જેતલસરમાં 15 વર્ષ બાદ ધુળેટીના
દિવસે "રાં " નીકળ્યો !
ગ્રામજનોએ ઉદાર હાથે રૂ.26 હજાર ફાળો આપ્યો..
ફાળાની રકમ ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે
(કશ્યપ જોશી) જેતલસર તા.7
જેતલસર ગામે ગઈકાલે ધુળેટીના દિવસે ગામના સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા 15 વર્ષ થયા બંધ થયેલ "રાં " કાઢવાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાતા સમસ્ત ગામના લોકોએ ભારે મોજ માણી હતી.
જેતલસરમાં પ્રતિ ધુળેટીના દિવશે ગધેડા ઉપર ઉંધા મોઢે યુવાનને બેસાડી આખા ગામમાં ફેરવાતો. ગધેડા ઉપર બેસનાર યુવાનને વરરાજાનો દરજ્જો અપાતો, અને બીજો યુવાન તેમની દુલ્હનનો વેશ ધારણ કરી પગપાળા અથવાતો ગધેડા ઉપરજ ફેરવાતી. વર્ષો થયા સેવાના કામ માટે યોજાતા આવતા આ કાર્યક્રમ છેલ્લા 15 વર્ષ થયા બ્રેક લાગી ગઈ હતી.
પણ આ વર્ષે ગામમાં સેવાના કામો માટે સતત ખડે પગે રહેતા સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના યુવાનોએ આ કાર્યક્રમ પુનઃ ચાલુ કર્યો હોય તેમ ધુળેટીના દિવસે સવારથીજ ડીજેના સથવારે, વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો ઉડાડતા ગોપાલ ભીખુભાઈ ડોબરિયા(કામધેનું ગૌ રક્ષક ગ્રુપ સંગઠન જેતપુર તાલુકા પ્રમુખ ) વરરાજાની ભૂમિકા અદા કરી દુલ્હન જશ્મીન ભુવા સાથે આખા ગામમાં નાચી, રાસ રમી, કોમેડી કરી, વર-વધુ તમારા દ્વારે આવ્યા છે, કૈક ચાંદલો, દક્ષિણા, પસ (ભરાવો) આપો, તમારા પૈસા ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે તેવી અપીલ કરતા જેતલસરના લોકોએ ફૂલ નહિ તો ફૂલ પાંખડી રૂપે રૂપિયા 26000 ફાળો આપ્યો હતો.
સવારથી બપોર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વરરાજા અને લાડીને ઉત્સાહ પીરસવામાં મિલન રૈયાણી, કૃપેશ ડોબરિયા, મેહુલ પોલરા, કિશોર રૈયાણી, સાગર ભુવા, મુન્નો ભુવા, યોગેશ રૈયાણી, રોહિત ભુવા વી. યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બોક્સ: કોણ 'રા' બને ? તેનું મહત્વ શું ?
જેતલસર: વરસમાં એક વખત, ધુળેટીના દિવસે યોજાતા આ કાર્યક્રમમાં ઉંધે ગધેડે બેસી રાં બનવા પાછળની માન્યતા બતાવતા ગામના બુજુર્ગો જણાવે છે કે જીવનમાં કોઈ શારીરિક કે માનશીક યાતનાઓના છુટકારા માટે યુવાનો '' રાં '' બને છે અને તેમની એક મનોકામના હોય છે કે સેવાના કામો માટે આવી રીતે પ્રજા વચ્ચે ફરીને, સૌને આનંદ પીરસીને ફાળો એકત્ર કરવામાં આવે છે. અને આવી શ્રદ્ધાથી '' રાં '' બનનારને ફાયદો, રાહત પણ થતી હોવાની વાત સમયાંતરે સાબિત થાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 9974262812
અબીલ ગુલાલની છોળો ઉડાડતા ઉડાડતા
જેતલસરમાં 15 વર્ષ બાદ ધુળેટીના દિવસે "રાં " નીકળ્યો !
ગ્રામજનોએ ઉદાર હાથે રૂ.26 હજાર ફાળો આપ્યો..
ફાળાની રકમ ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે
(કશ્યપ જોશી) જેતલસર તા.7
જેતલસર ગામે ગઈકાલે ધુળેટીના દિવસે ગામના સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા 15 વર્ષ થયા બંધ થયેલ "રાં " કાઢવાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાતા સમસ્ત ગામના લોકોએ ભારે મોજ માણી હતી.
જેતલસરમાં પ્રતિ ધુળેટીના દિવશે ગધેડા ઉપર ઉંધા મોઢે યુવાનને બેસાડી આખા ગામમાં ફેરવાતો. ગધેડા ઉપર બેસનાર યુવાનને વરરાજાનો દરજ્જો અપાતો, અને બીજો યુવાન તેમની દુલ્હનનો વેશ ધારણ કરી પગપાળા અથવાતો ગધેડા ઉપરજ ફેરવાતી. વર્ષો થયા સેવાના કામ માટે યોજાતા આવતા આ કાર્યક્રમ છેલ્લા 15 વર્ષ થયા બ્રેક લાગી ગઈ હતી.
પણ આ વર્ષે ગામમાં સેવાના કામો માટે સતત ખડે પગે રહેતા સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના યુવાનોએ આ કાર્યક્રમ પુનઃ ચાલુ કર્યો હોય તેમ ધુળેટીના દિવસે સવારથીજ ડીજેના સથવારે, વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો ઉડાડતા ગોપાલ ભીખુભાઈ ડોબરિયા(કામધેનું ગૌ રક્ષક ગ્રુપ સંગઠન જેતપુર તાલુકા પ્રમુખ ) વરરાજાની ભૂમિકા અદા કરી દુલ્હન જશ્મીન ભુવા સાથે આખા ગામમાં નાચી, રાસ રમી, કોમેડી કરી, વર-વધુ તમારા દ્વારે આવ્યા છે, કૈક ચાંદલો, દક્ષિણા, પસ (ભરાવો) આપો, તમારા પૈસા ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે તેવી અપીલ કરતા જેતલસરના લોકોએ ફૂલ નહિ તો ફૂલ પાંખડી રૂપે રૂપિયા 26000 ફાળો આપ્યો હતો.
સવારથી બપોર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વરરાજા અને લાડીને ઉત્સાહ પીરસવામાં મિલન રૈયાણી, કૃપેશ ડોબરિયા, મેહુલ પોલરા, કિશોર રૈયાણી, સાગર ભુવા, મુન્નો ભુવા, યોગેશ રૈયાણી, રોહિત ભુવા વી. યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બોક્સ: કોણ 'રા' બને ? તેનું મહત્વ શું ?
જેતલસર: વરસમાં એક વખત, ધુળેટીના દિવસે યોજાતા આ કાર્યક્રમમાં ઉંધે ગધેડે બેસી રાં બનવા પાછળની માન્યતા બતાવતા ગામના બુજુર્ગો જણાવે છે કે જીવનમાં કોઈ શારીરિક કે માનશીક યાતનાઓના છુટકારા માટે યુવાનો '' રાં '' બને છે અને તેમની એક મનોકામના હોય છે કે સેવાના કામો માટે આવી રીતે પ્રજા વચ્ચે ફરીને, સૌને આનંદ પીરસીને ફાળો એકત્ર કરવામાં આવે છે. અને આવી શ્રદ્ધાથી '' રાં '' બનનારને ફાયદો, રાહત પણ થતી હોવાની વાત સમયાંતરે સાબિત થાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 9974262812












































