અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

રાજયનું આરોગ્ય સુધારવા અને સાચવવા અંદાજપત્રમાં રૂા.૩૦૬૦ કરોડનીજોગવાઇ કરી છે - પરબતભાઇ પટેલ

(માહિતી બ્યુરો, આણંદ) તા. ૨૩ માર્ચ - આરોગ્ય રાજયમંત્રીશ્રી પરબતભાઇ પટેલએ જણાવ્યું હતું કે રાજયનું આરોગ્ય સુધારવા અને સાચવવા રાજય સરકારે નવા અંદાજપત્રમાં રૂા.૩૦૬૦ કરોડની જોગવાઇ કરી છે. રાજયના બાળકોને કુપોષણમાંથી મુકત કરવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ રૂા.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગરીબ પરિવારોની સગર્ભાઓને ખાનગી દવાખાનાઓમાં સલામત પ્રસૂતિ કરાવવાની વિનામૂલ્યે સગવડ આપતી ચિરંજીવી યોજનાને વિશ્વ આરોગ્ય સંસ્થા અને વડાપ્રધાનશ્રીના પુરસ્કારો મળ્યાં છે. ચિરંજીવી યોજના અને ૧૦૮ની જીવનરક્ષક સેવાઓના પગલે સંસ્થાકીય પ્રસૂતિઓનો દર વધીને ૯૩ ટકા થયો છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૨૩૪૫૧ સુવાવડો દ્વારા માતા-બાળકોની જિંદગી બચાવી છે. રાજયના ૨૪ જિલ્લાઓમાં આઇસીયુ ઓન વ્હીલ્સની જીવનરક્ષક સેવા કાર્યરત કરવામાં આવી છે. આરોગ્યની આ સગવડોથી માનવ વિકાસ સૂચકાંક સુધરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ટિપ્પણીઓ નથી: