજ ફરી મુખ્યમંત્રીએ ખેડુતોને ફેબુ્રઆરી માસ પહેલા પાકવીમો આપી દેવાની જાહેરાત કરી છે. હવે મુખ્યમંત્રી તેમણે આપેલા વચનો પાળશે કે કેમ? તેના પર ખેડુતોએ શંકા ઉઠાવી રામ મંદીરમાં આવેદનપત્ર થયું હતું.

આ નવતર પ્રયોગ સાથે ખેડુતોએ જણાવેલું કે, મુખ્યમંત્રી વચનો આપે છે, પરંતુ પાળતા નથી. ભગવાન શ્રી રામને એટલા માટે આવેદન આપ્યું છે. કે, રઘુકુળ રીત સદા

ટિપ્પણીઓ નથી: