અનુયાયીઓ

બુધવાર, 26 ડિસેમ્બર, 2018

ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ સામે વિરોધ વંટોળ સરપંચો સામે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપો

જો પરિસ્થિતિ ના સુધરે તો આંદોલન છેડાશે : રાજભા જાડેજા

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬

ધ્રોલ તાલુકા પંચાયત કચેરીમાં જ્યારથી ભીમજીભાઈ મકવાણાએ પ્રમુખનું સુકાન સંભાળ્યું છે ત્યારથી તેમની નીતિ, રીતી અને કાર્યશૈલી સામે વ્યાપક વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. રાઘવજીભાઈ ના કહ્યાગરા એવા આ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા યેનકેન પ્રકારે વિકાસના કામોમાં આડો પગ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

સરપંચોના આક્ષેપો છે કે તેઓની સાથે આ પ્રમુખ મહાશય ભેદભાવ ભરેલી નીતિ રાખે છે. મનરેગાના કામો લઈને આવતા સરપંચોના બીલો અટકાવાય છે. આ બાબતે ભૂતકાળમાં ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆતો કરાતા કહેવાય છે કે જામનગર નિયામક દ્વારા ટીડીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. રાજભાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત પ્રમુખે માત્ર ને માત્ર ભાજપના સરપંચોને હેરાન કરવાને બદલે વિકાસના કામોમાં ધ્યાન આપવું જોઈએ. એટલુજ નહિ કોઈનો હાથો પણ નાં બનવું જોઈએ.

જો ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખની આવી નીતિ અને રોજ બરોજના વિવાદની પરિસ્થિતિ હલ નહિ થાય તો, તેઓ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી સામે આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી રાજભા જાડેજાએ ચીમકી આપી છે.


ટિપ્પણીઓ નથી: